06/02/2016
શિક્ષકો ઉપર થતા ખોટા કેસો સામે કંઈ પગલા લેવામાં આવે તો સારું ....સત્ય જાણીયા વગર કોઈને સજા કરવી તે પણ એક અપરાધ છે..આજે શિક્ષકને હાલતા ચાલતા દરેકનું અપમાન સહન કરવું પડે છે...જે શિક્ષકોએ સમાજને મહાન વ્યક્તિઓ આપીયા, બાળકોને પ્રાર્થના, નમન કરવાના ,મર્યાદા જેવા ગુણ આપીયા આજે તેના ઉપર જ કેસો કરવામાં આવે છે... હા ...100 માંથી 5 ટકામાં શિક્ષકો વાંક હશે પણ તેનો એતો મતલબ નથી ને કે શિક્ષકોને બાંધી દેવા ....કાયદો એવો બનાવો જેથી સમાજને સારા ફાયદા થાય તેના ગેરલાભનો ઉપયોગ ન કરે... આજે સજા ન કરવાના કાયદા પાછળ અનેક લોકો,વિધાર્થીઓ શિક્ષકોને હેરાન કરતા થયા છે... જો આમને આમ ચાલશે તો કોઈ શિક્ષક પોતાની માન મર્યાદા જાળવી નહીં શકે ..અને અંતે કા તો તે નોકરી કરવા ખાતર કરશે કે પછી શિક્ષક મળવાના જ બંધ થઈ જશે...આજે ભારતની જો કંઈ પણ સંસ્કૃતિ જાળવી હોય તો તેમાં મહત્વનો ફાળો શિક્ષકોનો જ છે....જો તમારે બાળકને સુધારવું હોય કે વ્યવસ્થિત કામ લેવું હોય તો શું કરવું તે પણ આજે એક પ્રશ્ન ઉભો થયો છે... વિદેશના કાયદાઓને ભારતમાં લાવવામાં આવિયા છે તો મને તો લાગે છે કે ટૂંક સમયમાં ભારતને પણ વિદેશ બનતા વાર નહિ લાગે..અને તેની સજા જરૂર તમારે, મારે , સમાજને તો ભોગવી જ પડશે પણ વધારે બાળકોના માં બાપને ભોગવી પડશે....આજે સરકારી અધિકારી ઉપર તરત fri નહિ કરવાની વાતો આવી છે ...તો પછી આ વાત શિક્ષકો માટે કેમ વિચારવામાં આવતી નથી... આ દેશના નેતાઓ , અધિકારીઓ અને પોલીસવાળાઓ જેટલા ખોટા કાર્ય કરે છે તેના કરતા તો કદાચ શિક્ષકો તો બિચારા શું કરવાના...જ્યાં પોચું હોય ત્યાં આંગળી ખુતાડાય ઈ કહેવત સાચી બનતી લાગે છે....વાંક આમ જોવો તો આપડો જ છે કારણકે આપણામાં જ એકતા નથી અને આપણે ગામને એકતાના પાઠ ભણાવી છીએ...કોઈ એક શિક્ષક કે સંચાલક સાથે ખોટું થાય તો આપણે એવું માનીએ છીએ કે આપણાથી શું થાય કે પછી આપણે શું ....હજી કહેવું તો ઘણું છે પણ તમે વાંચી નહિ શકો , અને બધું લખી પણ ન શકાય કારણકે લાગણી હોય તે લખી ન શકાય ... હા અંતે એટલું કહું કે હવે તો એક થાવ શિક્ષકો અને સંચાલકો...અન્યાય સામે અવાજ ઉપાડો...અને શિક્ષકોની તાકાત તો બતાવો ... સમાજ સુધારો છો ક્યારેક કાયદા સુધારવાના કામ પણ કરી જુવો નહિ તો દેશ અને સમાજની જે દૂર દશા થશે તેમાં આપણે પણ જવાબદાર રહેશું.....
વંદે માતરમ.....
જય જવાન ....જ્ય કિશાન
લી. એક શિક્ષક...