20/12/2025
વિદ્યામંદિર સોસાયટી સંચાલિત શશીકલાબેન હીરાલાલ દોરીવાલા બાલભવન અને રામલાલ બગડીયા પ્રાથમિક શાળાનો વર્ષ ૨૦૨૫નો *આનંદોત્સવ* સાંસ્કૃતિક કાર્યક્રમ સંજીવ કુમાર ઓડોટેરીયમ ખાતે આયોજન કરવામાં આવ્યો હતો. આ પ્રોગ્રામ રાખવા પાછળનો મુખ્ય ઉદ્દેશ બાળકોનો આત્મવિશ્વાસ ,ટીમવર્ક ,શિસ્ત સર્જનાત્મક ક્ષમતાઓનો વિકાસ અને સર્વાંગી વિકાસ થાય. તેમજ તેમની પ્રતિભાઓનો વિકાસ થાય તેઓ હતો . આ કાર્યક્રમ સફળ બનાવવામાં ટ્રસ્ટીગણ, મહેમાનશ્રીઓ, શિક્ષકમિત્રો, વાલીઓ અને વિદ્યાર્થી ગણનો રંગીન મેળો જોવા મળ્યો હતો. તમામ મહેમાનશ્રી એ અને વાલીશ્રીઓ એ કાર્યક્રમના વખાણ કર્યા હતા. તેમજ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળા પરિવાર દરેક બાળકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે.
12/12/2025
શાળાના વાર્ષિકોત્સવ ' આનંદોત્સવ- ૨૦૨૫' સંજીવકુમાર ઓડોટિરિયમ , પાલ, રાખવામાં આવ્યો હતો. તેમાં નર્સરી થી ધોરણ ૮ સુધીના બાળકોએ આનંદથી ભાગ લીધો હતો. તેમજ કૃતિમાં વાલીઓએ અને શિક્ષિકા બહેનો એ પણ ભૂમિકા ભજવી હતી. મુખ્ય મહેમાન તરીકે શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી ડૉ. પરેશ મહેતા ( MD, medicine) , બીનાબેન ગજ્જર, સંસ્થાના વડીલો , આચાર્યએ હાજરી આપી હતી. શાળા પરિવાર વાલીઓના સાથ સહકાર બદલ આભાર વ્યક્ત કરે છે.
15/10/2025
શાળાના બાળકોએ દિવાળી કાર્ડ બનાવવા, રંગોળી અને તોરણ બનાવવાની સ્પધૉમાં ભાગ લીધો હતો.
13/10/2025
આજે શાળાના ધોરણ 1 થી 4 ના બાળકોને કાગળ કામની પ્રવૃત્તિ કરાવવામાં આવી તેમાં દરેક બાળકે ઉત્સાહથી ભાગ લીધો. તેમજ નવી નવી કૃતિઓ બનાવી.
13/10/2025
શનિવારે બાળકોને નાસ્તામાં અલગ અલગ પ્રકારના ફ્રુટ લાવવા માટે કહેવામાં આવ્યું હતું. તેમજ બાળકો સાથે બેસીને ફ્રૂટ્સ નો આનંદ લીધો હતો.
13/10/2025
શાળાના ધોરણ 1 થી 4 ના બાળકોને મુવી બતાવી અને બાળકો મુવી જોતા જોતા પોપકોર્ન નો આનંદ લીધો.
02/09/2025
ધોરણ ૧થી ૪ ના બાળકો ને ગણેશ પૂજા કરાવી. બાળકો ઘરેથી પ્રસાદ લાવેલા તે દરેક બાળકોને આપી.આરતી અને થાળ ગવડાવી.