27/06/2024
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત, ભક્ત કવિ નરસિંહ મહેતા પ્રાથમિક શાળા દંતેશ્વર વાડી 34 ખાતે આજે શાળા પ્રવેશોત્સવ 2024 ની ઉજવણી કરવામાં આવી. જેમાં બાલવાટિકામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને આવકારવા માટે પૂર્વ મેયર નિલેશભાઈ રાઠોડ, વિસ્તારના કાઉન્સિલર શ્રી ઘનશ્યામભાઈ સોલંકી, શ્રી રીટાબેન માંજરાવાલા, સભ્યશ્રી, ન. પ્રા. શિ. સમિતિ, વડોદરા, વોર્ડ પ્રમુખશ્રી, મહામંત્રી શ્રી અને કાર્યકર્તાઓ તેમજ વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.
ભક્ત કવિ નરસિંહ મહેતા પ્રાથમિક શાળા (સવાર) ખાતે આજે બાલવાટિકામાં 15 વિદ્યાર્થીઓ, બાલવાડીમાં 22 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો.
13/01/2024
શાળા ટ્વિનીંગ કાર્યક્રમ અંતર્ગત તારીખ 11 અને 12 જાન્યુઆરી 2024 દરમિયાન ભક્ત કવિ નરસિંહ મહેતા પ્રાથમિક શાળા, દંતેશ્વર અને અટલબિહારી બાજપાઈ પ્રાથમિક શાળા, ગાગરેટિયાના ધોરણ છ થી આઠ ના બાળકો વચ્ચે યોજવામાં આવ્યો. જેમાં તારીખ 11 જાન્યુઆરી 2024 ના રોજ અટલ બિહારી બાજપાઈ પ્રાથમિક શાળાના બાળકો અમારી શાળામાં આવીને શાળા સમય દરમિયાન શાળામાં થયેલ વિવિધ શૈક્ષણિક કાર્યમાં ભાગ લીધો હતો અને 12 જાન્યુઆરી 2024 ના રોજ અમારી શાળાના બાળકો અટલ બિહારી બાજપાઈ પ્રાથમિક શાળામાં શાળા સમય દરમિયાન યોજવામાં આવેલ વિવિધ શૈક્ષણિક કાર્યમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમ અંતર્ગત શાળાની વિવિધ પ્રવૃત્તિઓનો તેમજ વિવિધ સુવિધાઓનું આદાન-પ્રદાન કરવામાં આવ્યું હતું.
12/12/2023
આજનો દીપક
બડગુજર દેવાંગને જન્મ દિવસની ખૂબ ખૂબ શભેચ્છાઓ
08/12/2023
ડામોર કલ્પનાને જન્મદિવસ ના અભિનંદન 🎂🎂🎂
07/12/2023
આજના દીપક રાઠવા રીતિક ને જન્મ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ
02/10/2023
સી આર સી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન માં શાળાના ગણિત શિક્ષક અને બાળ વૈજ્ઞાનિકો દ્વારા ગણિત વિષય ના અવયવો-અવયવી એકમ પર કૃતિ રજૂ કરવામાં આવી
02/10/2023
'શહીદ વીર ભગતસિંહ' ના જન્મદિન નિમિત્તે બાળકોમાં દેશભક્તિની ભાવના પેદા થાય, તેમ જ મળેલ આઝાદી નું મૂલ્ય સમજી શકે તે હેતુસર શહીદ ભગતસિંહ ના જીવન પર આધારિત શોર્ટ ફિલ્મનું નિદર્શન બાળકોને કરાવવામાં આવી
02/10/2023
ઇકો ક્લબ અંતર્ગત શાળાના બાળકોમાં પર્યાવરણ અંગે જાગૃતિ કેળવાય, બાળકોમાં પર્યાવરણનું માવજત અને રક્ષણ થાય તે હેતુથી શાળામાં બાળકો દ્વારા માટીની માવજત, છોડની રોપણી કરવી તેમજ તેને રોજ પાણી આપવાની પ્રવૃત્તિ શાળામાં કરવામાં આવી.
01/10/2023
કુદરતી અને માનવ સર્જિત આપત્તિને પહોંચી વળવા માટે શાળા કક્ષાએ શાળા આપત્તિ વ્યવસ્થાપન સમિતિની રચના કરવામાં આવે છે.
શાળા કક્ષાએ આપત્તિ આવે ત્યારે શું કરવું અને શું ન કરવું તેનું પ્રત્યક્ષ શિક્ષણ મળી રહે તે માટે વિવિધ કાર્યક્રમો નું આયોજન કરવામાં આવેલ છે. આ અનુસંધાનમાં શાળામાં ધરતીકંપ આવે તે અંગે જાગૃતતા લાવવા માટે મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ.
શાળા આપત્તિ વ્યવસ્થાપન ની વિવિધ ટુકડીઓ દ્વારા તેઓને સોંપવામાં આવેલ કામગીરી કરવામાં આવી.
આ મોકડ્રીલમાં બાળકોને ઘણું બધું શીખવાનું મળ્યું તેમ જ તેમને કરેલી ભૂલોનું માર્ગદર્શન આપવામાં આવ્યું.
01/10/2023
મહાત્મા ગાંધીજીના જન્મ દિવસના એક દિવસ અગાઉ શાળામાં બાળકો અને સમાજમાં શ્રમદાનનું મહત્વ વધે સ્વચ્છતાના ગુણો કેળવાય તે હેતુસર શાળામાં તારીખ 1 10 2023 ને રવિવારના રોજ સવારે 10 થી 11 કલાક દરમિયાન શાળાના વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષક મિત્રો, એસએમસી સભ્યો દ્વારા શ્રમદાન કરી ને સ્વચ્છતા અંગે નો સંદેશો આપવામાં આવ્યો
01/10/2023
વિવિધ વ્યવસાય સાથે સંકળાયેલા વ્યવસાયકારો (સુથાર, કડીઓ, મોચી, પ્લમ્બર)નું શાળામાં સંમેલન યોજીને, તેમના વ્યવસાય વિશે ઉપયોગી માહિતી આપી તેમજ વ્યવસાયમાં ઉપયોગી સાધનો વિશેનો પરિચય શાળાના વિદ્યાર્થીઓને કરાવવામાં આવ્યો