17/07/2026
તા. 16/07/2026
નિર્મળાબેન કિશોરભાઈ દેસાઈ સાયન્સ એન્ડ કોમર્સ કૉલેજ, કિલ્લા પારડી ખાતે અતુલ ફાઉન્ડેશનના સહયોગથી 'સંજીવની ૨૦૨૬' અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.
કાર્યક્રમનો શુભારંભ પારડી એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ શ્રી હેમંતભાઈ દેસાઈએ છોડ રોપીને કર્યો. કેમ્પસમાં લીમડો, કરંજ, આમલી, પુત્રંજીવા, સોનમહોર અને કાશીદ જેવા ઔષધીય અને પર્યાવરણપ્રેમી વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, પ્રોફેસરો અને અતુલ ફાઉન્ડેશનના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં જોડાયા. સમગ્ર આયોજન કેમ્પસ ડાયરેક્ટર ડૉ. દીપેશ શાહના માર્ગદર્શન અને પ્રો. પ્રાચી મહેતા, પ્રો. ઋતાંશી પટેલના સંચાલન હેઠળ થયું.