Vidyamanjari Gnanpith - Sanskruti School - Sihor

Vidyamanjari Gnanpith - Sanskruti School - Sihor Vidya Pre School, Std. 1 to 10 & Std. 11-12 (Arts/Commerce/Science)

HSC (વિજ્ઞાન પ્રવાહ) Feb/March - 2026 માં ઉચ્ચ ગુણાંક પ્રાપ્ત કરતા તેજસ્વી તારલાને ખૂબ -ખૂબ અભિનંદન
08/05/2026

HSC (વિજ્ઞાન પ્રવાહ) Feb/March - 2026 માં ઉચ્ચ ગુણાંક પ્રાપ્ત કરતા તેજસ્વી તારલાને ખૂબ -ખૂબ અભિનંદન

HSC (સામાન્ય પ્રવાહ) Feb/March - 2026 માં ઉચ્ચ ગુણાંક પ્રાપ્ત કરતા તેજસ્વી તારલાને ખૂબ -ખૂબ અભિનંદન
08/05/2026

HSC (સામાન્ય પ્રવાહ) Feb/March - 2026 માં ઉચ્ચ ગુણાંક પ્રાપ્ત કરતા તેજસ્વી તારલાને ખૂબ -ખૂબ અભિનંદન

SSC Feb/March - 2026 માં ઉચ્ચ ગુણાંક પ્રાપ્ત કરતા તેજસ્વી તારલાને ખૂબ -ખૂબ અભિનંદન
08/05/2026

SSC Feb/March - 2026 માં ઉચ્ચ ગુણાંક પ્રાપ્ત કરતા તેજસ્વી તારલાને ખૂબ -ખૂબ અભિનંદન

" સંસ્કૃતિ સ્કૂલ,વિદ્યામંજરી જ્ઞાનપીઠ કેમ્પસ, સિહોર ફેબુઆરી/માર્ચ 2026 ધોરણ 10ના વિધાર્થીઓએ સિહોર કેન્દ્રમાં ઝળહળતુ પરિણ...
06/05/2026

" સંસ્કૃતિ સ્કૂલ,વિદ્યામંજરી જ્ઞાનપીઠ કેમ્પસ, સિહોર ફેબુઆરી/માર્ચ 2026 ધોરણ 10ના વિધાર્થીઓએ સિહોર કેન્દ્રમાં ઝળહળતુ પરિણામ પ્રાપ્ત કર્યું .”

સિહોર શહેરની નામાંકિત શૈક્ષણિક સંસ્થા સંસ્કૃતિ સ્કૂલ,વિદ્યામંજરી જ્ઞાનપીઠ કેમ્પસમાં અભ્યાસ કરતાં ધોરણ 10 ના વિધાર્થી કે જેવોનું આજે પરિણામ જાહેર થયું.આ પરિણામ માં ગુજરાત બોર્ડ નું 83.86 % પરિણામ,ભાવનગર કેન્દ્રનું 86.06 % પરિણામ, શિહોર કેન્દ્રનું 89.00 % પરિણામ આવેલ છે.જ્યાંરે દર વર્ષ ની જેમ આ વર્ષે પણ વિદ્યામંજરી જ્ઞાનપીઠ, સંસ્કૃતિ સ્કૂલનું 94.68 % પરિણામ આવેલ છે. જેમાં સતત બીજા વર્ષે ૫ણ સ્ટાર ક્લાસનું ૫રિણામ 100% આવેલ છે. તેમજ 95%Tile થી વધુ પ્રાપ્ત કરતાં વિધાર્થીઓ 12, 90%Tile થી વધુ પ્રાપ્ત કરતાં વિધાર્થીઓ 22, 85%Tile થી વધુ પ્રાપ્ત કરતાં વિધાર્થીઓ 32, 80%Tile થી વધુ પ્રાપ્ત કરતાં વિધાર્થીઓ 42 તેમજ મુખ્ય વિષયમાં A1 ગ્રેડ માં 83 વિધાર્થી,A2 ગ્રેડ માં 146 વિધાર્થી, તેમજ ઓલઓવર A1/A2 ગ્રેડ માં 33 વિધાર્થી, B1/B2 ગ્રેડ માં 43 વિધાર્થીઓ એ ઝળહળતુ પરિણામ પ્રાપ્ત કરેલ છે,જેમાં
(1) ખમળ અભિષેક વાશીંગભાઈ - 99.94% પર્સનટાઇલ સાથે A1 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે.જે સિહોર કેન્દ્રમાં પ્રથમ ક્રમાંકે તેમજ શાળામાં પ્રથમ ક્રમાંકે આવેલ છે.
(2) ચૌહાણ ધૈર્ય નિતીનભાઈ - 99.2૦% પર્સનટાઇલ સાથે A1 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે
(3) ચુડાસમા દર્શનકુમાર કિશોરભાઈ - 98.38% પર્સનટાઇલ સાથે A1 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે
(4) સરવૈયા નયન ધીરૂભાઈ - 98.38 % પર્સનટાઇલ સાથે A1 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે
(5) મકવાણા પ્રિન્સ રાકેશભાઈ - 97.89% પર્સનટાઇલ સાથે A1 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે
(6) પરમાર વંદનાબેન જસવંતભાઈ - 97.63% પર્સનટાઇલ સાથે A1 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે,
(7) ભલાણી તીર્થ સંદીપભાઈ - 97.49% પર્સનટાઇલ સાથે A1 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે,
(8) રાવ મૈત્રી નિલેશભાઈ - 97.36 % પર્સનટાઇલ સાથે A1 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે,
(9) ગોહિલ સત્યજીતસિંહ રણજીતસિંહ- 96.36 % પર્સનટાઇલ સાથે A1 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે,
(10) પંડ્યા રૂદ્ર નીતિનભાઈ-96.36 % પર્સનટાઇલ સાથે A1 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે,
(11) વ્યાસ શુભમ આશિષભાઇ - 95.90 % પર્સનટાઇલ સાથે A1 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે,
તેમજ ખમળ અભિષેક વાશીંગભાઈએ વિજ્ઞાન અને ગણિત વિષયમાં 100 માંથી 100 ગુણ પ્રાપ્ત કરેલ છે., સરવૈયા નયન ધીરૂભાઈએ વિજ્ઞાન અને સંસ્કૃત વિષયમાં 100 માંથી 100 ગુણ., પંડ્યા રૂદ્ર નીતિનભાઈએ સા.વિજ્ઞાન વિષયમાં 100 માંથી 100 ગુણ. તેમજ ચૌહાણ ધૈર્ય નિતીનભાઈએ વિજ્ઞાન વિષયમાં 100 માંથી 100 ગુણ પ્રાપ્ત કરેલ છે. ઉચ્ચ ગુણાંક પ્રાપ્ત તેજસ્વી વિધાર્થીઓને શાળા ના સંચાલક/ટ્રસ્ટીશ્રી પી.કે.મોરડીયા સાહેબ તેમજ શાળા પરિવારના તમામ સભ્યોએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવતા હર્ષની લાગણી અનુભવેલ છે.

" સંસ્કૃતિ સ્કૂલ,વિદ્યામંજરી જ્ઞાનપીઠ કેમ્પસ, સિહોર ફેબ્રુ/માર્ચ -2026 ધોરણ 12 (સામાન્ય પ્રવાહ)ના વિધાર્થીઓ એ ગુજરાત બોર...
04/05/2026

" સંસ્કૃતિ સ્કૂલ,વિદ્યામંજરી જ્ઞાનપીઠ કેમ્પસ, સિહોર ફેબ્રુ/માર્ચ -2026 ધોરણ 12 (સામાન્ય પ્રવાહ)ના વિધાર્થીઓ એ ગુજરાત બોર્ડમાં ઝળહળતુ પરિણામ પ્રાપ્ત કર્યું .”

સિહોર શહેરની નામાંકિત શૈક્ષણિક સંસ્થા સંસ્કૃતિ સ્કૂલ,વિદ્યામંજરી જ્ઞાનપીઠ કેમ્પસમાં અભ્યાસ કરતાં ધોરણ 12 (સામાન્ય પ્રવાહ) ના વિધાર્થી કે જેઓનું આજે પરિણામ જાહેર થયું.આ પરિણામ માં ગુજરાત બોર્ડ નું 92.71% પરિણામ,ભાવનગર કેન્દ્રનું 92.92 % પરિણામ, શિહોર કેન્દ્રનું 96.22 % પરિણામ આવેલ છે.જ્યાંરે દર વર્ષ ની જેમ આ વર્ષે પણ વિદ્યામંજરી જ્ઞાનપીઠ, સંસ્કૃતિ સ્કૂલનું 97.64 % પરિણામ આવેલ છે જેમાં 95%Tile થી વધુ પ્રાપ્ત કરતાં વિધાર્થીઓ 14, 90%Tile થી વધુ પ્રાપ્ત કરતાં વિધાર્થીઓ 21, 85%Tile થી વધુ પ્રાપ્ત કરતાં વિધાર્થીઓ 27, 80%Tile થી વધુ પ્રાપ્ત કરતાં વિધાર્થીઓ 33 તેમજ મુખ્ય વિષયમાં વિધાર્થી,A1 ગ્રેડ માં 64 વિધાર્થી,A2 ગ્રેડ માં 79 વિધાર્થી, તથા ઓલઓવર A1/A2 ગ્રેડ માં 21 વિધાર્થી અને B1/B2 ગ્રેડ માં 28 વિધાર્થીઓ એ ઝળહળતુ પરિણામ પ્રાપ્ત કરેલ છે,જેમાં
(1) ખમળ તમન્ના વાસિંગભાઈ - 99.31% પર્સનટાઇલ સાથે A1 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે.જે સિહોર કેન્દ્ર ચોથા તથા શાળામાં પ્રથમ ક્રમાંકે આવેલ છે.
(2) વઘાસિયા વિશ્વા દિનેશભાઈ - 99.03% પર્સનટાઇલ સાથે A1 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે ,શાળામાં દ્વિતીય ક્રમાંકે
(3) ગોહિલ જન્મેજયસિંહ ધર્મેન્દ્રસિંહ - 98.92% પર્સનટાઇલ સાથે A1 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે,શાળામાં તૃતિય ક્રમાંકે
(4) સાંબડ જેનીલ ભોજાભાઈ- 98.78% પર્સનટાઇલ સાથે A2 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે શાળામાં ચતુર્થ ક્રમાંકે
(5) શુક્લ કાવ્યા મહાદેવકુમાર - 98.03% પર્સનટાઇલ સાથે A2 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે,શાળામાં પાંચમાં ક્રમાંકે

આ તમામ વિધાર્થી ને શાળા ના સંચાલક/ટ્રસ્ટીશ્રી પી.કે.મોરડીયા સાહેબ તેમજ શાળા પરિવારના તમામ સભ્યોએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવતા હર્ષની લાગણી અનુભવેલ છે.

" સંસ્કૃતિ સ્કૂલ,વિદ્યામંજરી જ્ઞાનપીઠ કેમ્પસ-સિહોર ખાતે ‘’વિદ્યા સંસ્કૃતિ રજત મહોત્સવ’’ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો ભવ્ય મેળા...
02/05/2026

" સંસ્કૃતિ સ્કૂલ,વિદ્યામંજરી જ્ઞાનપીઠ કેમ્પસ-સિહોર ખાતે ‘’વિદ્યા સંસ્કૃતિ રજત મહોત્સવ’’ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો ભવ્ય મેળાવડો અને સાથે જ ફૂડ ટેસ્ટીવલ,ફન ફેર અને ફન મ્યુઝિકલ ઈવેન્ટ જેવા વિવિઘ કાર્યક્રમો યોજાયા.''

સિહોર શહેરની અગ્રણી શૈક્ષણિક સંસ્થા સંસ્કૃતિ સ્કૂલ, વિદ્યામંજરી જ્ઞાનપીઠ કેમ્પસ ખાતે તા. ૦૨-૦૫-૨૦૨૬, શનિવારના રોજ સાંજે ૦૫:૩૦ થી ૧૦:૦૦ વાગ્યા દરમિયાન “વિદ્યા સંસ્કૃતિ રજત મહોત્સવ” નિમિત્તે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો ભવ્ય મેળાવડો તેમજ ફૂડ ફેસ્ટિવલ, ફન ફેર અને મ્યુઝિકલ ઈવેન્ટ જેવા વિવિધ રંગારંગ કાર્યક્રમોનું સફળ આયોજન કરવામાં આવ્યું.આ અવસરે વાલીઓ માટે મહત્વપૂર્ણ વાલી મિટિંગનું આયોજન કરીને વિદ્યાર્થીઓના વાર્ષિક પરીણામોની માહિતી આપવામાં આવી હતી. વર્ષ દરમિયાન વિવિધ સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ૧૦૯ વિદ્યાર્થીઓને મંચસ્થ મહાનુભાવોના વરદહસ્તે શીલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.તદુપરાંત, હાલ વિવિધ ઉચ્ચ પદ પર કાર્યરત ૭૩ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને ખેંસ અર્પણ કરીને ગૌરવપૂર્ણ સન્માન આપવામાં આવ્યું, જે પ્રસંગે ગૌરવ અને લાગણીનો અનોખો માહોલ સર્જાયો.કાર્યક્રમ દરમિયાન ફન ફેર અને મ્યુઝિકલ ઈવેન્ટે વિદ્યાર્થીઓમાં રહેલી સર્જનાત્મકતા અને પ્રતિભાને ઉજાગર કરી. વિદ્યાર્થીઓએ સંગીતના તાલે ડાન્સ કરીને ઉત્સાહભેર ભાગ લીધો હતો. ફૂડ ફેસ્ટિવલમાં વિદ્યાર્થીઓ દ્વારા આશરે ૨૫ જેટલા વિવિધ ખાણી-પીણીના સ્ટોલ્સ ઉભા કરી અવનવી વાનગીઓનો સ્વાદ ઉ૫સ્થિત લોકોએ માણ્યોહતો. નાના બાળકો માટે ખાસ ફ્રી કિડ્ઝ ફન ફેરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ઝુલા, જમ્પિંગ, ચકડોળ અને બંજી જમ્પિંગ જેવી વિવિધ રાઇડ્સનો બાળકોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો. ઉપરાંત, ડોરેમોન, મિકી માઉસ અને અન્ય કાર્ટૂન પાત્રો સાથે બાળકો સેલ્ફી લેતા નજરે પડ્યા, જે સમગ્ર કાર્યક્રમનું આકર્ષણ કેન્દ્ર બન્યું. કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ડો. મનિષકુમાર બંસલ (કલેક્ટરશ્રી, ભાવનગર) ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ ફાઉન્ડર ટ્રસ્ટીશ્રી બાબુભાઈ પવાસિયા, મેનેજિંગ ટ્રસ્ટીશ્રી રાજેશભાઈ દેસાઈ, ટ્રસ્ટીશ્રી હેમેન્દ્રભાઈ મહેતા, ટ્રસ્ટીશ્રી અશોકભાઈ ઉલ્વા, ટ્રસ્ટી તથા સંચાલકશ્રી પી.કે. મોરડિયા, મેનેજમેન્ટના સભ્યો, શાળા પરિવાર,મિલનભાઈ કુવાડિયા(શંખનાદ ન્યૂઝ ચેનલ),મલયભાઈ રામાનુજ(YYP-સિહોર),ડો.શ્રીકાંતભાઈ દેસાઈ તેમજ શહેરના અગ્રણીઓ અને મહાનુભાવો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળા પરિવાર દ્વારા પ્રશંસનીય આયોજન અને મહેનત કરવામાં આવી હતી.

02/05/2026

🕉️
🎥 વિદ્યા સંસ્કૃતિ રજત મહોત્સવ

✨ “જ્યાંથી શરૂઆત… ત્યાં ફરી એકવાર” ✨

📣 આજે સાંજે 5:30 વાગ્યે યોજાનાર આ ભવ્ય અને દિવ્ય કાર્યક્રમમાં
સર્વે વિદ્યાર્થીઓ, વાલીગણ અને સિહોરની જનતાને
સમયસર ઉપસ્થિત રહેવા હાર્દિક નિમંત્રણ પાઠવીએ છીએ.

🙏 આપની હાજરી અમારે માટે ગૌરવરૂપ છે.

01/05/2026
સંસ્કૃતિ સ્કૂલ, વિદ્યામંજરી જ્ઞાનપીઠ-સિહોર તેમજ યુવા યુગ પરિવર્તન સંગઠન દ્વારા આયોજિત સમર કેમ્પના ત્રીજા દિવસે વિદ્યાર્થ...
23/04/2026

સંસ્કૃતિ સ્કૂલ, વિદ્યામંજરી જ્ઞાનપીઠ-સિહોર તેમજ યુવા યુગ પરિવર્તન સંગઠન દ્વારા આયોજિત સમર કેમ્પના ત્રીજા દિવસે વિદ્યાર્થીઓમાં વિશેષ ઉત્સાહ અને ઉર્જાનો માહોલ જોવા મળ્યો. વિવિધ રમતો અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓએ આનંદ સાથે નવી બાબતો શીખવાનો અવસર મેળવ્યો. સમગ્ર કેમ્પ દરમિયાન હર્ષોલ્લાસ અને ઉમંગથી ભરપૂર વાતાવરણ સર્જાયું હતું, જેના કારણે વિદ્યાર્થીઓમાં સહકાર, સ્પર્ધાત્મકતા અને આત્મવિશ્વાસ જેવી ગુણોનો વિકાસ થયો.

સંસ્કૃતિ સ્કૂલ, વિદ્યામંજરી જ્ઞાનપીઠ કેમ્પસ –સિહોર અને યુવા યુગ ૫રિવર્તન  દ્વારા આયોજિત સમર કેમ્પમાં  આજ બીજ દિવસે ૫ણ બા...
22/04/2026

સંસ્કૃતિ સ્કૂલ, વિદ્યામંજરી જ્ઞાનપીઠ કેમ્પસ –સિહોર અને યુવા યુગ ૫રિવર્તન દ્વારા આયોજિત સમર કેમ્પમાં આજ બીજ દિવસે ૫ણ બાળકોએ રમત-ગમતનો આનંદ માણ્યો..

“સંસ્કૃતિ સ્કૂલ, વિદ્યામંજરી જ્ઞાનપીઠ કેમ્પસ દ્વારા સમર કેમ્પનું વિશેષ આયોજન કરાયુ ”સિહોર શહેરની નામાંકિત શૈક્ષણિક સંસ્થ...
21/04/2026

“સંસ્કૃતિ સ્કૂલ, વિદ્યામંજરી જ્ઞાનપીઠ કેમ્પસ દ્વારા સમર કેમ્પનું વિશેષ આયોજન કરાયુ ”

સિહોર શહેરની નામાંકિત શૈક્ષણિક સંસ્થા સંસ્કૃતિ સ્કૂલ, વિદ્યામંજરી જ્ઞાનપીઠ કેમ્પસ દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને પ્રોત્સાહિત કરવા તેમજ રમત-ગમત પ્રત્યે રસ વધારવાના હેતુસર તા. ૨૧-૦૪-૨૦૨૬ થી તા. ૨૪-૦૪-૨૦૨૬ દરમિયાન “સમર કેમ્પ”નું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.આ સમર કેમ્પમાં સિહોર શહેરની વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો છે.આજ રોજ દોરડા કૂદ,કરંટ પોલ,ગોલ બોલિંગ,સંગીત ખુરશી,ફન ગેમ જેવો ઈન્ડોર તથા આઉટડોર ગેમનું આયોજન થયું હતું. ભણતરનાં ભારણ વચ્ચે નાના ભૂલકાઓને માનસિક શાંતિનો અહેસાસ થાય તથા વેકેશન દરમિયાન રમત-ગમત અને સર્જનાત્મક પ્રવૃત્તિઓનો આનંદ માણી શકે તેવા શુભ આશય સાથે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ સંસ્કૃતિ સ્કૂલ અને યુવા યુગ પરિવર્તન સંગઠન-સિહોરના સંયુક્ત ઉપક્રમે યોજાયો છે.આજ રોજ સમર કેમ્પનું વિધિવત ઉદ્ઘાટન રિબન કાપી કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના સંચાલક તથા ટ્રસ્ટીશ્રી પી.કે. મોરડિયા સાહેબ, મલયભાઈ રામાનુજ અને તેમની ટીમના સભ્યો, કેમ્પસ ડિરેક્ટરશ્રી અનિકેતકુમાર રાજ્યગુરુ, આચાર્યશ્રી સંગીતાબેન કોઠડિયા તેમજ સુપરવાઈઝરશ્રી અને શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા.

Address

Alkapuri Society, Rajkot Road
Sihor
364240

Opening Hours

Monday 7am - 6pm
Tuesday 7am - 6pm
Wednesday 7am - 6pm
Thursday 7am - 6pm
Friday 7am - 6pm
Saturday 7am - 5pm

Telephone

+917383188222

Alerts

Be the first to know and let us send you an email when Vidyamanjari Gnanpith - Sanskruti School - Sihor posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Vidyamanjari Gnanpith - Sanskruti School - Sihor:

Shortcuts

Share

Category