21/12/2025
આર્ટ્સ કોલેજ મોડાસામાં તારીખ 19/12/2025 ના રોજ 'ભારતીય પરિપેક્ષમાં સામાજિક વિજ્ઞાનમાં સંશોધન પદ્ધતિ' વિષય પર એક દિવસનો રાજય કક્ષાનો વર્કશોપ યોજાયો.
શ્રી એમ એલ ગાંધી હાયર એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી એસ કે શાહ એન્ડ શ્રીકૃષ્ણ ઓ એમ આર્ટ્સ કોલેજ મોડાસાના અર્થશાસ્ત્ર અને મનોવિજ્ઞાન વિભાગ દ્વારા આયોજિત અને ઉચ્ચ શિક્ષણ કમિશ્નરની કચેરી હેઠળના Knowledge Consortium Of Gujarat દ્વારા અનુદાનિત 'ભારતિય પરિપેક્ષમાં સામાજિક વિજ્ઞાનમાં સંશોધન પદ્ધતિ' વિષય પર રાજ્ય સ્તરનો વર્કશોપ યોજાયો હતો આ વર્કશોપમા મુખ્ય વક્તા તરીકે ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદના ગ્રામ્ય અર્થશાસ્ત્ર વિભાગના પ્રોફેસર ડૉ. નરેશ ચૌહાણ અને વડનગર કોલેજના મનોવિજ્ઞાન વિભાગના પ્રોફેસર ડૉ. હનિફભાઈ નાન્દોલિયા ઉપસ્થિત રહ્યા હતા. બન્ને વકતાઓ દ્વારા સહભાગીઓને સામાજિક વિજ્ઞાનમાં સંશોધનની જરૂરિયાત છે, સંશોધન માટે કેવાં પ્રકારની પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે, સંશોધન ભારતીય સંદર્ભમાં કેવી રીતે હાથ ધરી શકાય વગેરે વિષયપર ગહન ચર્ચા કરવામાં આવી હતી. આ વર્કશોપ આર્ટ્સ કોલેજ મોડાસાના આચાર્ય ડૉ. જયશ્રીબેન દેસાઈના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. વર્કશોપનુ ઉદ્ઘાટન સમારંભમાં કોલેજ આચાર્ય ડૉ જયશ્રીબેન દેસાઈ, ડૉ. પિયુષભાઈ સિંહ તથા મનોવિજ્ઞાન વિભાગના અધ્યક્ષ અને સંયોજક ડૉ એમ એ કઠિયારા, અર્થશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ તથા વર્કશોપ કન્વિનર ડૉ જે એસ વાઢેર તથા અન્ય સંસ્થાના આચાર્યશ્રીઓ, અધ્યાપકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્ઘાટન સમારંભનું સંચાલન અર્થશાસ્ત્ર વિભાગના અધ્યાપક ડૉ ઈશ્વરભાઈ સી ચૌધરી અને મનોવિજ્ઞાન વિભાગના અધ્યાપક ડૉ ગિરીશભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું. ડૉ કઠિયારા દ્વારા વક્તાઓનો પરિચય આપવામાં આવ્યો હતો તથા આભાર વિધિ ડૉ જે એસ વાઢેર દ્વારા કરવામાં આવી હતી. ત્યાર બાદ બન્ને મુખ્ય વક્તાઓના સેશન યોજાયાં હતાં ત્યાર બાદ સમાપન સમારોહમાં વિદ્યાર્થીઓ અને સહભાગી અધ્યાપકોના પ્રતિભાવ લેવામાં આવ્યા હતા તથા અંતે સર્ટીફીકેટ વિતરણ કરવામાં આવેલ હતાં. કાર્યક્રમની સફળતા બદલ મંડળના પ્રમુખશ્રી મહેન્દ્રભાઈ વી શાહ દ્વારા શુભેચ્છાઓ પાઠવી હતી. તથા મંડળના ઉપપ્રમુખ અને આર્ટ્સ કોલેજના પ્રભારી મંત્રી શ્રી ઘનશ્યામભાઈ શાહ અને મંડળના હોદ્દેદારો દ્વારા શુભેચ્છાઓ પાઠવી હતી.