28/07/2026
સોમૈયા કલા વિદ્યા સંસ્થા કચ્છ, ગુજરાત ની ટીમ તા. ૨૭.૭.૨૦૨૬ નાં રોજ આદિવાસી અકાદમી તેજગઢ ની મુલાકાત લીધી. કચ્છ અને છોટાઉદેપુર ના કાપડ વણાટ ના કલાકારોનો વણાટ કામ ને લયને સારો એવો વાર્તાલાપ પણ કરવામાં આવ્યો હતો. મુલાકાત દરમિયાન વાચા સંગ્રહાલય ના કયુરેટર નારણભાઇ રાઠવા એ વણાટ કલાની ઉંડાણ પૂર્વક માહિતી આપી હતી.
28/07/2026
પ્રખ્યાત સાહિત્યકાર, સમાજ સેવિકા અને વંચિતોના હક માટે જીવન સમર્પિત કરનાર મહાન વિભૂતિ શ્રી મહાશ્વેતાદેવીની પૂણ્યતિથિ નિમિત્તે આજ રોજ આદિવાસી અકાદમી તેજગઢ માં એક પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આદિવાસી અકાદમી તેજગઢ નાં કાર્યકર્તાઓ તેમજ વસંત શાળા ના બાળકો અને આજુબાજુના યુવાનો દ્વારા તેમનાં સ્મારકે પુષ્પાંજલી અર્પણ કરી હતી. સાથે સાથે તેમણે લખેલા પુસ્તકો નું પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ નું સંચાલન નારણભાઇ રાઠવાએ કર્યું હતું.
15/07/2026
કોલેજ ઓફ આકિટેકચર SVIT વાસદ નાં ૪૨ વિધાર્થીઓ અને શિક્ષકો આજ રોજ આદિવાસી અકાદમી તેજગઢ ની મુલાકાત લીધી.
14/07/2026
તા.૧૪.૭.૨૦૨૭ નાં રોજ આદિવાસી અકાદમી તેજગઢ માં પર્યાવરણ ને ધ્યાન માં રાખી ને વધતી જતી ગરમી ઉપર એક ખુલ્લી ચર્ચા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ફોરેસ્ટ વિભાગ ના કર્મચારીઓ, જંગલ મંડળીના પ્રમુખ, મંત્રી, ગ્રામ પંચાયત ના સભ્યશ્રીઓ, આગેવાનો તથા વિધાર્થીઓ સહભાગી થયા હતા. અને દરેકે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા.
14/07/2026
આદિવાસી અકાદમી તેજગઢ નાં પટાંગણમાં આજે પારંપરિક હસ્ત કલાઓનુ હાટ બજાર શરૂ થઈ ગયું છે.