06/03/2026
*સાયન્સ કાર્નિવલમાં અડાજણની દાળિયા હાઈસ્કૂલ પ્રથમ ક્રમે વિજેતા*
આજરોજ તા.6/3/26 શુક્રવારના રોજ Shell NXploers દ્વારા Shell NXPloers Science Carnival 2026 નુ આયોજન લાયન્સ ક્લબ, અડાજણ,સુરત ખાતે આયોજન કરવામાં આવ્યું હતું . જેમાં શ્રીમતી એલ.એન.બી.દાળિયા હાઇસ્કુલ અડાજણમાં અભ્યાસ કરતી ધોરણ 9 ની વિદ્યાર્થીનીઓ કાપડિયા નૈશા અમિતભાઈ તથા બુધેલીયા દર્શના આશિષભાઈ એ "LIQUID TREE"નામનો પ્રોજેક્ટ રજૂ કર્યો હતો.લગભગ અવનવી 22 કે તેથી વધુ કૃતિઓમાં દાળિયા હાઈસ્કૂલ ની આ કૃતિ પ્રથમ ક્રમે વિજેતા જાહેર થઈ હતી.સંચાલક મંડળના પ્રમુખ શ્રી જયંતિભાઇ પટેલે તથા શાળાના આચાર્ય શ્રી હિતેશભાઈ ભટ્ટે વિજેતા બન્ને વિદ્યાર્થીનીઓને, પ્રોજેક્ટ કન્વીનર શ્રી જિજ્ઞાસાબેન તથા શાળાના વિજ્ઞાન શિક્ષક મિત્રો શ્રી ઉર્વશીબેન,કૃતિકાબેન તથા મીનાબેનને શાળા પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.
13/02/2026
આજરોજ તારીખ _ 13/2/26અમારી શાળામાં “Student Startup & Innovation Policy 2.0” અંતર્ગત ધોરણ નવના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં નવોચાર, સર્જનાત્મકતા અને ઉદ્યોગસાહસિકતા પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો.
કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ડૉ. મહેશભાઈ ચુડાસમા(પ્રોફેસર: ગાંધી એન્જિનિયરિંગ કોલેજ) તથા દર્શનભાઈ મહેતા( પ્રોફેસર :ગાંધી એન્જિનિયરિંગ કોલેજ)ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોનું હાર્દિક સ્વાગત પુસ્તક અર્પણ કરીને અર્જુનભાઈ અને કૃતિકાબેને કર્યું હતું,
કાર્યક્રમ દરમિયાન ઉર્વશીબેન પટેલ દ્વારા Student Startup & Innovation Policy 2.0 અંગે વિદ્યાર્થીઓને સરળ અને સમજણભરી માહિતી આપવામાં આવી. તેમણે પોલિસીની મુખ્ય બાબતો, વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ તકો અને ઇનોવેશનની મહત્વતા વિષે માર્ગદર્શન આપ્યું.
મુખ્ય વક્તા ડૉ. મહેશભાઈ ચુડાસમાએ વિદ્યાર્થીઓને સ્ટાર્ટઅપ, નવોચાર અને પ્રાયોગિક વિચારોને વ્યવસાયિક દિશામાં કેવી રીતે વિકસાવવાના તે અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું. તેમણે વાસ્તવિક ઉદાહરણો દ્વારા વિદ્યાર્થીઓને પ્રેરણા આપી અને નવા વિચારોને હિંમતપૂર્વક આગળ વધારવા પ્રોત્સાહિત કર્યા. દર્શનભાઈ મહેતાએ પણ ઉદ્યોગસાહસિકતા અને આધુનિક સમયમાં કૌશલ્યના મહત્વ પર પ્રકાશ પાડ્યો.
કાર્યક્રમના અંતે ઉર્વશીબેન પટેલે આભાર વિધિ વ્યક્ત કરી, મહેમાનો, શિક્ષકો અને વિદ્યાર્થીઓનો હૃદયપૂર્વક આભાર માન્યો. સમગ્ર સેમીનાર વિદ્યાર્થીઓ માટે જ્ઞાનવર્ધક, પ્રેરણાદાયી અને ઉત્સાહજનક સાબિત થયો.
12/02/2026
સ્મૃતિઓના સંગાથે, સફળતાના શિખરો ભણી પ્રયાણ...
સાર્વજનિક કેળવણી મંડળ, અડાજણ સંચાલિત શ્રીમતી એલ.એન.બી.દાળિયા હાઈસ્કૂલ ખાતે ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓનો ‘શુભેચ્છા સમારોહ’ અત્યંત ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો.
મોટીવેશનલ સ્પીકર શ્રી અલ્પેશભાઈ પટેલ અને પૂર્વ શિક્ષિકા શ્રીમતી અનામિકાબેન પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓને જીવન અને પરીક્ષામાં શ્રેષ્ઠ દેખાવ કરવા માટે માર્ગદર્શન મળ્યું. સંચાલક મંડળના ટ્રસ્ટીઓ અને આચાર્યશ્રી દ્વારા વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યના આશીર્વાદ પાઠવવામાં આવ્યા.
પુસ્તક ભેટ, શિક્ષકો સાથેના સંભારણા અને સ્વાદિષ્ટ અલ્પાહાર સાથે આ દિવસ દરેક વિદ્યાર્થી માટે યાદગાર બની રહ્યો. 🌟
11/02/2026
બાળ જ્ઞાનોત્સવ
પુસ્તક મેળો
10/02/2026
વાલી મીટીંગ 11A
પ્રથમ અને બીજી પરીક્ષાના પરિણામ ને આધારે ધોરણ 11 A ના નાપાસ/નબળા બાળકોની વાલી મીટીંગ તા. 10.2.26 ના રોજ રૂમ નંબર 6 મા યોજાઈ હતી. વર્ગ શિક્ષક શ્રી મુકેશભાઈ દલાલે બાળકોના પરિણામ અને પરિસ્થિતિ વિષે વાલીઓને વ્યકિતગત રીતે માર્ગદર્શિત કર્યા હતા.આચાર્ય શ્રી હિતેશભાઈ ભટ્ટે વાર્ષિક પરીક્ષાના પરિણામ અંગે પ્રેકટીકલ સમજ આપી હવે પછી કરવાની તૈયારી વિષે જણાવ્યું હતું.આ પ્રસંગે વર્ષાબેન રાદડિયા અને અર્જુનભાઈ ચૌધરીએ પણ પ્રાસંગિક વાત કરી બાળકોને વિશેષ તૈયારી કરવા જણાવ્યું હતું..સમગ્ર આયોજન વર્ગ શિક્ષક શ્રી મુકેશભાઈ દલાલે કર્યું હતું.મીટીંગ આયોજનમા મીતાબેન,શ્વેતાબેન અને કૌશ્લ્યાબેને પણ ઉચિત સહયોગ આપ્યો હતો.
08/02/2026
ભારત સરકારના 'નશા મુક્ત ભારત' અભિયાન અંતર્ગત
અડાજણ સ્થિત દાળિયા સ્કૂલ ખાતે ડ્રગ્સના નુકસાન અંગેયુવાન અને યુવતીઓને ડ્રગ્સ તથા અન્ય નશીલા પદાર્થોથી થતા શારીરિક, માનસિક અને સામાજિક નુકસાન વિશે એડવોકેટ ભરતભાઈ પંડિત અને પેરા લીગલ વોલેન્ટિયર રોનકબેન ધ્રુવ દ્વારા વિગતવાર માહિતી આપવામાં આવી હતી. નશો કેવી રીતે વ્યક્તિના કરિયર અને પરિવારને બરબાદ કરે છે તે અંગે વિદ્યાર્થીઓને ગંભીરતાથી સમજાવવામાં આવ્યું હતું.
કોઈપણ પ્રકારની કાનૂની મદદ કે અન્યાય સામે અવાજ ઉઠાવવા માટે હેલ્પલાઇન નંબરનો ઉપયોગ કેવી રીતે કરવો તેની સમજ આપવામાં આવી હતી.
કોર્ટ-કચેરીના લાંબા ગાળાના કેસોનું ઝડપી અને સુખદ નિરાકરણ લાવવા માટે 'લોક અદાલત' કેટલી ઉપયોગી છે, તે અંગે પણ વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
યુવા ધન વ્યસનમુક્ત બને અને કાયદાકીય જ્ઞાન મેળવીને જવાબદાર નાગરિક બને તે જ આ પ્રોગ્રામનો મુખ્ય હેતુ હતો.
શાળાના આચાર્ય શ્રી હિતેશભાઈ ભટ્ટ, હર્ષદભાઈ પટેલ અને મીતાબેન પટેલ દ્વારા સમગ્ર કાર્યક્રમનુ આયોજન ખૂબ સરસ રીતે કરવામાં આવ્યું હતું.
05/02/2026
આજે શાળાનો વાર્ષિક ઇનામ વિતરણ સમારોહ શાળાના પટાંગણમાં યોજાયો હતો. જેમાં મુખ્ય મહેમાન તરીકે શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી પ્રતિક ચાહવાલા [CA], ઉર્વશી ચાહવાલા ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત શાળાના સંચાલક મંડળના પ્રમુખશ્રી જયંતીબાપા, ઉપપ્રમુખ શ્રી હેમંતભાઈ, સહમંત્રી શ્રી નટુભાઈ, પૂર્વ પ્રાથમિક વિભાગના ઇન્ચાર્જ શ્રી દિવ્યાબેન ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે શાળાની રમતગમત તેમજ અન્ય સહ અભ્યાસ પ્રવૃતિઓમાં વિશેષ સિદ્ધિ મેળવનાર 147 વિદ્યાર્થીઓને જુદા જુદા ઇનામો અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા.પ્રાસંગિક ઉદ્બોધન શાળાના આચાર્યશ્રી હિતેશભાઈ ભટ્ટે કર્યું હતું.તો અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત પ્રતિક ચાહવાલા અને ઉર્વશી ચાહવાલા એ પોતાની શાળાથી અહીં સુધીની સફળતાની સફર વર્ણવી પોતાના વક્તવ્યમાં શાળા અને શિક્ષકોનું બહુમાન કર્યું હતું અને વિદ્યાર્થીઓને પ્રેરણાના પિયુષ પાયા હતા. પ્રમુખશ્રી જયંતીબાપા એ એમની આગવી શૈલીમાં શાળા અને બાળકોની સફળતાને બિરદાવી હતી અને વધુ પ્રગતિ માટે ઈશ્વરને પ્રાર્થના કરી હતી. કૃતિકાબેન પટેલે આભાર વિધિ કરી હતી. ઉર્વશીબેન પટેલે સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કર્યું હતું. ઇનામ વિતરણ સમિતિના સદસ્ય શ્રીમતી ઉર્વશીબેન પટેલ ,શ્રી અર્જુનભાઈ ચૌધરી અને શ્રી ચેતનભાઇએ સમગ્ર કાર્યક્રમનું સુંદર અને સફળ આયોજન કર્યું હતું.
31/01/2026
સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગના સહયોગથી આજે તારીખ ૩૧/૦૧/૨૦૨૬ ના રોજ શ્રીમતી એલ. એન. બી. દાળિયા હાઇસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓમાં આપત્તિ વ્યવસ્થાપન અને અગ્નિશમન અંગે જાગૃતિ લાવવા માટે 'ફાયર સેફ્ટી અવેરનેસ' માર્ગદર્શન કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અડાજણ ફાયર સ્ટેશન દ્વારા ફાયર સેફટી અંગે ખૂબ સુંદર અને વિસ્તૃત સમજૂતી સબ ફાયર ઓફિસર શ્રી ધવલભાઈ મોહિતે તથા એમની ટીમ દ્વારા આપવામાં આવી હતી.આ ઉપરાંત ફાયરના જુદા જુદા સાધનોની માહિતી પણ આપી હતી સમગ્ર કાર્યક્રમમાં ધોરણ 9 થી 12 ના 320 થી વધારે વિદ્યાર્થીઓ અને 12 થી વધુ શિક્ષકો ઉપસ્થિત રહયા હતા.
31/01/2026
તારીખ 31 01/ 2026 શનિવારના રોજ
શિક્ષકોનો પુસ્તક પરિચય યોજાયો હતો.
જાન્યુ .માસનો પુસ્તક પરિચય
મીનાબેન બિરારી -ધ્યેય (શૈલેષ સગપરિયા)
આશાબેન ગામીત -યુદ્ધની સાયકોલોજી(દીપ ત્રિવેદી)
મીનાબેન પટેલ -ચાલીશ પછી કેમ ચાલીશ?(શ્વેતા જોશી અંતાણી). ત્રણેય શિક્ષિકા બહેનોએ જે તે વિષય આધારિત પુસ્તકની ખૂબ જ સુંદર ,આકર્ષક અને રસપ્રદ સમીક્ષા કરી હતી .આચાર્યશ્રી હિતેશભાઈ ભટ્ટે તથા મંત્રીશ્રી રમેશભાઈ પટેલે તથા અન્ય શિક્ષક મિત્રોએ પણ પુસ્તક સમીક્ષા અંતર્ગત પ્રાસંગિક વાતો કરી હતી. સમગ્ર કાર્યક્રમમાં શાળાના મંત્રી શ્રી, આચાર્ય શ્રી, શાળાના શિક્ષક મિત્રો હાજર રહ્યા. પાઠ્યપુસ્તક સમિતિના કન્વીનર શ્રીમતી કૃતિકાબેન પટેલે સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કર્યું હતુ.