Mahatma Gandhi Primary School No 348 PMSHRI-Gujarat

Mahatma Gandhi Primary School No 348 PMSHRI-Gujarat

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Mahatma Gandhi Primary School No 348 PMSHRI-Gujarat, School, nr, aangan residency, savaliya Circle, yogi chowk, surat, Surat.

30/03/2026
Photos from Mahatma Gandhi Primary School No 348 PMSHRI-Gujarat's post 24/02/2026

મહાત્મા ગાંધી પ્રાથમિક શાળા-૩૪૮ પીએમશ્રી ગુજરાત ખાતે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને પર્યાવરણ જાગૃતિને પ્રોત્સાહન આપવા માટે શાળા પરિસરમાં ઔષધિ બાગની સુંદર અને આયોજનબદ્ધ રચના કરવામાં આવી છે. 🌿

આ ઔષધિ બાગ માત્ર હરિયાળો ખૂણો નથી, પરંતુ શિક્ષણનો જીવંત અને પ્રયોગાત્મક સ્ત્રોત છે. આજના આધુનિક અને ટેક્નોલોજી આધારિત યુગમાં બાળકો પ્રકૃતિથી થોડા દૂર થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં પ્રકૃતિ સાથે સીધો સંપર્ક થાય અને પરંપરાગત ઔષધિય જ્ઞાન વિશે સમજ વિકસે તે હેતુસર આ પહેલ હાથ ધરવામાં આવી છે.

આ ઔષધિ બાગ બાળકો માટે “ઓપન ક્લાસરૂમ” સમાન છે —
અહીં તેઓ પુસ્તકોની બહારનું જ્ઞાન પ્રાપ્ત કરે છે, પ્રકૃતિનું મહત્વ સમજે છે અને આરોગ્યપ્રદ જીવનશૈલી તરફ પ્રેરાય છે. 🌼

આ પહેલ દ્વારા વિદ્યાર્થીઓમાં નીચે મુજબના મૂલ્યો વિકસે છે:

✔ પર્યાવરણ પ્રત્યે જાગૃતિ
✔ સ્વચ્છતા અને આરોગ્ય વિશે સમજ
✔ પ્રયોગાત્મક શિક્ષણ
✔ જવાબદારી અને ટીમવર્ક
✔ પરંપરાગત જ્ઞાન પ્રત્યે ગૌરવભાવ

“આજે વાવેલો એક નાનો છોડ, આવતીકાલે વિશાળ વૃક્ષ બની સમાજને છાંયો અને આરોગ્ય આપશે.” 🌳

મહાત્મા ગાંધી પ્રાથમિક શાળા-૩૪૮ પીએમશ્રી ગુજરાત પર્યાવરણલક્ષી અને મૂલ્યઆધારિત શિક્ષણ માટે સદૈવ પ્રતિબદ્ધ છે.

🌿 ચાલો, હરિયાળો કેમ્પસ – સ્વસ્થ વિદ્યાર્થી – ઉજ્જવળ ભવિષ્ય તરફ મળીને આગળ વધીએ. 🌿

21/02/2026

માતૃભાષા — આપણું ગૌરવ, આપણી ઓળખ 🌍✨

આજે વિશ્વ માતૃભાષા દિવસના પવિત્ર અવસર પર આપણે સૌ મળીને આપણી માતૃભાષા પ્રત્યે ગૌરવ અને આદર વ્યક્ત કરીએ.

માતૃભાષા માત્ર સંવાદનું સાધન નથી,
તે આપણી સંસ્કૃતિ, પરંપરા અને ઓળખનું પ્રતિબિંબ છે.
બાળક જ્યારે પ્રથમ શબ્દ બોલે છે, ત્યારે તે શબ્દ તેની માતૃભાષામાં જ હોય છે — એ જ ભાષા તેના વિચાર, ભાવના અને વ્યક્તિત્વને આકાર આપે છે.

શાળામાં બાળકોને માતૃભાષામાં શિક્ષણ આપવાથી તેમની સમજશક્તિ, આત્મવિશ્વાસ અને સર્જનાત્મકતા વધુ વિકસે છે.
આપણે સૌનો ફરજ છે કે આપણે પોતાની માતૃભાષાનું સંરક્ષણ અને પ્રચાર કરીએ, અને આગામી પેઢીને તેનું મહત્વ સમજાવીએ.

ચાલો, આજે પ્રતિજ્ઞા કરીએ —
👉 આપણે માતૃભાષાનો ગર્વથી ઉપયોગ કરીશું.
👉 તેની સમૃદ્ધિ અને સુંદરતાને જાળવી રાખીશું.
👉 અને વિશ્વ સમક્ષ પોતાની ભાષાની ઓળખ ઊંચી રાખીશું.

માતૃભાષા છે તો જ સંસ્કૃતિ છે,
સંસ્કૃતિ છે તો જ આપણી ઓળખ છે. 🌺



31/01/2026

બેગ લેસ ડે અંતર્ગત વરલી પેન્ટિંગ ધોરણ 6

31/01/2026

આ લેખ જિજ્ઞાસુ વાલીઓ માટે મુકુ છું,, અને શિક્ષક મિત્રો ને અર્પણ કરું છું.

એક શિક્ષક તરીકે આજના વાલીઓને એક નાનો એવો પ્રશ્ન
શું તમે ક્યારેય પણ તમારા બાળકને ડોક્ટર પાસે લઈ ગયા છો ?
બધા વાલીઓનો એક જ જવાબ હશે હા .
ડોક્ટર જયારે તમારા બાળકની સર્જરી કરે ત્યારે ક્યારેય તમે ડોક્ટરને કીધું કે સાહેબ મે ક્યારેય મારા બાળકને હાથ નથી લગાવ્યો તો તમે એને ઇંજેક્શન શા માટે આપો છો ?
બધાનો જવાબ ના માં જ હસે,
કારણ કે બધા ને ખબર છે કે ડોક્ટર જે કરે છે તે તમારા બાળક માટે સારું પરિણામ આવે અને જલ્દીથી નોર્મલ થાય તે માટે કરે છે,
તો પછી બસ તમારા બાળકને તમે જે શાળામાં ભણવા મોકલો છો ત્યાં પણ તમારા બાળકને ભણાવતા શિક્ષક પણ એ જ કરે છે જે તમારા બાળક માટે સારું પરિણામ લાવી શકે અને સમાજમાં એક શ્રેષ્ઠ વ્યક્તિ બને,
હા હું માનું છું કે શિક્ષકને તેની અમુક મર્યાદામાં રહી ને કામ કરવાનું હોય છે પણ જો ક્યારેક કોઈ શિક્ષક તમારા બાળકને વઢે અથવા થોડુક મારી પણ લે તો તમે લોકો કઈ પણ વિચાર્યા વગર એ શિક્ષકની ફરિયાદ કરવા શાળાએ પહોંચી જાવ છો
પણ શિક્ષકની ફરિયાદ કરતા પહેલા તમે એ વિચારો છો કે એ શિક્ષકને એવું શા માટે કરવું પડ્યું?
ચાલો આ પ્રશ્નનો જવાબ પણ આપી દવ,
એક નાની વાર્તા યાદ આવે છે કે કોઈ મૂર્તિકાર જયારે પથ્થરમાંથી મૂર્તિ બનાવે છે ત્યારે તે ફક્ત પથ્થરમાં રહેલો નકામો ભાગ બહાર કાઢી લે છે અને એક શ્રેષ્ઠ મૂર્તિ બહાર આવે છે પણ એ મૂર્તિને બહાર કાઢવા માટે મૂર્તિકારને પથ્થરને હથોડી વડે ટીપવી પડે છે,
બસ આ જ કાર્ય તમારા બાળકને ભણાવતા શિક્ષક કરે છે, બાળકમાંથી એક શ્રેષ્ઠ વ્યક્તિ બહાર લાવવા એને ક્યારેક કડક થઇને પગલાં લેવા પડે છે,
અંતમાં એટલું જ કહીશ કે તમે જેટલો વિશ્વાસ તમારા બાળકના ડોક્ટર પર રાખો છો એટલો જ વિશ્વાસ બાળકને ભણાવતા શિક્ષક પર રાખો પરિણામ શ્રેષ્ઠ જ આવશે...
👆🏿🙏💎👏✅

Photos from Mahatma Gandhi Primary School No 348 PMSHRI-Gujarat's post 19/01/2026

વિજયી ભવ: CET ક્વિઝ ૨૦૨૬ ના વિજેતાઓ 🏆✨

આજે મહત્મા ગાંધી પ્રાથમિક શાળા -348 પી.એમ.શ્રી ગુજરાત ખાતે ધોરણ ૫ ના વિદ્યાર્થીઓ માટે યોજાયેલ CET ક્વિઝના વિજેતાઓને શાળાના આચાર્યશ્રી શૈલેષભાઇ પટેલ ના હસ્તે સન્માનપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. વિદ્યાર્થીઓએ માત્ર સવાલ-જવાબ જ નહીં, પણ ટીમ-વર્ક અને આત્મવિશ્વાસનો પણ ઉત્તમ નમૂનો રજૂ કર્યો.

તમામ વિદ્યાર્થીઓ આગામી CET પરીક્ષામાં પણ શ્રેષ્ઠ દેખાવ કરી શાળાનું અને માતા-પિતાનું નામ રોશન કરે તેવી હાર્દિક શુભેચ્છાઓ! 💐👏

Want your school to be the top-listed School/college in Surat?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Website

Address


Nr, Aangan Residency, Savaliya Circle, Yogi Chowk, Surat
Surat
395010