24/01/2020
નેતાજી સુભાષચંદ્ર બોઝની 123 મી જન્મ જયંતી નિમિત્તે લોક દ્રષ્ટિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત એચઆઈવી પ્રોજેક્ટ, રેડ ક્રોસ ચોર્યાસી તાલુકા બ્રાન્ચ સુરત ના સંયુક્ત ઉપક્રમે ધરતીનગર સ્લમ વિસ્તારમાં છેવાડાના માનવીને આરોગ્યલક્ષી સુવિધા પ્રાપ્ત થાય તે હેતુસર મફત સર્વ રોગ નિદાન કેમ્પ તેમજ ચશ્મા વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું.
આ કેમ્પનો લાભ 123 કરતા વધારે દર્દીઓએ લીધો હતો
આ સર્વરોગ નિદાન કેમ્પમાં કમાન્ડન્ટ ડૉ.પ્રફુલ્લભાઈ શિરોયા, દિનેશભાઈ પટેલ, યુથ રેડક્રોસ ના ડૉ.ભાવિન શિરોયા, પ્રોજેક્ટ મેનેજર હિરેનભાઈ ગજેરા, ઇશ્વરભાઇ બહેરા, અશોકભાઈ બાડ્તયા, જીતેન્દ્રનાથ લીંકા,ડૉ.રાજકિશોર બહેરા, કિશોરભાઈ પટેલ, હર્ષદ પ્રજાપતિ અને રાજુભાઈ મેર ઉપસ્થિત રહ્યા હતા.