05/12/2025
કારકિર્દી સેમિનાર
તારીખ : 5 ડિસેમ્બર, 2025
ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શનરૂપ બને તે હેતુથી અમારી સંસ્થા દ્વારા 5 ડિસેમ્બર, 2025ના રોજ કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં મુખ્ય વક્તા તરીકે કારકિર્દી નિષ્ણાત ડૉ. તુષારભાઈ પટેલ સર ઉપસ્થિત રહ્યા હતાં.
મુખ્ય વક્તાની સંક્ષિપ્ત ઓળખાણ આપવામાં આવી. ત્યાર બાદ ડૉ. તુષારભાઈ પટેલ સરે વર્તમાન સમયમાં ઝડપથી બદલાતી કારકિર્દીની તકો વિશે વિસ્તૃત માહિતી આપી. તેમણે આર્ટ્સ, કોમર્સના વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ વિવિધ કોર્સ, તેમના ભવિષ્યમાં ઊપજતાં અવસર અને જરૂરી કુશળતાઓ વિશે સરળ અને સમજણસભર માર્ગદર્શન આપ્યું.
તેમણે ખાસ કરીને નવા ઉદયમાન ક્ષેત્રો જેમ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સાયબર સુરક્ષા, નવોત્થાન આધારિત સ્ટાર્ટઅપ્સ, મેનેજમેન્ટ, જેવા વિષયો અંગે વિદ્યાર્થીઓને પ્રેરણા આપી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભાવિ કારકિર્દી માટે માત્ર માર્ક્સ જ નહીં પરંતુ વ્યકિતગત કુશળતા, સંચાર કૌશલ્ય, સર્જનાત્મકતા અને ટેક્નોલૉજીની સમજણ પણ એટલી જ અગત્યની છે.
અંતે શાળાના શિક્ષક વતિ ડૉ. તુષારભાઈ પટેલ સરનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો અને વિદ્યાર્થીઓએ પણ તેમનું માર્ગદર્શન પ્રેરણાદાયક અને ઉપયોગી હોવાનું વ્યક્ત કર્યું.આ રીતે કારકિર્દી સેમિનાર સફળતાપૂર્વક પૂર્ણ થયો અને વિદ્યાર્થીઓ માટે ભવિષ્યના માર્ગદર્શનરૂપ બન્યો.