GACCV - Government Arts & Commerce College Vansda

GACCV - Government Arts & Commerce College Vansda GOVERNMENR ARTS, COMMERCE AND SCIENCE COLLEGE, VANSDA

સરકારી કૉલેજ વાંસદા ખાતે ‘World Entrepreneurs Day’ની ઉજવણીના ભાગરૂપે ‘ડાંગી હોટલ: સફળતાની યાત્રા’ કાર્યક્રમ યોજાયો. સરકા...
21/08/2026

સરકારી કૉલેજ વાંસદા ખાતે ‘World Entrepreneurs Day’ની ઉજવણીના ભાગરૂપે ‘ડાંગી હોટલ: સફળતાની યાત્રા’ કાર્યક્રમ યોજાયો.
સરકારી આર્ટ્સ, કોમર્સ એન્ડ સાયન્સ કોલેજ, વાંસદા ખાતે તા.૨૧/૦૮/૨૦૨૬ને શુક્રવારનાં રોજ કોલેજની IQAC કમિટી, ઇનોવેશન ક્લબ દ્વારા ‘World Entrepreneurs Day’ની ઉજવણીના ભાગરૂપે ઇનોવેશન ક્લબના કો-ઓર્ડિનેટર પ્રા. દીપેશ કામડી દ્વારા આચાર્યશ્રી ડૉ. યોગેશ જે. મિસ્ત્રીના માર્ગદર્શન ‘ડાંગી હોટલ: સફળતાની યાત્રા’ વિષય પર વિશેષ પ્રેરણાત્મક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે નિમિત્તે ડાંગી હોટલ, મોટી ભમતી, વાંસદાના સ્થાપક શ્રી ભૂપેન્દ્ર આર. પટેલ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. જેમણે ડાંગી હોટલની સ્થાપનાથી લઈને તેના વિકાસ અને સફળતા સુધીની યાત્રા અંગેનો પોતાને થયેલા અનુભવો પોતાની સાદી સરળ ભાષામાં વિદ્યાર્થીઓ સાથે વ્યક્ત કર્યા હતા. તેમણે વ્યવસાય શરૂ કરવા માટે જરૂરી દૃષ્ટિકોણ, આયોજન, મહેનત, જોખમ લેવાની ક્ષમતા અને સતત નવીનતા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. ખાસ ભારપૂર્વક જણાવ્યું હતું કે કોઈપણ વ્યવસાયની સફળતા માટે માત્ર મૂડી જ નહીં, પરંતુ સર્જનાત્મક વિચાર, ગુણવત્તાયુક્ત સેવા, ગ્રાહકોની જરૂરિયાતોની સમજ, સમયનું આયોજન અને સતત પ્રયત્ન મહત્વપૂર્ણ છે. સ્થાનિક સંસાધનો અને તકોને ઓળખીને પણ સફળ ઉદ્યોગ ઊભો કરી શકાય છે, તે અંગે તેમણે પોતાના વ્યવસાયિક અનુભવ દ્વારા વિદ્યાર્થીઓને પ્રેરણા આપી હતી. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને શિક્ષણ બાદ માત્ર નોકરી મેળવવા પૂરતું સીમિત ન રહેતા સ્વરોજગાર અને ઉદ્યોગ સાહસિકતાના ક્ષેત્રમાં નવી તકો શોધવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને વ્યવસાયમાં આવતાં પડકારોનો સામનો કરવાની સાથે નવીન વિચાર અને ટેક્નોલોજીનો ઉપયોગ કરવાની દિશામાં પણ માર્ગદર્શન મળ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓમાં ઉદ્યોગ સાહસિકતા, નવીનતા અને સર્જનાત્મકતાની ભાવના વિકસે તે માટે વિવિધ મુદ્દાઓ પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ વિદ્યાર્થીઓ, ઇનોવેશન કલબના સભ્ય અધ્યાપકો હાજર રહ્યા હતાં સૌના માટેઆ કાર્યક્રમ જ્ઞાનવર્ધક, પ્રેરણાદાયી અને વ્યવહારુ અનુભવપ્રદ રહ્યો હતો. કાર્યક્રમનું સંચાલન પ્રા.દીપેશભાઈ કામડીએ કર્યું હતું અને પ્રા.ડૉ.ગૌતમભાઈ આર.ગાયકવાડે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

તા.૧૯/૦૮/૨૦૨૬: જેન્ડર રિસોર્સ સેન્ટર, મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા સરકારી વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન કૉલેજ, વાંસદાના સં...
21/08/2026

તા.૧૯/૦૮/૨૦૨૬: જેન્ડર રિસોર્સ સેન્ટર, મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા સરકારી વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન કૉલેજ, વાંસદાના સંયુક્ત ઉપક્રમે અને સેતુ પ્રકલ્પ અંતર્ગત કૉલેજના આચાર્યશ્રી ડૉ. વાય. જે. મિસ્ત્રી સાહેબના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક શાળા, વડલી, વાંસદા ખાતે બુધવારના રોજ “પોષણ અને આરોગ્ય જન જાગૃતિ ઝુંબેશ”નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો હેતુ પોષણનું મહત્વ, સંતુલિત આહાર, શારીરિક તથા માનસિક વિકાસ, રોગપ્રતિકારક શક્તિ તેમજ માતા, કિશોરી અને બાળકના પોષણ અંગે જનજાગૃતિ લાવવાનો હતો. આ પ્રસંગે સરકારી આયુર્વેદ દવાખાનું, વાંસદાથી ડૉ. નયનાબેન પટેલ, પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી બિપિનચંદ્ર એસ.પટેલ, શિક્ષક હસમુખભાઈ જે.પટેલ, સુપરવાઈઝર દક્ષાબેન આર.પટેલ, આંગણવાડીના આશાવર્કર ઉમાબેન પટેલ, આશાફેસીલેટર અંજનાબે, CHO લલીતાબેન એમ.બાગુલ અને ચોર્યા ગીતાબેન કે. ઉપસ્થિત રહ્યાં હતાં. ડૉ.નયનાબેન પટેલે આંગણવાડી તથા પ્રાથમિક શાળાના બાળકો તેમજ ધાત્રી અને સગર્ભા બહેનોને પોષણ અને આરોગ્ય અંગે માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે “સ્વસ્થ માતા એટલે તંદુરસ્ત બાળક.” ગર્ભધારણ બાદ માતાએ પોતાના તેમજ ગર્ભસ્થ બાળકના સ્વાસ્થ્ય માટે નાગલી, અનાજ, મગ, ચણા, ગોળ, દૂધ, દહીં, છાશ, ફળો તથા લીલા પાંદડાવાળા શાકભાજી જેવા પોષણયુક્ત ખોરાકનો આહારમાં સમાવેશ કરવો જોઈએ. ડૉ.નયનાબેન પટેલે બાળકના જન્મ બાદ પ્રથમ છ મહિના સુધી માતાનું ધાવણ આપવાના મહત્વ અંગે સમજ આપી હતી. ત્યારબાદ બાળકની જરૂરિયાત મુજબ પૂરક આહાર શરૂ કરવા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. માતામાં લોહીની ઉણપ જણાય તો તબીબની સલાહ અને સૂચન મુજબ આયર્નની ગોળીઓ લેવાની જરૂરિયાત સમજાવવામાં આવી હતી. આ ઉપરાંત ICDS વિભાગ તરફથી મળતી પોષણલક્ષી કીટ તથા આરોગ્યલક્ષી માર્ગદર્શનનો યોગ્ય લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો. ૦ થી ૧૨ વર્ષનાં બાળકો માટે પુષ્ય નક્ષત્રના દિવસે ‘સુવર્ણપ્રાશન સંસ્કાર’ અંગે પણ માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત લાભાર્થીઓને પોષણયુક્ત આહાર, સ્વચ્છતા અને આરોગ્યની યોગ્ય કાળજી અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. તેમજ ડૉ.નયનાબેનનાં હસ્તે નાના ભૂલકાઓને સુવર્ણપ્રાશન કરાવવામાં આવ્યું હતું. તેમજ ૪૦ પોષણ યુક્ત કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દ્વારા “પોષણયુક્ત પરિવાર–સ્વસ્થ સમાજ”ના સંદેશને અસરકારક રીતે લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.




સરકારી વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ, વાંસદા ખાતે તા. ૧૮/૦૮/૨૦૨૬, મંગળવારના રોજ કોલેજના આચાર્યશ્રી ડૉ. વાય. જે. મિસ્ત...
19/08/2026

સરકારી વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ, વાંસદા ખાતે તા. ૧૮/૦૮/૨૦૨૬, મંગળવારના રોજ કોલેજના આચાર્યશ્રી ડૉ. વાય. જે. મિસ્ત્રી સાહેબના માર્ગદર્શન હેઠળ કોલેજની IQAC કમિટી, સપ્તધારા અંતર્ગત સમુદાય સેવા ધારા તથા રાષ્ટ્રીય સેવા યોજના (NSS) વિભાગના સંયુક્ત ઉપક્રમે “Road safety &Cyber Security" જન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ તથા સમાજમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ કેળવવાનો, ટ્રાફિકના નિયમોનું પાલન કરવા પ્રેરિત કરવાનો તથા માર્ગ અકસ્માતોને અટકાવવા માટે જવાબદાર નાગરિક તરીકેની ફરજો પ્રત્યે સભાનતા લાવવાનો હતો.આ પ્રસંગે વાંસદા પોલીસ સ્ટેશનના PSI શ્રી એસ. વી. ચોસલા સાહેબ, પોલીસ કોન્સ્ટેબલ હેતલબેન પટેલ, વાંસદા પંથકના સામાજિક કાર્યકર્તા તથા એડવોકેટ શ્રી પ્રદ્યુમ્નસિંહજી સોલંકી, લીગલ એડવોકેટ અંજનાબેન ગાયકવાડ, રોયલબેન તથા ચિન્ટુભાઈ બી. ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોનું કોલેજ પરિવાર દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ પુષ્પગુચ્છ અર્પણ કરીને અભિવાદન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય તથા સમૂહ પ્રભુ પ્રાર્થનાથી કરવામાં આવી હતી. ત્યારબાદ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત પોલીસ કોન્સ્ટેબલ હેતલબેન પટેલે વિદ્યાર્થીઓને માર્ગ સલામતી અંગે માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે, રોડ અકસ્માતોમાં દેશના યુવાનોને ગુમાવવું એ ચિંતાનો વિષય છે. તેમણે ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા, વાહન ચલાવતી વખતે અતિશય ઝડપ ટાળવા તથા જવાબદારીપૂર્વક વાહન ચલાવવા વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો. તેમણે “ઝડપની મજા, મોતની સજા” જેવા સંદેશ દ્વારા સમજાવ્યું હતું કે, વાહન ચલાવતી વખતે થયેલી નાનકડી ભૂલ પણ જીવન અને મૃત્યુ વચ્ચેનો તફાવત બની શકે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શાળા, કોલેજ, હોસ્પિટલ તથા રાહદારીઓની અવરજવરવાળા વિસ્તારોમાં વાહન ધીમે અને સાવચેતીપૂર્વક હંકારવું જોઈએ. દરેક વ્યક્તિનો પરિવાર ઘરે તેની રાહ જોતો હોય છે, તેથી પોતાની તથા અન્યોની સલામતીને પ્રથમ પ્રાધાન્ય આપવું જોઈએ. કોઈપણ કટોકટીની પરિસ્થિતિમાં ૧૧૨ હેલ્પલાઇન નંબરનો સંપર્ક કરીને તાત્કાલિક પોલીસ સહાય મેળવી શકાય છે, તે અંગે પણ વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.

🪙 ભારતીય ચલણ–સિક્કા પ્રદર્શન 🇮🇳સરકારી વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ, વાંસદા તથા ઇતિહાસ વિભાગ દ્વારા તા. 18/08/2026ના ...
19/08/2026

🪙 ભારતીય ચલણ–સિક્કા પ્રદર્શન 🇮🇳

સરકારી વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ, વાંસદા તથા ઇતિહાસ વિભાગ દ્વારા તા. 18/08/2026ના રોજ “ભારતીય ચલણ–સિક્કા પ્રદર્શન”નું આયોજન કરવામાં આવ્યું હતું.

કોલેજના આચાર્યશ્રી ડો. વાય. જે. મિસ્ત્રી સાહેબના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ પ્રદર્શનમાં ભારતના ચલણના ઐતિહાસિક વિકાસને વિવિધ 8 વિભાગો દ્વારા રસપ્રદ રીતે રજૂ કરવામાં આવ્યો હતો.

🔹 વસ્તુ વિનિમય પ્રથા
🔹 કોડી, ફૂટી કોડી અને પંચમાર્ક આહત સિક્કા
🔹 પ્રાચીન ભારતીય સિક્કાઓ
🔹 સ્વતંત્ર ભારતના સિક્કા અને ચલણી નોટો
🔹 New Forms of Indian Currency
🔹 વિદેશી ચલણ
🔹 મધ્યકાલીન તથા ગાયકવાડી સિક્કા
🔹 ભારતીય સિક્કાઓનો સંગ્રહ અને Money Tree

આ પ્રદર્શનનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને પ્રાચીન સમયથી આજના આધુનિક સમય સુધીના સિક્કા અને ચલણી નોટોના ઇતિહાસ, વિકાસ અને મહત્વથી પરિચિત કરાવવાનો હતો. 📚🪙

એન્ટી રેગિંગ પ્રતિજ્ઞા કાર્યક્રમસરકારી વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન કૉલેજ, વાંસદા ખાતે તા. 17/08/2026ના રોજ Anti Ragging W...
19/08/2026

એન્ટી રેગિંગ પ્રતિજ્ઞા કાર્યક્રમ

સરકારી વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન કૉલેજ, વાંસદા ખાતે તા. 17/08/2026ના રોજ Anti Ragging Week અંતર્ગત વિદ્યાર્થીઓમાં રેગિંગ વિરોધી જાગૃતિ કેળવવાના હેતુસર વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કૉલેજના વિદ્યાર્થીઓને રેગિંગના દુષ્પરિણામો અંગે માહિતગાર કરવામાં આવ્યા તેમજ કૉલેજમાં સૌહાર્દપૂર્ણ, સુરક્ષિત અને ભયમુક્ત શૈક્ષણિક વાતાવરણ જળવાઈ રહે તે માટે રેગિંગ જેવી પ્રવૃત્તિઓથી દૂર રહેવા પ્રેરિત કરવામાં આવ્યા. કાર્યક્રમ દરમિયાન તમામ વિદ્યાર્થીઓને એન્ટી રેગિંગની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.
વિદ્યાર્થીઓએ કૉલેજ પરિસરમાં કોઈપણ પ્રકારની રેગિંગની પ્રવૃત્તિમાં ભાગ નહીં લેવાની, આવી પ્રવૃત્તિને પ્રોત્સાહન નહીં આપવાની તેમજ રેગિંગ અંગેની કોઈ ઘટના ધ્યાને આવે તો તેની જાણ સંબંધિત સત્તાધિકારીને કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

સરકારી વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન કૉલેજ, વાંસદા ખાતે તા. 14/08/2026ના રોજ Anti Ragging Week અંતર્ગત વિદ્યાર્થીઓમાં રેગિં...
19/08/2026

સરકારી વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન કૉલેજ, વાંસદા ખાતે તા. 14/08/2026ના રોજ Anti Ragging Week અંતર્ગત વિદ્યાર્થીઓમાં રેગિંગ પ્રત્યે જાગૃતિ કેળવવા અને રેગિંગમુક્ત શૈક્ષણિક વાતાવરણનું નિર્માણ કરવાના હેતુથી Poster Making Competitionનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ પોતાની સર્જનાત્મકતા, કલાત્મક કૌશલ્ય અને વિચારોને વિવિધ આકર્ષક પોસ્ટરોના માધ્યમથી રજૂ કર્યા હતા. પોસ્ટરોમાં રેગિંગના દુષ્પરિણામો, રેગિંગથી દૂર રહેવાનો સંદેશ, વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય પર થતી અસર, પરસ્પર સન્માન, મિત્રતા અને સૌહાર્દપૂર્ણ વાતાવરણનું મહત્વ જેવા વિવિધ વિષયો રજૂ કરવામાં આવ્યા હતા.

સરકારી વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન કૉલેજ, વાંસદા ખાતે તા. 13/08/2026ના રોજ ભારત સરકારના ‘હર ઘર તિરંગા 2K26’ અભિયાન અંતર્ગ...
19/08/2026

સરકારી વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન કૉલેજ, વાંસદા ખાતે તા. 13/08/2026ના રોજ ભારત સરકારના ‘હર ઘર તિરંગા 2K26’ અભિયાન અંતર્ગત દેશભક્તિની ભાવનાને ઉજાગર કરતી તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ તથા યુવાનોમાં રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્રીય એકતા અને આપણા રાષ્ટ્રીય ધ્વજ પ્રત્યે સન્માનની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો હતો. રેલીમાં કૉલેજના વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકશ્રીઓ તથા સ્ટાફ સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓ હાથમાં તિરંગો લઈને દેશભક્તિના નારા સાથે રેલીમાં જોડાયા હતા.
🇮🇳

સપ્તધારા અંતર્ગત મહેંદી સ્પર્ધાનું આયોજનસરકારી વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન કૉલેજ, વાંસદા ખાતે તા. 18/08/2026ના રોજ સપ્તધા...
18/08/2026

સપ્તધારા અંતર્ગત મહેંદી સ્પર્ધાનું આયોજન
સરકારી વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન કૉલેજ, વાંસદા ખાતે તા. 18/08/2026ના રોજ સપ્તધારા અંતર્ગત રંગ કળા કૌશલ્ય ધારા હેઠળ મહેંદી સ્પર્ધાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ વિવિધ આકર્ષક અને કલાત્મક મહેંદીની ડિઝાઇન રજૂ કરી હતી. પરંપરાગત તેમજ આધુનિક ડિઝાઇનના સુંદર સંયોજન દ્વારા વિદ્યાર્થીઓએ પોતાની કળા અને સર્જનાત્મક પ્રતિભાનું ઉત્તમ પ્રદર્શન કર્યું હતું.

સરકારી વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન કૉલેજ, વાંસદા ખાતે તા. 14/08/2026ના રોજ ભારત સરકારના ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત રંગ...
15/08/2026

સરકારી વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન કૉલેજ, વાંસદા ખાતે તા. 14/08/2026ના રોજ ભારત સરકારના ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત રંગોળી સ્પર્ધાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ વિવિધ રંગો, આકર્ષક ડિઝાઇન અને સર્જનાત્મક કલ્પનાઓ દ્વારા દેશભક્તિની ભાવનાને રંગોળીના માધ્યમથી અભિવ્યક્ત કરી હતી.
🇮🇳

17/03/2026

Address

Hanumanbari
Vansada

Alerts

Be the first to know and let us send you an email when GACCV - Government Arts & Commerce College Vansda posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to GACCV - Government Arts & Commerce College Vansda:

Shortcuts

Share

Category