20/02/2025
ધી સુપા વિભાગ એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી એમ. એન. વિદ્યાલય, ખડસુપા - બોર્ડિંગના નવા મકાનનાં બાંધકામ માટે 'ભૂમિ પૂજન ' દાતાશ્રી અને ટ્રસ્ટીશ્રી એવા મુરબ્બી રમેશભાઈ એન. પટેલ અને એમના ધર્મપત્ની રમીલાબેન આર. પટેલ (ખડસુપા)નાં વરદ્દહસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દાતાશ્રી અને ટ્રસ્ટીશ્રી ઠાકોરભાઈ એન. પટેલ, ટ્રસ્ટીશ્રી સુરેશભાઈ આર. પટેલ તથા સંસ્થાના પ્રમુખશ્રી મિનેષભાઈ ડી. નાયક, ઉપપ્રમુખશ્રી પ્રફુલ્લાબેન બી. દેસાઈ, મંત્રીશ્રી કિશોરભાઈ આર. પટેલ, સભ્યશ્રી ડૉ. રમણભાઈ બી. પટેલ, શ્રી અમ્રતભાઈ બી. પટેલ અને શાળાના આચાર્યશ્રી, શિક્ષકગણ, વહીવટી કર્મચારીગણ તથા મહેમાનશ્રીઓ ઉપસ્થિત રહી આ અનેરા અવસરને વધાવ્યો હતો.