11/06/2025
Indian Railway: ભારતીય રેલવે (Indian Railway)એ રેલવે મુસાફરોની સુવિધા ટિકિટ કન્ફર્મેશનના નિયમોમાં ફેરફાર કર્યો છે. અત્યાર સુધી ટ્રેનની ટિકિટ બુક કરાવ્યા પછી ટ્રેન ઉપડે તેના ચાર કલાક પહેલા જ ખબર પડી હતી કે, ટિકિટ કન્ફર્મ છે કે નહીં. જો કે, હવે રેલવેએ એક નવી સિસ્ટમ પર કામ શરૂ કર્યું છે, જે અંતર્ગત કન્ફર્મ ટિકિટનો ચાર્ટ 24 કલાક પહેલા જાહેર થઈ જશે.
અહેવાલો અનુસાર, રેલવે વિભાગે આ યોજનાના ટ્રાયલ પણ શરૂ કરી દીધા છે. અત્યાર સુધી બુકિંગ કરાવતી વખતે ટિકિટ કન્ફર્મ થતી ન હતી અને વેઇટિંગ લિસ્ટમાં દેખાતી હતી. આ કારણસર મુસાફરોને છેલ્લી ઘડી સુધી ચિંતા રહેતી કે, લાંબા અંતરની મુસાફરીની ટિકિટ બુક થશે કે નહીં. આ સમસ્યાના ઉકેલરૂપે રેલવેએ 24 કલાકની અંદર જ ટિકિટ કન્ફર્મ છે કે નહીં તે જણાવવાની સિસ્ટમ પર કામ શરૂ કરી દીધું છે.
નોંધનીય છે કે, રેલવેએ છઠ્ઠી જૂને રાજસ્થાનના બિકાનેર ડિવિઝનમાં આ પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરી દીધો છે.
11/06/2025
હાલોલમાં આકાર પામશે,
ગીધો માટે દેશની પ્રથમ ઓપન રેસ્ટોરાં...
હાલોલ નગરપાલિકા દ્વારા ₹15 લાખના ખર્ચે પાવાગઢની તળેટી અને જાંબુડી વિસ્તારમાં ગીધની રેસ્ટોરાં બનાવાશે
🦅 ગીધોની વસતી વધારવા માટે હાલોલ નગરપાલિકા 20 મીટર ઊંચો ટાવર ઊભો કરશે.
🦅 ઓપન રેસ્ટોરાંમાં ગીધ માટે પાણી અને ખોરાકની વ્યવસ્થા ઊભી કરાશે.
09/06/2025
NDA Government: દક્ષિણ ભારતના રાજ્ય આંધ્રપ્રદેશમાં પ્રજનન દર અંગે ચિંતાઓ વધવા લાગી છે. રાજ્યના મુખ્યમંત્રી હવે મોટા પરિવારોને નાણાકીય સહાય આપવાનું વિચારી રહ્યા છે. તાજેતરમાં જ તેમણે એક ઈન્ટરવ્યૂમાં આવા સંકેતો આપ્યા છે. જોકે, આ અંગે હજુ સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. અહેવાલ છે કે રાજ્ય સરકાર ઘટતા પ્રજનન દરને પહોંચી વળવા માટે આ પગલું ભરી શકે છે. NDA શાસિત રાજ્યના મુખ્યમંત્રી નાયડુએ કહ્યું, 'હું પરિવારને એક એકમ ગણીને નાણાકીય પ્રોત્સાહન આપવાનું વિચારી રહ્યો છું. મોટા પરિવારોને મોટા પ્રોત્સાહનો આપી શકાય છે.' તેમણે કહ્યું કે દક્ષિણના રાજ્યની સરકારોએ વર્તમાન વસ્તી વિષયક સ્થિતિ પર તેમની વ્યૂહરચના અંગે પુનર્વિચાર કરવાની જરૂર છે.
08/06/2025
World Bank Report: વર્લ્ડ બૅન્કે ગરીબી રેખાને લઈને પોતાના ધોરણમાં બદલાવ કર્યો છે. નવા નિયમો અનુસાર રોજના ત્રણ ડોલર એટલે કે 257 રૂપિયાથી ઓછો ખર્ચ કરી જીવન વિતાવતા લોકોને ગરીબી રેખા હેઠળ ગણાશે. અગાઉના વર્ષોમાં રોજના 2.15 ડોલરથી પણ ઓછો ખર્ચ કરતાં લોકોને ગરીબ ગણવામાં આવતા હતા. વર્લ્ડ બૅન્કના નવા અહેવાલ અનુસાર જોઈએ તો ભારતમાં 2022-23માં અતીત ગરીબોની સંખ્યા ઘટીને 5.3 ટકા થઈ, જે 2011-12માં 27.1 ટકા હતી. ભારતની વસતી પ્રમાણે ગરીબોની સંખ્યા 34.4 કરોડથી ઘટીને 7.5 કરોડ રહી હોવાનો અહેવાલમાં દાવો કરાયો છે.
લોઅર મિડલ ક્લાસના ધોરણ બદલાયા
વર્લ્ડબૅન્કે નિમ્ન-મધ્યમ આવક ( LMIC ) રેખાના ધોરણમાં બદલાવ કરી 3.65 ડોલરથી વધારીને 4.20 ડોલર કરાયો છે. જેના આધારે LMIC રેખા નીચે જીવતા લોકોની સંખ્યા 2011-12માં 57.7 ટકા હતી જે 2022-23માં ઘટીને 23.9 ટકા થઈ છે. જેનો અર્થ છે કે લોઅર મિડલ ક્લાસ લોકોની સંખ્યા 73.2 કરોડથી ઘટીને 34.2 કરોડ થઈ છે.
08/06/2025
Uttar pradesh News: ઉત્તરપ્રદેશના જોનપુર જિલ્લામાં આવેલા માધોપટ્ટી ગામે એક કે બે નહી પરંતુ 47 જેટલા IAS અને IPS આપ્યા છે. માત્ર 75 પરિવાર અને 800 લોકોની વસ્તી ધરાવતા માધોપટ્ટીને આથી જ તો ઓફિસરોના ગામ તરીકેની ઓળખ મળી છે. આ ગામના આઇએએસ અને આઇપીએસ અફસરો ઉત્તરપ્રદેશ અને બીજા રાજયોમાં સેવા આપે છે, એટલું જ નહી આ ગામના સંતાનો ભાભા ઇન્સ્ટિટયૂટ અને વર્લ્ડ બેંકમાં અધિકારી તરીકે પણ ફરજ બજાવી ચૂકયા છે. જે પણ સનદી પરીક્ષા પાસ કરીને ઉચ્ચ અધિકારી બનવા ઇચ્છે છે તેમના માટે આ ગામ રોલ મોડેલ સમાન છે.
આ અંતરિયાળ ગામમાં આજકાલથી નહી પરંતુ અંગ્રેજોના જમાનાથી સ્પર્ધાત્મક પરીક્ષા આપીને અફસર બનવાની પરંપરા છે. પ્રાપ્ત માહિતી મુજબ ઇ.સ. 1914માં માધોપટ્ટી ગામના યુવક મુસ્તુફા હુસેનને અંગ્રેજોએ અધિકારી તરીકે પસંદ કર્યો હતો. 1947માં દેશ આઝાદ થયા પછી 1952માં માધોપટ્ટી ગામના ઇન્દુપ્રકાશસિંહે સનદી અધિકારી બન્યા હતા. ઇન્દુપ્રકાશ સિવિલ સર્વિસમાં જોડાયા એ પછી ગામમાં અફસર બનવાની હોડ જામી હતી. ઇન્દુપ્રકાશસિંહ ફ્રાંસ સહિત અનેક દેશોમાં રાજદૂત પણ રહયા હતા. ઇન્દુપ્રકાશ સહિત કુલ 4 સગા ભાઇઓએ સનદી અધિકારી બનીને રેકોર્ડ સ્થાપ્યો હતો. માધોપટ્ટી ગામમાં દરેક યુવાનોનું ઓફિસર બનવાનું સપનું છે.
Image Source- IG -
07/06/2025
ઉત્તરાખંડના કેદારનાથમાં 34 દિવસથી ચાલી રહેલી કેદારનાથ યાત્રામાં અત્યાર સુધી 8 લાખથી વધુ શ્રદ્ધાળુએ બાબા કેદારના દર્શન કર્યા છે. ખરાબ હવામાન હોવા છતાં ભક્તો બાબા કેદારના દર્શનાર્થે કેદારનાથ ધામમાં આવી રહ્યા છે.
06/06/2025
Chenab Bridge in J&K: ભારતના પહેલા રેલવે કેબલ બ્રિજ અંજી ખડનું પણ લોકાર્પણ, નદીથી 331 મીટર ઊંચાઈ પર 725 મીટર લંબાઈ ધરાવતો બ્રિજ 96 કેબલના સહારે બનાવાયો છે. માત્ર 11 મહિનામાં તૈયાર થયેલો આ બ્રિજ ભૂકંપ અને વાવાઝોડા સામે સક્ષમ