Pilvai College

Pilvai College The college is awarded a prestigious CPE award by UGC. The college is awarded prestigious CPE Status(2nd Phase) by UGC.

SHRI UP ARTS, SMT MG PANCHAL SCIENCE AND SHRI VL SHAH COMMERCE COLLEGE, PILVAI is affiliated with HNGU and accredited with A+(3.45 CGPA) Grade by NAAC in 3rd Cycle. Shri U P Arts, Smt M G Panchal Science and Shri V L Shah Commerce College managed by Uttar-Purva Gujarat Uchcha Kelavani Mandal, PILVAI and affiliated with Hemchandracharya North Gujarat University The college is re-accredited by NAA

C with A Grade(CGPA-3.01). The college is also accredited with A Grade(CGPA-3.04)by KCG, Gujarat Goveronment. Dr Sanjay Shah is the Principal of this College.

સ્ટુડન્ટ સેન્સેટાઈઝેશન પ્રોગ્રામ-SSIP.... તા.30/07/2026આજરોજ પીલવાઈ કોલેજમાં SSIP અંગેનો સ્ટુડન્ટ સેન્સેટાઈઝેશન પ્રોગ્રા...
30/07/2026

સ્ટુડન્ટ સેન્સેટાઈઝેશન પ્રોગ્રામ-SSIP.... તા.30/07/2026
આજરોજ પીલવાઈ કોલેજમાં SSIP અંગેનો સ્ટુડન્ટ સેન્સેટાઈઝેશન પ્રોગ્રામ યોજાઈ ગયો. KCG ના HE PMU SSIP ના એસોસીએટ મેનેજર આરતી પટેલ દ્વારા કોલેજના સેમિનાર હોલમાં હાજર વિદ્યાર્થીઓને એમએસ ટીમ દ્વારા ઓનલાઈન પ્રુફ ઓફ કોન્સેપ્ટ અને પ્રોટો ટાઈપ કેવી રીતે બિલ્ટ કરવા તે અંગે ઊંડી સમજ આપવામાં આવી હતી. સંસ્થા દ્વારા આરતીબેન પટેલનો રસપ્રદ વ્યાખ્યાન આપવા બદલ હાર્દિક આભાર માનવામાં આવ્યો હતો. ઓનલાઇન લેક્ચર બાદ કોલેજના SSIP કો-ઓર્ડીનેટર ડૉ જી જી બારાત દ્વારા વિદ્યાર્થીઓને આ યોજના અંતર્ગત કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા થયેલા કાર્યને જણાવવામાં આવ્યું હતું. કોલેજના આચાર્ય ડો સંજય શાહે વિદ્યાર્થીઓને પોતાના નવીન વિચારો રજૂ કરી તેને ફળીભૂત કરવા SSIPની ગ્રાન્ટનો ઉપયોગ કરવા આહવાન કર્યું હતું. તેઓએ વિદ્યાર્થીઓને કોલેજના અધ્યાપકોની મેન્ટરશીપમાં આગળ વધી પોતાના સ્ટાર્ટઅપ શરૂ કરી તેમાં સફળ થવા પ્રોત્સાહિત કર્યા હતા.
આ પ્રોગ્રામમાં 300 ઉપરાંત વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા.

ડૉ જી જી બારાત
SSIP કો-ઓર્ડીનેટ

ડૉ સંજય શાહ
આચાર્ય
પિલવાઇ કોલેજ

આવકાર સમારોહ : B.Sc Sem - 129 જુલાઈ 2026 ગુરુપૂર્ણિમા ઉત્તર-પૂર્વ ગુજરાત ઉચ્ચ કેળવણી મંડળ, પિલવાઈ સંચાલિત શ્રી યુ. પી. આ...
29/07/2026

આવકાર સમારોહ : B.Sc Sem - 1
29 જુલાઈ 2026 ગુરુપૂર્ણિમા

ઉત્તર-પૂર્વ ગુજરાત ઉચ્ચ કેળવણી મંડળ, પિલવાઈ સંચાલિત શ્રી યુ. પી. આર્ટ્સ, શ્રીમતી એમ. જી. પંચાલ સાયન્સ અને શ્રી વી. એલ. શાહ કોમર્સ કોલેજ, પિલવાઈ ખાતે શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ના B.Sc. સેમેસ્ટર-૧ના નવપ્રવેશિત વિદ્યાર્થીઓ માટે ‘આવકાર સમારોહ’નું આયોજન કરવામાં આવ્યું હતું.

ઉચ્ચ શિક્ષણના નવા તબક્કામાં પ્રવેશી રહેલા વિદ્યાર્થીઓને કોલેજના શૈક્ષણિક વાતાવરણ, અભ્યાસક્રમ, વિવિધ વિભાગો, પ્રયોગશાળાઓ, ગ્રંથાલય તથા સહ-શૈક્ષણિક પ્રવૃત્તિઓથી પરિચિત કરાવવા અને સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓ અંગે માર્ગદર્શન આપવાના હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમનો પ્રારંભ આચાર્યશ્રી ડૉ. સંજય શાહ, ઉપાચાર્યશ્રી, વિવિધ વિભાગોના અધ્યક્ષશ્રીઓ, ઉપસ્થિત પ્રાધ્યાપકશ્રીઓ તથા બિન-શૈક્ષણિક કર્મચારીઓની ઉપસ્થિતિમાં પ્રાર્થનાથી કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે જાનવી પ્રજાપતિ અને ઝાલા અવનીએ ભાવસભર પ્રાર્થના રજૂ કરી હતી. ત્યારબાદ નવપ્રવેશિત વિદ્યાર્થીઓનું પુષ્પગુચ્છ અર્પણ કરીને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

આચાર્યશ્રી ડૉ. સંજય શાહે નવપ્રવેશિત વિદ્યાર્થીઓને કોલેજ પરિવારમાં આવકારતાં જણાવ્યું હતું કે પિલવાઈ કોલેજ શિસ્ત, ગુણવત્તાસભર શિક્ષણ અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે હંમેશાં પ્રતિબદ્ધ છે. વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓએ જિજ્ઞાસા, સંશોધનવૃત્તિ અને વૈજ્ઞાનિક અભિગમ કેળવવો અત્યંત આવશ્યક છે. તેમણે સંસ્થાના ગૌરવશાળી ઇતિહાસ, શૈક્ષણિક પરંપરા તથા ઉપલબ્ધ શૈક્ષણિક સુવિધાઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી.

આ પ્રસંગે વિવિધ પ્રાધ્યાપકશ્રીઓ દ્વારા વિદ્યાર્થીઓને સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓ અને સુવિધાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ડૉ. આર. જી. પરમારે સંસ્થાનો પરિચય આપતાં સંસ્થાના ગૌરવશાળી ઇતિહાસ, શૈક્ષણિક પરંપરા તથા ઉપલબ્ધ ભૌતિક સુવિધાઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે વિદ્યાર્થીઓને સંસ્થાની સુવિધાઓનો મહત્તમ ઉપયોગ કરી જ્ઞાન અને વ્યક્તિત્વ વિકાસના માર્ગે આગળ વધવા પ્રેરિત કર્યા હતા.

ડૉ. શૈલેષ આર. સુથારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP-2020)ના મુખ્ય પાસાઓ, તેના અમલીકરણ તથા ફિનિશિંગ સ્કૂલના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને કૌશલ્ય વિકાસ, વ્યક્તિત્વ નિર્માણ અને રોજગારલક્ષી અભિગમ વિકસાવવા પ્રેરણા આપી હતી.

ડૉ. વિરલ બી. મોદીએ NSS, NCC, રમત-ગમત તથા અન્ય વિદ્યાર્થીલક્ષી પ્રવૃત્તિઓ અંગે માહિતી આપી હતી. તેમણે વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય સેવા, નેતૃત્વ ગુણો તથા શારીરિક અને માનસિક વિકાસ માટે આ પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગ લેવા પ્રોત્સાહિત કર્યા હતા.

ડૉ. સ્વાતિ એસ. શર્માએ શિષ્યવૃત્તિ, જ્ઞાનોત્સવ, વાર્ષિકોત્સવ તથા યુનિવર્સિટી પરીક્ષાનાં પરિણામો અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને શૈક્ષણિક પ્રગતિ સાથે સંસ્થાની વિવિધ રચનાત્મક પ્રવૃત્તિઓમાં જોડાવા પ્રેરિત કર્યા હતા.

ડૉ. વિલાસ પરમારે ઇનોવેશન ક્લબ અને SSIP (Student Startup and Innovation Policy) અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે વિદ્યાર્થીઓમાં નવીન વિચારસરણી, સર્જનાત્મકતા અને ઉદ્યોગસાહસિકતાના વિકાસ માટે ઉપલબ્ધ તકો અંગે સમજણ આપી હતી.

ડૉ. જી. આર. જાની દ્વારા વિદ્યાર્થીઓને સમયપાલન અને શિસ્તનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. તેમણે જિજ્ઞાસા અને સંશોધનવૃત્તિ કેળવવાની આવશ્યકતા તથા ગુરુજનોના માર્ગદર્શનનું જીવનમાં રહેલું મહત્વ સમજાવ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને નિયમિત અભ્યાસ, નવીન વિચારસરણી અને જ્ઞાનપ્રાપ્તિની ભાવના સાથે ઉચ્ચ લક્ષ્યો પ્રાપ્ત કરવા પ્રેરિત કર્યા હતા.

કાર્યક્રમના અંતે મેથેમેટિક્સ વિભાગના અધ્યક્ષ ડૉ. નીલાબેન પટેલે સંસ્થાના ટ્રસ્ટીમંડળ, આચાર્યશ્રી, ઉપાચાર્યશ્રી, તમામ શૈક્ષણિક તથા બિન-શૈક્ષણિક કર્મચારીઓ અને ઉપસ્થિત વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન બોટની વિભાગના અધ્યક્ષ ડૉ. એચ. એમ. અંટ દ્વારા કરવામાં આવ્યું હતું.

અંતે રાષ્ટ્રગાન સાથે આવકાર સમારોહનું સફળતાપૂર્વક સમાપન કરવામાં આવ્યું હતું.

ડૉ. સંજય શાહ
આચાર્ય

ગુરુપૂર્ણિમાની ઉજવણીતારીખ: 29/07/2026સ્થળ: શ્રી યુ. પી. આર્ટ્સ, શ્રીમતી એમ. જી. પંચાલ સાયન્સ અને શ્રી વી. એલ. શાહ કોમર્સ...
29/07/2026

ગુરુપૂર્ણિમાની ઉજવણી

તારીખ: 29/07/2026
સ્થળ: શ્રી યુ. પી. આર્ટ્સ, શ્રીમતી એમ. જી. પંચાલ સાયન્સ અને શ્રી વી. એલ. શાહ કોમર્સ કોલેજ, પિલવાઈ

આજરોજ શ્રી યુ. પી. આર્ટ્સ, શ્રીમતી એમ. જી. પંચાલ સાયન્સ અને શ્રી વી. એલ. શાહ કોમર્સ કોલેજ, પિલવાઈ ખાતે સંસ્કૃત, હિન્દી અને ગુજરાતી વિભાગના સંયુક્ત ઉપક્રમે ગુરુપૂર્ણિમા (વ્યાસપૂર્ણિમા) નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈને ગુરુ-શિષ્ય પરંપરાના મહિમાનું સુંદર નિરૂપણ કર્યું હતું. રાવળ કિંજલ પી., વિહોલ દર્શિકા એસ., ઠાકોર સ્નેહલ ડી., દરજી સચિન, પટેલ યશ્વી, ચૌધરી સાક્ષી વગેરે વિદ્યાર્થીઓએ ગુરુપૂર્ણિમાના આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક મહત્ત્વ વિશે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.

સદર પ્રસંગે હિન્દી વિભાગના અધ્યક્ષ તથા આર્ટ્સ વિભાગના ફેકલ્ટી ઇન્ચાર્જ પ્રો. એસ. એમ. વાઘેરા, સંસ્કૃત વિભાગના અધ્યક્ષ ડૉ. મનુભાઈ એસ. પ્રજાપતિ તેમજ ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડૉ. દિલીપભાઈ ધોરીયાએ વિદ્યાર્થીઓને ભારતીય સાહિત્યમાં ગુરુપૂર્ણિમાનું સ્થાન, ગુરુ-શિષ્ય પરંપરાનું ગૌરવ અને વર્તમાન સમયમાં શિક્ષક તથા શિક્ષણના મહત્ત્વ વિશે પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

સમગ્ર કાર્યક્રમનું સફળ અને સુચારુ સંચાલન ડૉ. અરવિંદભાઈ જે. તળપદાએ કર્યું હતું. તેમણે સંસ્કૃત સાહિત્યમાં ગુરુપૂર્ણિમાની ગૌરવગાથા અને મહર્ષિ વેદવ્યાસના અવિસ્મરણીય યોગદાન વિશે વિસ્તૃત માહિતી આપી હતી.

કાર્યક્રમના અંતે બી.એ. સેમેસ્ટર–૫ની વિદ્યાર્થીની સાક્ષી ચૌધરીએ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

આ સમગ્ર કાર્યક્રમ ગુરુ-શિષ્ય પરંપરાના આદર્શોને ઉજાગર કરનાર, જ્ઞાનપ્રેરક અને વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયી બની રહ્યો હતો.

ડૉ. સંજય શાહ
આચાર્ય

રેડ રીબીન ક્લબ કાર્યક્રમ... તા.29/07/2026શ્રી યુ. પી. આર્ટ્સ, શ્રીમતી એમ. જી. પંચાલ સાયન્સ અને શ્રી વી. એલ. શાહ કોમર્સ ક...
29/07/2026

રેડ રીબીન ક્લબ કાર્યક્રમ... તા.29/07/2026
શ્રી યુ. પી. આર્ટ્સ, શ્રીમતી એમ. જી. પંચાલ સાયન્સ અને શ્રી વી. એલ. શાહ કોમર્સ કોલેજ, પિલવાઈ આજ રોજ તા. ૨૯મી જુલાઈ ૨૦૨૬ને બુધવારે કોલેજના સેમિનાર હોલમાં રાષ્ટ્રીય સેવા યોજના યુનિટ, પિલવાઈ તથા ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે દિશા યુનિટ – મહેસાણા, સી. એચ. સી. – કોલવડા અને જનરલ હોસ્પિટલ – વિજાપુરના સંયુક્ત ઉપક્રમે રેડ રિબન કલબ (RRC)નો પ્રોગ્રામ યોજવામાં આવ્યો. આ પ્રોગ્રામમાં પધારેલ મહેમાનોનું શાબ્દિક તથા પુષ્પગુચ્છથી સ્વાગત કર્યા બાદ કોલેજના આચાર્યશ્રી ડૉ સંજય શાહ દ્વારા વિદ્યાર્થીઓને કોલેજ વિશે તથા એઈડ્સ અને અન્ય ગંભીર રોગો વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી. CHC કોલવડાના ICTC કાઉન્સીલર શ્રી ચેતનસિંહ ચૌહાણ દ્વારા વિદ્યાર્થીઓને હિપેટાઈટસ રોગ અંગે માહિતી આપવામાં આવી. જેમાં તેમણે આ રોગના લક્ષણો, તેથી બચવાના ઉપાયો અને તેની સારવાર વિશે પણ માર્ગદર્શન આપ્યું. જનરલ હોસ્પિટલ વિજાપુરના ICTC કાઉન્સીલર શ્રી રાજેન્દ્ર પટેલ દ્વારા વિદ્યાર્થીઓને હિપેટાઈટસ અને એચ.આઈ.વી. એઈડ્સ વિશે પ્રેઝન્ટેશન દ્વારા માહિતી આપી. પિલવાઈના વિદ્યાર્થીઓએ પોસ્ટર પ્રેઝન્ટેશન અને વક્તૃત્ત્વકલા જેવા કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં આ વિષય અંગે જાગૃતતા લાવવા સરાહનીય કામગીરી કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ડૉ. દિલીપકુમાર ધોરિયા દ્વારા કરવામાં આવ્યું. કોલેજના અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ રસપૂર્વક સમગ્ર કાર્યક્રમ નિહાળ્યો. પ્રવૃત્તિઓમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને આચાર્ય ડૉ. સંજય શાહ અને ઉપાચાર્ય ડૉ. ગૌરાંગ જાનીના હસ્તે પુરસ્કૃત કરી ઇનામ એનાયત કરવામાં આવ્યા હતા. અંતે સૌ હળવો નાસ્તો કરી છૂટા પડ્યા હતા.
ડૉ સંજય શાહ
આચાર્ય
પિલવાઇ કોલેજ

વિદ્યાર્થી સ્વાગત સમારંભ – ૨૦૨૬અહેવાલ:સંસ્થાનું નામ: શ્રી યુ.પી. આર્ટ્સ, શ્રીમતી એમ.જી. પંચાલ સાયન્સ અને શ્રી વી.એલ. શાહ...
23/07/2026

વિદ્યાર્થી સ્વાગત સમારંભ – ૨૦૨૬
અહેવાલ:
સંસ્થાનું નામ: શ્રી યુ.પી. આર્ટ્સ, શ્રીમતી એમ.જી. પંચાલ સાયન્સ અને શ્રી વી.એલ. શાહ કોમર્સ કોલેજ, પિલવાઈ
તારીખ: ૨૩ જુલાઈ, ૨૦૨૬
સ્થળ: કોલેજ સેમીનાર હોલ- રૂમ નંબર-૧૯, ડો. જે.ડી.તલાટી વિદ્યા સંકુલ
ઉદ્ઘોષક (Anchors): ડૉ. સિરાજ મિરઝા અને ડૉ. અરવિંદ તળપદા*
શ્રી યુ.પી. આર્ટ્સ, શ્રીમતી એમ.જી. પંચાલ સાયન્સ અને શ્રી વી.એલ. શાહ કોમર્સ કોલેજ- ડો. જે.ડી.તલાટી વિદ્યા સંકુલ, પિલવાઈ ખાતે તારીખ ૨૩/૦૭/૨૦૨૬ ના રોજ B.A. અને B.Com. સેમેસ્ટર-૧ ના નવાંગતુક વિદ્યાર્થીઓ માટે ભવ્ય "સ્વાગત સમારંભ" નુ આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆત ઉદ્ઘોષક ડૉ. સિરાજ મિર્ઝા અને ડૉ. અરવિંદ તળપદા કરવામાં આવી હતી. તેમણે મંચસ્થ મહાનુભાવો, આદરણીય પ્રિન્સિપાલ ડૉ. સંજય શાહ, ઉપાચાર્ય ડૉ. ગૌરાંગ જાની, કોમર્સ વિભાગના ફેકલ્ટી ઇન્ચાર્જ ડૉ. દીપક શાહ, આર્ટ્સ વિભાગના ફેકલ્ટી ઇન્ચાર્જ પ્રો. સોનિયા વાઘેલા, અધ્યાપકગણ, સિનિયર વિદ્યાર્થીઓ અને નવા પ્રવેશ મેળવેલ B.A. તથા B.Com. સેમેસ્ટર-૧ ના તમામ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કર્યું હતું.
B.Com. સેમ-૩ ની વિદ્યાર્થીની રાવલ સિદ્ધિ અને B.A. સેમ-૫ ની વિદ્યાર્થીની પટેલ મેશ્વા દ્વારા રજૂ થયેલ મધુર પ્રાર્થનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
ભારતીય સંસ્કૃતિની 'અતિથિ દેવો ભવઃ' ની પરંપરા મુજબ મંચસ્થ મહાનુભાવો અને નવા પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓનું પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું:
• પ્રિન્સિપાલ ડૉ. સંજય શાહ નું સ્વાગત વિદ્યાર્થી ભાર્ગવ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું.
• ઉપાચાર્ય ડૉ. ગૌરાંગ જાની નું સ્વાગત વિદ્યાર્થી કૃણાલસિંહ પરમાર દ્વારા કરવામાં આવ્યું.
• ફેકલ્ટી ઇન્ચાર્જ (કોમર્સ) ડૉ. દીપક શાહ નું સ્વાગત વિદ્યાર્થી ક્રીશ પટેલ દ્વારા કરવામાં આવ્યું.
• ફેકલ્ટી ઇન્ચાર્જ (આર્ટ્સ) પ્રો. સોનિયા વાઘેલા નું સ્વાગત વિદ્યાર્થીની કિંજલ રાવલ દ્વારા કરવામાં આવ્યું.
• નવા વિદ્યાર્થીઓનું સ્વાગત:
o B.A. Sem-1 ના વિદ્યાર્થી વૈભવ પટેલ નું સ્વાગત પ્રિન્સિપાલ ડૉ. સંજય શાહ દ્વારા.
o B.A. Sem-1 ની વિદ્યાર્થીની નિશા પરમાર નું સ્વાગત ઉપાચાર્ય ડૉ. ગૌરાંગ જાની દ્વારા.
o B.Com. Sem-1 ના વિદ્યાર્થી પ્રવીણ વાઘેલા નું સ્વાગત ડૉ. દીપક શાહ દ્વારા.
o B.Com. Sem-1 ની વિદ્યાર્થીની દ્રષ્ટિ પટેલ નું સ્વાગત પ્રો. સોનિયા વાઘેલા દ્વારા.
મનોવિજ્ઞાન વિભાગના અધ્યક્ષ ડૉ. કવિતાબેન વ્યાસ દ્વારા નવા વિદ્યાર્થીઓને સંસ્થાના ગૌરવશાળી ઇતિહાસ, શૈક્ષણિક નૈતિક મૂલ્યો અને કોલેજ પરિસરમાં ઉપલબ્ધ ભૌતિક સુવિધાઓ વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી.
સંસ્કૃત વિભાગના પ્રોફેસર ડૉ. અરવિંદ તળપદા દ્વારા કોલેજના તમામ વિભાગોના અધ્યાપકગણનો પરિચય આપવામાં આવ્યો.
અંગ્રેજી વિભાગના અધ્યક્ષ ડૉ. પ્રીયંકાબેન પટેલ દ્વારા કોલેજના ઉત્કૃષ્ટ વાર્ષિક પરિણામોની માહિતી આપવામાં આવી. ઉપરાંત, વિદ્યાર્થી અભ્યાસ દરમિયાન આર્થિક સહાય મેળવી શકે તે માટે ઉપલબ્ધ વિવિધ શિષ્યવૃત્તિ (Scholarship) યોજનાઓથી માહિતગાર કરવામાં આવ્યા.
ગુજરાતી વિભાગના પ્રોફેસર ડૉ. દિલીપભાઈ ધોરિયા દ્વારા ભારત સરકારની નવી શિક્ષણ નીતિ (NEP-2020) ના મુખ્ય પાસાઓ અને વિદ્યાર્થીઓ માટે તેના ફાયદાઓ વિશે સમજ આપવામાં આવી. સાથે જ NSS (રાષ્ટ્રીય સેવા યોજના) ની પ્રવૃત્તિઓનો પરિચય આપવામાં આવ્યો.
ઇતિહાસ વિભાગના પ્રોફેસર ડૉ. મહેશ પટેલ દ્વારા "ખેલશો તો ખિલશો" ના પ્રેરણાદાયી મંત્ર સાથે કોલેજ દ્વારા યોજાતી વિવિધ રમતગમત અને સાંસ્કૃતિક સ્પર્ધાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.
અર્થશાસ્ત્ર વિભાગના પ્રોફેસર અને NCC ના ANO લેફ્ટનન્ટ ડૉ. જીજ્ઞાશા વાઘેલા દ્વારા વિદ્યાર્થીઓમાં દેશભક્તિ અને શિસ્ત કેળવતી NCC પ્રવૃત્તિઓ, નવતર વિચારોને પ્રોત્સાહન આપતી SSIP (Student Startup and Innovation Policy) તેમજ વ્યક્તિત્વ વિકાસ અને રોજગારલક્ષી કૌશલ્ય આપતી Finishing School યોજના વિશે વિસ્તૃત વિગતો આપવામાં આવી.
• ઉપાચાર્યશ્રીનું સંબોધન: કોલેજના ઉપાચાર્ય ડૉ. ગૌરાંગ જાની સાહેબે પોતાના પ્રેરણાદાયી વક્તવ્યમાં વિદ્યાર્થીઓને શિસ્ત, નિયમિતતા અને ઉચ્ચ લક્ષ્યો સાથે આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા.
• આચાર્યશ્રીનું સંબોધન: સંસ્થાના આદરણીય આચાર્ય ડૉ. સંજય શાહ સાહેબે વિદ્યાર્થીઓને આશીર્વચન પાઠવતા જણાવ્યું કે કોલેજ એ જીવન ઘડતરની શ્રેષ્ઠ જગ્યા છે. તેમણે દ્રષ્ટાંતો દ્વારા વિદ્યાર્થીઓને ભવિષ્યની કેડી કંડારવા માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
કાર્યક્રમના અંતમાં ડૉ. મહેશચંદ્ર ત્રિવેદી સાહેબ દ્વારા આયોજન મંડળ, મંચસ્થ અતિથિઓ, અધ્યાપકો, સિનિયર વિદ્યાર્થીઓ અને નવવિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો.
રાષ્ટ્રગીતના સમૂહગાન સાથે કાર્યક્રમની વિધિવત પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.
કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તમામ નવા આવેલા વિદ્યાર્થીઓને સંસ્થા તરફથી મોં મીઠું કરાવવા માટે ઉત્સાહભેર ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેનાથી વિદ્યાર્થીઓમાં અનેરો આનંદ છવાઈ ગયો હતો.
અહેવાલ લેખક: ડૉ. સિરાજ મિરઝા
ડૉ સંજય શાહ
આચાર્ય
પિલવાઇ કોલેજ

એજ્યુકેશનલ ટૂર....તા.૯/૭/૨૬આજરોજ પિલવાઈ કોલેજના ભૌતિકશાસ્ત્ર વિષયના વિદ્યાર્થીઓએ અને ફેકલ્ટીએ પ્લાઝમા પ્રદર્શનમાં ભાગ લી...
09/07/2026

એજ્યુકેશનલ ટૂર....તા.૯/૭/૨૬
આજરોજ પિલવાઈ કોલેજના ભૌતિકશાસ્ત્ર વિષયના વિદ્યાર્થીઓએ અને ફેકલ્ટીએ પ્લાઝમા પ્રદર્શનમાં ભાગ લીધો તેમજ ઐતિહાસિક અને સાંસ્કૃતિક નગરી વડનગરની મુલાકાત લીધી
પિલવાઈ કોલેજના બીએસસી સેમ ૫ ના 23 વિદ્યાર્થીઓ અને ૩ ફેકલ્ટી દ્વારા વિસનગર એમ એન કોલેજ ખાતે યોજાયેલ પ્લાઝમા પ્રદર્શનમાં ભાગ લીધો.જેમાં ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ પ્લાઝમાના વૈજ્ઞાનિકો દ્વારા પ્લાઝમાના ઉત્પાદન અને ઉપયોગો સંદર્ભે ઘણા બધા પ્રયોગો નિદર્શન માટે મુકેલા, જેની સુંદર સમજૂતી આપણી કોલેજના વિદ્યાર્થીઓને સ્વયંસેવકો દ્વારા આપવામાં આવી. એમ એન કોલેજના IQAC તેમજ ભૌતિકશાસ્ત્ર વિભાગ દ્વારા યોજાયેલ આ કાર્યક્રમમાં બહુ જ મોટી સંખ્યામાં સ્કૂલ અને કોલેજો માંથી વિદ્યાર્થીઓ અને શિક્ષકો પ્રદર્શન જોવા માટે પધારેલ. આ સમગ્ર પ્રદર્શનની વ્યવસ્થા, આયોજન જેવી બાબતો તેમજ સ્વયંસેવકોના આત્મવિશ્વાસ સાથેની રજૂઆત કોલેજના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરશે. અને ભવિષ્યમાં તેઓશ્રી આવા કાર્ય માટે પ્રેરાશે. પ્લાઝમા પ્રદર્શનની મુલાકાત બાદ વિદ્યાર્થીઓમાં ઐતિહાસિક અને સાંસ્કૃતિક બાબતોની જાગૃતિ અને સમજ માટે ખાસ પુરાતત્વીય એવા શહેર વડનગર ની મુલાકાત મુલાકાત લીધી. જેમાં મુખ્યત્વે પુરાતત્વ મ્યુઝિયમ કે જેમાં વડનગરના 2500 વર્ષ પહેલાના ઇતિહાસની સુંદર રીતે રજૂઆત દ્રશ્યશ્રાવ્ય સાધન તેમજ વડનગરમાં થયેલા ખનન દરમિયાન મળેલા પુરાતત્વીય અવશેષોનું નિદર્શન અને તે સમયના લોકોની સંસ્કૃતિ રીત ભાત અને ક્રમશઃ તેમાં જોવા મળેલા ફેરફારોનો અભ્યાસ નોંધનીય રહ્યા. વિદ્યાર્થીઓએ પ્રશ્નોત્તરી દ્વારા તેમજ ડિજિટલ રમત દ્વારા આ મ્યુઝિયમમાં રહેલ તમામ વસ્તુઓ અને દ્રશ્ય અને શ્રાવ્ય માધ્યમનો ઉપયોગ કરી વિશેષ જાણકારી મેળવી. જેનાથી સર્વે વિદ્યાર્થીઓને વડનગરનો ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસો જાણવા મળ્યો. બાદમાં,તે સમયે પાણીના સંરક્ષણ માટેની યોજનાઓ અંગે એટલે કે શર્મિષ્ઠા તળાવ તેમજ કલાની બેનમૂન કલાકૃતિ એવા કીર્તિ તોરણની મુલાકાત લીધી. બાદમાં,વડનગરની શ્રદ્ધાના પરમ સ્થાન એવા હાટકેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરી તાનારીરી સમાધિ સ્થળની મુલાકાત લઈ તેના ઐતિહાસિક મહત્વની વિદ્યાર્થીઓને જાણકારી મળી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ફેકલ્ટી ડૉ.સી.એ.પટેલ,ડૉ એસ આર સુથાર અને ડો.આર બી પટેલ અને ૨૩ જેટલા વિદ્યાર્થીઓ કંઈક વિશેષ જાણકારી મેળવ્યાનો અનુભવ્યો. આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓને નવી ટેકનોલોજી અને પુરાતત્વ વિભાગની કામગીરી તેમજ ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાની સમજ મળી. આ મુલાકાત ખૂબ જ ફળદાયી રહી અને વિદ્યાર્થીઓ માટે વિસ્મરણીય અનુભવ રહ્યો. વિદ્યાર્થીઓએ આવા કાર્યક્રમ વધુ યોજવા અમોને ભલામણ પણ કરી. સમગ્ર કાર્યક્રમ યોજવા માટે માનનીય આચાર્યશ્રી ડૉ. સંજયભાઈ શાહ સાહેબે અમને સંભવિત મદદ કરી તેઓશ્રી નો ખુબ ખુબ આભાર.

BA/BCom/BSc માં પ્રવેશ અંગે અગત્યની સૂચના.....
07/07/2026

BA/BCom/BSc માં પ્રવેશ અંગે અગત્યની સૂચના.....

પિલવાઈ કોલેજનું ગૌરવ.....NCC યુનિટ ઇન્ડિયન આર્મી દ્વારા લેવાયેલ અગ્નિવીર ભરતી-2025-26ની પરીક્ષામાં પિલવાઈ કોલેજના NCC યુ...
29/06/2026

પિલવાઈ કોલેજનું ગૌરવ.....NCC યુનિટ

ઇન્ડિયન આર્મી દ્વારા લેવાયેલ અગ્નિવીર ભરતી-2025-26ની પરીક્ષામાં પિલવાઈ કોલેજના NCC યુનિટના બે કેડેટ્સ પાસ થઈ AGNIVEER(GENERAL DUTY)AIAC માં પસંદગી પામેલ છે
1. કેડેટ રાઠોડ પ્રદીપસિંહ વિક્રમસિંહ
2. કેડેટ રાઠોડ ભૂપેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ
આ બન્ને કેડેટ્સ ASC (ARMY SERVICE CORPS), CENTER NO.1, બેંગલોર. ખાતે તા. 26 જૂન, 2026ના રોજ હાજર થશે.
આ બન્ને NCC કેડેટસ એ કોલેજના NCC યુનિટ અને સમગ્ર કોલેજનું ગૌરવ વધાર્યું છે. ઉત્તર પૂર્વ ગુજરાત ઉચ્ચ કેળવણી મંડળના મંત્રીશ્રી મુકેશસિંહ વિહોલ, કોલેજના ઉપાચાર્યશ્રી ડૉ ગૌરાંગ જાની અને એ. એન.ઓ. લેફ્ટનન્ટ ડૉ.જિજ્ઞાશાબેન વાઘેલાએ બન્ને કેડેટ્સને પુષ્પગુચ્છ આપી શુભેચ્છાઓ પાઠવી હતી.
આચાર્યશ્રી ડૉ. સંજય શાહે પસંદગી પામેલ NCC કેડેટસને NCC યુનિટ અને સમગ્ર કોલેજ પરિવારવતી ખૂબ ખૂબ અભિનંદન આપી જીવનમાં સફળતાનાં શિખરો પ્રાપ્ત કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી. તથા કોલેજના NCC કેડેટસને સતત પ્રોત્સાહિત અને પ્રેરિત કરવા બદલ ANO લેફ્ટનન્ટ ડૉ. જિજ્ઞાશાબેન વાઘેલાને બિરદાવ્યા હતા.

ડૉ સંજય શાહ
આચાર્ય
પિલવાઇ કોલેજ

NEP અંગે ઓનલાઈન સેમિનાર... તા.23/06/2026આજ રોજ 11.30 કલાકે KCG દ્વારા સેમેસ્ટર 7 & 8 ના માળખા  અને અભ્યાસક્રમ અંગે ગૂગલ ...
23/06/2026

NEP અંગે ઓનલાઈન સેમિનાર... તા.23/06/2026
આજ રોજ 11.30 કલાકે KCG દ્વારા સેમેસ્ટર 7 & 8 ના માળખા અને અભ્યાસક્રમ અંગે ગૂગલ મિટ ઉપર ઑનલાઇન સેમિનારનુ આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજના મિટિંગ હોલમાં સૌ અધ્યાપક મિત્રોએ આ સેમિનારમાં આપવામાં આવેલ NEP અંગેની માહિતિ ને સાંભળી હતી.
ડૉ સંજય શાહ
આચાર્ય
પિલવાઇ કોલેજ

12મા વિશ્વ યોગ દિવસની ઉજવણી…NCC યુનિટ"Yoga for Healthy Ageing" થીમ હેઠળ 12મા વિશ્વ યોગ દિવસની ઉજવણી તા. 20 જૂન, 2026ના ર...
22/06/2026

12મા વિશ્વ યોગ દિવસની ઉજવણી…NCC યુનિટ

"Yoga for Healthy Ageing" થીમ હેઠળ 12મા વિશ્વ યોગ દિવસની ઉજવણી તા. 20 જૂન, 2026ના રોજ પિલવાઈ કોલેજના એન.સી.સી. યુનિટ દ્વારા આર્ટ્સ, સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ, પિલવાઇ ખાતે ઉત્સાહભેર કરવામાં આવી હતી. કાર્યક્રમનો મુખ્ય હેતુ યોગ દ્વારા શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્યનું જતન કરવા તેમજ સ્વસ્થ અને દીર્ઘાયુષ્યપૂર્ણ જીવનશૈલી પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો.
કાર્યક્રમની શરૂઆત રનિંગ એક્ટિવિટીથી કરવામાં આવી હતી. ત્યારબાદ યોગ ટ્રેનર તરીકે ડૉ. વિલાસબેન પરમારના માર્ગદર્શન હેઠળ યોગાસનો, પ્રાણાયામ અને ધ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોલેજના સ્ટાફ અને એન.સી.સી.ના તમામ કેડેટ્સે ઉત્સાહભેર ભાગ લીધો હતો. એ. એન. ઓ. લેફ્ટનન્ટ ડૉ. જિજ્ઞાશાબેન વાઘેલાના હસ્તે યોગ પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી, જ્યારે ડૉ. મનુભાઈ પ્રજાપતિ દ્વારા નશા વિરોધી પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.
વિશ્વ યોગ દિવસની ઉજવણી અંતર્ગત કોલેજના એન.સી.સી. યુનિટ દ્વારા યોગ ક્વિઝ, આર્ટ એન્ડ પોસ્ટર મેકિંગ સ્પર્ધા, સ્લોગન રાઇટિંગ સ્પર્ધા તેમજ નિબંધ લેખન સ્પર્ધા જેવી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તમામ પ્રવૃત્તિઓમાં એન.સી.સી.ના તમામ કેડેટ્સે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
1. આર્ટ એન્ડ પોસ્ટર મેકિંગ સ્પર્ધામાં
પ્રથમ સ્થાને LCPL રાઠોડ અંકિતાબેન જે.
દ્વિતીય સ્થાને કેડેટ મલેક કાયનાતબાનુ ઈ.
તૃતીય સ્થાને CPL ચૌહાણ અનિરુદ્ધ આર.
2. સ્લોગન રાઇટિંગ સ્પર્ધામાં
પ્રથમ સ્થાને કેડેટ રાઠોડ સગુણાબેન એ.
દ્વિતીય સ્થાને કેડેટ મલેક કાયનાતબાનુ ઈ.
તૃતીય સ્થાને CPL વિહોલ જાનવીબેન ડી.
નિબંધ લેખન સ્પર્ધામાં
પ્રથમ સ્થાને કેડેટ વાઘેલા દામિનીબેન આર.
દ્વિતીય સ્થાને કેડેટ સોલંકી કાજલ કે.
તૃતીય સ્થાને કેડેટ રાઠોડ સગુણાબેન એ.
રહ્યા હતા. વિજેતા કેડેટ્સને ઇનામો અર્પણ કરવામાં આવ્યા હતા. ત્રણેય સ્પર્ધાઓમાં નિર્ણાયક તરીકે ડૉ. નીલાબેન પટેલ, ડૉ. વિલાસબેન પરમાર અને લેફ્ટનન્ટ ડૉ. જિજ્ઞાશાબેન વાઘેલા દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી. કાર્યકમના અંતે સૌ માટે લીંબુ પાણી અને અલ્પાહાર કરીને વ્યવસ્થા કરવામાં આવી હતી.
આ સમગ્ર વિશ્વ યોગ દિવસની ઉજવણી, વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન તથા સફળ સંચાલન NCC ઓફિસર લેફ્ટનન્ટ ડૉ. જિજ્ઞાશાબેન વાઘેલા દ્વારા કરવામાં આવ્યું હતું. કોલેજના ઉપાચાર્ય ડૉ. ગૌરાંગ જાની, એન.સી.સી.ના તમામ કેડેટ્સ અને કોલેજ પરિવારના સહયોગથી કાર્યક્રમ સફળ અને યાદગાર રહ્યો હતો. કાર્યક્રમ દ્વારા કેડેટ્સમાં યોગ પ્રત્યેની જાગૃતિ વધારવાની સાથે સ્વસ્થ, સક્રિય અને નશામુક્ત જીવનશૈલી અપનાવવા માટે પ્રેરણા પ્રાપ્ત થઈ હતી.
કોલેજના પ્રિન્સિપાલશ્રી ડો. સંજય શાહએ કોલેજનાં NCC યુનિટ દ્વારા કરાતી કામગીરીની પ્રશંસા કરીને તેઓને બિરદાવ્યા હતા.

ડૉ. સંજય શાહ
આચાર્યશ્રી
પિલવાઇ કોલેજ

Address

AT. PO. Pilvai, Ta. Vijapur, Dist. Mehsana
Pilvai
382850

Opening Hours

Monday 10:30am - 5pm
Tuesday 10:30am - 5pm
Wednesday 10:30am - 5pm
Thursday 10:30am - 5pm
Friday 10:30am - 5pm
Saturday 7:30am - 1pm

Telephone

02763289081

Alerts

Be the first to know and let us send you an email when Pilvai College posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Pilvai College:

Shortcuts

Share