15/08/2025
આજરોજ 79 માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી...
આજના મુખ્ય મહેમાન શ્રી બલરામસિંહ ચાવડા કે જેઓ શ્રી પ્રભુ બાપુ ના નામથી આ પંથકમાં ઓળખાય છે , તેઓએ ધ્વજારોહણ વિધિ કરી.. અન્ય મોઘેરા મહેમાનોમાં કોર્પોરેટર શ્રી દેવેન્દ્રસિંહ રાઓલ, વ્યવસાયિક શ્રી આશિષભાઈ પ્રજાપતિ, વાલી મંડળના પ્રમુખ શ્રી જયનારાયણસિંહ, એસએમસી સભ્ય શ્રી મનીષભાઈ, પત્રકાર શ્રી જીતેન્દ્રસિંહ, તથા ઓલ્ડ સ્ટુડન્ટ એસોસિએશન ના સભ્યો શ્રી સનમ કુમાર કડિયા, ધર્મરાજસિંહ, ચિરાગ સિંહ તથા અન્ય વાલી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા, તેઓની ઉપસ્થિતિ બાળકો માટે પ્રેરક અને ઉત્સાહ વર્ધક બની રહી હતી...
પ્રાથમિક અને હાઈસ્કૂલ બંને વિભાગના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમો અને વક્તવ્યો રજૂ કરી કાર્યક્રમને વધુ મનમોહક બનાવ્યો હતો...
સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રીમતી કે એસ મિસ્ત્રીએ અને આભાર વિધિ પ્રાથમિક શાળાના આચાર્યશ્રી પ્રદિપસિંહ એ કરી હતી....
સૌ મિત્રોને શાળા પરિવાર વતીથી 79 માં સ્વાતંત્ર્ય દિનની ખુબ ખુબ શુભકામનાઓ..