18/08/2024
નંદકિશોર વિદ્યામંદિર ના વિદ્યાર્થીઓએ એક અનોખી રીતે રક્ષાબંધનની ઉજવણી કરી બેન ભાઈને રાખડી બાંધે પછી ભાઈ બેન બંને પર્યાવરણને જતનના સંકલ્પ લે અને બંને એક છોડ રોપે અને પ્રકૃતિનું જતન કરશે તો કેવો લાગ્યો અમારા નાના ભૂલકા ઓનો સંકલ્પ કમેન્ટ કરી જણાવો
05/05/2024
રાષ્ટ્ર હિત માટે ૧૦૦% મતદાન
17/02/2024
અત્યારે આ હોટેલ કલ્ચરના જમાનામાં ઘરમાંથી રસોઈ વિસરાતી જાય છે તેવા સમયે શાળાના બાળકોએ વિટામિન થી ભરપૂર એવા સલાડ ની ડીશ ડેકોરેશન કરેલ આ વાત જો ખરેખર ગમી હોય તો મીત્રો અમારા બાલ મીત્રો ને ઉત્સાહ આપવા લાઈક કમેન્ટ કરજો
10/02/2024
વૈજ્ઞાનિક અભિગમ સાથે આકાશ દર્શન કરાવતો પ્રથમ પ્રેકટીકલ પ્રયોગ નો પ્રયાસ આને સાથે બાળકોએ બનાવેલ સૌર મંડળ અને ચંદ્રની કળાઓ તેમજ આકાશમાં દેખાતા તારાઓ વિશેના પ્રોજેક્ટ તૈયાર કર્યા હતા. ખૂબ જ સરસ જ્ઞાન સાથે ગમ્મત અને આકાશ દર્શનનો ધોરણ ચાર થી આઠ સુધીના બાળકોએ લાભ લીધો હતો અને સાથે વિજ્ઞાનના શિક્ષક ને ભાવિનભાઈ દેસાઈ જેણે બાળકોને આકાશ દર્શનમાં અલગ અલગ તારાઓ વિશે માહિતી આપી હતી અને હવે તો આવા કાર્યક્રમો કરવા જ પડશે એવું એક સંસ્થા દ્વારા પણ નક્કી કરવામાં આવ્યું છે કારણ કે પ્રેક્ટીકલ જ્ઞાન સાથે જ બાળકોને સુદ્રઢ માહિતી પૂરી પાડી શકાય .જય જવાન જય કિસાન જય વિજ્ઞાન
28/10/2023
"સ્વચ્છતા એ જ સેવા અભિયાન અંતર્ગત "
રાજકોટ મહાનગરપાલિકા અને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના સંયુક્ત કાર્યક્રમમાં નંદકિશોર વિદ્યામંદિર ની આસપાસ સફાઈ ઝુંબેશ ઉપાડવામાં આવી હતી 🙏💐જેમાં રાજકોટ ના વોર્ડ નં ૧૮ ના કોર્પોરેટર શ્રી સંજયસીહ રાણા કોઠારીયા રોડ સંચાલક મંડળ ના પ્રમુખ પ્રવિણભાઈ ગોંડલીયા તેમજ ઘનશ્યામભાઈ બારસીયા અને નંદકિશોર વિદ્યામંદિર ના ટ્રસ્ટી શ્રી રમેશભાઈ સોરઠિયા અન્ય આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સાથે સાથે શાળા ની મુલાકાત લઈ વિદ્યાર્થીઓએ મિલેટ્સ વર્ષ માં મિલેટધાન વિશે બનાવેલા પ્રોજેક્ટ ની માહિતી મેળવી હતી અને વિદ્યાર્થીઓને ખાસ શુભેચ્છા પણ પાઠવી હતી..✍️