04/26/2026
🌹*સંન્યાસજયંતી મહોત્સવ*🌹
પ્રિય સાધક ભાઈ-બહેનો,
હરિઃ ॐ! નમસ્કાર!
અધ્યાત્મ વિદ્યામંદિરના સંસ્થાપક અધ્યક્ષ અમારા ગુરુદેવ *પૂજ્યપાદ સ્વામી શ્રીવિદિતાત્માનંદ સરસ્વતીજી મહારાજની ૪૩ મી સંન્યાસજયંતી મે ૪, ૨૦૨૬, સોમવારના દિવસે છે*. ઘણાં વર્ષોથી મે માસમાં પૂજ્યપાદ સ્વામીજી મહારાજનો નિવાસ અમેરિકામાં રહેતો હતો, તેથી સંન્યાસજયંતી ઊજવવાનો મોકો આપણને મળતો નહોતો. આ વર્ષે તત્ત્વતીર્થમાં ગુરુજીની સંન્યાસજયંતી ઊજવી શકીશું, એનો અમને આનંદ છે.
સંન્યાસજયંતી પ્રસંગે *અનંતશ્રીવિભૂષિત દ્વારકા શારદા પીઠાધીશ્વર જગદ્ગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રીસદાનંદ સરસ્વતીજી મહારાજ* નાં ત્રણ પ્રવચનોનું આયોજન આપણે કર્યું છે, જેની વિગતો આ પ્રમાણે છે :
દિવસ : *મે ૩, ૨૦૨૬, રવિવાર, તથા મે ૪, ૨૦૨૬, સોમવાર.*
વિષય : *त्यागेनैके अमृतत्वमानशुः।*
સમય : *મે ૩, ૨૦૨૬, રવિવાર, સાંજે ૦૬.૩૦ થી ૦૮.૩૦*
*મે ૪, ૨૦૨૬, સોમવાર, સવારે ૧૦.૦૦ થી ૧૨.૦૦* અને,
*સાંજે ૦૬.૩૦ થી ૦૮.૩૦ .*
♦️*મે ૩, ૨૦૨૬, રવિવારના દિવસે જગદ્ગુરુ શંકરાચાર્ય મહારાજજી સાંજે ૦૬.૩૦ વાગે પધારશે.* શોભાયાત્રા સાથે આપણે એમનું સ-સન્માન સ્વાગત કરીશું. આથી બધા જ સાધકોને પારંપરિક વેશ ધારણ કરીને એ દિવસે *સાંજે ૬.૦૦ વાગે તત્ત્વતીર્થમાં ઉપસ્થિત થવા માટે* હું સવિનય અનુરોધ કરું છું.
♦️*મે ૪, ૨૦૨૬, સાંજના પ્રવચન પછી સંન્યાસજયંતી નિમિત્તે પૂજ્ય સ્વામીજી મહારાજનું પારંપરિક ભવ્ય અભિવાદન કરવામાં આવશે*.
♦️*ત્રણે પ્રવચનોના અંતે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.*
આ કાર્યક્રમમાં જોડાવા માટે આપ સૌને અમારું ભાવભીનું નિમંત્રણ છે. અવશ્ય પધારીને આપ *સભાખંડને શોભાવજો, અને અમારા ગુરુપૂજનને બિરદાવજો.*
અમદાવાદમાં રહેતા સાધકો ઉપરાંત અમદાવાદથી બહાર રહેતા સાધકોને પણ આ કાર્યક્રમમાં જોડાવા માટે અમે નિમંત્રણ આપીએ છીએ.
બહારગામના સાધકોને નિવાસ માટે વ્યવસ્થાની આવશ્યકતા હોય તો *એપ્રિલ 28, ૨૦૨૬, રવિવાર સુધીમાં આપના આવાગમનની વિગતોની સોનલબહેન ( 9825715415 )ને* જાણ કરવા વિનંતી. શક્ય હશે તો વ્યવસ્થા કરી આપને જાણ કરવામાં આવશે.
♦️*અમને ખાતરી છે કે આપણા આ નિમંત્રણનો બહોળો પ્રચાર કરવા માટે આપ પ્રયત્ન કરશો*.
આપનો આભાર.
સ્વામિની વિદ્યાપ્રકાશાનંદા.
એપ્રિલ ૫, ૨૦૨૬.