14/02/2026
ગોકુલ પબ્લિક સ્કૂલમાં ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ “પરંપરા 2026” નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગોકુલ યુનિવર્સિટીના પ્રમુખ તથા સિદ્ધપુરના ધારાસભ્ય શ્રી બલવંતસિંહજી રાજપૂત સાહેબની ગૌરવપૂર્ણ ઉપસ્થિતી રહી હતી. બાલમંદિરથી લઈને ધોરણ 11 સુધીના વિદ્યાર્થીઓએ 30 થી વધુ સાંસ્કૃતિક કૃતિઓની શાનદાર રજૂઆત કરી , જેમાં સંગીત, નૃત્ય અને નાટ્ય દ્વારા ભારતીય સંસ્કૃતિનો સુંદર પરિચય કરાવ્યો હતો.
આ કાર્યક્રમમાં સંસ્થાના ટ્રસ્ટીશ્રી ભીખીબા રાજપૂત, ડૉ. ચેતનાબા રાજપૂત (ડાયરેક્ટર - એડમીન) અરવિંદસિંહ વાઘેલા (સ્કૂલ ડાયરેક્ટર) પ્રિન્સિપાલશ્રી શ્રીમતિ ગીતાબેન મોદી તેમજ શાળાના તમામ સ્ટાફે ઉમદા આયોજન અને વ્યવસ્થાપન દ્વારા કાર્યક્રમને સફળ અને યાદગાર બનાવ્યો હતો.
આ ભવ્ય પ્રસંગે અંદાજે 1500 જેટલા વાલીઓ અને મહેમાનો ઉપસ્થિત રહ્યા, જેના કારણે સમગ્ર વાતાવરણ ઉત્સાહ અને ગર્વથી છલકાયું હતું.
#પરંપરા2026