29/06/2024
દર વર્ષે ૨૯ જૂનમાં રોજ 'રાષ્ટ્રીય આંકડાકીય દિવસ' (NATIONAL STATISTICS DAY) મનાવવામાં આવે છે. આ દિવસની ઉજવણી પાછળ સરકારનો હેતુ આપણા રોજિંદા જીવનમાં તેમજ રાષ્ટ્રીય આર્થિક નીતિઓમાં સ્ટેટિસ્ટિક્સના ઉપયોગને પ્રોત્સાહિત કરવાનો છે.
ભારત સરકારે ૨૦૦૬માં ફાધર ઓફ ઇન્ડિયન સ્ટેટિસ્ટિક્સ પ્રોફેસર પ્રશાંત ચંદ્ર મહાલનોબિસ (આંકડાશાસ્ત્રી)ને માન આપવા માટે 'NATIONAL STATISTICS DAY'ની ઉજવણી કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય આંકડાશાસ્ત્રમાં પ્રોફેસર પ્રશાંત ચંદ્ર મહાલનોબિસ અમૂલ્ય પ્રદાન છે.
પ્રશાંત ચંદ્ર મહાલનોબિસનો જન્મ ૨૯ જૂન ૧૮૯૩ના રોજ કોલકાતામાં થયો હતો. તેઓ 'ઇન્ડિયન સ્ટેટિસ્ટિક્સ સાયન્સ'ના સ્થાપક હતા. તેઓ સ્ટેટીસટીક્સ માપદંડ મહાલનોબિસ ડિસ્ટન્સ, મોટા પાયે સેમ્પલના સર્વેક્ષણ સહિતના યોગદાન માટે જાણીતા છે. આ ઉપરાંત વિવિધ જૂથોમાં સામાજિક-આર્થિક પરિસ્થિતિઓની તુલના કરવાના તેમના 'ફ્રેક્ટાઈલ ગ્રાફિકલ એનાલિસિસ' નામની પદ્ધતિની શોધ પણ ખૂબ પ્રખ્યાત છે. તેઓને પદ્મ વિભૂષણથી સન્માનિત કરાયા હતા. તેઓ ૧૯૫૫થી ૧૯૬૭ દરમિયાન આયોજન પંચના સભ્ય રહ્યા હતા. તેમજ દેશના ઔદ્યોગિકરણના આયોજનમાં પણ તેમનો સિંહફાળો હતો. નેશનલ સ્ટેટિસ્ટિક્સ સિસ્ટમમાં તેમના યોગદાન બદલ 'રાષ્ટ્રીય આંકડાકીય દિવસ' ઉજવાય છે.
સામાજિક-આર્થિક માળખામાં સ્ટેટિસ્ટિક્સના મહત્વ પર ભાર આપવા માટે લોકોમાં જાગૃતિ લાવવા અને યુવા પેઢીને પ્રેરણા આપવાની દિશામાં 'રાષ્ટ્રીય આંકડાકીય દિવસ' થકી પ્રયત્નો થાય છે. આ દિવસની ઉજવણી વિવિધ સેમિનાર અને સ્પર્ધાઓથી કરવામાં આવે છે. જેનો હેતુ રાષ્ટ્રીય વિકાસમાં સ્ટેટિસ્ટિક્સના ઉપયોગને વધારવાનો છે. આ દિવસે એપ્લાઇડ અને થિયરેટિકલ સ્ટેટિસ્ટિક્સ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપનાર લોકોને મંત્રાલય દ્વારા સન્માનિત કરવામાં આવે છે.
27/05/2023
19/06/2018