20/12/2024
Sampoorna Jeevan, Vadodara
Your gateway to basic and comprehensive spiritual education.
20/12/2024
14/08/2024
Join online class for Upanishads and Brahmasutra in Gujarati.
12/12/2023
વર્ષ ૨૦૨૪ નો વર્ગો નો કાર્યક્રમ
29/11/2023
Dear Friends
Pls find details of our free spiritual education program online and offline.
29/11/2023
Dear Friend
You all are invited to join our online and off line one year course of spiritual education.
You can call or email us.
19/01/2023
સંપૂર્ણ જીવન, વડોદરા સંચાલિત આધ્યાત્મિક શિક્ષણ નો સાતમો વર્ગ શરૂ થઈ ગયો છે.
પેહલા દિવસના વર્ગનું રેકોર્ડિંગ,
વિષય-
1 અપરા પરા વિદ્યા
2 સંપૂર્ણ જીવન પરિચય
https://www.youtube.com/live/ywVQ2PRYHqQ?feature=share
*વાનપ્રસ્થ ચિંતન શિબિર, ગોરજ*
શ્રી મુનિ સેવા આશ્રમ, ગોરજ તથા સમ્પૂર્ણ જીવન, વડોદરાના સંયુક્ત ઉપક્રમે તા.૨૪-૧૨-૨૨ ના રોજ એક દિવસની શિબિર યોજાઈ, જેમાં ૧૪૦ જિજ્ઞાસુ ભાઈ બહેનોએ ભાગ લીધો.
ચા નાસ્તો અને નામ નોંધણી બાદ દસ વાગ્યે પ્રાર્થનાથી પ્રારંભ થયો.
શ્રી હેમંત પટેલે મુનિ આશ્રમ , ગોરજના પરિચય સાથે સૌને આવકાર આપ્યો. શ્રી શશીભાઈ શાહે શિબિરની કાર્યવાહી માટે ભૂમિકા બાંધી અને પ્રાચીન આશ્રમ વ્યવસ્થા વિષે સ્પષ્ટતા કરી.
શ્રી પ્રવીણભાઈ ઠક્કરે મનુષ્યના બ્રહ્મચર્યાશ્રમની સરસ સમજ આપવા સાથે જો એ તબક્કામાં યુવાનને આધ્યાત્મિક જ્ઞાનનો સ્પર્શ મળી જાય તો તેના જીવનનો પાયો કેટલો સદ્ધર બની શકે તેનો ખ્યાલ આપ્યો.
શ્રીમતી મીનાબહેન શાહે તેટલી જ વિગતો સહિત ગૃહસ્થાશ્રમ સમજાવ્યો.
શ્રી રજનીકાન્ત કટારિયાએ શિબિરની ચર્ચાના હાર્દ સમા વાનપ્રસ્થાશ્રમની રસળતી શૈલીમાં વિવેચના કરી.
શ્રી પ્રવીણભાઈ ઠક્કરે ક્રમશઃ સંસ્થાઓના આવેલા પ્રતિનિધિઓને પોતાની સંસ્થાની પ્રવૃત્તિઓ અને સેવાભાવી કાર્યકરોની આવશ્યકતા જણાવવા વિનંતી કરી. તદનુસાર વીસેક જેટલી સંસ્થોએ સુંદર રજૂઆત કરી.
ભોજન અને વિરામ બાદ આશ્રમની બહેનોની પ્રાર્થનાથી બીજા સત્રનો પ્રારંભ થયો. તેમાં સેવા આપનારા ભાઈ બહેનોએ પોતાની ઈચ્છા જણાવી.તેનું સંચાલન શ્રીમતી રાધિકાબહેન મોદીએ કર્યું.
શ્રી વસંતભાઈ પટેલે મહત્ત્વનાં દિશાનિર્દેશો કર્યા.
અંતે શ્રી અરુણભાઈ મોદીએ મનુષ્ય જીવનના અંતિમ અને શ્રેષ્ઠ તબક્કા એવા સન્યાસ આશ્રમની વિગતો સમજાવી જીવતેજીવ મોક્ષ પ્રાપ્ત કરવાની કળા વર્ણવી હતી.
એકંદરે સેવા લેનારા તથા આપનારા વચ્ચે સુખદ સેતુ બંધાયો. શ્રી શશીભાઈએ શિબિરની ફલશ્રુતિ વિષે સમ્યક સમાપન કર્યું.
શ્રી નીલેશ સૂચકે આભારવિધિ સાથે સુંદર મંગલાચરણ પ્રસ્તુત કર્યું. સમગ્ર કાર્યક્રમનાં સૂત્રધાર હતાં શ્રીમતી જંખનાબહેન શાહ.
અતિથિઓને શ્રી હેમંતભાઈએ મુનિ આશ્રમ ગોરજનું દર્શન કરાવ્યું.
28/12/2022
Click here to claim your Sponsored Listing.
Location
Category
Contact the school
Telephone
Website
Address
36, Ajitnath Society, Near Water Tank, Kareli Baug
Vadodara
390018