22/05/2026
સુરતમાં જીવનના પાયાના પ્રશ્નોને સ્પર્શતો, સાર્વભૌમ, સાર્વકાલીક, સાર્વજનિક સત્યને સમજવાના પ્રયત્નનો અનેરો સંવાદ શરુ થયો, પ્રોગ્રેસ એલાયન્સના બહેનોના વિશેષ પ્રયત્ન અને જીવનવિદ્યાના અધ્યનાર્થીઓના સંયુક્ત પ્રયાસથી શરુ થયેલ સમજણની યાત્રાનો સંવાદ જેમા મુળ પ્રશ્ન કે સમજણ શું છે? શેની હોય ? અને એ મળી જાય તો જીંદગી જીવવાનું સ્વરૂપ શું નીકળે ? આ વિષયને મધ્યસ્થ દર્શનની રોશનીમાં સંવાદ દ્વારા સમજવામાં આવે છે, આજે બીજો દિવસ છે , જીજ્ઞાસુ મિત્રોનું સ્વાગત છે
11/05/2026
*જીવનવિદ્યા પરિચય શિબિર-સુરત*
શ્રદ્ધેય શ્રી એ.નાગરાજજી દ્વારા પ્રતિપાદિત *મધ્યસ્થ દર્શન-સહઅસ્તિત્વવાદ* પર આધારિત
🗓️ *તારીખ* : 21 મે 2026 થી 31 મે 2026 (ગુરુવાર થી શનિવાર).
🕘 *સમય* : સાંજે 6.00 વાગ્યાથી રાત્રે 11.00 વાગ્યા સુધી.
રાત્રી ભોજનની વ્યવસ્થા સ્થળ પર જ છે
🧑🏫 *પ્રબોધક* : જનક સાવલિયા
🗣️ *ભાષા* : ગુજરાતી
📍 *સ્થાન* : કાકડીયા ફાર્મ, ધ પ્લેટિનમ રિવર ની સામે, હાથી મંદિર રોડ, કતારગામ સુરત.
લોકેશન - https://maps.app.goo.gl/q9CCrhhDPv861p8eA?g_st=ic
📌 *રજીસ્ટ્રેશન લિંક :* https://jv.samarth.group/registration/event-details/61
🕊️ શિબિરમાં પ્રબોધન ભાગ નિઃશુલ્ક છે, પ્રબોધક માત્ર પોતાની ખુશીથી આ સંવાદ સંચાલિત કરે છે.
જો કે સામાજિક કામ સમાજની ભાગીદારીથી જ થાય છે એટલા શિબિર દરમિયાન ભૌતિક સંસાધનો (ઓડિયો, વિડીયો વિઝ્યુઅલ, ખુરશી, ગાદલા, ટેકા વગેરે ) તેમજ એક ટાઈમના ભોજન જેવી વ્યવસ્થાઓમાં લાગતા વાસ્તવિક ખર્ચ પૂરો કરવા માટે ભાગીદારોની સહયોગ રાશી સ્વૈચ્છીક અપેક્ષિત છે.
——————————————
📞 કોઈપણ વધુ જાણકારી કે મદદ માટે *સંપર્ક*કરો :-
સુરત ઝોન :- 7069255855
——————————————
🙏જય હો! મંગલ હો!! કલ્યાણ હો!!!🙏🏻
જીવનવિદ્યા પરિવાર, સુરત.
25/04/2026
🌿 Project Samadhan – Youth Camp 🌿
युवा परिचय शिविर (18–30 वर्ष)
परिवार में सामंजस्यपूर्ण जीवन जीने के लिए अध्ययन एवं अभ्यास हेतु
(मध्यस्थ दर्शन सह-अस्तित्ववाद – प्रणेता श्रद्धेय ए. नागराज जी पर आधारित)
For Study & Practice of Living in Harmony in Family
(Based on Madhyasth Darshan – Co-existential Philosophy by Shri A. Nagraj Ji)
📅 Dates: 11 May 2026 – 15 May 2026
📍 Location: Dholakiya Nirman Campus, Surat, Gujarat
👤Facilitator: *Ankit Pogula*
Award-winning educator & documentary filmmaker
यह 5 दिन का आवासीय (Residential) शिविर है, जिसमें युवाओं को जीवन को समझने और सही दिशा में आगे बढ़ने का अवसर मिलेगा।
This is a 5-day residential camp designed to help youth understand life and move in the right direction.
इस शिविर में आपको स्पष्टता मिलेगी | You will gain clarity on:
• स्वयं में विश्वास | Self-confidence
• संबंधों में विश्वास | Relationships
• स्वावलंबन | Self-reliance
• करियर | Career clarity
• विवाह | Understanding marriage
• पहचान (Identity)
⚠️ सीमित सीटें – चयन के बाद ही पुष्टि होगी
Limited seats – confirmation after selection only
📞 पंजीकरण हेतु संपर्क | Contact for Registration: 7069255857
📝 Registration Form: https://forms.gle/SiLsvG8LKkepb1tP8
21/04/2026
સુરતમાં ‘જીવન વિદ્યા’નો પ્રકાશ: એક અદ્ભુત યાત્રાનું સફળ સમાપન! 🌟
સુરત શહેરમાં આયોજિત ૭ દિવસીય ‘જીવન વિદ્યા શિબિર’ નું આજે અત્યંત ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સમાપન થયું. આ શિબિર માત્ર એક કાર્યક્રમ નહોતો, પણ પોતાની જાતને ઓળખવાની અને સંબંધોમાં સુખ-શાંતિ શોધવાની એક નવી શરૂઆત હતી.
શિબિરની મુખ્ય ઝલક:
• સમજણ: સમસ્યાઓનો ઉકેલ બહાર નહીં, પણ આપણી સમજણમાં છે.
• સંબંધો: પરિવાર અને સમાજમાં વિશ્વાસ અને સન્માનની કિંમત સમજાઈ.
• સહઅસ્તિત્વ: પ્રકૃતિ અને માનવ વચ્ચેના સંતુલિત જીવનનો માર્ગ મળ્યો.
આ શિબિરમાં જોડાયેલા દરેક વ્યક્તિના ચહેરા પરની આત્મીયતા અને સંતોષ જ આ કાર્યક્રમની સફળતાનો પુરાવો છે. આ આયોજનને સફળ બનાવવા બદલ તમામ સ્વયંસેવકો અને માર્ગદર્શકોનો હૃદયપૂર્વક આભાર.
29/03/2026
સુરતમાં ૧૦ દિવસીય જીવનવિદ્યા પરિચય રાત્રી શિબિર સંમ્પન્ન થઈ, જેનો સમય સાંજે ૬:૦૦ થી ૧૧:૦૦ નો હતો, સુરતના ૩૫૦ જેટલા લોકોએ ભાગ લીધો અને સ્વયંની સમજની યાત્રાને સમજવાનો પ્રયાસ કર્યો
21/03/2026
સુરત સ્થિત ઝીલ કોચીંગ સેન્ટરના વિદ્યાર્થીઓ વાલીઓ સાથે જીવનવિદ્યાનો ઈન્ટરોડક્ટરી સેશન ગોઠવાયો
16/03/2026
🌟 માનવતા અને સમજણનો સમન્વય: મધ્યસ્થ દર્શન સંવાદ 🌟
આજે સુરતની સમર્પણ ટેકનો સ્કૂલ ખાતે એક અત્યંત પ્રેરણાદાયી અને જ્ઞાનસભર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ‘મધ્યસ્થ દર્શન વાંગમ્ય’ (સહ-અસ્તિત્વવાદ) ના પ્રણેતા શ્રી એ. નાગરાજજી ના વિચારો સાથે લાંબા સમયથી જોડાયેલા અને તેનો ઊંડો અભ્યાસ કરનાર વિદ્વાન પ્રબોધકો શ્રી રામ નરસિમ્હાજી અને શ્રી રવિકાન્ત મણીજી ઉપસ્થિત રહ્યા હતા.
📍 કાર્યક્રમની ઝલક:
મુખ્ય વક્તા: શ્રી રામ નરસિમ્હા અને શ્રી રવિકાન્ત મણી.
વિષય: જીવન વિદ્યા અને મધ્યસ્થ દર્શન દ્વારા સુખદાયી જીવનનો માર્ગ.
સહભાગીઓ: અંદાજે 60 જેટલા જિજ્ઞાસુ નાગરિકોએ આ સંવાદમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો.
✨ સામાજિક સંદેશ:
વર્તમાન સમયમાં જ્યારે તણાવ અને અસમંજસ વધતી જાય છે, ત્યારે આ સંવાદ દ્વારા સમજાયું કે સાચું સુખ અને શાંતિ ભૌતિકવાદમાં નહીં, પરંતુ પરસ્પર સંબંધોની સમજ અને પ્રકૃતિ સાથેના તાલમેલમાં રહેલી છે. માનવ તરીકે જીવવાની કળા અને વ્યવસ્થામાં ભાગીદારી કેવી રીતે નોંધાવવી, તે અંગે ખૂબ જ સરળ શૈલીમાં માર્ગદર્શન આપવામાં આવ્યું.
આ કાર્યક્રમ માત્ર એક ચર્ચા નહોતો, પણ સમાજમાં સુમેળ અને જાગૃતિ લાવવા તરફનું એક નક્કર ડગલું હતું.
ચાલો, આપણે પણ આ વૈચારિક ક્રાંતિનો હિસ્સો બનીએ અને એક સમજદાર સમાજનું નિર્માણ કરીએ! 🙏
16/03/2026
સુરતના આંગણે માનવીય સમજ અને સુખપૂર્વક જીવવાની કળા શીખવતા ‘મધ્યસ્થ દર્શન’ (માનવ વ્યવહાર દર્શન) પર આધારિત ૧૫ દિવસીય અદ્ભુત અધ્યયન શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું.
ઘટનાની વિગત:
📅 સમયગાળો: ૧લી માર્ચ થી ૧૫ માર્ચ
📍 સ્થળ: સમર્પણ ટેકનો સ્કૂલ, સુરત
🎓 સહાયક: શ્રી અજય જૈન અને શ્રી જનક સાવલિયા (૧૫ દિવસ અવિરત માર્ગદર્શન)
આ શિબિરમાં અંદાજીત ૪૦ જેટલા જિજ્ઞાસુ ભાઈ-બહેનો જોડાયા હતા, જેમણે માનવીય મૂલ્યો અને વ્યવહારનું ઊંડાણપૂર્વક અધ્યયન કર્યું.શિબિરનો અંતિમ દિવસ SVNIT ગેસ્ટ હાઉસ, સુરત ખાતે રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે પ્રબોધક મહેન્દ્રભાઈની પ્રેરણાદાયી ઉપસ્થિતિ રહી હતી. તેમની ઉપસ્થિતિમાં તમામ અધ્યયનાર્થીઓએ ૧૫ દિવસ દરમિયાન મેળવેલી સમજનું ‘વ્યક્તિગત સત્યાપન’ કર્યું હતું.
સમજણપૂર્વકના જીવવાની આ દિશા સૌ માટે મંગલમય બને તેવી શુભેચ્છા!