01/12/2022
"માનવસેવા એજ પ્રભુ સેવા"
શંખેશ્વર મહાતીર્થ સમીપે આવેલ મોટી ચંદુર ગામે માનવતાના મસીહા પ.પૂ.આ.શ્રીમદ્ વિજય રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાની ૪૮મી દીક્ષા તિથિ નિમિત્તે પ્રેમરત્ન માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ,પ્રેમરત્ન પરીવાર દ્વારા શિયાળાની કડકડતી ઠંડીમાં રક્ષણ મેળવવા માટે શ્રમજીવીઓને ધાબળા વિતરણ કરવામાં આવ્યા હતાં.