12/04/2026
નમસ્કાર વિદ્યાર્થીમિત્રો
અમે શેઠશ્રી જે.બી. ઉપાધ્યાય હાઈસ્કૂલ, મહિયલમાં તારીખ : 13/4/2026 ને સોમવારથી સવારે 09:00 થી 10.00 કલાક માટે ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહ રાખવાના છે તે વિદ્યાર્થીઓ માટે ફ્રી બ્રિજ કોર્સ અને ડેમો ક્લાસ શરૂ કરવા જઈ રહ્યા છીએ.
તો ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા આપેલ હોય તેવા દરેક વિદ્યાર્થી આનો લાભ લે જેથી કરીને 11 વિજ્ઞાન પ્રવાહ શું છે? અને તેમાં મને ફાવશે કે કેમ? તેવા પ્રશ્નોનું સોલ્યુશન પણ તમને મળશે.
ઉપરાંત આ ક્લાસીસ દરમિયાન તમને શાળાના અનુભવી શિક્ષકોનો પરિચય થશે અને તેમની શીખવવાની પદ્ધતિ જાણવાનો પણ આપને મોકો મળશે.
તો આ ક્લાસમાં ધોરણ 10 ની પરીક્ષા આપનાર દરેક વિદ્યાર્થી જોડાય તેવા પ્રયત્ન કરશો.
શેઠ શ્રી જે.બી. ઉપાધ્યાય હાઈસ્કૂલ, મહીયલ