19/08/2026
રક્ષાબંધન પર્વ નિમિત્તે રક્ષાસૂત્ર બંધન કાર્યક્રમ
અંબિકા હાઈસ્કૂલ ગડત ખાતે તા:19-8-26 ને બુધવારે રક્ષાબંધન પર્વની ઉજવણી નિમિત્તે આધ્યાત્મિક અને ભાવસભર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય સંસ્થા ગણદેવીના બ્રહ્માકુમારી પન્નાબેન શાળામાં પધાર્યા હતા.
બ્રહ્માકુમારી પન્નાબેને રક્ષાબંધન પર્વનું આધ્યાત્મિક મહત્વ સમજાવ્યું હતું. તેમણે સૌને રક્ષાબંધનના પવિત્ર સંદેશ સાથે રક્ષાસૂત્ર બાંધી શુભકામનાઓ પાઠવી હતી. રક્ષાસૂત્ર દ્વારા પ્રેમ, પવિત્રતા, સદભાવના અને પરસ્પર સ્નેહ જાળવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી જીગ્નેશભાઈ ટેલરે પોતાના વક્તવ્યમાં બ્રહ્માકુમારી સંસ્થામાંથી પધારેલ બહેનોનો આભાર માન્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન સમગ્ર સ્ટાફના મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. બ્રહ્માકુમારી પન્નાબેન દ્વારા આપવામાં આવેલા પ્રેરણાદાયી સંદેશથી સૌમાં આધ્યાત્મિકતા અને સદભાવનાની ભાવના જાગૃત થઈ હતી.
સમગ્ર કાર્યક્રમ ભાવપૂર્ણ અને આનંદમય વાતાવરણમાં સંપન્ન થયો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષિકા શ્રીમતી છાયાબેન નાયકે કર્યું હતું.