04/06/2023
સદવાચન પર્વ #૨૦૨૩
પુસ્તક:-૧૧
હિમાલયનાં ચાર ધામ
સ્વામી સચ્ચિદાનંદ
👀 👀
જીવનમાં શક્ય હોય તો એક વાર હિમાલયનાં દર્શન જરૂર કરવાં. કોઈ વસ્તુને જોવી અને દર્શન કરવાં તેમાં અંતર છે. જ્યારે તમે કોઈ વસ્તુ કે વ્યક્તિને માત્ર આંખો અને બુદ્ધિથી જુઓ છો ત્યારે તે માત્ર જોવાનું જ થાય છે, પણ જ્યારે તમે કોઈ વસ્તુ કે વ્યક્તિને શ્રદ્ધા અને અહોભાવથી જુઓ છો ત્યારે તે દર્શન થાય છે. માત્ર જોનારને જ્ઞાન મળે છે. પણ શ્રદ્ધા સાથે જોનારને જ્ઞાનની સાથે પ્રસાદ પણ મળે છે, ધન્યતા મળે છે. ધર્મ, શ્રદ્ધા આધારિત હોય છે અને શ્રદ્ધાનાં જુદાં-જુદાં કેન્દ્રો હોય છે. એ બધાં કેન્દ્રોમાં એક કેન્દ્ર છે ‘તીર્થ'. આપણા પૂર્વજોએ તીર્થોની રચના કરી છે. જેમાં પર્વત, નદીઓ, સરોવરો, સમુદ્ર, જન્મસ્થાનો, મૃત્યુસ્થાનો, જ્ઞાનસ્થાનો વગેરેને વણી લીધાં છે. તીર્થો ભારતભરમાં ફેલાયેલાં છે. આના કારણે સામાન્ય માણસ પણ પૂરા ભારતનું દર્શન કરી શકે છે. જો આ તીર્થો ન હોત તો ભારત ભ્રમણ કોણ કરત ? તો આ એકતા કેવી રીતે થાત ! પ્રત્યેક હિન્દુને પોતાનાં તીર્થો ફરવાની અદમ્ય ઝંખના રહેતી હોય છે. જ્યારે તેને તીર્થાટન કરવાનો યોગ મળે છે તે ધન્ય ધન્ય થયાનો અનુભવ કરે છે. તીર્થોમાં ઘણો બગાડ હતો અને છે, પણ તે આપણી અક્ષમતા અને અવ્યવસ્થાથી છે. તેને દૂર કરવો જોઈએ. તીર્થો સુધારવાં જોઈએ. તેનો ઉચ્છેદ કરવાનો ન હોય. જે વસ્તુ ઉપર ડાઘ પડ્યો છે તેને દૂર કરવાનો હોય, વસ્તુને જ બાળી નાખવાનીન હોય...
હિમાલયનાં ચાર ધામો નું વર્ણન અને માહિતી આ પુસ્તકમાં નથી પણ યાત્રા નો આનંદ જોર શોર થી બોલે છે... મજા આવી...
(૪.૫/૫)
👌👌👌👌👍