AKPS - Talala

AKPS - Talala An innovative school of Talala- Gir Somnath Always trying for better

શ્રી આંકોલવાડી કન્યા પ્રા.શાળાના ધોરણ 5માં અભ્યાસ કરતી દીકરી રાણપરિયા જાનવીના પિતાશ્રી *રાણપરિયા પ્રવિણભાઈ* દ્વારા શાળાન...
09/04/2026

શ્રી આંકોલવાડી કન્યા પ્રા.શાળાના ધોરણ 5માં અભ્યાસ કરતી દીકરી રાણપરિયા જાનવીના પિતાશ્રી *રાણપરિયા પ્રવિણભાઈ* દ્વારા શાળાના તમામ વર્ગખંડો માટે 9 દિવાલ ઘડિયાળનું ઉદાર હૃદયથી દાન આપવામાં આવ્યું છે. આપનો આ સહયોગ શાળાના શૈક્ષણિક વાતાવરણને વધુ સુવ્યવસ્થિત અને સમયબદ્ધ બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.

આપનો આ સુંદર પ્રયત્ન માત્ર ભૌતિક સહાય પૂરતો નથી, પરંતુ વિદ્યાર્થીઓમાં સમયની કદર અને શિસ્તનું મહત્વ સમજાવવામાં પણ મદદરૂપ બનશે. શાળા પરિવાર આપના આ સેવાભાવી કાર્ય માટે દિલથી આભાર વ્યક્ત કરે છે.

*ભગવાન આપને અને આપના પરિવારને સદાય સુખ, સમૃદ્ધિ અને આરોગ્ય આપે તેવી શાળા પરીવાર વતી શુભેચ્છાઓ*

શ્રી આંકોલવાડી કન્યા પ્રાથમિક શાળા, તા. તાલુકા તાલાલા, જીલ્લો ગીર સોમનાથ ખાતે રાણી લક્ષ્મીબાઈ આત્મરક્ષા પ્રોજેક્ટ અંતર્ગ...
08/04/2026

શ્રી આંકોલવાડી કન્યા પ્રાથમિક શાળા, તા. તાલુકા તાલાલા, જીલ્લો ગીર સોમનાથ ખાતે રાણી લક્ષ્મીબાઈ આત્મરક્ષા પ્રોજેક્ટ અંતર્ગત ધોરણ 6 થી 8ની કન્યાઓ માટે વિશેષ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ દ્વારા વિદ્યાર્થીનીઓને આત્મરક્ષા અંગે પ્રાયોગિક અને માનસિક સજ્જતા પ્રદાન કરવામાં આવી, જેથી તેઓ પોતાના સુરક્ષા માટે આત્મવિશ્વાસ સાથે આગળ વધી શકે. તાલીમ દરમિયાન વિવિધ કૌશલ્યો, તકનીકો અને સંજોગોમાં યોગ્ય પ્રતિસાદ આપવાની રીતો શીખવવામાં આવી હતી.

કાર્યક્રમના અંતે સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ કરનાર તમામ કન્યાઓને સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે શાળાના શિક્ષકો અને સ્ટાફે વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહિત કરી તેમની ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી. આ પ્રોજેક્ટ કન્યાઓના સર્વાંગી વિકાસ અને સુરક્ષા જાગૃતિ માટે મહત્વપૂર્ણ પગલું સાબિત થયો છે.

આજ રોજ શ્રી આંકોલવાડી કન્યા પ્રા.શાળામા બાળકોના સર્વાંગી વિકાસ,શૈક્ષણિક બાબતોની ચર્ચા, શાળા વિકાસ સંદર્ભે,તેમજ કુદરતી કે...
21/02/2026

આજ રોજ શ્રી આંકોલવાડી કન્યા પ્રા.શાળામા બાળકોના સર્વાંગી વિકાસ,શૈક્ષણિક બાબતોની ચર્ચા, શાળા વિકાસ સંદર્ભે,તેમજ કુદરતી કે કૃતિમ જોખમો સામે સલામતી રૂપે લેવાના પગલાં,વગેરે બાબતોની વિગતે ચર્ચા કરવા માટે વાલી મીટીંગ અને SMC બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

આજ રોજ શ્રી આંકોલવાડી કન્યા પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી ખૂબ જ ઉત્સાહ અને ગૌરવ સાથે કરવામાં આવી હતી. ક...
24/01/2026

આજ રોજ શ્રી આંકોલવાડી કન્યા પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી ખૂબ જ ઉત્સાહ અને ગૌરવ સાથે કરવામાં આવી હતી. કાર્યક્રમનો મુખ્ય હેતુ બાલિકાઓમાં આત્મવિશ્વાસ, જાગૃતિ અને સશક્તિકરણનો સંદેશ પહોંચાડવાનો હતો. આ પ્રસંગે શાળાના શિક્ષક શ્રી તારપરા સાહેબ દ્વારા વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી અને માહિતીસભર માર્ગદર્શન આપવામાં આવ્યું.

શ્રી તારપરા સાહેબે પોતાના વક્તવ્યમાં ઇતિહાસના વિવિધ યુગોથી લઈને આજના આધુનિક સમયમાં સ્ત્રીઓની મહત્વપૂર્ણ ભૂમિકા વિશે વિસ્તૃત માહિતી આપી. તેમણે સમજાવ્યું કે પ્રાચીન સમયથી જ સ્ત્રીઓ સમાજના વિકાસમાં મુખ્ય યોગદાન આપતી આવી છે. સ્વાતંત્ર્ય સંગ્રામમાં હોય કે સામાજિક સુધારણા આંદોલનમાં, શિક્ષણ ક્ષેત્રમાં હોય કે વિજ્ઞાન અને રમતગમતમાં — સ્ત્રીઓએ પોતાની પ્રતિભા અને શક્તિનો ઉત્તમ પરિચય આપ્યો છે.

તેમણે સ્ત્રી સશક્તિકરણનું મહત્વ સમજાવતા જણાવ્યું કે શિક્ષિત દીકરી પરિવાર, સમાજ અને રાષ્ટ્રના વિકાસનો મજબૂત પાયો બને છે. કન્યા કેળવણી માત્ર દીકરીના ભવિષ્યને ઉજ્જવળ બનાવતી નથી, પરંતુ સમગ્ર સમાજમાં પ્રગતિનો માર્ગ ખોલે છે. દીકરીઓએ પોતાના હક્કો અને તકો વિશે જાણવું અત્યંત જરૂરી છે, જેથી તેઓ આત્મનિર્ભર બની શકે.

વક્તવ્ય દરમિયાન શ્રી તારપરા સાહેબે દીકરીઓ અને સ્ત્રીઓ માટે સરકાર દ્વારા અમલમાં મૂકાયેલી વિવિધ યોજનાઓ , શૈક્ષણિક સહાય યોજનાઓ, આરોગ્ય અને સુરક્ષા સંબંધિત યોજનાઓ વિશે પણ માહિતી આપી. તેમણે બાલિકાઓને પ્રોત્સાહિત કરતાં જણાવ્યું કે તેઓ સપના જુએ અને તેને સાકાર કરવા માટે નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરે.

કાર્યક્રમ અંતે બાલિકાઓમાં નવી ઊર્જા, આત્મવિશ્વાસ અને પ્રેરણાનો સંચાર થયો હતો. રાષ્ટ્રીય બાલિકા દિવસની આ ઉજવણી બાલિકાઓ માટે જાગૃતિ અને પ્રેરણાનું સશક્ત માધ્યમ સાબિત થઈ હતી.




આજ રોજ શ્રી સ્વામી નારાયણ મંદીર - આંકોલવાડી ગીર દ્વારા આયોજિત *શ્રીમદ્ ભાગવત સપ્તાહ પારાયણ* મા શ્રી આંકોલવાડી કન્યા શાળા...
10/01/2026

આજ રોજ શ્રી સ્વામી નારાયણ મંદીર - આંકોલવાડી ગીર દ્વારા આયોજિત *શ્રીમદ્ ભાગવત સપ્તાહ પારાયણ* મા શ્રી આંકોલવાડી કન્યા શાળાના તમામ બાળકો સહિત,સ્ટાફ પરીવારને પણ કથાનું શ્રવણ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું,તમામ બાળકોને બેસવા માટેની પણ આયોજક ટીમ દ્વારા ખૂબ સુંદર વ્યવસ્થા કરી આપવામાં આવી હતી,સાથે ખૂબ સ્નેહથી, પ્રસાદી લેવા માટે સુંદર વ્યવસ્થા કરી આપવામાં આવી હતી.

આ તકે શ્રી આંકોલવાડી કન્યા શાળા પરીવાર,શાળાને આમંત્રણ આપવા બદલ,અને બાળકો માટે સુંદર આયોજન કરવા બદલ સમગ્ર આયોજક ટીમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે.

*શ્રી આંકોલવાડી કન્યા પ્રાથમિક શાળા* ના સમગ્ર સ્ટાફ પરિવાર માટે આજરોજ એક ભાવનાત્મક અને સ્મરણિય દિવસ રહ્યો. અમારી શાળાના ...
05/01/2026

*શ્રી આંકોલવાડી કન્યા પ્રાથમિક શાળા* ના સમગ્ર સ્ટાફ પરિવાર માટે આજરોજ એક ભાવનાત્મક અને સ્મરણિય દિવસ રહ્યો. અમારી શાળાના કર્તવ્યનિષ્ઠ, સેવાભાવી અને પ્રેમાળ શિક્ષિકા બેનશ્રી મીન્ટુબેન ડેડાણીયાની બદલી થતા, શાળા પરિવાર વતી એક સન્માનીય વિદાય કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માત્ર વિદાય નહીં પરંતુ મિન્ટુબેન પ્રત્યેના આદર, પ્રેમ અને કૃતજ્ઞતાનો એક અભિવ્યક્તિરૂપ અવસર હતો.

વિદાય પ્રસંગે મિન્ટુબેન દ્વારા શાળાના તમામ બાળકોને આત્મીયતા પૂર્વક ભજીયા ખવડાવવામાં આવ્યા, બાળકો પ્રત્યેનો તેમનો આ સ્નેહ અને લાગણી,તેમની બાળકો અને શાળા પ્રત્યેની સાચી સમર્પણ ભાવનાનો સુંદર દાખલો છે. ઉપરાંત, મિન્ટુબેન તરફથી શાળાને રૂ. 11,000/- નું અનુદાન આપવામાં આવ્યું, જે તેમના શાળા પ્રત્યેના લગાવ અને જવાબદારીભાવને સ્પષ્ટ કરે છે.

મિન્ટુબેન માત્ર શિક્ષિકા તરીકે નહીં પરંતુ એક સજ્જન, સહકારભાવી અને સંવેદનશીલ વ્યક્તિત્વ તરીકે શાળાના દરેક સભ્યના હૃદયમાં સ્થાન પામ્યા છે. તેમણે શાળામાં આપેલી સેવા દ્વારા અનેક વિદ્યાર્થીઓના જીવનમાં ઉજાસ પાથર્યો છે. તેમનો નમ્ર સ્વભાવ, સતત કાર્યપ્રતિ નિષ્ઠા અને બાળકો પ્રત્યેનો પ્રેમ દરેક માટે પ્રેરણાસ્રોત રહ્યો છે.

શાળા પરિવાર મિન્ટુબેનના આ ઉદાર અને ઉત્તમ કાર્ય બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે અને નવી શાળામાં તેમને સુખદ, સફળ અને સંતોષભર્યું ભવિષ્ય મળે તેવી હાર્દિક શુભેચ્છાઓ પાઠવે છે. તેઓ જ્યાં જાય ત્યાં શિક્ષણ, સંસ્કાર અને સેવા નો દીપ પ્રગટાવતા રહે — એવી શુભકામનાઓ સાથે શુભેચ્છા પાઠવીએ છે..

શ્રી સમસ્ત આંકોલવાડી ગીર પરિવાર, સુરત દ્વારા આયોજિત"માણસાઈનો મેળો–૨૩, સ્નેહમિલન અને માનવ વિકાસ મહોત્સવ – ૨૦૨૫" કાર્યક્રમ...
28/12/2025

શ્રી સમસ્ત આંકોલવાડી ગીર પરિવાર, સુરત દ્વારા આયોજિત
"માણસાઈનો મેળો–૨૩, સ્નેહમિલન અને માનવ વિકાસ મહોત્સવ – ૨૦૨૫" કાર્યક્રમના ઉપક્રમે,
શ્રી આંકોલવાડી કન્યા પ્રા.શાળાના કર્મનિષ્ઠ તથા સેવાભાવી શિક્ષકશ્રી નિશાંતભાઈ મહેતાનું શાળામાં તેમજ સંસ્કૃત વિષયમાં આપેલી ઉત્તમ કામગીરીના ઉપલક્ષમાં વિશેષ સન્માન કરવામાં આવ્યું — તે શાળા પરિવાર માટે ગૌરવની ક્ષણ છે.
આ સન્માન બદલ શિક્ષકશ્રી નિશાંતભાઈ મહેતાને શ્રી આંકોલવાડી કન્યા પ્રા.શાળા પરિવાર વતી હાર્દિક અભિનંદન તથા શુભેચ્છાઓ પાઠવીએ છીએ. 🌼
સાથે સાથે, આ સુંદર કાર્યક્રમના સફળ આયોજન બદલ
આંકોલવાડી ગીર પરિવાર, સુરત મુકામની સમગ્ર ટીમ —
શ્રી અરવિંદભાઈ હિરપરા, પ્રમુખશ્રી વિપુલભાઈ, મંત્રીશ્રી અલ્પેશભાઈ તેમજ તમામ સભ્યોનો
શ્રી આંકોલવાડી કન્યા પ્રા.શાળા પરિવાર હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે.
આવો સહયોગ અને પ્રોત્સાહન શિક્ષણક્ષેત્રે નવી ઊર્જા અને પ્રેરણા આપે છે — તે માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. 🙏🌸









#માનવવિકાસમહોત્સવ
#માણસાઈનોમેળો
#શિક્ષકસન્માન



Address

Somnath
362150

Opening Hours

Monday 10:30am - 5pm
Tuesday 10:30am - 5pm
Wednesday 10:30am - 5pm
Thursday 10:30am - 5pm
Friday 10:30am - 5pm
Saturday 8am - 11am

Telephone

+918866317440

Alerts

Be the first to know and let us send you an email when AKPS - Talala posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to AKPS - Talala:

Shortcuts

Share

Category