Garbh Sanskar book & workshop- for pregnant mothers

Garbh Sanskar book & workshop- for pregnant mothers

Share

wwwTheGarbhSanskar.com
www.youtube.com/nilesh459602

Book, Medicine, Workshop, Consultancy for
Plann I am Consultant Gynaecologist from Surat,Gujarat,India.

I have published
Garbh Sanskar book- Gujarati & Hindi,
Bal Sanskar Book- Gujarati - for parent
you can see on www.thegarbhsanskar.com

I am Conducting
Garbh Sanskar Workshop- from 2004. you can see its highlights on www.youtube.com/nilesh459602 & www.youtube.com/drnileshpatel

I have developed
Two medicine for Brain & Eye Development of Child. "First Gift" specially designed for Brain & Eye d

Photos from Garbh Sanskar book & workshop- for pregnant mothers's post 25/03/2022

જેમ દરેક માણસ અનન્ય છે, અલગ છે
તે જ રીતે દરેક va**na ( યોનિમાર્ગ )
મૂળભૂત નોર્મલ રેન્જ માં જ... દરેક યોનિ ની સાઈઝ, શેપ અને કલર.... આ ત્રણેયમાં થોડો થોડો બદલાવ કે અલગતા કે અનન્યતા હોય છે... એટલે સરખામણી અયોગ્ય છે.

સામાન્ય કસરત... va**na ( યોનિ) ને શેપમાં / આકારમાં રાખવામાં મદદ કરે છે... પણ વધુ ઊંડાણ માં જોઈએ તો... સમાન્ય કસરત ઉપરાંત પેલ્વિક ફ્લોર કસરત વધુ મદદ કરે છે. સામાન્ય કસરતનું પણ મહત્વ છે અને પેલ્વિક ફ્લોર કસરતનું પણ પોતાનું મહત્વ છે.

આ પેલ્વિક ફ્લોર કસરત અને એમાં પણ ખાસ કરીને કિગલ કસરત કે kegel exercise મુખ્યત્વે કીમતી છે.... જેના વિશે વધુ આપ આપના ગાયનેકોલોજિસ્ટ અથવા ફિઝિયોથેરાપીસ્ટ... પાસેથી ઉંડાણપૂર્વક સમજી શકો.

જો કે તેના પ્રેક્ટિસ સેશન... ફિઝીયો લેતા હોય છે અને ફિઝીયો તેમાં એક્સપર્ટ હોય છે... અને એમાં પણ BPT ( bachelor of physio therapy ) કરતા પણ MPT ( master of physiotherapy - pre & post natal ) ... વધુ વિશેષજ્ઞ હોય છે.

..
..

યોનિમાર્ગનો સ્ત્રાવ... દરેક સ્ત્રી અને દરેક છોકરીને થાય જ અને એ સામાન્ય છે અને કુદરતી રીતે જ થતો રહેતો હોય છે અને એ સ્ત્રાવને કારણે જ યોનિમાર્ગ ચોખ્ખો, થોડો ભીનો રહેતો હોય છે અને તેના કારણે ચેપ નાં લાગે તેવી એક કુદરતી ગોઠવણ હોય છે.

સૌથી વધુ સહજીવી બેક્ટેરિયા માનવશરીરમાં... પેટના આંતરડા પછી બીજા નંબરે... યોનિમાર્ગમાં રહેતા હોય છે અને જેને કારણે યોનિમાર્ગની pH એસિડિક કે 4.5 થી નીચે રહેવામાં ફાયદો થતો હોય છે અને જેને કારણે યોનિમાર્ગમાં હાનિકારક બેક્ટેરિયા ચેપ લગાવી શકતા નથી... આમ સહજીવી બેક્ટેરિયા અને યોનિમાર્ગ ની સ્ત્રાવ... નોર્મલ છે... ઉપયોગી છે... કીમતી છે.

નોર્મલ યોનિમાર્ગ ના સ્ત્રાવની
કોઈ ખૂબ સ્ટ્રોંગ અને ખરાબ ગંધ આવતી નથી
તે ચોખ્ખો કે પારદર્શક સ્ત્રાવ હોય છે
તે માસિકસ્રાવ નાં અમુક દિવસોમાં thick & sticky હોય છે
જ્યારે અમુક દિવસો દરમ્યાન wet & slipeery હોય છે.

જો યોનિમાર્ગમાં ખંજવાળ આવતી હોય તો અથવા
યોનિમાર્ગ નાં સ્ત્રાવની સ્ટ્રોંગ અને ખરાબ ગંધ આવતી હોય તો
ગાયનેકોલોજિસ્ટ ડોકટર પાસે તપાસ અને દવા કરાવવી જરૂરી છે.

અથવા
સફેદ ફોદા ફોદા કે સફેદ ચીઝ... જેવો સ્ત્રાવ આવતો હોય કે
પીળા કે લીલા કલરનો અને ફીણ ફીણ જેવો સ્ત્રાવ આવતો હોય તો અથવા ફિશ જેવી ગંધ આવતી હોય તો.... એટલે કે આમાંથી કોઈ પણ કેસમાં... ગાયનેકોલોજિસ્ટ ડોકટર પાસે તપાસ કરાવવી અને તેમની સલાહ અનુસાર દવા કરાવવી જરૂરી છે.

..
..

યોનિમાર્ગ નો સ્ત્રાવ... નેચરલ વોશ નું કામ કરે છે
બીજું ત્યાં અંદર રહેતા સહજીવી બેક્ટેરિયા પોતાની મોટી જમાત ત્યાં બનાવે છે એટલે હાનિકારક પ્રકાર ના બેક્ટેરિયા ત્યાં પોતાનું રહેઠાણ બનાવતા અટકાય છે... ઉપરાંત આ સહજીવી બેક્ટેરિયા પોતાના સ્ત્રાવથી યોનિમાર્ગની અંદર પેદા થતી એક એસેડિક ph જાળવી રાખવામાં મદદરૂપ બને છે... આ ત્રણેય...

ઉપરાંત
આ સહજીવી બેક્ટેરિયા જે નેચરલ એન્ટી બાયોટિક bacteriocins (naturally occurring antibiotics) ઉત્પન્ન કરે છે તે હાનિકારક બેક્ટેરિયા ને મારે છે

અને પાંચમું
આ સહજીવી બેક્ટેરિયા એક એવો પદાર્થનો સ્ત્રાવ કરે છે કે જેથી હાનિકારક બેકટેરિયા યોનિમાર્ગની દીવાલને ચોંટી શકતા જ નથી અને એટલે પણ ત્યાં એટલે કે યોનિ/ va**na ને... ચેપ કે ઇન્ફેક્શનથી ( infection) લાગતું નથી અને આવી કુદરતી જ વ્યવસ્થા છે.

એટલે યોનિ ની અંદર કશું પણ નાખીને તેને અંદરથી સાફ કરવાની કોઈ જરૂર નથી.. એ અંદરથી સાફ થતી રહે તેવી કુદરતી જ વ્યવસ્થા છે.

ત્યાં યોનિમાર્ગ આસપાસ... રોઝ / સ્ટ્રોબેરી કે... કે કોઈ પણ ફ્લેવર્ડ નાં સુગંધ ના સ્પ્રે કે સુગંધિત wipes/ સુગંધિત જેલ / એન્ટીસેપ્ટિક સોલ્યુશન / પરફ્યુમ યુક્ત સાબુ કે va**nal wash કે va**nal deodorant.. કશા ની જરૂર નથી... જો જરૂર હોત તો કુદરત જ આપત...એટલે માર્કેટિંગ ની જાળ માં ફસાવવું નહિ...તે ઉલટું એલર્જી અને નુકશાન પહોંચાડી શકે છે.

નોર્મલ દિવસમાં એક વખત યોનિમાર્ગની બહાર નો એરિયા એટલે કે v***a ફકત સાદા પાણીથી કે સાદા સાબુથી...બહારથી જ સાફ રાખવો... અને માસિક સ્ત્રાવ વખતે... જરૂર પ્રમાણે પણ ફકત બહારથી જ સાફ કરવો...ને બીજું ખાસ મળ માર્ગ ( a**s) આસપાસનો વિસ્તાર વ્યવસ્થિત સાફ રાખવો... અને ફકત બહારથી જ સાફ રાખવો.

...
...

ઓફિશ્યાલ સેકસ એજયુકેશનની ભારતમાં ખૂબ કમી છે.
સેકસ therapist ખૂબ જ ઓછા છે
અને
બની બેઠેલા સેકસ એજયુકેટર પાસે મોટા ભાગના ( 90 ટકા ) કેસમાં કોઈ સ્ટાન્ડર્ડ ડિગ્રી જ નથી !!

એક તો
સેકસ થેરાપિષ્ટ ભારતમાં ભાગ્યે જ છે અને બીજું ગાયનેકોલોજિસ્ટ અને સાયકિયાટ્રિસ્ટ પાસે આવો સમય નથી !! અને ત્રીજું લોકો પણ આવા સ્ટાન્ડર્ડ ડોકટરને પૈસા ચૂકવીને સલાહ લેતા નથી !!... જાણીતા ડોકટરને આવું પૂછવું કેમ ?! ... એટલે લેભાગુઓ..... .... .... ડિગ્રી વિનાના.....

બની બેઠેલા સેકસ થેરાપિષ્ટ માંથી અમુક... .... ......
આયુર્વદનાં નામ ઉપર.... ધતિંગ કરે... અને ઓરીજીનલ આયુર્વેદને બદનામ કરે... ... ... અમુક.... ..વગર ડીગ્રીએ.... ઓનલાઇન નો ઉપયોગ / દુરુપયોગ કરે.... .

મૂળે લોકોની સંકુચિતતા / એજ્યુકેશન નો અભાવ / અથવા એજ્યુકેશન છે તો પણ... અમુક ઘરો માં / વિસ્તારમાં / શહેરમાં / સમાજમાં....અનેજ્યુકેટેડ નું જ ચાલે તેવો માહોલ છે !! એટલે અજ્યુકેટેડ હોવ છતાં... ....

ઉપરાંત
લોકો સેક્સ એજ્યુકેશન માટે પૂછતાં પણ ગભરાય કે સંકોચાય અને સ્કૂલોમાં પણ સેક્સ એજ્યુકેશન .... ..... ...

06/04/2021

મોટર
ખૂબ જ આશ્ચર્ય સમાન છે !!
કેમ કે, ડીઝલ / પેટ્રોલ એ કેમિકલ છે
અને ઈલેક્ટ્રીસીટી પણ મિકેનિકલ એનર્જી નથી !!

અને મોટર
સીધી જ કેમિકલ / ઇલેક્ટ્રિક એનર્જીને
મિકેનિકલ એનર્જી માં ફેરવી કાઢે છે !!

અને
ફકત
સ્વીચ ઓન કરો એટલે
ગાડી ચાલવા માંડે કે મોટર પાણી ચડાવવા માંડે !!

એ કેમ થાય છે
તે પ્રોસેસ આપણને દેખાતી નથી...
પણ વિજ્ઞાન સમજાવે છે એટલે સમજાય છે
અને તે જ પ્રમાણે બધું થાય છે!!

.
.

આવી જ રીતે
આપણા માટે વૃક્ષ પણ આશ્ચર્ય છે !!!
ફકત હવા, પ્રકાશ અને પાણીમાંથી...આખો ઘટ્ટ કે ઘન ખોરાક બનાવે !!

આપણે માટે
પ્રકાશ સંશ્લેષણ પણ આશ્ચર્ય જ છે.
કેમ કે,
આપણને સતત સંશ્લેષિત થતો કે સંગ્રહિત થતો સૂર્યપ્રકાશ દેખાતો નથી...અને... roots કે મૂળ જમીનમાંથી પોષક તત્વો કેવી રીતે શોષે છે તે પણ દેખાતું નથી

અને
વૃક્ષ સીધું જ ....પ્રકાશને.... સંશ્લેષિત કરે !!
અને પ્રકાશને પદાર્થમાં ફેરવી કાઢે !!
અને
મૂળ કે roots... જમીનમાંથી પોષક તત્વો શોષી લાવે
અને ફળ કે ખોરાકમાં ફેરવી કાઢે !!

આ બંને ઘટના...બંને ઘટના લગભગ...લગભગ
આશ્ચર્ય સમાન જ છે !!

કેમ કે,
તમને ના તો સૂર્યપ્રકાશ... સીધો જ પદાર્થમાં ફેરવાય જાય તે દેખાય કે અનુભવાય કે.... ન તો પોષક તત્વો roots દ્વારા શોષાય તે નરી આંખે દેખાય....અને જ્યારે પણ દેખાય ત્યારે હંમેશા એક ફળ જ તમારી સામે હોય !!!

વિજ્ઞાન જ
આપણને સમજાવે કે ત્યાં વચ્ચે શું થાય છે
અને એને શું શું અસર કરે છે.
અને
આપણે તે વિજ્ઞાનને ફોલો કરવું જ પડે !!
જાણે કે અજાણે !!
..
..

આવી જ રીતે
Genetic expression
કે જનીન અભિવ્યક્તિ પણ એક આશ્ચર્યજનક ઘટના છે
વચ્ચેનું કશું જ ના દેખાય...સીધું જ છેલ્લું બાળક દેખાય અને delivered થાય !!

જે રીતે પ્રકાશ સંશ્લેષણ થી પ્લાન્ટ ખોરાક બનાવે
તે જ રીતે જનીન અભિવ્યક્તિ થી બાળક ગર્ભાવસ્થામાં બને

જ્યારે બાળક ગર્ભમાં રચાતું / બનતું/ સર્જાતું/ આકાર લેતું હોય છે ત્યારે... gene expression... ( જનીન અભિવ્યક્તિ) સતત ચાલતું હોય છે.

બાળકને મળેલા માતાપિતાના જનીન
ગર્ભાવસ્થામાં અભિવ્યક્ત થવા માંડે

જનીન લાઈવ છે...જીવંત છે
અને તે environment
પ્રમાણે સતત ગતિશીલ કે ક્રિયાન્વિત હોય છે.

Genetic Expression
શરૂ થાય એટલે....
માતાના શરીરમાં સતત ફરતા પોષક તત્વો નો... ઉપયોગ થાય એટલે પ્રોટીન સ્ટ્રકચર બને.... અને એ પ્રોટીન સ્ટ્રકચર માંથી ધીરે ધીરે આખું....અલાયદું જ અસ્તિત્વ ધરાવતું....આખું બાળક બને !!

જે રીતે
પ્રકાશ સંશ્લેષણ, જમીનમાંથી પોષક તત્વો નું શોષણ અને કાર્બન ડાયોક્સાઇડ... આ બધું ભેગુ મળીને....સુનિયોજિત રીતે ભેગુ મળીને... સંઘટિત થઈને...સુવ્યવસ્થિત રીતે સંયોજાય ને.... એક આખું ફળ કે ખોરાક બનાવે

તે જ રીતે
માતા-પિતાના જનીન
અને
માતાના શરીરની ક્ષમતા / physicAl capacity
માતાની માનસિક ક્ષમતા / mental ability
માતાની પોષણ ક્ષમતા- સ્થિતિ/ nutritional status
માતાની સંવેદના / લાગણી
માતાની સંવેદનશીલતા
માતાની ચયાપચય ક્ષમતા - સ્થિતિ / metabolic status
માતાની આસપાસનું વાતાવરણ,.. ઝીલાયેલ વાતાવરણ કે અર્થઘટન.... વગેરે જનીનની અભિવ્યક્તિને અસરકર્તા....દરેક ફેક્ટર...સંયોજાયને...સુઘટિત થઈને... સુનિયોજિત થઈને...એક આખું બાળક બનાવે

ના તો આપણને પ્રકાશ સંશ્લેષણ દેખાય કે
ના તો આપણને gene expression દેખાય !!
બંને અંદૃષ્ય જ રહે પણ બંને અસરકર્તા જ રહે અને ફળ/ બાળક રચાય...તેના વૈજ્ઞાનિક નિયમોનુસાર !! અને આપણે તેને અનુસરવા જ પડે!!
..
.

પણ
આપણે
આ બધા એટલે કે

માતાની શારીરિક ક્ષમતા અને ચયાપચય ( Physical capacity, maternal metabolism, maternal metabolic status & metabolomics)

માતાના શરીરમાં સંગ્રહાયેલા અને લોહીમાં વહેતાં પોષક તત્વો (NutritionAl status & Nutrigenomics),

માતાના શરીરમાં હૃદયમાં વહેતાં વિચારો અને લાગણીઓ ( Environment & perception of environment by mother, emotions to hormones, emotions to maternal biochemistry )...

exercise and exercise metabolomics

જનીન ની અભિવ્યક્તિ ( કે genetic expression)
ને અસરકર્તા ફેકટરને ગણતા જ નથી કે સતત અવગણીએ છીએ !!

.
.

બાળકની ગર્ભાવસ્થામાં રચના...આં બધા ઉપર આધારિત છે
અને આપણે ફકત ડોકટરને બતાવીને / દવાઓ લઇને જ ખુશ થઈ છીએ પણ તેનો મતલબ એવો નથી કે દવાઓ જરૂરી નથી...પણ દવાઓ ઉપરાંતનું... દવાઓ સિવાયનું... બીજું બધું પણ ઘણું બધું જરૂરી છે અને તે બધાનું યોગ્ય રીતે સંયોજાવું /સમન્વિત થવું/ સુઘટિત થવું જરૂરી છે / કીમતી છે / ઉચિત છે !!

આ વૈજ્ઞાનિક ગર્ભસંસ્કાર છે !!

આખી antenatal care કીમતી છે
પણ ફકત antenatal care જ કીમતી નથી
fetal medicine...તેનાથી પણ આંતરિક છે/ અંદરનું છે/ ગહન છે / કીમતી છે... ઉપયોગી છે.

અને ફકત
એલોપેથીક દવાઓ જ ઉપયોગી નથી
પણ આયુર્વેદિક શરીર મન શુદ્ધિકરણ પણ કીમતી છે.

પણ
ફકત
આયુર્વેદિક શરીર શુદ્ધિકરણ, હોમ હવન અને શ્લોક જ...ગર્ભસંસ્કાર નથી... બીજું પણ સાથે ઘણું ઉમેરવું પડે છે...
અને તે નથી તેવું પણ નથી !

ફિઝિયોથેરાપિસ્ટ... ફકત ફિઝિકલ બોડી ને જાણે
તે ગર્ભસંસ્કાર ના રથનો એક ભાગ છે અને આખો રથ નહિ !!

આખો રથ...ગર્ભસંસ્કાર નો આખો રથ
ઘણા બધા ભાગ / વિજ્ઞાન અને વિજ્ઞાનો ની બ્રાંચથી બને !!!
તેના સુનીયોજન થી બને, સુમિશ્રિત થવાથી બને, સંયોજાવાથી બને.... જેમ બાળક કે માણસ પણ ઘણા બધા ભાગ કે ઓર્ગન કે સિસ્ટમ કે તંત્રથી બને !!!

માતાના શરીરમાં સંગ્રહિત થયેલા અને લોહીમાં સતત વહેતા
પોષક તત્વો ફકત બાળકનું શરીર બનાવવા માટેના પદાર્થ માત્ર કે મટીરીયલ માત્ર નથી... પણ એ જનીન અભિવ્યક્તિ ને પણ ખૂબ સારી રીતે અસરકર્તા છે.

અને
maternal nutrigenomics... જ ફકત
જનીન અભિવ્યક્તિને ખૂબ જ અસર કર્તા નથી... પણ... maternal metabolimics પણ એટલું જ કીમતી છે.

વૈજ્ઞાનિક ગર્ભસંસ્કાર આં બધાનું સમુચિત સંમિશ્રણ છે.
અને એ જ આફ્ટર ઓલ...બાળક રચવાની/ બનવાની/ સર્જવાની/ સંયોજાવાની પ્રક્રિયા છે... બાકી બધું ફકત ડિલિવરી સુધીની રાહ છે !!

02/03/2021

વર્ષો પહેલાં
ગુજરાતમાં મે ગર્ભસંસ્કાર
એવા concept ને એટલા માટે જન્મ આપેલો કે
ભારતની સંસ્કૃતિ પણ જળવાઈ રહે અને વિજ્ઞાનનો પણ લાભ મળે.

ખાસ તો, વિજ્ઞાન નો લાભ લોકો ને વધારે મળે
એ એનો ઉદ્દેશ હતો, જે સાર્થક પણ થયો
પણ... હજુ પણ... લોકોને ધર્મ અને સંસ્કૃતિ વાળા ભાગમાં જ વધારે રસ હોય તેવું લાગે છે!!.. વિજ્ઞાન વાળા ભાગમાં કે ક્વોલિટી સુધારતા ભાગમાં જોઈએ તેટલો રસ નથી !!

કેમ કે,
આવા અને આજના જમાનાના
વૈજ્ઞાનિક ગર્ભસંસ્કારમાં...સૌથી વધુ સારો અને સાચો રોલ
અને સૌથી વધુ સારો અને સાચો લાભ તમને એક મોતિવેટેડ ગાયનેકોલોજિસ્ટ જ અપાવી શકે.
..
..

એજ રીતે
અત્યાર સુધી ભારત અને આખા એશિયામાં
પ્રથમ સગર્ભાવસ્થા નો શ્રીમંત સંસ્કાર પછી નો પીરીયડ પિયરમાં,
પ્રથમ પ્રસૂતિ અને પ્રસુતિ પછી નો...દોઢ કે બે-ત્રણ મહિના જેવો ગાળો પિયરમાં જ વિતાવવાની એક સંસ્કૃતિ હતી.

કારણ કે,
સાતમા મહિને બાળક viable થઈ જાય
એટલે કે અગર, હવે ડિલિવરી થઈ તો બહારના જગતમાં જીવવા/ ટકી શકવા/ બચી શકવા સક્ષમ છે... એટલે કે બીજા શબ્દોમાં તમે શ્રીમંત થઈ ગયા/ secure થઈ ગયા એટલે

બીજું કે ત્યાર પછીનો પિરિયડ
બાળકના ગર્ભમાં જ વિકાસ... પૂરતાં વિકાસ માટે...ખાસ કીમતી છે... એટલે કે આખી ટર્મ કે પુરા નવ મહિના બાળક માતાના પેટમાં વિતાવે અને... ટર્મ પછી જ જન્મ લે તે ખાસ કીમતી છે.

કેમ કે અધૂરા મહિને જન્મેલા બાળકને
કાચની પેટીમાં પણ રાખવું પડે અને એના બીજા પણ ઘણા બધા કોમ્પ્લિકેશન પેદા થતા હોય છે... જે બાળકને માટે ઘણા નુકસાનકારક છે.

એટલા માટે શ્રીમંત સંસ્કાર પછીથી પિયર જવાની એક રીત કે રૂઢિ કે પ્રથા હતી / છે.

પરંતુ હવે ફેમિલી ઓ મોટેભાગે ન્યુક્લિયર થઈ ગયા છે
અને migration... રાજ્યમાં જ કે આંતરરાજ્ય કે આંતરદેશીય ઘણું બધું થયું એટલે હવે ખાસ તો પ્રસૂતિ પછીની કેર કે સાચવણ
અને mothering the mother કે forth trimester મા માતા ની માતા નો કામ આવતો અનુભવ એ ભૂતકાળ થવા માંડ્યો છે

અને સામે વૈજ્ઞાનિક અને પ્રોફેશનલ સારવાર...
એક પેઇડ સર્વિસ ના રૂપે આપતા
અને
જૂની ટ્રેડિશન કરતાં વધુ વૈજ્ઞાનિક અને સુવિધાસભર રીતે આપતા postnatal કેર સેન્ટર...કે જેમાં વિજ્ઞાન અને સંસ્કૃતિ બંનેનો મેળાપ છે એવા સેન્ટરો વિકસી રહ્યા છે.
..
..
આ બાબતે કોરિયા, સિંગાપુર, ઓસ્ટ્રેલિયા, યુ.એસ.એ અને યુરોપમાં ઘણું બધું એડવાન્સમેન્ટ થઈ ચૂક્યું છે અને એમાં એશિયા ની સંસ્કૃતિ કે ટ્રેડિશન અને વિજ્ઞાનનો ખૂબ જ સારો એવો મિલાપ કરેલો છે.

એટલે સુધી કે,
હવે લગભગ 90 ટકા જેટલા કોરિયન સગર્ભા માતા આવા સેન્ટર નો લાભ ઉઠાવે છે, એ ત્યાં હવે માહોલ છે કે માર્કેટ છે કે સંસ્કૃતિ છે...અને ત્યાં 20 વર્ષથી આવી સંસ્કૃતિ કે રીતરસમ છે.
..
..
તાર્કિક રીતે પણ, એ વધુ સુવિધાજનક છે કેમકે તાજી જ જન્મેલી માતાને પણ નવા જન્મેલા બાળકની સંભાળ નો અનુભવતો હોતો નથી વૈજ્ઞાનિક રીતે પણ... WHO પ્રમાણે પણ બાળક અને માતા ના સૌથી વધુ મોત અને પોસ્ટ પાર્ટમ્ ડિપ્રેશન પણ આં પહેલા છ અઠવાડિયામાં જ મોટે ભાગે થતાં હોય છે... અને ખાસ વધુ સારી સારસંભાળ અને સારવાર માટે જ તો 6 મહિનાની મેટરનલ લીવ અને 15 દિવસની પેતરનાલ લીવ પિતાને મળે છે....હવે લગભગ લગભગ બધા જ દેશોમાં આવો નિયમ જ છે !!

એટલે આ સમયનો વધુ સારો ઉપયોગ કરીને, વિજ્ઞાનની સાથે, ફાસ્ટ જમાના સાથે, બદલતા સમય સાથે અને સુખ સુવિધાના વિકાસ સાથે... આવી સુવિધા... મેળવવી કે આપવી...એ સમયની જરૂરિયાત છે... અત્યારનો સૌથી સારો વિકલ્પ છે.

જેમ
urbanisation અને migration
ને કારણે...સિનિયર સિટીઝન હાઉસિંગ...એ હવેના ભારતમાં રિયાલિટી છે, જરૂરિયાત છે, સચ્ચાઈ છે....તેવી જ રીતે...આં પોસ્ટ નેટલ સેન્ટર અને બેબી કેર સેન્ટર પણ ભવિષ્યની રિયાલિટી જ છે.

ઉપરાંત
જે રીતે ઓપરેશન / રોગ / હોસ્પિટલ સ્ટે...પછીની સાચવણ માટે... આજના અમેરિકા, યુરોપ, ઓસ્ટ્રેલિયા... ... વગેરેમાં...હોસ્પિટલમાંથી રજા પછી...આં માટે ખાસ બનાવેલ rehabilitation સેન્ટર છે...જે પણ આજ અને આવતી કાલના ભારતની જરૂરિયાત છે....

તેના અલગ અલગ ભાગ સમજીએ તો... ... ...

1). ઘુટણ અને થાપાના રિપ્લેસમેન્ટ પછી...15 દિવસ થી માંડીને 1 મહિના સુધી... જરૂરી કસરત સાથેની સારસંભાળ Ortho rehabilitation... હવે ઘેરે કરવું અઘરું પડશે.

2). કોવિડ પછીનું... respiratory rehabilitation
પણ ઘેરે તકલીફ દાયક અને એટલું વૈજ્ઞાનિક નથી બનતું

3). હાર્ટ એટેક / એન્જીયો પ્લાસ્ટી / બાયપાસ પછીનું
cardio rehabilitation... Pan વૈજ્ઞાનિક રીતે તો જરૂરી જ છે.

4). કોઈ લાંબા હોસ્પિટલમાં રોકાણ પછી અને લાંબાગાળાના રોગોમાં લાઇફસ્ટાઇલ સુધારવા માટેનું general rehabilitation... પણ જમાના સાથે, સુવિધા ભોગવવા માટે જરૂરી છે.

5). સ્ટ્રોક અને બ્રેઇન સર્જરી પછી નું ન્યુરોરિહેબ તો
ખાસ જરૂરી અને હકીકત જ બનશે.

આ બધા આજની અને ખાસ તો આવતી કાલની ભારતની જરૂરિયાત છે, સચ્ચાઈ છે, સુવિધા છે, વધુ સારી વાત છે... જેમાં મેડિકલ ટીમ, પેરમેડિકલ સ્ટાફ, સોશ્યલ વર્કર... બધા જ હશે.

..
..

આજ રીતે આવતીકાલના Rejuvenation Center ke ( સામાન્ય લોકોમાં હેલ્થ સર્વિસ સેન્ટર તરીકે પ્રખ્યાત) પણ...ફકત જૂના વિજ્ઞાન કે સંસ્કૃતિ ઉપર જ આધારિત નહિ હોય ...અને તેમાં પણ... નેચરો પેથી, આયુર્વેદ ની સાથે મોડર્ન વિજ્ઞાન કે એલોપથી નો ખાસ ઉપયોગી અને કીમતી ટચ કે સ્પર્શ હશે... જે 21 મી સદીના લોકો માટે ખાસ ઉપયોગી બની રહેશે

27/02/2021

20 વર્ષ પહેલાં ભણેલાને
Epi+genetics શું છે એ ખબર જ નથી

જો કે
આજે પણ 2021માં, ભારતમાં ભણતી નવી પેઢીને
12 સાયન્સ ના પુસ્તકમાં પણ
Epi+ genetics વિશે સમજણ નથી આપતા !!

પણ
2006 અને 2012 નું
નોબેલ પ્રાઈઝ epigenetics ના વિકસતા ફિલ્ડ ના સિદ્ધાંતોને જ મળેલ છે.

Epigenetics એટલે
Epi એટલે ઉપર
અને genetics એટલે જનીન
જનીનની પણ ઉપર એટલે એપીજીનેતિક્સ

2004માં
જ્યારે મે ગર્ભસંસ્કાર ના પ્રોગ્રામ શરૂ કર્યા ત્યારે
અને જ્યારે APPAH - કેનેડા એ મારા કાર્યની સારી એવી નોંધ લીધી અને ત્યારે તો Epi+ Genetics વિશે ભારતમાં કશું જ પણ ચર્ચામાં ના હતું

જો કે આજે પણ ભારતમાં કે ગુજરાતમાં
એની ચર્ચા કે એના વિશે લોકોને વિશેષ ખ્યાલ નથી !!
..
.
પહેલા લોકો માટે એ કોયડો હતો કે
98.5 % genes chimpanzee અને માણસ ના સરખા છે તો
માણસ... માણસ જ કઈ રીતે બને છે !!

બંને પ્રજાતિ ના જિન્સ ફકત આટલો જ ફર્ક છે તો છતાં પણ બંને પ્રજાતિ અલગ જ કેમ રહે છે ?!!

એનો જવાબ 2000 આસપાસથી
એપીજીનેટિક ના નામે શરૂ થયેલ વિજ્ઞાન દ્વારા મળેલ

પણ દુર્ભાગ્યે લોકોમાં....ઈવન ડોક્ટરોમાં પણ એની જાણકારી ન્હોતી એટલે ગર્ભસંસ્કાર પ્રોગ્રામ ને... આયુર્વેદિક કે ધર્મ આધારિત જ સમજતા !!!

અને આજે પણ લોકો... ગર્ભસંસ્કાર માટે
ફિઝિયોઠેરાપિસ્ત કે આયુર્વેદિક ડોકટર કે ધાર્મિક લોકો પાસે જ જાય છે !! એ ખોટું નથી પણ એ આધુનિક વિજ્ઞાન આધારિત નથી અને એટલે જ એ એટલું અસરકર્તા કે effective નથી !!

આજના યુગમાં... લોકો... વિજ્ઞાન / તર્ક/ રિસર્ચને અપનાવે છે, લોકોને... વિજ્ઞાન સ્પર્શે છે અને એટલે જ વૈજ્ઞાનિક ગર્ભસંસ્કાર ઇફેક્તિવ બને છે.

2012 ના નોબેલ પ્રાઇઝ ઓફ મેડીસીન ઉપરથી તો ઘણું બધું સિદ્ધ થઈ ચૂકેલું કે... કેમ એક જ જેનેટિક પ્રોફાઇલ હોવા છતાં અમુક કોષો મગજના કોષો અને અમુક કોષો સ્નાયુ બને છે ?! અને એ બધો એપીજીનેટિક માર્કર નો જ ખેલ છે !!

એપીજીનેટિકસે જ
એ સ્પષ્ટ કર્યું કે બંને twins
ના જીનેટિક પ્રોફાઈલ સરખા જ હોવા છતાં કેમ
બંને થોડા થોડા અલગ વિકસે છે !!?

એક જ માતા પિતાના જ
બધા બાળકો હોવા છતાં
પણ દરેક બાળક અલગ અલગ કેમ દેખાય છે !!? તેમની અલગ ક્ષમતા કેમ છે ?! અલગ પહેચાન કેમ છે ?!

એટલે કે
1). ચિમ્પાન્જી અને માણસ
2). અમુક કોષ કિડનીના કોષો અને અમુક લિવર ના કોષો કેમ બને
3). ટ્વિન માં ફર્ક
4). એક જ માતા પિતાના દરેક બાળકમાં ફર્ક
આ બધાના જવાબ એપીજીનેટિક વિજ્ઞાન પાસે છે
.

જિન્સ એક પ્રોગ્રામ છે, બયોલોજીકલ સોફ્ટવેર છે
પણ એ આજુબાજુના એનવાયોરનમેન્ટ ( અનુભવ/ epigenome) સાથે રીએકટ કરે છે, interplay કરે છે પારસ્પરિક ક્રિયા કે પ્રતિક્રિયા કરે છે કે ગતિશીલ કે ક્રિયાશીલ કે dynamic ... ઉપર આધારિત છે !!!

અને આં બંને વચ્ચે નો ડાન્સ કીમતી છે
એ orchestra કીમતી છે.

અને... આ dynamics કે dyanamicity
બાળકનું વિકસવું કે child development રેગ્યુલેટ કરે છે
અને
આ અનુભવોને જીવંત...જીવંત ફોર્સ સાથે....જીવતા
પ્રેક્ટીકલી સમજવા

થીયરી છોડીને સમજવા
શબ્દો છોડીને સમજવા .. અનુભવવા / અહેસાસ કરવા... ખાસ કીમતી છે... અને એ જ અસર છોડે !! રચના કરે !! બદલાવ લાવે !!

અનુભવ...જીવંત અનુભવ...બહારના જગતનો જીવંત અનુભવ
..અંદરના જગતમાં કે શરીરમાં કે મેડિકલ ભાષામાં... epigenetics signature કે માર્ક ના રૂપમાં બદલાઈ જાય છે કે કેદ થઈ જાય છે !!

એટલે કે
epigenome કહો કે અનુભવ કહો એ
બંને એક જ વાત વસ્તુ / કોન્સેપ્ટ ના બે નામ છે !!!

માનવ શરીરની અંદર
epigenomic mark છે

જ્યારે
બહાર એ "અનુભવ" છે.

..
..

1) DNA methylation
2). chromatin remodeling
3). histone modification
4). non coding RNA

આ બધા એપિજીનેટિક રસ્તા છે કે માર્કસ છે !!

..


એપિજીનેટિક
જિન્સ ને કંટ્રોલ કરે, ઓન ઓફ કરે, imprint કરે, dominance કે recessiveness નક્કી કરે !!

પોઝિટિવ કે નેગેટિવ ફિડબેક જેવું કામ કરે છે
અને જિન્સ અને અનુભવ... આ રીતે

Embryonic Development
Foetal Development
Child Development

કે બાળ વિકાસની પ્રક્રિયા આગળ વધારે છે
અને આં પ્રક્રિયાના ડાન્સ ને અંતે જે કામ બને છે તે "બાળક" છે !!

વધુ આવતા અંકે... ...

... ....

અમુક વર્ષોથી... અલ્પવિરામ કરેલ...
ગર્ભસંસ્કાર નું કામ ફરીથી શરૂ કરું છું

ઘણા ડોકટરોને
આજ દિન સુધીમાં
ગર્ભસંસ્કાર બાબતે માર્ગદર્શન આપેલ છે
હવે, જે ડોકટરો મારી સાથે જોડાવા ઇચ્છતા હોય અને
ગર્ભસંસ્કાર ના ફિલ્ડ મારી સાથે કામ કરવા માંગતા હોય તેમનું સ્વાગત છે.

જે obs હોસ્પિટલ...
જે કોર્પોરેટ હોસ્પિટલ કે ટ્રસ્ટ હોસ્પિટલ મને...અને મારા ગર્ભસંસ્કાર ના વર્કને પ્રોત્સાહિત કરવા ઇચ્છતા હોય તેમનું પણ સ્વાગત છે.

જો કે છેલ્લે બધું જ મારી ગ્રીન વિસ્તારની હોસ્પિટલમાં સ્થિર થશે.

27/02/2021

ભણતરની, એજ્યુકેશનની કીમત
કે જરૂરિયાત/ મહત્વતા/ ઉપયોગિતા
સૌથી વધુ અભણને સમજાતી હોય છે, તેનો અહેસાસ થતો હોય છે.

એટલે જ
એ હંમેશા સ્કુલ ફી આપવા... તત્પર હોય છે.
..
..

છતાં પણ
એજ્યુકેશન નું મહત્વ
આપણે સૌ કોઈ જાણીએ છીએ

એટલે જ
હેલ્થ + એજ્યુકેશનનું પણ
મહત્વ આપણે સૌ કોઈ સારી રીતે સમજીએ અને સ્વીકારીએ છીએ.
..
..

રોગ થાય તો
તે xyz રોગ વિશેનું હેલ્થ એજ્યુકેશન કીમતી બને છે

પણ
રોગ ના હોવા છતાં પણ

દરેક માણસે
જીવનની અમુક નિમિત્ત અવસ્થાઓમાં થી તો પસાર થવું જ પડે છે

જેમ કે,
સગર્ભા અવસ્થા, બાલ્ય અવસ્થા, મુગ્ધા અવસ્થા, યુવા અવસ્થા, વૃદ્ધ અવસ્થા

એટલે તે અવસ્થાઓ વિશેનું
હેલ્થ એજ્યુકેશન પણ કીમતી છે.
..
..

માનવ જીવન માં
સૌથી પ્રથમ અવસ્થા આવે છે... સગર્ભા અવસ્થા.

આ અવસ્થા
કોઈ પણ સ્ત્રી, કોઈ પણ પિતા, કોઈ પણ કુટુંબમાં આવે જ !!

અને
સગર્ભા અવસ્થામાં
એ એક જ અવસ્થા એવી છે કે જ્યારે માણસ.. બે+ જીવી બને છે !!

બે જીવ એકી સાથે...
માનવ જીવનમાં બીજે ક્યારેય શક્ય જ નથી !!

બે જીવ
ફકત આં એક જ અવસ્થામાં
પલતા / પોષતા/ જીવતા / વિકસતા હોય છે.

એક બીજા સાથે ખૂબ જ સારી રીતે interact કરતાં હોય છે, પ્રતિક્રિયા કરતાં હોય છે, લાઈવ ડાન્સ કરતા હોય છે !! અને વિકસતા હોય છે !!

બંને જીવ
એક જ શરીર દ્વારા પોષાય !!
અને એક જ શરીર બધી જ માંગ રજૂ કરે અને પૂરી પણ થાય !!

..
..

આ અવસ્થાના ઘણા બધા નિયમો છે
તેની વિશે ઘણું બધું જાણવા જેવું છે, પોતાની જાતને એજ્યુકેટ કરવા જેવું છે.

ખાસ તો એમણે કે જેમને
આ યાત્રા તાજેતરમાં કરવાની છે કે અત્યારે કરી રહ્યા જ છે.

..
..

ગર્ભ સંસ્કાર
એ સગર્ભાવસ્થા માં
ખુદનું અને વિકસી રહેલ બાળકનું પોષણ
કેમ સારી રીતે કરવું કે થવા દેવું...એવા હેલ્થ એજ્યુકેશન નું નામ છે... એ ફકત શ્લોક અને હવન નથી... અને છતાં પણ શ્લોક અને હવન નથી તેવું પણ નથી !!

એ સૌથી વધુ સારી
એક સ્ત્રીરોગ નિષ્ણાંત જ જાણતી/ જાણતો હોય છે.

આપણને
એજ્યુકેશન કીમતી લાગે છે
એટલે જ બાળક સ્કૂલમાં ભણવા જાય છે / મોકલીએ છીએ
અને
બાળકના કલાકો ને કલાકો કે વર્ગોના વર્ષો ત્યાં જાય છે / અપાય છે / કુટુંબીજનો તેને પ્રેરે છે
અને
તેના માટે સ્કુલ ફી પણ આપણને આપવી વ્યાજબી લાગે છે.

પણ
ગર્ભસંસ્કાર ના હેલ્થ એજ્યુકેશન ના કલાકો !!?!
તેને માટે કુટુંબ તરફથી પ્રેરણા ?! તે યાત્રા માટે તૈયારી ?!

ગર્ભસંસ્કાર - હેલ્થ એજ્યુકેશન માટે
વોટસ એપ : 9408873187

નામ,
પ્લાનિંગ કે pregnant
પ્રેગ્નન્સી હોય તો કેટલામો મહિનો
એજ્યુકેશન
એરિયા અને શહેર.... આ પાંચ વિગત xyz માતા ના વોટસ એપ પરથી મોકલો

17/02/2021

આયર્ન / લોહ તત્વ / લોખંડ
લગભગ બધા જ સજીવોના શરીરમાં હોય છે.

પણ
માનવ શરીરમાં trace element રૂપે એટલે કે
ખૂબ જ ઓછી માત્રા માં હોય છે, પણ તેનું પોતાનું એક અલગ જ અને અનન્ય જ મહત્વ છે.

..

એક પુખ્ત માનવ શરીરમાં
4 થી 5 ગ્રામ જેટલું આયર્ન હોય છે

તેમાંથી 2.5 ગ્રામ જેટલું આયર્ન હિમોગ્લોબીનમાં હોય છે
અને
2.0 ગ્રામ જેટલું આયર્ન... ફેરીટીન નામના સ્ટોર માં હોય છે.
400 mg જેટલું... માયોગ્લોબીન ( સ્નાયુઓમાં ઓકસીજન સ્ટોર અને ટ્રાન્સફર કરવા માટે ) અને ન્યુરોગ્લોબીન માં હોય છે.

અને બાકીનું બધું
લગભગ સો એક જેટલા એન્ઝાઈમ / ઉદ્દીપક
અને ઘણા બધા કો ફેક્ટર માં હોય છે.

..

મતલબ કે,
આયર્ન
1). શરીરની અંદર ઓકસીજન ટ્રાન્સફર કે ફેરી કરવા માટે
( હિમોગ્લોબીન ના રૂપમાં )

2). સ્નાયુની અંદરને અંદર ઓકસીજનને સ્ટોર ને ટ્રાન્સફર કરવા માટે ( મયોગલોબીનના રૂપમાં )

3). ઇલેક્ટ્રોન ટ્રાન્સફર કરવા માટે.

4). શકિત પેદા કરવાના કામ માટે જરૂરી એવા ઘણા
કો ફેક્ટર અને એન્ઝાઈમની બનાવટમાં / સર્જનમાં / ઘડતરમાં / મેન્યુફેકચરિંગ માં આયર્ન જરૂરી છે

5). dna બનાવવા માં ( કોષનું ન્યુક્લિયસ બનાવવા માં) આયર્ન જરૂરી છે.

6). dna નું રિપેરીંગ કામ
કરવામાં પણ આયર્ન આધારિત તત્વો જરૂરી છે.

7). ચેતાની ફરતે માયેલીનેશન કરવા માટે
( ચેતાતંત્ર માં ઝડપથી સંદેશ વહન માટે) પણ આયર્ન જરૂરી છે.

8). T સેલ ના
વ્યવસ્થિત કામ માટે આયર્ન જરૂરી છે
એટલે કે શરીર ની રોગપ્રતિકારક શક્તિ જાળવી રાખવા માટે
આયર્ન જરૂરી છે.

મતલબ કે,
આયર્ન...ફકત ઓક્સિજનનું વહન કરવા માટે જ નહિ
પણ
શરીર ના દરેકે દરેક કોષના વિકાસ, રીપેરીંગ, શક્તિ અને ટકી રહેવા માટે પણ આયર્ન જોઈએ જ !! અને રોગોના પ્રતિકાર માટે પણ આયર્ન જોઈએ.

એટલે કે
વૃદ્ધિ પામતા તબક્કામાં આયર્ન ખાસ જરૂરી છે કેમ કે, દરેક કોષ અને કોષના ન્યુક્લિયસ બનાવવામાં ...ટકવામાં...વપરાય / ખર્ચાય છે.

એટલે જ્યાં જ્યાં અને જ્યારે જ્યારે વિકાસ થતો હોય
ત્યાં ત્યાં અને ત્યારે ત્યારે આયર્નની જરૂર પડે.

અને જેટલો વધુ વિકાસ એટલી વધારે આયર્નની જરૂરિયાત.

કદાચ,
ફેરી કે ટ્રાન્સફર કે વહન ને કારણે જ
ફેરસ કે ફેરિક... એવો શબ્દ બન્યો !!

..

1). માતા ના શરીરમાં જ, પણ એક અલગ જ વિભાગમાં, કે ગર્ભમાં વિકસી રહેલા બાળક સુધી...તેની બધી જ જરૂરિયાતો પૂરી કરવા માટે...જરૂરી તત્વો આપવા માટે... માતાના લોહીનું વોલ્યુમ ઘણું વધારવું પડે... આં લોહી બનાવવામાં ( ખાસ તો હિમોગ્લોબીન બનાવવામાં) ઘણું બધું આયર્ન અને બીજા બધા પોષક તત્વો એકાએક જ વપરાઈ જતાં હોય છે.

2). બાળક
ફકત બે કોષમાંથી જ બને
અને
ફકત બે કોષમાંથી જ ત્રણ કિલોનું બાળક બને
અને એ પણ ફકત 9 મહિનામાં જ બને

અને
તાજા જન્મેલા બાળકના
ફકત મગજમાં જ લગભગ 100 billion એટલે કે 10000 કરોડ મગજના કોષો હોય છે !! ઉપરાંત આખા શરીરના કોષો તો અલગ જ !!

તો વિચારો કે,
સગર્ભાવસ્થામાં આયર્ન ની કેટલી બધી જરૂરિયાત રહેતી હશે !!

3). ઉપરાંત પ્લાસેન્તા કે મેલી બનાવવામાં પણ ઘણું આયર્ન અને પોષકતત્વો વપરાતા હોય છે.

4). આ ઉપરાંત
બાળકને તેના નવા શરીરમાં આયર્ન સ્ટોર કરીને
એની માતા ગિફ્ટમાં આપે !! અને એ આયર્ન બાળકને રોગોથી બચાવે, શકિત પેદા કરવામાં ઉપયોગી બને અને નવા કોષો પેદા કરવામાં વપરાય છે, વિક્સવા માં વપરાય છે.

એ સ્ટોર આયર્ન બાળકને છ મહિના સુધી ચાલે છે.
અને
આં આયર્ન સ્ટોરેજનું કામ... સગર્ભાવસ્થાના છેલ્લા ત્રણ મહિનામાં ખાસ થતું હોય છે

એટલે જો નવ મહિના પહેલા ડિલિવરી થાય તો, સમય કરતાં વહેલા જન્મેલા બાળક માં આયર્ન સ્ટોર ખૂબ જ ઓછું થાય છે એટલે બાળક વારંવાર ચેપ નો ભોગ બનતું હોય છે અને એનો માનસિક વિકાસ અને ધ્યાનની ક્ષમતા ઘટતી હોય છે.

5). ઉપરાંત
માતાના દૂધમાં આયર્ન હોય છે પણ એટલી બધી માત્રામાં નથી હોતું અને સામે 24 મહિના સુધી તો બાળકનો ખૂબ જ વિકાસ થતો હોય છે, કોષો બનાવવાની ફેક્ટરી જોરશોરમાં ચાલતી હોય છે અને ગાય અને બકરીના દૂધમાં તો આયર્ન લગભગ નહિવત જ હોય છે.

એટલે 6 મહિના પછી પણ ફકત દૂધ જ પીતાં ( લગભગ 700 ml કે તેનાથી વધુ દૂધ જ પીતાં) નવજાત બાળકમાં 6 મહિના પછી થી આયર્નની ઉણપથી સર્જાતો એનિમિયા જોવા મળે છે.

એટલે સગર્ભાવસ્થામાં આયર્ન અને બીજા કેલરી સિવાયના અને છતાં ખૂબ જ કીમતી પોષકતત્વો ગોળી / ટેબલેટ સ્વરૂપે લેવા કીમતી છે, ઉપયોગી છે, જરૂરી છે, એનું પોતાનું જ મહત્વ છે

અને છતાં પણ
સગર્ભાવસ્થામાં
100 દિવસ આયર્નની ગોળીઓ લેતી માતાની ગુજરાતમાં ટકાવારી 60 ટકા છે
અને
180 દિવસ આયર્નની ગોળીઓ લેતી માતાની ટકાવારી 43 ટકા છે અને ગુજરાતમાં રહેલી સગર્ભામાતા 62 ટકા કેસમાં એનેમિયથી પીડાતી જ હોય છે

અને છતાં પણ ગુજરાતમાં જન્મેલા અને વિકસીને 6 મહિનાથી 6 વર્ષની ઉંમર સુધી પહોંચેલા...80 ટકા બાળકોમાં આયર્નની ઉણપથી સર્જાતા એનિમિયા હોય છે !!

કેલ્શિયમ અને આયર્ન
બંને એકબીજાનું આંતરડા માંથી શરીરમાં થતું શોષણ ( શરીરની અંદર પહોંચતું) અટકાવે છે એટલે આયર્નની ગોળીઓમાં રહેલ આયર્ન શરીરમાં પૂરતું શોષાય તે માટે...દૂધ પીવાના સમય અને આયર્નની ગોળીઓ લેવાના સમયમાં બે કલાકનું અંતર રાખો.

નવજાત બાળકને પણ આયર્ન સીરપ આપતા હોવ તો
સ્તનપાન પછી, થોડા સમય ના અંતરાલ પછી જ આયર્ન સીરપ આપો.

અને આં બધું ફકત સ્ત્રીઓ / મહિલાઓ /માતાઓ
માટે જ કામનું કે ઉપયોગી કે જાણવા લાયક નથી
પણ
પુરુષો / પિતા ની પણ ફરજ નો એક ભાગ છે.

Photos from Garbh Sanskar book & workshop- for pregnant mothers's post 27/10/2019

Allow child to grow Full Term.

27/10/2019

પડદો છે,
એટલે જોઈ નથી શકાતું
ખબર નથી કે ત્યાં શું ચાલે છે
એટલે એનો મતલબ એવો નથી કે
ત્યાં સીધું જ રેડી મેઇડ બેબી તૈયાર છે
અને 9મહિના પછી એની સીધી જ ડિલિવરી મળે છે !!

9 મહિના સુધી જે મહેનત, જે પરવરીશ કરી
એજ ઉગે છે, એજ વિકસે છે અને એજ જન્મે છે

બે સૂક્ષ્મ કોષોથી શરૂ થયેલ બાળક,
નવ જ મહિનામાં ત્રણ કિલોનું બને છે

9 મહિનાના સમયની અસર, પરવરિશની અસર
એ નવ મહિના સીધા જ કેદ થઈ જાય છે, બાળકના શરીર-મનના રૂપમાં !!

ગર્ભાવસ્થામાં શું ચાલે હ્ચે તેની સમજ કિંમતી છે
એટલે જ વૈજ્ઞાનિક ગર્ભસંસ્કાર કિંમતી છે.

26/10/2019

મિકેનિકલ કે યાંત્રિક વસ્તુઓના
અલગ-અલગ ભાગને ભેગા કરો એટલે સીધી જ અંતિમ પ્રોડક્ટ બને

જયારે બાયોલોજિકલ કે
જૈવિક હસ્તિના દરેક ભાગ-વિભાગ, અંગ-ઉપાંગ
એકી સાથે, પહેલેથી જ, હાજર જ હોય
અને એ બધા જ
ધીરે-ધીરે, એકી સાથે, નાનેથી જ મોટા થાય !!
સમય ચાલતો રહે અને એ બધા જ ભાગ-વિભાગ વિકસતા રહે !!

જરૂરિયાતની, માનસિકતાની, ખોરાકની, હવા-પાણીની, પ્રદુષણની
ટેવોની, માતાની, પિતાની, કુટુંબના સભ્યોની, શિક્ષકની, સમાજની
વાતાવરણ આખાની... તેની ઉપર અસર પડે અને તે અસર પ્રમાણે
ફાઇનલ પ્રોડક્ટ કે અંતિમ પ્રોડક્ટ તૈયાર થાય !!

જયારે મિકેનિકલ કે યાંત્રિક વસ્તુઓની સીધી જ ફાઇનલ કે અંતિમ પ્રોડક્ટ તૈયાર થાય
તેના ઉપર
તાપ-તડકો, હવા-પાણી, ખોરાક, જાળવણ... .... અસર ના છોડે !!
તે સમય આખાનો ઇતિહાસ સંગ્રહ ના કરે !!
અને તે ઇતિહાસ પ્રમાણે જરૂરી બદલાવ કે ફેરફાર ના કરે !!

એટલે જ પરવરિશ કે પેરેન્ટીંગ કિંમતી છે !!
એટલે જ
કોઈ પણ બાળકના જીવનમાં
સગર્ભાવસ્થાનું અને બાળપણનું અનેરું મહત્વ છે.

સગર્ભાવસ્થામાં,
ડોક્ટર પાસે જવું, તપાસ કરાવવી અને દવા લેવી
એ એક વાત છે જયારે પરવરિશ એ બીજી જ વાત છે.

ફક્ત દવા એ પુરતું નથી
દવા એ પરવરિશનો પર્યાય નથી !!
ડોક્ટર દવા આપે પણ પરવરિશ તો જાતે જ કરવી પડે.

20/10/2019

મોર્ડન જગતમાં આપણને ક્યુ વિટામિન્સ કેમાંથી મળે અને તે ક્યાં ઉપયોગી તે બધી જ આપણને ખબર જ હોય છે, પણ જે નથી ખબર તે જાણવું ઉપયોગી છે.

કુલ 13 વિટામિન્સમાંથી, A,D,E,K આ ચારેય ફેટમાં દ્રાવ્ય છે એટલે કે ફેટમાં ઓગળી જાય કે પીગળી જાય એટલે તેનો શરીરની ફેટમાં સંગ્રહ કે સ્ટોક થઈ શકે અને પછી જ્યારે શરીરને જરૂર પડે ત્યારે વાપરે.

પણ વિટામિન્સ B કોમ્પ્લેક્સ અને વિટામિન C આ બંને પાણીમાં દ્રાવ્ય હોય છે એટલે કે પાણીમાં ઓગળી કે પીગળી જાય એટલે કે વધારાના હોય તે પેશાબ દ્વારા શરીરમાંથી નીકળી જાય અને તેનો શરીરમાં સંગ્રહ થાય નહીં !!!

કેમ કે શાકભાજી અને ફળ તો લોકો રોજે જ ખાય છે એટલે શરીરને રોજે જ મળે એટલે વિટામિન B અને C ના સંગ્રહની કોઈ વ્યવસ્થા જ નથી તેમ.કહીએ તો ચાલે અથવા થોડા દિવસોના સ્ટોકની વ્યવસ્થા હોય.

ફક્ત વિટામિન B12 નો બે-ચાર-પાંચ વર્ષનો સ્ટોક થઈ શકે અને બીજા ફોલિક એસિડના લગભગ ત્રણ મહિના સ્ટોકની વ્યવસ્થા હોય છે અને એ પણ દારૂ કે સિગરેટ ના પીતા હોય, જરૂર કરતાં વધુ ફેટ જમા ના કરી હોય એટલે કે લીવર સારું રહેવા દીધું હોય તો. વિટામિન B12 અને C આ બંને ખૂબ જ જરૂરી હોય આવી થોડી-ઘણી વ્યવસ્થા હોય છે.

વિટામિન B12 અને ફોલિક એસિડને છોડીને બાકીના વિટામિન B કોમ્પ્લેક્ષ અને C નો અમુક દિવસો સિવાયનો સ્ટોક થતો નથી...એટલે રોજે જે પૂરતા પ્રમાણમાં શાકભાજી અને ફળ ખાવા કિંમતી છે.

મોર્ડન જગતમાં ખોરાક એટલે શક્તિના પેકેટ ભેગા કરવા !! મોર્ડન ખોરાક એટલે કાર્બોહાઇડ્રેટસ અને ફેટ ના પડીકા જ છે !, બીજું છે શું તેમાં ?! અને શકિતના પેકેટ મળે એટલે ગાડું ચાલ્યે રાખે!!!

મોર્ડન જગતમાં મોર્ડન ખોરાકમાં આપણે વિટામિન્સ ઓછા, અધૂરા, અપૂરતા, ક્યારેક-ક્યારેક લઈએ છીએ એટલે મોર્ડન જગતમાં વિટામિનની ઉણપને કારણે xyz ઉણપવાળો રોગ થયો તે ભાગ્યે જ જોવા મળે!!
અને
સામે બીજી બાજુએ, શરીરને ચેન પણ ના પડે અને xyz ને મજા પણ ના આવે !! એટલે સાવ અલગ જ ચિત્ર સર્જાય !! આવા જ કારણો જવાબદાર છે અકાળે વૃદ્ધ દેખાવા માટે અને અકાળે વૃદ્ધાવસ્થાના રોગો યુવાનોમાં દેખાવા માટે.

તેને કારણે યુવાનીમાં કોઈ મોટા પ્રોબ્લેમ સીધા જ કે દેખાતી રીતે ઉભા ના થાય પણ..... ...

ફકત બે જ કોષોમાંથી બાળક બને અને નવ જ મહિનામાં ત્રણ કિલો કે એક ફૂટનું... સંપૂર્ણ દેખાતું બાળક બની જાય !!! અને બાળપણમાં પણ રોજે જ બાળક વૃદ્ધિ પામે છે ત્યારે આ બધા વિટામિન્સની અધકચરી, અપૂરતી હાજરી અનેકો સમસ્યા આડકતરી રીતે પેદા કરવામાં જવાબ દાર બને.

વિટામિન B12 અને ફોલિક એસિડ કોઈ પણ કોષના ન્યુક્લિયસ બનાવવા માટે જોઈએ જ!! તેના વગર ચાલે જ નહીં. એટલે સગર્ભાવસ્થા પહેલા તેના સ્ટોક ચેક કરવા અને પછી રોજે જ પૂરતા પ્રમાણમાં લેવા કિંમતી છે... પણ ગર્ભસંસ્કારના નામે આજકાલ ધર્મ, ફિઝિયોથેરાપી કે કસરત અને આયુર્વેદ જ ચાલે છે !!! પણ ખરેખર તો ગર્ભસંસ્કાર માટે મોર્ડન સાયન્સ જાણતો માણસ મળવો કિંમતી છે.

વૃદ્ધાવસ્થામાં અને રોગીષ્ઠ અવસ્થામાં પણ આ અધકચરા. અપૂરતા, રોજે જ ઓછા મળતા વિટામિન્સ અને બધા જ માઇક્રોન્યુટ્રિએન્ટ્સ ઘણી સમસ્યા માટે આડકતરી રીતે જવાબદાર છે!

પ્રેગ્નનસીના પ્લાનિંગ માટે, ગર્ભસંસ્કાર માટે અને કોઈ પણ રોગોમાં લાઇફસ્ટાઇલ અને પ્રિવેંશન માટે...ઘણા બધા મોટા પાયે લોકો મને 9408873187 ઉપર વોટ્સઅપ કરે છે પણ જવાબ માટે 5-7 દિવસની ધીરજ રાખવાનો આગ્રહ રાખો. ફોન ના કરો.

આભાર.

18/10/2019

પ્લાન્ટ કે છોડમાં
5000 થી વધુ ફાઈટોન્યુટ્રીએંટ્સમાં રહેલા છે
તેમાના એક છે કૈરોટિનોઇડ્સ.

પ્લાન્ટ કે છોડના પાંદડા, ફળ કે શાકભાજીમાં રહેલ
પીળા, લાલ અને ઓરેન્જ કલરના પીગ્મેન્ટ એટલે કેરોટિનોઇડ્સ.

કેરોટિનોઇડ્સ છોડને પ્રકાશથી થતા ડેમેજ કે નુકશાનથી બચાવે છે.

600-700 જાતના કેરોટિનોઇડ્સ છે
એમાંથી 40-50 જેટલા માણસના ખોરાકમાં હોય છે.
જેમાંથી 6 કેરોટિનોઇડ્સ વ્યવસ્થિત પ્રમાણમાં માનવના લોહીમાં જોવા મળે છે.

કેરોટિનોઇડ્સના લેવલ પરથી માણસ કેટલું શાકભાજી અને ફળ ખાય છે
તે સમજી શકાય છે.

આલ્ફા કેરોટીન, બીટા કેરોટીન, બીટા ક્રીપ્ટોઝેન્થીન
લ્યૂટિન, ઝીઝાન્થિન, લાઈકોપીન... આ છ મુખ્ય કેરોટિનોઇડ્સ છે.
આલ્ફા કેરોટીન, બીટા કેરોટીન, બીટા ક્રીપ્ટોઝેન્થીન
સીધા જ વિટામિન એ માં બદલાય જાય છે.

આ કેરોટીન ઓરેન્જ કલર વાળા ફ્રૂટમાંથી
મુખ્યત્વે મળે છે જેમ કે... ગાજર અને કેરી.

આંખનો ક્રીસ્ટેલિન લેન્સ,
લાઈટને ભેગી કરે છે
અને ભેગી કરેલ લાઇટને નેત્રપટલ ઉપર ફોક્સ કરે છે.
આવું જિંદગીભર કરવા માટે એ લેન્સ ક્રિસ્ટલ ક્લિયર કે ચોખ્ખો રહેવો જોઈએ.

લ્યૂટિન, ઝીઝાન્થિન
હાનિકારક અને ખુબ જ ઉર્જાવાન બ્લ્યુ લાઇટને
જેટલી આંખમાં જતી રોકે છે કે ફિલ્ટર કરે છે કે શોષી જાય છે.

લ્યૂટિન, ઝીઝાન્થિન... આંખના નેત્રપટલ કે રેટિના
અને આંખના લેન્સમાં મૉટે પાયે જમા હોય છે.

જેટલા પ્રમાણમાં લ્યૂટિન, ઝીઝાન્થિન... આંખમાં જમા હોય છે કે ગીચતા હોય છે
તેટલા જ પ્રમાણમાં બ્લ્યૂલાઇટની ઇફેક્ટથી આંખની નાજુક સ્ટ્રક્ચરને નુકશાન થતા બચાવે છે.
જે વ્યવસ્થિત જમા હોય તો લગભગ 90% જેટલી બ્લ્યુ લાઇટને આ રીતે રોકી શકે છે.

આંખને તંદુરસ્ત રાખતા આ એન્ટિઓક્સિડન્ટ્સ
લ્યૂટિન, ઝીઝાન્થિન માનવ શરીરમાં બની શકતા નથી
એટલે તેને બહારથી ખોરાક દ્વારા જ પુરા પાડવા એ એક જ રસ્તો આપણી પાસે છે.

એટલે જ આંખની તંદુરસ્તી માટે લીલા કલરના પાંદડાવાળી ભાજીઓનું
ખુબ જ મહત્વ છે કે જેમાંથી લ્યુટિન અને ઝીઝાન્થિન ખુબ જ મળે છે
અને જેમાં તેનો ઓરેન્જ કે લાલ જેવો કલર ક્લોરોફીલની નીચે દબાય જાય છે.

બ્લ્યુ લાઈટ, ફ્રી રેડિકલ્સ અને ઓક્સિડેશન થી થતા નુકશાનને કારણે જ
લેન્સ અર્ધપારદર્શક થાય છે એટલે કે મેધ કે મોતિયો થાય છે.

આંખને મોતિયાથી બચાવા માટે લ્યુટિન અને ઝીઝાન્થિન વાળો ખોરાક રોજે જ લો.
આંખને મોતિયો થયો હોય કે AMD ( Age related Macular Disease)
ઉંમરને કારણે નેત્રપટલ ખરાબ થઈને દેખાવું ઓછું કે ખરાબ થયું હોય તો પણ
આ લ્યુટિન અને ઝીઝાન્થિનવાળો ખોરાક લેવાથી ઘણો બધો ફાયદો થાય છે.

human breast milk contains leutin and zeaxanthin .
માતાના દ્વારા બાળકને મળતા સ્તનપાનમાં પણ લ્યુટિન અને ઝીઝાન્થિન હોય છે.

એટલે જ
પ્રેગ્નન્સીનું પ્લાનિંગ કરતી મહિલાઓ,
સગર્ભામાતાઓ
અને સ્તનપાન કરાવતી માતાઓએ
લીલા કલરની ભાજીઓ મોટા પ્રમાણમાં કે રોજે જ ખાવી જોઈએ
જેથી બાળકનું શરીર બનતું હોય છે કે તેની રચના થતી હોય છે ત્યારે ખુબ જ ફાયદો થાય

પ્રેગ્નન્સીના પ્લાનિંગની કન્સલ્ટેશન, ગર્ભસંસ્કાર કન્સલ્ટેશન કે ગર્ભસંસ્કાર પ્રોગ્રામ માટે , 9408873187 ઉપર ફક્ત વૉટ્સઅપ કરો અને જવાબ માટે થોડા દિવસ રાહ જુઓ

Want your school to be the top-listed School/college in Surat?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Telephone

Address


AMAR HOSPITAL, Shreeji Complex, First Floor, Hirabaug Circle
Surat
395006

Opening Hours

Monday 10am - 1pm
Tuesday 10am - 1pm
Wednesday 10am - 1pm
Thursday 10am - 1pm
Friday 10am - 1pm
Saturday 10am - 1pm
Sunday 10am - 1pm