06/07/2025
આજ રોજ શ્રી જે.આર.દેસાઈ શાળા સંકુલ, મોરા ખાતે સરકાર શ્રી ના આદેશ બાલવાડી થી ધોરણ 8 ના બાળકો માટે શાળામાં બેગલેસ ડે ઉજવવામાં આવ્યો. જેમાં બાળકોને જુદીજુદી પ્રવૃત્તિઓ , સાર્વજનિક સ્થળો ની મુલાકાત જેવા કે બેંક, દવાખાના, સાંસ્કૃતિક સ્થળો જેવા કે પ્રસિધ્ધ મંદિર, રમત ગમત, કસરત, ગીત- સંગીત વગેરેમાં ભાગ લેવડાવવામા આવ્યો. આ સમગ્ર આયોજન શાળાના આચાર્ય શ્રી મહેશભાઈ શાહ અને શાળાના સ્ટાફ મિત્રો એ ભેગા થઈ ને પાર પાડયું. શાળાના મેનેજીંગ ડાયરેક્ટર દ્વારા જરૂરી સૂચન અને વ્યવસ્થા પૂરી પાડતા કાર્યક્રમ સફળ રહ્યો. બાળકો ભણતર સાથે ગણતર મેળવે તેવો આશય સંસ્થા ના પ્રમુખ શ્રી પુરણ ભાઈ દેસાઈ અને ઉપ પ્રમુખ શ્રી શાંતનું ભાઈ દેસાઈ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો.