Harekrushna Vidhyalaya

Harekrushna Vidhyalaya

Share

Harekrushna Vidhyalaya is truly democratic school. Each student is given equal opportunity to learn, express, lead, share and contribute in all matters.

Photos from Harekrushna Vidhyalaya's post 01/09/2025

Surat City Police Zone 1 નેશનલ સ્પોર્ટ્સ ડે માં યોગીચોક ખાતે આવેલી હરેકૃષ્ણ વિદ્યાલયની વિદ્યાર્થીનીઓએ ભાગ લઈ વોલીબોલ ટુર્નામેન્ટ માં પ્રથમ નંબર મેળવ્યો છે..

Photos from Harekrushna Vidhyalaya's post 30/08/2025
Photos from Harekrushna Vidhyalaya's post 29/08/2025

ગણેશ ઉત્સવની સુરતના મીડિયા કર્મીઓ દ્વારા લેવામાં આવેલી નોંધ...

28/08/2025

આજનો ઋષિ મંત્ર🙏🏼
આજે *ઋષિપાંચમ*
..આપણાં સુખ અને સમૃદ્ધિની સતત ચિંતા કરનારા આપણાં મહાન ઋષિઓ અને આપણાં પ્રતાપી પૂર્વજોનું સ્મરણ કરવાનો દિવસ.

સપ્તમ મનવન્તરના 7 ઋષિઓએ માનવજાતને સુખી અને સમૃદ્ધ બનાવવા માટે અદ્વિતીય યોગદાન આપ્યું છે. આજે આ સાત ઋષિઓનું સ્મરણ કરી એમના જીવનમાંથી પ્રેરણા પ્રાપ્ત કરવાનું પર્વ છે. નવી પેઢીને આ સાત ઋષિનો પાતળો પરિચય જરૂરથી આપજો.

*1. કશ્યપ ઋષિ*
બ્રહ્માજીના માનસપુત્ર એવા મરીચિ ઋષિના તેઓ પુત્ર છે. સૃષ્ટિના સર્જનમાં એમણે આપેલા યોગદાનને લીધે એમને પ્રજાપતિ તરિકે પણ ઓળખવામાં આવે છે. આજે પણ ધાર્મિક વિધિ વખતે જો કોઈને એના ગોત્રની જાણ ન હોય તો કશ્યપ ગોત્ર તરીકે ઓળખ અપાય છે.

*2. અત્રિ ઋષિ*
અત્રિ ઋષિના પત્ની અનસૂયાની કથા સૌ કોઈએ સાંભળી જ હશે જેમને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને પોતાના તપના પ્રભાવથી નાના બાળક બનાવી દીધા હતા. મહાન અત્રિ ઋષિ ભગવાન દત્તાત્રેય અને દુર્વાસા ઋષિના પિતા છે. એમના ત્રીજા પુત્ર સોમે સોમનાથ જ્યોતિર્લિંગની સ્થાપના કરી હતી.

*3.વસિષ્ઠ ઋષિ*
વસિષ્ઠજી રઘુવંશના કુલગુરુ હતા એ રીતે તેઓ ભગવાન શ્રીરામના કુલ ગુરુ હતા. તેઓ મહાન ઋષિ પરાસરના દાદા અને મહાભારત સહિત અનેક ગ્રંથોના રચયિતા વેદવ્યાસજીના પરદાદા થાય.

*4.વિશ્વામિત્ર ઋષિ*
વિશ્વામિત્ર રાજવી હતા અને રાજપાટ છોડીને સન્યાસી થયા હતા. ભગવાન પરશુરામના પિતા એવા જમદગ્નિ ઋષિના તેઓ મામા થાય. જમદગ્નિ ઋષિના માતા સત્યવતી અને વિશ્વામિત્ર બંને ગાઘી રાજાના સંતાનો હતા.

*5.ગૌતમ ઋષિ*
ગૌતમ ઋષિને ન્યાયશાસ્ત્રના પંડિત કહેવામાં આવે છે. રસાયણ વિજ્ઞાન સહિતના જુદા જુદા વિષયોના તેઓ જ્ઞાતા હતા. એમના દીકરી અંજની એટલે હનુમાનજીના માતા. આમ ગૌતમ ઋષિ હનુમાનજીના નાના થાય.

*6.જમદગ્નિ ઋષિ*
તેઓ રુચિક ઋષિના પુત્ર હતા. વિશ્વામિત્રના બહેન સત્યવતીના સંતાન એટલે વિશ્વામિત્ર ઋષિના ભાણેજ થાય. માતા સત્યવતી તેઓને તપસ્વી બનાવવા માંગતા હતા પરંતુ તેનામાં ક્ષત્રિય જેવા શૂરવીરના લક્ષણો હતા. ભગવાન પરશુરામ એમના પુત્ર હતા.

*7. ભરદ્વાજ ઋષિ*
ભરદ્વાજ ઋષિ યંત્ર વિજ્ઞાનના નિષ્ણાત હતા. તેઓએ લખેલા 'વૈમાનિકમ્' નામના ગ્રંથમાં વિમાન બનાવવાની પદ્ધતિનું વિગતવાર વર્ણન કરેલ છે. 'યંત્ર સર્વસ્વમ' નામના ગ્રંથમાં યંત્રોના વિજ્ઞાનની વાતો લખી છે. ભરદ્વાજ ઋષિના પુત્ર દ્રોણ કૌરવો અને પાંડવોના ગુરુ હતા.

🌿🕉️👏ઋષિપંચમીના પાવન પર્વે આ સપ્તર્ષિ સહિત આપણાં દિવંગત પૂર્વજોના ચરણોમાં પ્રણામ.🌿🙏🙏🙏

*कश्यपोत्रिर्भदाजो* *विश्र्वामित्रोय गौतम:* *जमदग्निर्वसिष्ठश्र्व* *सप्तैते ऋषय: स्म‌ता:*
*दहंतु पापों सर्व* *गृह्मन्त्वधर्य नमो नमः*||
ઋષિ પાંચમ ભાદરવા સુદ
પાંચમના દિવસે આવે છે. આ દિવસે સાત ઋષિઓની
પૂજા કરવામાં આવે છે.સાથે માતા અરુંધતી ની પંપૂજા કરવામાં આવે છે.
ઋષિ પાંચમ પાંચમની તિથિએ શા માટે? એની પણ કથા છે.
પૌરાણિક કથા મુજબ રજસ્વલા સ્ત્રીઓએ ચાર દિવસ ઘરકામ ન કરવું જોઈએ.સ્ત્રીઓથી થએલા
જાણ્યા અજાણ્યા આ દોષને નિવારવા "ઋષિ પાંચમ", કરવામાં આવે છે.
આમ વ્રત વડે ઋષિઓના ઉપકારોનું ઋણ ચૂકવવાનો અવસર એટલે *ઋષિ પાંચમ*.
આ ઋષિપાંચમ ને *સામા પાંચમ* પણ કહે છે.
કેમકે સામો એ ખડધાન છે.
અર્થાત્ ખેડયા વગરનું ધાન.
આ દિવસે ખેડૂતો કામ કરે પણ ઓજાર વાપર્યા વિના.
આજના દિવસે ઉપવાસ કરાય છે યા સામો રાંધીને ખવાય છે.જે ધરતી માતાને પ્રસાદ તરીકે ધરીને ખવાય છે.
આમ આજના દિવસનું મહત્વ ખાસ કરીને સ્ત્રીઓ માટે વધારે છે માટે સ્ત્રીઓએ તો ખાસ *ઋષિ પાંચમ*, *,સામા પાંચમ*
કરવી જોઈએ.
નિશા એચ શુક્લ .🙏🏼

Photos from Harekrushna Vidhyalaya's post 23/08/2025

હરેકૃષ્ણ વિદ્યાલય💥💥
*
#વાલી_મીટીંગ_2025_26*📝📝
to 12
🟨 * #બાળકેળવણી_વ્યાખ્યાન.*🤷🤷🤷
🟩 * #વાલી_પ્રતિભાવ.*👭👭
🟦 * #બાળ_ઘડતર.*💁💁💁
🟪 * #શિસ્ત_સંસ્કારની_વાતો.*🧑‍🏫🧑‍🏫🧑‍🏫
⬛ * #વાલીના_પ્રતિભાવો.*🧏🧏🧏
🤝 * #શિક્ષક+ #વિદ્યાર્થી+ #વાલી= #શિક્ષણમાં_સફળતા.*
*"શિક્ષક વિદ્યાર્થી અને વાલીનો ત્રિવેણી સંગમ એટલે
#વાલી_મીટીંગ".*🙋🙋🙋
🧑‍🏫🧑‍🏫
🙎🙎
💁💁
🙋🙋
🤷🤷
📚📚
📋📋📋
📠📞☎️📱

Photos from Harekrushna Vidhyalaya's post 14/08/2025

🙏🙏🙏જન્માષ્ટમી મહોત્સવ🙏🙏🙏
તારીખ- 14/08/25, ગુરૂવાર
#નંદ_મહોત્સવ
#કૃષ્ણ_જન્મોત્સવ
#કૃષ્ણ_રાસોત્સવ
#રાસલીલા
# હરેકૃષ્ણ વિદ્યાલય.... 👍👍👍
🌺🌺મારો શ્યામ આવે છે, ઘનશ્યામ આવે છે,🌺🌺
🌼🌼મથુરાની જેલમાંથી ગોકુળ આવે છે, 🌼🌼
🦚🦚વસુદેવજીના શિરે બીરાજી રંગ જમાવે છે.🦚🦚
🕉️"નંદ ઘેર આનંદ ભયો,જય કનૈયા લાલ કી,🕉️
🕉️હાથી ઘોડા પાલખી,જય કનૈયા લાલ કી."🕉️
શ્રાવણ વદ અષ્ટમીની 🌺🌺🌺મધ્યરાત્રિએ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રીહરિએ 🪗🪗🪗શ્રીકૃષ્ણ રૂપે અવતાર લઈ ભક્તોને પોતાની મધુર લીલાં 🪔🪔🪔દ્વારા પ્રેમ અને આનંદનું દાન કર્યું. 🎺🎺🎺તેની સાથે દુષ્ટ દાનવોનો સંહાર કરી ભૂભારહરણ પણ કર્યું. 🌹🌹🌹ભગવાન શ્રીકૃષ્ણ સચ્ચિદાનંદ સ્વરૂપ છે.🏵️🏵️🏵️
🙏🙏🙏 કૃષ્ણ કહે છે.....🙏🙏🙏
🍀🍀વાસુદેવ તારે વમળમાં ચાલવાનું છે, 🍀🍀
🎉🎉મન મારી પાસ ને ટોપલું ઝાલવાનું છે.🎉🎉
🌿🌿વરસાદ, વાવાઝોડું જમનાના છે જળ,🌿🌿
🌸🌸 ત્રિલોકનાથનું તેજ લઈ ચાલવાનું છે
🎈🎈હાથકડી હાથે પગમાં બેડી બંધ જે
🧉🧉અંધારું અવિનાશી ને આલવાનું છે.🧉🧉
🍫🍫દુઃખ છે દેવકીનું વેદના વાસુદેવ તારી 🍫🍫
🎊🎊ચિતચોરને ચોરી ચૂપચાપ ચાલવાનું છે. 🎊🎊
🕉️🕉️ઉપાડ આંગતુક ને ચાલ નંદના નેસડે,🕉️🕉️
🍁🍁ત્રિલોકનુ તેજ લઈ 'અમૃત' ચાલવાનું છે.🍁🍁
હિન્દુ કેલેન્ડર મુજબ સવિશેષ મહત્વ💐💐💐 ધરાવતા એવા જન્માષ્ટમી પર્વ નિમિત્તે કૃષ્ણ વસુદેવ આગમન ,🌹🌹🌹 પંચો-પચાર પૂજા વિધિ,🥁🥁🥁 હાલરડું, વિવિધ ડાન્સ તેમજ સૌથી 🎹🎹🎹આકર્ષણનું કેન્દ્ર દહીં હાંડી જેવા પ્રોગ્રામો🪘🪘🪘 થયા જેમાં શાળાના સંચાલકશ્રી, 🪈🪈🪈આચાર્યશ્રી એ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો કર્યો.🦚🦚🦚
શ્રીકૃષ્ણનો જન્મ તે 🪘🪘🪘માત્ર જન્મ નથી પરંતુ તે એક અવતાર 🎇🎇🎇છે કે ભગવાન માનવરૂપે જન્મી જે જગતમાં અચિંત્ય 🌺🌺🌺અને અશક્ય તેવા કાર્યો કરી જ્ઞાન-ભક્તિ 🌹🌹🌹અને કર્મનો જીવંત ઉપદેશ આપી ગયા છે.🌼🌼🌼
🦚🦚🦚"कृष्ण जिनका नाम,🦚🦚🦚
🏵️🏵️🏵️गोकुल जिनका धाम,🏵️🏵️🏵️
🌼🌼🌼ऐसे श्री कृष्ण भगवान को🌼🌼🌼
🌺🌺🌺हम सब का प्रणाम"🌺🌺🌺

Want your school to be the top-listed School/college in Surat?

Click here to claim your Sponsored Listing.

Location

Telephone

Address


Surat