13/12/2025
ITI KAYAVAROHAN ખાતે તાલીમાર્થીઓ નાં આધારકાર્ડ મા નામ, મોબાઈલ નંબર સુધારવા માટેનો કાયાવરોહણ પોસ્ટ ઓફિસ દ્વારા કેમ્પ રાખવામાં આવેલ હતો તેમાં ઘણા બધા તાલીમાર્થી ઓ એ ભાગ લઇને સુધારો કરેલ હતો.
ITI KAYAVAROHAN IS THE BEST ITI INSTITUTE IN VADODARA DISTRICT.
13/12/2025
ITI KAYAVAROHAN ખાતે તાલીમાર્થીઓ નાં આધારકાર્ડ મા નામ, મોબાઈલ નંબર સુધારવા માટેનો કાયાવરોહણ પોસ્ટ ઓફિસ દ્વારા કેમ્પ રાખવામાં આવેલ હતો તેમાં ઘણા બધા તાલીમાર્થી ઓ એ ભાગ લઇને સુધારો કરેલ હતો.
02/12/2025
આજરોજ શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ ના માનનીય મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા સાહેબે આઈ.ટી.આઈ કાયાવરોહણ ની શુભેચ્છા મુલાકાત લીધી.
10/11/2025
આજરોજ તા ૧૦/૧૧/૨૦૨૫ ના રોજ ઓમ શાંતિ મંડળ ની ટીમ દ્વારા સંસ્થાના તાલીમાર્થીઓ ને મેડીટેશન તેમજ જીવન માં આગળ વધવા માટેની પ્રેરણાદાયક સ્પીચ આપીને સચોટ માર્ગદર્શન પૂરું પાડેલ હતું.
10/11/2025
૨૯ ઓક્ટોમ્બર ના રોજ ITI KAYAVAROHAN નાં ફીટર ટ્રેડ ના તાલીમાર્થીઓ એ તેમના ઇન્સ્ટ્રકટર સાથે ABB Ltd ખાતે ઇન્ડસ્ટ્રીયલ વિઝીટ કરી ને કંપની નાં વિવિધ વિભાગો માં જઈને પ્રેક્ટીકલ કાર્ય વિષે ની માહિતી લઈને ઉપયોગી જ્ઞાન પ્રાપ્ત કરેલ હતું.
04/10/2025
આજરોજ DGT New Delhi દ્વારા સંપૂર્ણ ભારત માં Kaushaly Dikshant સમારોહ નું આયોજન કરવામાં આવેલ હતું. આ પ્રોગ્રામ માં માનનીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા ITI નાં ટોપ 46 તાલીમાર્થીઓ નું સન્માન કરવામાં આવેલ હતું. સાથે સાથે પ્રધાનમંત્રીએ PM-SETU યોજના શરૂ કરી - જે હબ-એન્ડ-સ્પોક મોડેલ હેઠળ ભારતભરમાં 1,000 સરકારી ITI ને આધુનિક અને અપગ્રેડ કરવા માટે ₹60,000 કરોડની પહેલ છે.
આ યોજના તાલીમને વધુ સુસંગત, સુલભ અને અસરકારક બનાવવા માટે નવીનતા કેન્દ્રો, તાલીમ એકમો, ડિજિટલ માળખાગત સુવિધાઓ અને ઉદ્યોગ જોડાણો સ્થાપિત કરશે.
ITI કાયાવરોહણ ખાતે પણ પાસ થયેલ તાલીમાર્થીઓને સર્ટિફિકેટ ને માર્કશીટ આપી સન્માન કરવામાં આવેલ હતું.
30/09/2025
આજરોજ શ્રી ડી એચ પટેલ આઈ ટી આઈ કાયાવરોહણ ખાતે ONGC Vadodara CSR ટીમ તેમજ ફાઉન્ડેશન દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત "સ્વચ્છતા હી સેવા" નાટક નુ આયોજન કરવામાં આવેલ હતું. આ નાટક નાં સંદેશ દ્વારા સ્વચ્છતા, પ્લાસ્ટિક બેગ નો નિકાલ તેમજ ગામ /સમાજ/દેશ માટે સમર્પણ રેહવું તે અંગે શપથ પણ લેવડાવ્યા. સાથે સાથે જયુટ બેગ નું વિતરણ તાલીમાર્થીઓ ને કરવામાં આવ્યું.
08/07/2025
આજરોજ આઈ ટી આઈ કાયાવરોહણ ખાતે EME વડોદરા થી લેફ્ટ કર્નલ એસ કે સાહુ અને સુબેદાર રવિરંજન સાહેબ એ ITI નાં તાલીમાર્થીઓ ને Agnipath Scheme ની માહિતી આપી હતી. ઇન્ડિયન આર્મી માં ITI પછી ટેક્નિકલ પોસ્ટ ની Agnipath/Agneepath દ્વારા ભરતી, ટ્રેનિંગ તેમજ લાભો વિશે માહિતગાર કરેલ હતા.
08/07/2025
આઈ ટી આઈ કાયાવરોહણ નાં ફીટર ટ્રેડ નાં તાલીમાર્થીઓ એ Turbo એનર્જી લિમિટેડ ખાતે OJT ટ્રેનિંગ પુરી કરેલ હતી. તેમાં પ્લાન્ટ નાં અલગ અલગ વિભાગ માં કામ કરી પ્રેક્ટિકલ જ્ઞાન મેળવેલ હતું.ટ્રેનિંગ પૂર્ણ થયા પછી તેમને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવેલ હતું.
08/07/2025
તારીખ 04/07/2025 નાં રોજ આઈ ટી આઈ કાયાવરોહણ નાં COPA ટ્રેડ ની તાલીમાર્થીનીઓ, સુપરવાઈઝર મેડમ તેમજ COPA ઇન્સ્ટ્રકટર એ COSMO First લિમિટેડ નાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ની ની વિઝિટ કરેલ હતી. તેમાં પ્લાન્ટ વિઝીટ દરમ્યાન અલગ અલગ વિભાગ નું પ્રેક્ટિકલ જ્ઞાન મેળવેલ હતું.
23/05/2025
આઈ ટી આઈ કાયાવરોહણ ખાતે એડમિશન 2025 નાં ITI પ્રવેશ નાં ફોર્મ ભરવાનું કાર્યરત છે. જેણે પણ ફોર્મ ભરવાના બાકી હોય તે સંસ્થા ખાતે આવી નિઃશુલ્ક ભરી શકે છે. અને જેને પણ એડમિશન માટેની માહિતી મેળવવી હોય એ સંસ્થા નો સંપર્ક કરી શકે છે નઈતો સંસ્થાના QR code દ્વારા whats app ગ્રુપ માં જોડાઈને માહિતી મેળવી શકે છે.
06/05/2025
આજરોજ આઈ ટી આઈ કાયાવરોહણ ના છેલ્લા વર્ષ માં અભ્યાસ કરતા ફીટર, ઇલેક્ટ્રિશીયન, વાયરમેન નાં તાલીમાર્થીઓ એ સંસ્થા નાં ઇન્સ્ટ્રક્ટર સાથે Vadodara Institute of Engineering(VIER) Kotambi વડોદરા કોલેજ ની વીઝીટ કરેલ હતી. તેમાં તાલીમાર્થીઓ ને કોલેજ નાં દરેક ડિપાર્ટમેન્ટ ની લેબોરેટરી તેમજ વર્કશોપ ની વિઝીટ કરી તેના પ્રેક્ટિકલ પર્ફોર્મ કરીને જ્ઞાન પ્રાપ્ત કરેલ હતું. તે ઉપરાંત કોલેજ નાં સ્ટાફ દ્વારા ITI પછીના C2D (ડિપ્લોમા એન્જિનિરીંગ માં ડાયરેક્ટ બીજા વર્ષ માં પ્રવેશ )એડમિશન પ્રકિયા તેમજ ફૉમ ઓનલાઇન ભરવા ની માહિતી આપવામાં આવેલ હતી.
| Monday | 9am - 5pm |
| Tuesday | 9am - 5pm |
| Wednesday | 9am - 5pm |
| Thursday | 9am - 5pm |
| Friday | 9am - 5pm |
| Saturday | 9am - 5pm |