AASTHA EDUCATION CENTER

AASTHA EDUCATION CENTER

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from AASTHA EDUCATION CENTER, mota varachha, Surat.

05/09/2018
30/03/2018

હિચકી(૨૦૧૮):"પેરેન્ટ્સ,શિક્ષકો અને બાળકોએ અચૂક જોવા જેવી સુંદર ફિલ્મ.શિક્ષક અને વિધ્યાર્થીઓ વચ્ચેના મીઠાંમધુરા સંબંધોને દર્શાવતી અને આપણી શિક્ષણ પધ્ધતિના સારા-નરસા પાસાઓને રજૂ કરતી લાગણીસભર ફિલ્મ.

યશરાજ ફિલ્મના બેનર હેઠળ બનેલી ફિલ્મ "હિચકી" હોલિવૂડ મૂવી "ફ્રન્ટ ઓફ ધી ક્લાસ"થી પ્રેરિત છે.
ટોરેટ સિન્ડ્રોમ નામનાં ન્યુરોલોજીકલ ડિસઓર્ડરથી પીડાઇ રહેલી નૈના માથુર (રાની મુખર્જી) શિક્ષિકાની નોકરી મેળવવા માટે મુંબઇની જુદી-જુદી સ્કૂલોમાં ઇન્ટરવ્યુ આપવા જાય છે.
પરંતુ વારે-વારે તેનાં ગળામાંથી આવતા વિચિત્ર અવાજોને લીધે તેને કયાંય નોકરી નથી મળતી.

આખરે એક મિશનરી સ્કુલમાં તાત્કાલીક શિક્ષીકાની ભરતી કરવી જરૂરી હોવાથી તેનો ચાન્સ લાગી જાય છે.
પરંતુ ત્યાંનો ફકત 14 સ્ટુડન્ટસનો કલાસ નૈનાને પોતાના ટીચર તરીકે સ્વીકારવા તૈયાર નથી.
સ્કુલમાં તેમની ગણતરી નબળા અને ઠોઠ વિદ્યાર્થીઓમાં થતી હોવાને લીધે તેઓ હવે બળવાખોર બની ગયા હોય.
નૈના માથુર ધીરે ધીરે એ દરેકને પોતપોતાની ખાસીયતોથી વાકેફ કરાવે છે. અંતે, તમામ વિદ્યાર્થીઓને પણ પોતાના ટીચરનું મહત્વ સમજાઇ જાય છે.

મોટા શહેરોમાં જોવા મળતો ગરીબ-અમીરનો ભેદભાવ, હોશિંયાર વિદ્યાર્થીઓ પ્રત્યે સ્કુલ ટીચરનો પક્ષપાત, નબળા વિદ્યાર્થીઓને સહન કરવું પડતું અપમાન અને ભારત સરકારનાં રાઇટ-ટુ-એજયુકેશન એકટ પર આ ફિલ્મ મોટો કટાક્ષ છે.એક શિક્ષકનો વિધ્યાર્થીઓને શીખવાડવા માટે કરવો પડતો સંઘર્ષ,પિતા સાથેના મતભેદો,માતા ભાઈ સાથેના પ્રેમાળ સંબંધો,પોતાની નબળાઈ સામેની હિંમતભેરની લડત વગેરે ફિલ્મની હાઈલાઈટ્સ છે.

શિક્ષણ ચાર દિવાલો અને છ કલાકના સ્કૂલટાઈમ પૂરતું સિમિત નથી.
સ્કૂલમાં શિક્ષકો અને વિધ્યાર્થીઓ બંનેની ભૂમિકા કશુંક શીખવાની હોવી જોઈએ.
એક શિક્ષક માટે બધા જ વિધ્યાર્થીઓ સમાન હોવા જોઈએ.
તેમાં કોઈ ઉંચનીચ કે પક્ષપાત ન ચાલે.
સાચો શિક્ષક વર્ગખંડની દિવાવોને ઓગાળીને જગતને વર્ગમાં લઈ આવતો હોય છે.શિક્ષકે વિધ્યાર્થીમાં જિજ્ઞાસાવૃત્તિ જાગ્રત કરી સંશય કરવાની ટેવ પાડવી જોઈએ.'જે છે તેમ' સ્વીકારી લેવાનું વલણ ટાળવું જોઈએ.

વિક્ટર હ્યુગોનું એક પ્રચલિત વાક્ય છે:'જે વ્યક્તિ એક શાળા ખોલે છે,તે સંસારનું એક જેલખાનું બંધ કરી દે છે.'
કેળવણી એટલે વિવિધ જાણકારીઓનો ઢગલો નહીં.
મનુષ્યમાં જે સંપૂર્ણતા ગુપ્ત રીતે વિધ્યમાન છે,તેને પ્રત્યક્ષ કરવી એ જ કેળવણીનું કાર્ય છે.
વિશ્વ વિશાળ બને એટલું જ બસ નથી.વ્યક્તિનું મન,તેનું હ્દય પણ વિશાળ બનવું જોઈએ.
એ શિક્ષણ દ્વારા જ શક્ય બને છે.

રાની મુખર્જીની એક્ટિંગ ખૂબ જ સુંદર છે,હિચકી વાળી ટીચરના પાત્રમાં જાણે રાની ઓતપ્રોત થઇ ગઇ હોય તેવી અત્યંત પ્રભાવશાળી એક્ટિંગ કરી છે.
સ્લમ એરિયાના બાળકોનું પાત્ર ભજવનાર બાળકોએ પણ સુંદર અભિનય થકી ફિલ્મને ચાર ચાંદ લગાવી દીધા છે.
પ્રિન્સિપાલનાં પાત્રમાં દિગ્ગજ અભિનેતા શિવકુમાર સુબ્રમણ્યમ, ગ્રે-શેડેડ ટીચર નીરજ કાબી અને નૈના માથુરનાં માતા-પિતા તરીકે સુપ્રિયા પીળગાવકર તથા સચિન પીળગાવકરનો અભિનય લાજવાબ છે.

ડિરેક્ટરે નાની નાની બાબતની કાળજી લીધી છે. ફિલ્મમાં કોઇ પણ સીન નકામો લાગતો નથી. રાનીના પાત્રને સ્ક્રીન પર ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવ્યું છે.
ફિલ્મનું મ્યૂઝિક ફિલ્મને અનૂરુપ છે.

અંતમાં બસ એટલું જ કહેવાનું કે દરેક શિક્ષકે વિધ્યાર્થી ક્યાં જઈ રહ્યો છે,અને શિક્ષકે ક્યાં જવાનું છે તેનું આત્મદર્શન કરવું જોઈએ."

28/03/2018

(Aastha education center mota varachha)
SELF AWAIRNESS # DISCIPLINE # EXAM TIME # READING # PEACEFUL ATMOSPHERE

21/03/2018

*બાળ કેળવણી – ભાવ કેળવણી* (ભાગ 2)

*માસિક અંક* : બાલમૂર્તિ,

March 2018

વાચક મિત્ર,

આગલા લેખમાં આપની સાથે ગ્લોબલ વોર્મિંગ અને ફેમીલી વોર્મિગના વિષય પર વાત થઈ, એવું પણ સમજવાનો પ્રયત્ન કર્યો કે મૂળ તો દષ્ટિકોણ જ છે... તેનો એક માત્ર ઉપાય છે, બાળ કેળવણી અને ભાવ કેળવણી.

ભાવ કેળવણીની શરૂઆત આપણે આપણો અભિગમ સમજવાથી કરીએ.

આજકાલ આપ આપની આસપાસ બોર્ડ એકઝામનો માહોલ જોઈ રહ્યા હશો. પરિવારનું એક બાળક જો બોર્ડમાં હોય તો આખું પરિવાર જાણે બોર્ડની એકઝામ આપતું હોય તેવું જણાય છે. પણ સાથે આપણે એ પણ યાદ રાખીએ કે જો જિંદગીને નજીક થી જોઈશું તો એવું લાગશે કે જિંદગી આપણી પળે પળે પરીક્ષા લઈ રહી છે. આપણે પણ તેમાં પાસ નાપાસ થતા હોઈએ છીએ. પાસ નાપાસની પ્રક્રિયા એ એક અનુભવ છે. અનુભવથી જ જિંદગી બદલાય છે અને આપણો અભિગમ ઘડાય છે.

જિંદગીની દરેક પરીક્ષામાં પાસ થવાનો કિમિયો એ આપણો જિંદગી પ્રત્યેનો અભિગમ છે.

સામાન્ય રીતે મનુષ્યના જીવન પ્રત્યેના અભિગમની વાત કરીએ અને તેમાં પણ બાળઉછેરની વાત કરીએ ત્યારે તમે બાળકની પરવરીશ દરમ્યાન આવું કંઈક સાંભળતા હશો..

‘બહુ જિદ્દી છે, તેના પપ્પા પર ગયો છે.‘

‘જો એક વારમાં નહિં માને તો બાથરૂમમાં પૂરી દઈશ.‘

‘સરખો બેસ, આ તારા બાપનો બગીચો નથી.’

‘સાવ ડોબો જ રહ્યો, કંઈ ઉકાળવાનો નથી, માથે પડયો છે.’

‘ચાલ આટલું કરી લે, એટલે આજે તારા માટે આઈસ્ક્રીમ.’

‘હાર્દિક.... કયાં મરી ગયો....’

‘ગધેડાને સમજ જ નથી પડતી, કહું છું કે ભણવા બેસ. આવા દે આજે તારા પપ્પાને...’

‘રવીન્દ્રને જો, તેના જેવો થા... તારા બાપનું નામ ડુબાડવાનો છે...’

‘મોબાઈલમાંથી માથું ઉંચું કર..’

‘બધે જ મોડો... કયારેક તો સમય પર કામ કર.’

‘સાવ ડરપોક છે.. ’

આપ જયારે આ વાંચી રહ્યા છો તો બની શકે કે ઉપરોકત માંથી કોઈ એક આવું વાકય અથવા તેના જેવું તમે પણ તમારા માટે સાંભળ્યું હોય, અથવા આપણે આપણાં જ બાળકો માટે તેનો દુરુપયોગ કરતા હોઈએ. આવા ઘણાં બધાં વાકયો રોજબરોજની જિંદગીમાં બાળકની સાથેના વ્યવહારમાં અભાનપણે બોલાતાં હોય છે.

આપણે આપણાં બાળકોને જે પણ બોલીએ છીએ તે ફકત શબ્દો નથી, તે આપણી જિંદગીને જોવાના નજરિયાનો એક ભાગ છે, જો તેનું વિશ્ર્લેષણ કરવામાં આવે તો તેની પાછળ આપણી માન્યતાઓ, અનુભવ, લાગણીઓ વગેરે છુપાયેલાં હોય છે. તે સકારાત્મક પણ હોઈ શકે અને નકારાત્મક પણ હોઈ શકે. તે સમજવા એક ઉદાહરણ જોઈએ..

દા.ત. પ્રિય વાચક, માની લો કે તમારી પોતાની પરીક્ષા થઈ અને તમારા ૭૫ ટકા આવ્યા, જે પાછલી પરીક્ષા વખતે ૬૫ ટકા હતા. અને આ વખતે તમારી સાથે ભણતા તમારા મિત્ર રોહિતના ૮૫ ટકા આવ્યા.

હવે તમે તમારા મા બાપ પાસે આ રીઝલ્ટ લઈને જાઓ છો.. ઘરે જતાંની સાથે જ એક બાળક તરીકે તમે એમ સાંભળો છો કે ‘ રોહિતના કેટલા આવ્યા?... અને તું રોહિત જેટલા ન લાવી શકયો...’

અથવા

ઘરે જતાંની સાથે જ એક બાળક તરીકે તમે એમ સાંભળો છો કે ‘વાહ, આ વખતે ૧૦ ટકા વધુ માર્કસ લાવ્યો... વેરી ગુડ... તું કરી શકે છે દીકરા..’

ઉપરોકત બંને ધટનાઓમાં તમારા મત પ્રમાણે તમારા મા બાપનું વલણ તમને કેવું લાગે છે ?.... સકારાત્મક કે નકારાત્મક ?

જે પણ જવાબ આવે તે તમારાં મા બાપનો તમારું મૂલ્યાંકન કરવાનો અભિગમ છે.

આ અભિગમ જ બાળકની દુનિયા બનાવે છે કે બગાડે છે.

પેરેન્ટસ બનવાની સાથે સાથે આપણે એક માનવ પણ છીએ તે ન ભૂલવું જોઈએ. આપણી આસપાસની દુનિયા, પતિ પત્ની તરીકેના આપણા સંબંધો, જે તે પરિસ્થિતિમાં આપણું માનસિક સંતુલન – અસંતુલન, આપણી સંગત, આપણી ટેવો, આપણી રોજબરોજની કાર્યશૈલી અને વ્યવહાર, આપણો અંહકાર, આપણો ભૂતકાળ અને તેમાં થયેલા અનુભવો, જિંદગી પાસેથી આપણી પોતાની અપેક્ષાઓ વગેરે બાબતો આપણી જિંદગીનો અભિગમ નક્કી કરતી હોય છે.

આપણો પેરેન્ટસ તરીકેનો અભિગમ જ બાળકને વધુ અસર કરતો હોય છે.

પેરેન્ટસ સાથેના જાહેર સંવાદોમાં મેં એવું સાંભળ્યું છે કે ‘અમે બાળક તરીકે જે ભોગવ્યું છે તે અમે અમારા બાળકોને અનુભવ કરાવવા માંગતા નથી. એટલે અમે એમને બધી જ સગવડ પૂરી પાડીશું... જેથી તેમને કોઈ તકલીફ ન પડે’ આ અભિગમને તમે શું કહેશો ? મા બાપ તરીકે તમારી લાગણી બરોબર છે પણ જીવનના વિકસવાના સિદ્ધાંતને તે અનુરૂપ છે ?

માનવ ઘડતરનો એક મહત્વનો સિદ્ધાંત એ છે કે ‘There is no Gain without Pain” આ સિદ્ધાંત અસ્તિત્વની તમામ બાબતોને લાગુ પડે છે. તે આપણે સમજવું જરૂરી છે.

અહીં એક પ્રશ્ન પૂછવાનું મન થાય કે જો પતંગિયાને કોશેટામાંથી બહાર આવવા માટે તમે આંગળીથી મદદ કરો તો શું થશે ? તે કેટલું જીવશે ? શું તે ઊડી શકશે ? આનો જવાબ જ આપણો અભિગમ છે.

આપણે એ સમજવું અને જોવું જોઈએ કે બાળક જે તે પરિસ્થિતિમાં જાતે જ રસ્તા શોધી ક્ષમતા કેળવે જેથી તેનો પોતાનો આત્મવિશ્વાસ અને આત્મ ગૌરવ વધે અને લાગણીનું સંતુલન કેળવતા શીખે.

દરેક વ્યક્તિ ધારે તો પોતાનો અભિગમ બદલી શકે છે, મા બાપ પણ... આપણે એ યાદ રાખવું જોઈશે કે શીખવાની કોઈ ઉંમર હોતી નથી.. આપણું બાળક જેમ એક વર્ષ નું થાય તેમ મા બાપ તરીકે આપણી ઉંમર પણ એક વર્ષની જ હોય છે તેથી બાળક જેમ પોતાની ઈન્દ્રિયો દ્વારા દુનિયાને સમજવાનો અને નવું શીખવાનો પ્રયત્ન કરે છે તેમ મા બાપ તરીકે આપણે પણ તેમ જ કરવું જોઈએ.

વડીલો પાસેથી ડહાપણ શીખીએ, બાળઉછેરના પુસ્તકોનું વાંચન કરીએ, પેરેન્ટીંગના કોઈ કોર્સમાં જોડાઈએ, ચર્ચા સભાઓમાં ભાગ લઈએ, બ્લોગ જોઈએ, યુ ટયુબ પર તેને લગતા વિડીયો જોઈએ... અને તેને આપણા આચરણમાં ઉતારવાનો પ્રયત્ન કરીએ.

આપણે કાચબા અને સસલાની વાર્તા પરથી જાણીએ જ છીએ કે “Slow and Steady wins the Race”

આપ સૌ ને બાળકોનાં માતા પિતા તરીકેની સર્વોચ્ચ પદવી માટે શુભકામનાઓ, અને હા અને એ યાદ રાખીશું કે બાળકની એકઝામ કરતાં બાળક વધુ મહત્વનું છે.

વૈભવ પરીખ.

Want your school to be the top-listed School/college in Surat?

Click here to claim your Sponsored Listing.

Location

Telephone

Website

Address


Mota Varachha
Surat
394101