Arts and Commerce College- Thara

Arts and Commerce College- Thara Arts and Commerce College Thara

 #થરા_કોલેજની_બહેનો_ઈન્ટર_કોલેજ_કબડ્ડી_ટુર્નામેન્ટમાં_ચેમ્પિયન_બની.કાંકરેજ તાલુકા કેળવણી મંડળ, થરા સંચાલિત સેવંતીલાલ અમૃ...
15/08/2026

#થરા_કોલેજની_બહેનો_ઈન્ટર_કોલેજ_કબડ્ડી_ટુર્નામેન્ટમાં_ચેમ્પિયન_બની.

કાંકરેજ તાલુકા કેળવણી મંડળ, થરા સંચાલિત સેવંતીલાલ અમૃતલાલ સુરાણી વિદ્યાસંકુલ, કાંતાબેન કીર્તિલાલ શાહ આર્ટ્સ એન્ડ લીલાવતીબેન બાપુલાલ ગુંજારીયા કોમર્સ કોલેજ, થરાની બહેનો હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત ન યુનિવર્સિટી અંતર્ગત યોજાયેલી ઇન્ટર કોલેજ કબડ્ડી ટુર્નામેન્ટમાં સમગ્ર યુનિવર્સિટીમાં ચેમ્પિયન વિજેતા થઈ ગૌરવ પૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત કરી છે.આ ઉત્કૃષ્ટ સફળતા બદલ સમગ્ર કબડ્ડી ટીમ (બહેનો) તથા તેમના માર્ગદર્શક PTI હિતેશભાઈ આર.ચૌધરીને કાંકરેજ તાલુકા કેળવણી મંડળના પ્રમુખ ધીરજકુમાર કે.શાહ, કોલેજના આચાય ડૉ. ડી.એસ.ચારણ તથા સમગ્ર કોલેજ પરિવાર તરફથી હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ પાઠવે છે.

 #થરા_કોલેજનું_ગૌરવકાંકરેજ તાલુકા કેળવણી મંડળ ,થરા સંચાલિત શ્રી સેવંતીલાલ અમૃતલાલ સુરાણી વિદ્યા સંકુલ અંતર્ગત શ્રીમતી કા...
14/08/2026

#થરા_કોલેજનું_ગૌરવ

કાંકરેજ તાલુકા કેળવણી મંડળ ,થરા સંચાલિત શ્રી સેવંતીલાલ અમૃતલાલ સુરાણી વિદ્યા સંકુલ અંતર્ગત શ્રીમતી કાંતાબેન કીર્તિલાલ શાહ આર્ટસ એન્ડ શ્રીમતી લીલાવતીબેન બાપુલાલ ગુંજારીયા કોમર્સ કોલેજ થરામાં બી.એ.સેમ -5 અંગ્રેજી વિષયમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની શ્રી વાઘેલા અંજલીબેન ગૌતમભાઈએ તારીખ 30/07/2026 ના રોજ કેન્દ્ર સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય માય ભારત બનાસકાંઠા (પાલનપુર) દ્વારા આયોજિત "નશા મુક્ત યુવા ફોર વિકસીત ભારત " અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ ડી.એન.પી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ડીસા ખાતે યોજવામાં આવી હતી. જેમાં જિલ્લા યુવા અધિકારીશ્રી કંચન રામ રખિયાનીના માર્ગદર્શન હેઠળ ચિત્ર સ્પર્ધામાં થરા કોલેજએ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં બીજો નંબર પ્રાપ્ત કરી શિલ્ડ તેમજ પ્રમાણપત્ર મેળવી જિલ્લાના યુવાનો અને કોલેજનું ગૌરવ વધારેલ. જે બદલ કાંકરેજ તાલુકા કેળવણી મંડળના પ્રમુખશ્રી ધીરજકુમાર કે.શાહ અને આચાર્યશ્રી ડૉ.ડી.એસ. ચારણ તેમજ માર્ગદર્શક શ્રી ભૂમિકાબેન શ્રીમાળી અને સમગ્ર કોલેજ પરિવાર ખુબ ખુબ શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવે છે.

 #આર્ટ્સ_અને_કોમર્સ_કોલેજ_થરામાં_રાષ્ટ્રીય_પર્વની_ઉજવણીના_ભાગ_રૂપે  િરંગા_યાત્રાનું_આયોજન_થયું     કાંકરેજ તાલુકા કેળવણી...
14/08/2026

#આર્ટ્સ_અને_કોમર્સ_કોલેજ_થરામાં_રાષ્ટ્રીય_પર્વની_ઉજવણીના_ભાગ_રૂપે િરંગા_યાત્રાનું_આયોજન_થયું

કાંકરેજ તાલુકા કેળવણી મંડળ સંચાલિત શ્રી સેવંતીલાલ અમૃતલાલ સુરાણી વિદ્યાસંકુલ અંતર્ગત
શ્રીમતી કાન્તા બેન કીર્તિલાલ શાહ આર્ટ્સ અને શ્રીમતી લીલાવતીબેન બાપુલાલ ગુંજારીયા કોમર્સ કોલેજ થરા ખાતે આજ રોજ તા.12/08/26ના રોજ થરા શહેર ખાતે રાષ્ટ્રીય પર્વ ની ઉજવણીના ભાગ રૂપે એક ભવ્ય તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં કોલેજના પ્રિન્સિપાલ ડો ડી. એસ. ચારણના માર્ગદર્શન માં કોલેજના એન. એસ. એસ./એન. સી. સી ના વિદ્યાર્થીઓ અને બીજા અન્ય વિધાર્થીઓ જોડયા હતા. સવારે 9:30 કલાકે થરા શહેર માર્કેટ યાર્ડ થી વાળીનાથ મંદિર, પાટી વિસ્તાર, ઝાપટપુર વિસ્તાર, મહારાણા પ્રતાપચોક, રામાપીર મંદિર થઈને ઓગડ વિદ્યાલયે સમાપન થયું હતું. વિદ્યાર્થીઓ ઉમંગ અને ઉત્સાહ થી દેશ ભક્તિના સુત્રોચાર કર્યા હતા. ડી. જે. માં રાષ્ટ્ર પ્રેમ ના ગીતો વાગતા હતા.સમગ્ર શહેર આઝાદી પર્વની ઉજવણી ના ઉત્સાહના રંગે રંગાયું હતું. કોલેજ ના વિદ્યાર્થીઓમાં જોમ અને જુસ્સો જોવા મળ્યો હતો.કોલેજ માં આ યાત્રાનું સફળ અને સુચારુ સંચાલન એન.એસ.એસ. વિભાગના કાર્યક્રમ અધિકારી ડૉ. રામભાઇ બી. સોલંકી અને ડો ગૌરવભાઇ શ્રીમાળીએ કર્યું હતું.

 #આર્ટસ_એન્ડ_કોમર્સ_કૉલેજ_થરા_ખાતે_કેર_વેલ_ક્રોપ_સાયન્સનો_કોલેજ  #જોબ_પ્લેસમેન્ટ_કાર્યક્રમ_ઉત્સાહભેર_સંપન્નકાંકરેજ તાલુક...
14/08/2026

#આર્ટસ_એન્ડ_કોમર્સ_કૉલેજ_થરા_ખાતે_કેર_વેલ_ક્રોપ_સાયન્સનો_કોલેજ #જોબ_પ્લેસમેન્ટ_કાર્યક્રમ_ઉત્સાહભેર_સંપન્ન

કાંકરેજ તાલુકા કેળવણી મંડળ થરા સંચાલિત સેવંતીલાલ અમૃતલાલ સુરાણી વિદ્યાસંકુલ, શ્રીમતી કાંતાબેન કીર્તિલાલ શાહ આર્ટ્સ અને શ્રીમતી લીલાવતીબેન બાપુલાલ ગુંજારિયા કોમર્સ કૉલેજ, થરા ખાતે જોબ પ્લેસમેન્ટ સેલ દ્વારા રોજગાર ભરતી મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકારના "વિષમુક્ત ખેતી, રોગમુક્ત ભારત" અભિયાન અંતર્ગત, કૃષિ ક્ષેત્રમાં ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે જાણીતી કંપની 'CARE WELL CROP SCIENCE PVT. LTD.' દ્વારા ફીલ્ડ ઓફિસરની જગ્યાઓ માટે આ સીધા ઈન્ટરવ્યુ અને પ્લેસમેન્ટ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆતમાં કંપનીમાંથી પધારેલા મુખ્ય મહેમાનો સર્વે શ્રી રજનીકાન્ત જીવાભાઈ મોરી, પ્રણામી હાર્દિકભાઈ અને પ્રણામી બિપીનભાઈનું પુષ્પગુચ્છ (ફૂલદસ્તો), કાંકરેજની ગૌરવરૂપ 'કાંકરેજની કલગી' પુસ્તિકા તેમજ સાલ ઓઢાડીને સંસ્થા તરફથી ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આવેલ તમામ મંચસ્થ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કૉલેજના આદરણીય પ્રિન્સિપાલ ડૉ. દિનેશકુમાર એસ. ચારણે કર્યું હતું અને વિદ્યાર્થીઓને કારકિર્દી ઘડતર માટે પ્રોત્સાહિત કર્યા હતા. ત્યારબાદ કાર્યક્રમનું પ્રાસંગિક સંબોધન IQAC કો-ઓર્ડિનેટર ડૉ. હરેશ એલ. દવે દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં તેમણે આજના સમયમાં પ્લેસમેન્ટ સેલની ભૂમિકા અને રોજગારીની તકો વિશે મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું.
મુખ્ય વક્તા તરીકે પધારેલ કંપનીના પ્રતિનિધિ (SBM) શ્રી મોરી રજનીકાન્ત જીવાભાઈએ 'કેર વેલ ક્રોપ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડ' વિશે વિદ્યાર્થીઓને વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે કંપની ISO 9001:2015 પ્રમાણિત છે અને ઓર્ગેનિક તેમજ નેચરલ ખેતીના પ્રોત્સાહન માટે સમગ્ર ભારતમાં (PAN India) વ્યાપક સ્તરે કાર્યરત છે. કંપની યુવા ઉમેદવારોને ઉત્તમ સેલેરી અને આકર્ષક ઇન્સેન્ટિવ્સ સાથે ફીલ્ડ ઓફિસર તરીકે શાનદાર કારકિર્દી પ્રદાન કરે છે. આ ઉપરાંત, કંપનીમાં જોડાનારા ફ્રેશર્સ અને અનુભવી ઉમેદવારોને પ્રોફેશનલ ટ્રેનિંગ અને ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા કૃષિ ક્ષેત્રમાં લીડર બનવાની ઉત્તમ તક પૂરી પાડવામાં આવે છે. સમગ્ર કાર્યક્રમનું સફળ, રસપ્રદ અને સુવ્યવસ્થિત સંચાલન અર્થશાસ્ત્ર વિભાગના અધ્યાપક અને જોબ પ્લેસમેન્ટ સેલના કો-ઓર્ડિનેટર ડૉ. રાજેશકુમાર કે. ખાંટ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે પોતાના સંચાલન દરમિયાન ઉપસ્થિત યુવા ઉમેદવારોને પ્રોત્સાહિત કરતા પ્રસંગને અનુરૂપ પ્રેરણાદાયી સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, "આજનું યુવાધન માત્ર નોકરી શોધનાર (Job Seeker) ન બનતા, યોગ્ય કૌશલ્ય કેળવીને આત્મનિર્ભર બને તે સમયની માંગ છે. ગ્રામીણ અને કૃષિ પ્રધાન વિસ્તારના વિદ્યાર્થીઓ માટે ઓર્ગેનિક ખેતીના ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાની આ એક સુવર્ણ તક છે, જે દેશના કૃષિ વિકાસમાં પણ મોટું પ્રદાન આપશે."કાર્યક્રમની પૂર્ણાહુતિ વખતે મનોવિજ્ઞાન વિભાગના અધ્યાપક ડૉ. નિતેશ એન. પટેલે કંપનીના પ્રતિનિધિઓ, કૉલેજના મંચસ્થ મહાનુભાવો, અધ્યાપકગણ અને ઉત્સાહપૂર્વક ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરી આભારવિધિ સંપન્ન કરી હતી. આ પ્લેસમેન્ટ ડ્રાઇવમાં મોટી સંખ્યામાં લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

 #થરા_કૉલેજમાં_NTF_અંતર્ગત_નિષ્ફળતા_પછી_ફરી_ઊભા_થવાની_કળા_ઉપર_વ્યાખ્યાન_યોજાયુંકાંકરેજ તાલુકા મંડળ સંચાલિત શ્રી સેવંતીલા...
10/08/2026

#થરા_કૉલેજમાં_NTF_અંતર્ગત_નિષ્ફળતા_પછી_ફરી_ઊભા_થવાની_કળા_ઉપર_વ્યાખ્યાન_યોજાયું

કાંકરેજ તાલુકા મંડળ સંચાલિત શ્રી સેવંતીલાલ અમૃતલાલ સુરાણી વિધ્યાસંકુલ અંતર્ગત
શ્રીમતિ કાંતાબેન કિર્તિલાલ શાહ આર્ટ્સ અને શ્રીમતિ લીલાવતીબેન બાપૂલાલ ગુંજારિયા કોમર્સ કોલેજ, થરા ખાતે તારીખ - 07/08/2026 ના રોજ NTF (National Task Force) અંતર્ગત વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અને વ્યક્તિત્વ વિકાસને ધ્યાનમાં રાખીને "નિષ્ફળતા પછી ફરી ઊભા થવાની કળા" વિષય પર વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ કોલેજના પ્રિન્સિપાલ ડૉ. ડી. એસ. ચારણના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે NTF કો-ઓર્ડિનેટર તથા મનોવિજ્ઞાન વિભાગના અધ્યાપક ડૉ. નીતેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
વ્યાખ્યાન દરમિયાન ડૉ. નીતેશ પટેલે વિદ્યાર્થીઓને સમજાવ્યું કે જીવનમાં નિષ્ફળતા એ સફળતાની અંતિમ સીમા નથી, પરંતુ નવી શરૂઆત કરવાની તક છે. તેમણે નિષ્ફળતા સ્વીકારવાની હિંમત, પોતાની ભૂલોમાંથી શીખવાની વૃત્તિ, હકારાત્મક વિચારસરણી, આત્મવિશ્વાસ જાળવવાની જરૂરિયાત, માનસિક મજબૂતાઈ, લક્ષ્ય પ્રત્યે સતત પ્રયત્ન અને સમયનું યોગ્ય આયોજન જેવા મુદ્દાઓને સરળ ઉદાહરણો દ્વારા સમજાવ્યા. ઉપરાંત, વિવિધ મહાનુભાવોના જીવનપ્રસંગો દ્વારા વિદ્યાર્થીઓને પ્રેરણા આપી કે સતત પ્રયત્ન અને ધીરજ દ્વારા સફળતા પ્રાપ્ત કરી શકાય છે.
વ્યાખ્યાનના અંતે વિદ્યાર્થીઓ પાસેથી કાર્યક્રમ અંગેનો ફીડબેક ફોર્મ ભરાવવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓએ કાર્યક્રમને ઉપયોગી, પ્રેરણાદાયક અને જીવનમાં માર્ગદર્શક હોવાનું જણાવ્યું તેમજ ભવિષ્યમાં આવા વધુ કાર્યક્રમો યોજવા અંગે હકારાત્મક પ્રતિસાદ આપ્યો.
સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો અને વિદ્યાર્થીઓમાં નિષ્ફળતા સામે હકારાત્મક અભિગમ વિકસાવવા માટે આ વ્યાખ્યાન ખૂબ જ લાભદાયી સાબિત થયો.

 #થરા_કૉલેજમાં_નારી_વંદન_સપ્તાહ_અને_સ્તનપાન_પખવાડિયા_નિમિત્તે  #તરુણાવસ્થામાં_શારીરિક_અને_માનસિક_સમસ્યાઓ_વિષયક_વ્યાખ્યાન...
09/08/2026

#થરા_કૉલેજમાં_નારી_વંદન_સપ્તાહ_અને_સ્તનપાન_પખવાડિયા_નિમિત્તે #તરુણાવસ્થામાં_શારીરિક_અને_માનસિક_સમસ્યાઓ_વિષયક_વ્યાખ્યાન_યોજાયું

શ્રી સેવંતીલાલ અમૃતલાલ સુરાણી વિદ્યાસંકુલ અંતર્ગત શ્રીમતી કાંતાબેન કિર્તિલાલ શાહ આર્ટ્સ તથા શ્રીમતી લીલાવતીબેન બાપુલાલ ગુંજારિયા કોમર્સ કોલેજ, થરા ખાતે (I.Q.A.C) વિભાગના માર્ગદર્શન હેઠળ (C.W.D.C વિભાગ દ્વારા વિદ્યાર્થીની બહેનો માટે તા. 07 ઓગસ્ટ, 2026ના રોજ "નારી વંદન સપ્તાહ" અને "સ્તનપાન પખવાડિયા" નિમિત્તે "તરુણાવસ્થામાં શારીરિક અને માનસિક સમસ્યાઓ" વિષય પર વ્યાખ્યાનનું આયોજન કોલેજના આચાર્ય ડૉ. ડી. એસ. ચારણના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમનો પ્રારંભ પ્રાર્થના સાથે કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મુખ્ય વક્તા ડૉ. કૃપાબેન જોષીનું આચાર્યશ્રી દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ કોલેજની અધ્યાપિકા બહેનો દ્વારા તેમને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ પૂર્વભૂમિકા બાંધતા કોલેજના આચાર્યશ્રી ડૉ. ડી. એસ. ચારણ સાહેબે જણાવ્યું હતું કે તરુણાવસ્થા જીવનનો અત્યંત મહત્વપૂર્ણ અને સંવેદનશીલ તબક્કો છે, જેમાં યોગ્ય માર્ગદર્શન અને આરોગ્ય અંગેની જાગૃતિ અનિવાર્ય છે. તેમણે વિદ્યાર્થીનીઓને શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે સભાન રહેવા, આત્મવિશ્વાસ સાથે જીવનના પડકારોનો સામનો કરવા પ્રેરિત કર્યા હતા.
મુખ્ય વક્તા ડૉ. કૃપાબેન જોષીએ પોતાના વ્યાખ્યાનમાં જણાવ્યું કે તરુણાવસ્થા દરમિયાન શારીરિક, માનસિક, ભાવનાત્મક અને સામાજિક સ્તરે અનેક પરિવર્તનો જોવા મળે છે. આ તબક્કે યોગ્ય માર્ગદર્શન, સંતુલિત આહાર, સ્વસ્થ જીવનશૈલી અને હકારાત્મક વિચારસરણી વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે અત્યંત જરૂરી છે. તેમણે વિદ્યાર્થીઓને તરુણાવસ્થામાં થતા માનસિક ફેરફારો, તણાવ (Stress)ના કારણો અને તેના નિવારણ માટે સમયનું યોગ્ય આયોજન, નિયમિત વ્યાયામ, યોગ, ધ્યાન તથા પરિવાર અને મિત્રો સાથે ખુલ્લો સંવાદ જાળવવાની સલાહ આપી. ઉપરાંત તેમણે Problem Solving Skillsના મહત્વ વિશે સમજણ આપતાં જીવનની વિવિધ પરિસ્થિતિઓમાં સમજદારીપૂર્વક નિર્ણય લેવાની પ્રેરણા આપી. તેમણે Safe Touch અને Unsafe Touch અંગે વિસ્તૃત માહિતી આપીને વિદ્યાર્થીઓને પોતાના અધિકારો અને વ્યક્તિગત સુરક્ષા પ્રત્યે જાગૃત રહેવા અનુરોધ કર્યો. તેમણે કોઈપણ અયોગ્ય વર્તન સામે નિર્ભયતાથી "Say No" કહેવાની તથા વિશ્વાસુ વાલી, શિક્ષક અથવા જવાબદાર વ્યક્તિનો સંપર્ક કરવાની સલાહ આપી.તેમણે એનિમિયા (લોહીની ઉણપ)ના કારણો, લક્ષણો અને નિવારણ અંગે માર્ગદર્શન આપતાં આયર્નયુક્ત અને પૌષ્ટિક આહારનું મહત્વ સમજાવ્યું. ઉપરાંત માસિક ધર્મ દરમિયાન સ્વચ્છતા જાળવવાની યોગ્ય પદ્ધતિઓ, આરોગ્યપ્રદ આદતો તથા આ વિષયને લગતી ગેરમાન્યતાઓ દૂર કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો.
આ વ્યાખ્યાન દરમિયાન વિદ્યાર્થીઓએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને વિવિધ પ્રશ્નો પૂછી પોતાની જિજ્ઞાસાઓનું સંતોષકારક નિરાકરણ મેળવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ વિદ્યાર્થીઓમાં આરોગ્ય, વ્યક્તિગત સુરક્ષા અને આત્મવિશ્વાસ અંગે જાગૃતિ લાવવામાં સફળ અને પ્રેરણાદાયી સાબિત થયો હતો.
કાર્યક્રમના અંતે ડૉ. અમીષાબેન પંચાલ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રા. પૂજાબેન બી. ગામીત દ્વારા કરવામાં આવ્યું હતું.

 #થરા_કૉલેજમાં_હિન્દી_વિભાગ_દ્વારા_પ્રેમચંદ_જયંતીની_ઉજવણી_કરવામાં_આવી.                                                  ...
07/08/2026

#થરા_કૉલેજમાં_હિન્દી_વિભાગ_દ્વારા_પ્રેમચંદ_જયંતીની_ઉજવણી_કરવામાં_આવી.

કાંકરેજ તાલુકા કેળવણી મંડલ સંચાલિત શ્રી સેવંતીલાલ અમૃતલાલ સુરાણી વિદ્યા સંકુલ અંતર્ગત શ્રીમતી કાંતાબેન કીર્તિલાલ શાહ આર્ટ્સ અને શ્રીમતી લીલાવતીબેન બાપુલાલ ગુંજારિયા કોમર્સ કોલેજ થરા દ્વારા તારીખ ૩૧/૦૭/૨૬ નાં રોજ "પ્રેમચંદ જયંતી"કાર્યકર્મનું આયોજન પ્રિન્સિપાલ ડૉ.ડી.એસ. ચારણ ના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું એન.સી.સી વિભાગનાં ઓફિસર અને હિન્દી વિભાગના અધ્યક્ષ ડો.ગોવિંદભાઈ કે. મુંધવાએ કૉલેજના આચાર્ય શ્રી ડો. ડી. એસ. ચારણ સાહેબ અને ઉપસ્થિત છાત્રોનું શબ્દોથી સ્વાગત કરી આ કાર્યક્રમ ની ભૂમિકા બાંધી હતી.અને વકતવ્ય દ્વારા ‘પ્રેમચંદજી નાં વ્યક્તિત્વ અને કૃતિત્વ’ પર સંક્ષિપ્ત પરિચય આપેલ અને ‘મુન્શી પ્રેમચંદ’ લિખિત ઉપન્યાસ સેવાસદન,રંગભૂમિ,કર્મભૂમિ નિર્મલા,ગબન,ગોદાન,વગેરે ઉપન્યાસોં મેં વ્યકત તત્કાલિન સમસ્યાઓ ,જાતિગત- ભેદભાવ,કિસાન જીવનની સમસ્યાઓ, દહેજ, વિધવા પુનઃ વિવાહ,અનમેલ વિવાહ,શોષક -શોષિત સંબંધ,સાંપ્રદાયિક ભાવના વગેરે પર ચર્ચા કરેલ.ત્યારબાદ કૉલેજના આ કાર્યક્રમનાં અઘ્યક્ષ સ્થાને બિરાજમાન કર્તવ્યનિષ્ઠ કૉલેજનાં આચાર્ય શ્રી ડૉ.દિનેશકુમાર એસ.ચારણ દ્વારા વિદ્યાર્થી ભાઈઓ-બહેનોને ‘પ્રેમચંદ’ દ્વારા લિખિત કહાનીઓ કફન,પૂસ કી રાત ,ઈદગાહ, ઠાકુર કા કુઆ,સદગતિ,સવા સેર ગેહુ વગેરે કહાનીઓ મેં વ્યકત તત્કાલિન સમસ્યાઓ પર સંક્ષિપ્તમાં વર્ણન કરેલ અને દરેક વિદ્યાર્થી -ભાઈઓ બહેનોને પુસ્તક વાંચન, પુસ્તકાલયમાં સમય કાઢવા દરેકને વક્તવ્યમાં જણાવેલ. ત્યાર બાદ દરેક વિધાર્થીઓને પ્રેમચંદ દ્વારા લિખિત ગ્રંથોનું પ્રદશન યોજવામાં આવેલ પુસ્તકાલયમાં ધરતીબેન દેસાઈ દ્વારા દરેક વિધાર્થીઓને માહિતગાર કરેલ.આ કાર્યક્રમનું સંચાલન સેમ -૧ ની છાત્ર ત્રિવેદી નીલમબેન રમેશભાઈએ કર્યું હતું અને આ કાર્યક્રમમાં અનેક છાત્રોએ વકતવ્ય આપેલ દેસાઈ શ્રેયાબેન ઈશ્વરભાઈ ( પ્રેમચંદ લિખિત ઉપન્યાસ મેં દહેજ સમસ્યા)પરમાર દિપીકાબેન વિક્રમભાઈ (પ્રેમચંદ કા વ્યક્તિત્વ ઓર કૃતિત્વ)અને ત્રિવેદી નીલમબેનએ ( પ્રેમચંદ કે ઉપન્યાસો મેં કિસાન સમસ્યાઓ કા ચિત્રણ)ત્યારબાદ રાષ્ટ્રગાન થી આ કાર્યક્રમને સમાપ્ત ઘોષિત કરેલ.

 #થરા_કૉલેજમાં_લોકસાહિત્ય_અને_પરંપરા_વિષય_ઉપર_વ્યાખ્યાન_યોજાયું.            કાંકરેજ તાલુકા કેળવણી મંડળ, થરા સંચાલિત શ્રી...
05/08/2026

#થરા_કૉલેજમાં_લોકસાહિત્ય_અને_પરંપરા_વિષય_ઉપર_વ્યાખ્યાન_યોજાયું.

કાંકરેજ તાલુકા કેળવણી મંડળ, થરા સંચાલિત શ્રી સેવંતીલાલ અમૃતલાલ સુરાણી વિદ્યા સંકુલ અંતર્ગત શ્રીમતી કાંતાબેન કીર્તિલાલ શાહ આર્ટ્સ અને શ્રીમતી લીલાવતીબેન બાપુલાલ ગુંજારીયા કૉમર્સ કૉલેજ, થરામાં તા. ૦૩-૦૮-૨૦૨૬ને સોમવારના રોજ ઈતિહાસ વિભાગ દ્વારા 'લોકસાહિત્ય અને પરંપરા' એ વિષય ઉપર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
લોકસંસ્કૃતિને ઉજાગર કરતા આ મૂલ્યનિષ્ઠ કાર્યક્રમનો પ્રારંભ સરસ્વતી વંદનાથી કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે કૉલેજના પ્રિન્સીપાલ ડૉ. દિનેશકુમાર એસ. ચારણે અધ્યક્ષીય પ્રવચનમાં ભારતીય સનાતન સંસ્કૃતિને કેન્દ્રમાં રાખી ગુજરાતનું લોકસાહિત્ય, લોકસંસ્કૃતિ, લોકસાહિત્યકારો અને આજદિન સુધી ભૂલી ન શકાય તેવી પરંપરાગત તથા પરિવર્તનશીલ સમાજ અને સંસ્કૃતિ સંદર્ભે વિદ્વતાસભર પ્રેરક પ્રવચન આપી વિદ્યાર્થીઓને આશીર્વાદ પાઠવ્યા હતા. આ કાર્યક્રમના પ્રધાન વક્તા કૉલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને હાલ ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદમાં અનુસ્નાતક ઈતિહાસ વિભાગમાં અભ્યાસ કરતા શ્રી કિશનકુમાર બી. દેસાઈએ ભાતીગઢ સંસ્કૃતિના - વિદ્યાપીઠના નિયત પરિવેશમાં રહીને સંગીત, કલા, સાહિત્ય, લોકસંસ્કૃતિ, લોકગીતો, લગ્નગીતો, ફટાંણા, મરશિયા, ગઝલો, ભાતીગઢ મેળાઓ વગેરે સંદર્ભે ભાવસભર બનીને પોતાની આગવી શૈલીમાં વિદ્યાર્થીઓને રસતરબોળ કરી દીધાં હતા. આ પ્રસંગે સમગ્ર અધ્યાપકગણ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવામાં પ્રા. ભૂમિકાભેન શ્રીમાળી, પ્રા. અમૃતભાઈ ઠાકોર, પ્રા. વિનાબેન દેસાઈ, પ્રા.ડૉ. નિતેશભાઈ પટેલ સર, પ્રા.ડૉ. અમિષાબેન, પ્રા. ડૉ. ગૌરાંગભાઈ શ્રીમાળી, પ્રા.ડૉ. પાયલબેન વગેરેએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સુચારું સંચાલન પ્રા ડૉ. આર. આર. રોહિતે કર્યું હતું.

 #આર્ટ્સ_એન્ડ_કોમર્સ_કોલેજ_થરા_દ્વારા_વૃક્ષારોપણ_કરાયું.ઓગડ તાલુકાના મુખ્ય મથક થરામાં આવેલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ અને ર...
04/08/2026

#આર્ટ્સ_એન્ડ_કોમર્સ_કોલેજ_થરા_દ્વારા_વૃક્ષારોપણ_કરાયું.

ઓગડ તાલુકાના મુખ્ય મથક થરામાં આવેલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ અને રોહિતન ગર પ્રા.શાળાના સંયુક્ત ઉપક્રમે તા.૦૧/૦૮/૨૦૨૬ ના રોજ પ્રા. શાળા પરિસરમાં કોલેજના NCC યુનિટદ્વારા “એક પેડ મા કે નામ“કાર્યક્રમ અંતર્ગત કોલેજના આચાર્ય ડી. ડી. ચારણના માર્ગદર્શન હેઠળ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.રોહિત નગર પ્રા. શાળા થરાના આયાર્ય ડો. કુલદીપકુમાર ઠક્કર,શિક્ષક મનોજભાઈ ગરાછ (ખત્રી), શાંતિબેન દેસાઈ,હરીબેન ચૌધરી તેમજ NCC કેડેટ વિદ્યાર્થીઓ હાજર રહ્યાં હતાં.NCC ના ડો.ગોવિંદભાઈ કે.મુંધવા એ ગ્લોબલ વોર્મિંગ ના આજના સમયમાં પર્યાવરણ ની જાળવણી અને પ્રદૂષણ નિવારણ માટે વૃક્ષનું કેટલું મહત્વ છે તેના વિશે વિસ્તૃત માહિતી આપી હતી. રોહિત નગર પ્રા.શાળાના આયાર્ય ડો.કુલદીપકુમાર ઠક્કરે NCC વિભાગ દ્વારા આયોજિત “ 'એક પેડ,માં કે નામ” કાર્યક્રમને બિરદાવેલ. દરેક શહેર,નગર અને ગામમાં એક વૃક્ષ રોપવા અને તેનું જતન કરવા આહવાન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું.સંચાલન NCC ના ડો.ગોવિંદભાઈ મુંધવા એ કર્યું હતું.

 #આર્ટ્સ_અને_કોમર્સ_કોલેજ_થરામાં_ગુરુપૂર્ણિમા_નિમિત્તે_ભાવભર્યો_ગુરુવંદન_કાર્યક્રમ_યોજાયોકાંકરેજ તાલુકા કેળવણી મંડળ સંચા...
31/07/2026

#આર્ટ્સ_અને_કોમર્સ_કોલેજ_થરામાં_ગુરુપૂર્ણિમા_નિમિત્તે_ભાવભર્યો_ગુરુવંદન_કાર્યક્રમ_યોજાયો

કાંકરેજ તાલુકા કેળવણી મંડળ સંચાલિત સેવંતીલાલ અમૃતલાલ સુરાણી વિદ્યાસંકુલ અંતર્ગત કાન્તાબેન કીર્તિલાલ શાહ આર્ટ્સ અને લીલાવતીબેન બાપુલાલ ગુંજારીયા કોમર્સ કોલેજ થરા ખાતે આજ રોજ તા. ૨૭/૦૭/૨૬ના રોજ કોલેજના પ્રિન્સિપાલ ડો. ડી. એસ. ચારણના માર્ગદર્શનમાં ગુરુપૂર્ણિમાના પાવન અવસરે ભાવભર્યો ગુરુ વંદન કાર્યક્રમ યોજાયો હતો.

કાર્યક્રમની શરૂઆત કોલેજના આદ્યસ્થાપક સ્વ. શાંતિલાલ છોટાલાલ ધાણધારા તથા કોલેજના પૂર્વપ્રમુખ અને આર્ટ્સ કોલેજ ના દાતા કીર્તિલાલ રતિલાલ શાહ તથા કોલેજ મકાન ના ભૂમિદાતા સ્વ ચીમનલાલ મફતલાલ સોનીની પ્રતિમાને કુલહાર અને પુષ્પજલિ કરવામાં આવી હતી. આ પ્રસંગે કોલેજના વર્તમાન પ્રમુખ ધીરુભાઈ શાહ, ગીરાબેન શાહ કોર્પોરેટર થરા નગરપાલિકા, મંત્રી જીતુભાઈ ધાણધારા, રાજુભાઈ સોની કોલેજના પ્રિન્સિપાલ ડો. ડી. એસ. ચારણ, કોલેજ ના અધ્યાપકો તેમજ મોટી સંખ્યામાં વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ત્યારબાદ ગુરુપૂર્ણિમા નિમિત્તે કોલેજના ગુરુજીઓના વંદન અને પૂજનનો કાર્યક્રમ યોજાયો. કોલેજની બી. એ. સેમ -૧ની વિદ્યાર્થીનીઓ શ્રેયા દેસાઈ અને નીલમ ત્રિવેદી દ્વારા ભાવસભર ગુરુ આરતી રજૂ કરવામાં આવી હતી. તથા તમામ ગુરુજનોનું કુમકુમ તિલક અને પુષ્પગુચ્છ દ્વવારા સન્માનપૂર્વક વંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોલેજની વિદ્યાર્થીનીઓએ ગુરુ પ્રત્યેના પોતાના આદર, શ્રદ્ધા અને કૃતજ્ઞતાની

લાગણીઓ વિવિધ વક્તવ્યો દ્વારા વ્યક્ત કરી હતી.આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી આશીર્વાદ આપતાં કોલેજના પ્રિન્સિપાલ ડૉ. દિનેશકુમાર ચારણે વિદ્યાર્થીઓને ગુરુપૂર્ણિમાનું આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મહત્ત્વ સમજાવતાં ગુરુનું વ્યક્તિના જીવનમાં રહેલું અનન્ય સ્થાન અને માર્ગદર્શનના મૂલ્ય અંગે ગહન અને પ્રેરણાદાયી વિચારો રજૂ કર્યા હતા.

કાર્યક્રમના અંતે પ્રાધ્યાપક ડૉ. ગૌરવ શ્રીમાળીએ આભારવિધિ વ્યક્ત કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ અને સુચારુ સંચાલન એન.એસ.એસ. વિભાગના કાર્યક્રમ અધિકારી ડૉ. રામભાઈ બી. સોલંકીએ કર્યું હતું.

Address

Thara, Gujarat, India
Thara
385560

Alerts

Be the first to know and let us send you an email when Arts and Commerce College- Thara posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category