R.C.Mission School, Khambhat

R.C.Mission School, Khambhat Accelerate and share school academic and non-academic activities.

બેગલેસ ડેનો છઠ્ઠો શનિવાર અહેવાલતારીખ:- 20/09/2025 ના રોજ અમારી શાળામાં બેગલેસ ડેનો છઠ્ઠો શનિવાર વિવિધ સર્જનાત્મક કાર્યક્...
24/09/2025

બેગલેસ ડેનો છઠ્ઠો શનિવાર અહેવાલ

તારીખ:- 20/09/2025 ના રોજ અમારી શાળામાં બેગલેસ ડેનો છઠ્ઠો શનિવાર વિવિધ સર્જનાત્મક કાર્યક્રમો સાથે ઉજવવામાં આવ્યો. બાળકોને અભ્યાસ સાથે સાથે શારીરિક, માનસિક અને સર્જનાત્મક વિકાસના અવસર મળે એ હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

સર્વપ્રથમ શાળાના પ્રાંગણમાં સર્વે વિદ્યાર્થીઓ, તમામ શિક્ષકો તથા સ્ટાફ સભ્યોની ઉપસ્થિતિમાં પ્રાર્થના કાર્યક્રમ યોજાયો. પ્રાર્થના દ્વારા શાંતિપૂર્ણ અને સકારાત્મક વાતાવરણનું નિર્માણ થયું. ત્યારબાદ જીતુસાહેબના માર્ગદર્શન હેઠળ યોગિક ક્રિયાઓ યોજાઈ. બાળકોને આરોગ્યપ્રદ જીવન માટે યોગનું મહત્વ સમજાવવામાં આવ્યું તથા વિવિધ આસનોનો અભ્યાસ કરાવવામાં આવ્યો.

ત્યારબાદ સર્જનાત્મક પ્રવૃત્તિઓનો આરંભ કરવામાં આવ્યો.

ધોરણ 1 થી 5 ના નાના બાળકો માટે સ્વચ્છતા થીમ આધારિત ચિત્રસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. નાના બાળકોને પોતાની કલ્પના અને કલાત્મકતા દ્વારા સ્વચ્છતાનો સંદેશ આપતા સુંદર ચિત્રો દોર્યા હતા. વિવિધ રંગોનો ઉપયોગ કરીને બાળકો એ સ્વચ્છતા જાળવવાની મહત્વની વાતોને સુંદર રીતે રજૂ કરી.

ધોરણ 6 થી 8 ના બાળકો માટે સ્વચ્છતા થીમ આધારિત રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. મોટા વિદ્યાર્થીઓએ રંગોની કળા દ્વારા સ્વચ્છતાનું મહત્વ દર્શાવ્યું. પ્રત્યેક રંગોળીમાં સુંદરતા સાથે સાથે સંદેશાત્મકતા પણ જોવા મળી.

આ સમગ્ર કાર્યક્રમમાં બાળકો ખૂબ ઉત્સાહપૂર્વક જોડાયા. શિક્ષકશ્રીઓએ બાળકોને માર્ગદર્શન આપ્યું અને તેમની સર્જનાત્મકતાને વધાવી. અંતે આ બેગલેસ ડેનો કાર્યક્રમ સમાપન સમારોહ સાથે પૂર્ણ થયો.

આ રીતે આજનો દિવસ બાળકો માટે જ્ઞાન, આરોગ્ય અને સર્જનાત્મકતાનો સુમેળ સાબિત થયો.

વિપુલ એસ. પરમાર 🙏

બેગલેસ ડેનો અહેવાલઅમારી શાળામાં આજ રોજ તારીખ:- 13/09/2025 શનિવારના રોજ પાંચમો "બેગલેસ ડે" ખૂબ જ ઉત્સાહભેર ઉજવાયો.1. પ્રા...
23/09/2025

બેગલેસ ડેનો અહેવાલ

અમારી શાળામાં આજ રોજ તારીખ:- 13/09/2025 શનિવારના રોજ પાંચમો "બેગલેસ ડે" ખૂબ જ ઉત્સાહભેર ઉજવાયો.

1. પ્રારંભ પ્રાર્થના :
કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના સાથે કરવામાં આવી. તમામ વિદ્યાર્થીઓએ ભગવાનને પ્રાર્થના કરી કે તેઓ અભ્યાસમાં પ્રગતિ કરે અને સારા સંસ્કાર અપનાવે.

2. કસરત :
પ્રાર્થના બાદ બાળકોને આરોગ્યપ્રદ જીવન માટે વિવિધ કસરતો કરાવવામાં આવી. વિદ્યાર્થીઓ ખૂબ ઉત્સાહથી જોડાયા અને તંદુરસ્તી જાળવવા કસરત જરૂરી છે તે સમજ્યા.

3. સાફ-સફાઈ :
કસરત પછી સમગ્ર શાળા પરિસરમાં સફાઈ અભિયાન યોજાયું. વિદ્યાર્થીઓએ વર્ગખંડ, ગેલેરી તથા શાળાના મેદાનની સફાઈ કરી અને સ્વચ્છતાનું મહત્વ સમજ્યું.

4. પ્રવૃત્તિઓ (ધોરણ 1 થી 4 અને 5 થી 8) :

ધોરણ 1 થી 4ના વિદ્યાર્થીઓએ ચિત્રકલા, વાર્તાવાચન અને વિવિધ રમતોમાં ભાગ લીધો.

ધોરણ 5 થી 8ના વિદ્યાર્થીઓએ જૂથચર્ચા, ક્વિઝ, ભાષણ તથા વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓ કરી.

5. સમાપન :
અંતે સમગ્ર દિવસની પ્રવૃત્તિઓનું સંક્ષેપ આપવામાં આવ્યું. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક પોતાના અનુભવો શેર કર્યા. કાર્યક્રમનું સમાપન "વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષણ માત્ર પુસ્તકોમાં જ નથી, પરંતુ જીવનમાં અનુભવે શીખવું એ જ સાચું શિક્ષણ છે" એવા સંદેશ સાથે કરવામાં આવ્યું.

શિક્ષક દિવસની ઉજવણીનો અહેવાલ :ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસે શિક્ષક ...
04/09/2025

શિક્ષક દિવસની ઉજવણીનો અહેવાલ :

ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે. ડો. રાધાકૃષ્ણન એક આદરણીય શિક્ષણશાસ્ત્રી હતા. એકવાર તેમના વિદ્યાર્થીઓએ તેમને આદરપૂર્વક પૂછ્યું, શું તેમને તેમનો જન્મદિવસ ઉજવવાની મંજૂરી આપશે ? ડો. રાધાકૃષ્ણને કોઈ વિશેષ ઉજવણી કરવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ વિદ્યાર્થીઓને સૂચવ્યું હતું કે, તેઓ સમાજમાં તેમના યોગદાનને ઓળખવા માટે 5 સપ્ટેમ્બરના દિવસને શિક્ષક દિવસ તરીકે ઉજવી શકે છે. આ રીતે શિક્ષક દિનની ઉજવણીની શરૂઆત થઈ હતી. રાધાકૃષ્ણને પોતાના જન્મદિવસને શિક્ષક દિન તરીકે ઉજવવાનું સૂચન કર્યું હતું. બસ, ત્યારથી તેમનો જન્મદિવસ ભારતમાં શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે. આ ઉજવણીને ખરા અર્થમાં સાર્થક કરવા અમારી શાળામાં શિક્ષક દિનની ઉજવણી ખૂબ જ હર્ષોલ્લાસપૂર્વક તથા શ્રદ્ધાભાવથી યોજાઈ ગઈ હતી. કાર્યક્રમની શરૂઆત સુંદર પ્રાર્થના સાથે કરવામાં આવી હતી. શિક્ષકદિનના પ્રસંગે પરંપરાગત રીતે બાળકો શિક્ષકની ભૂમિકા ભજવતા હોય છે. આજના દિવસે પણ વિદ્યાર્થીઓએ પોતાના શિક્ષકો જેવી જ શૈલીમાં ક્લાસમાં શિક્ષક તરીકેનું પોતાનું ઉમદા કાર્ય કર્યું. આ કાર્યથી તેમની અંદરની પ્રતિભા ઝળહળી ઉઠી હતી. આ અનોખો અનુભવ વિદ્યાર્થીઓ માટે યાદગાર બની રહ્યો. બાદમાં થોડી રીસેશ આપવામાં આવી હતી. રીસેશ પછી શાળાના ભવ્ય હોલમાં શિક્ષકદિનની મુખ્ય ઉજવણી યોજાઈ ગઈ હતી. સૌપ્રથમ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ શાળાના સંચાલકશ્રી પૂજ્ય ફાધર હેમંતના સ્વહસ્તે ડૉ. રાધાકૃષ્ણના તૈલચિત્રને ફૂલહાર અર્પણ કરીને કાર્યક્રમની શુભ શરૂઆત કરી હતી. ત્યારબાદ વિમલ સાહેબે શિક્ષક દિનનું મહત્વ સમજાવતા જણાવ્યું કે શિક્ષક જ સમાજના સાચા શિલ્પી છે, જે વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહે છે. તેમના પ્રવચનથી બાળકો અને શિક્ષકો બંને પ્રેરિત થયા હતા.આગળ બાળકોએ શિક્ષક તરીકેના પોતાના અનુભવો બધાની સમક્ષ રસપ્રદ રીતે રજૂ કર્યા હતા. શિક્ષકની ભૂમિકા ભજવનાર વિદ્યાર્થીઓએ પોતાની લાગણીઓ વહેંચતાં જણાવ્યું કે શિક્ષક બનવું ખૂબ જ જવાબદારીપૂર્ણ કામ છે. એ સાંભળીને સૌ ઉપસ્થિતોએ તાળી વગાડીને તેમની હિંમત વધારી હતી. ત્યારબાદ શાળામાં કાર્યરત તમામ શિક્ષકોને વિદ્યાર્થીઓએ આદરપૂર્વક ફુલની કલગી આપીને સ્વાગત કર્યું હતું અને ગુરુજનો પ્રત્યે આભાર પોતાનો વ્યક્ત કર્યો હતો.શિક્ષકદિન નિમિત્તે જે પણ બાળકો શિક્ષક બન્યા હતા તે તમામ બાળકોને શાળાના આચાર્યશ્રી દ્વારા સુંદર ભેટો પણ આપવામાં આવી હતી. ખાસ કરીને આજના દિવસે આચાર્ય પદની ભૂમિકા ભજવનાર વિદ્યાર્થીએ પોતાના અનુભવો જાહેર કર્યા, જે ખૂબ જ પ્રેરણાદાયી રહ્યા હતા.અંતે આચાર્યશ્રી પૂજ્ય ફાધર પાક્યમ દ્વારા સર્વ બાળકોને આ દિન નિમિત્તે આશિષ વચન પાઠવીને શિક્ષકોને માન આપવું તે બાબત ઉપર ખાસ ભાર મૂક્યો હતો. જેમાં તેમણે શિક્ષક-વિદ્યાર્થીના સંબંધને પવિત્ર ગણાવતાં, શિક્ષકોનો માન-સન્માન કરવાની પ્રેરણા આપી હતી. કાર્યક્રમના અંતે રાષ્ટ્રગીત ગાઈને સૌ છૂટા પડ્યા હતા. આ રીતે શિક્ષક દિનની ઉજવણી દરેક માટે યાદગાર અને પ્રેરણાદાયી બની રહી હતી.

રાષ્ટ્રીય રમત દિવસની ઉજવણીનો અહેવાલપ્રસ્તાવના :દરેક વર્ષે ૨૯મી ઓગસ્ટના રોજ હોકીના જાદૂગર મેજર ધ્યાનચંદજીના જન્મદિવસ નિમિ...
30/08/2025

રાષ્ટ્રીય રમત દિવસની ઉજવણીનો અહેવાલ

પ્રસ્તાવના :

દરેક વર્ષે ૨૯મી ઓગસ્ટના રોજ હોકીના જાદૂગર મેજર ધ્યાનચંદજીના જન્મદિવસ નિમિત્તે “રાષ્ટ્રીય રમત દિવસ” ઉજવવામાં આવે છે. ધ્યાનચંદજી ભારતને હોકીમાં અનેક ગૌરવ અપાવનાર મહાન ખેલાડી હતા.

રાષ્ટ્રીય રમત દિવસનો હેતુ વિદ્યાર્થીઓમાં રમતગમત પ્રત્યે રસ જગાવવાનો અને આરોગ્ય સાથે ટીમવર્ક, શિસ્ત તથા દેશભક્તિનો સંદેશ ફેલાવવાનો છે.

આ બાબતને ધ્યાનમાં રાખીને તેની ઉજવણી કરવા માટે તા:- 29/08/2025 અને તા:- 30/08/2025 એમ બે દિવસ અમારી આર. સી. મિશન શાળામાં "રાષ્ટ્રીય રમત દિવસની" ઉજવણી ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવી હતી.
આ ઉજવણીના અંતર્ગત ધોરણ ૧ થી ૫ ના બાળકો માટે સંગીત ખુરશી અને લખોટી-ચમચી જેવી રમતો યોજવામા આવી હતી અને ધોરણ ૬ થી ૮ ના બાળકો માટે પરંપરાગત ભારતીય રમતો કબડ્ડી અને ખોખો જેવી સ્પર્ધાઓ યોજવામા આવી હતી. આ બંને સ્પર્ધાઓમાં બાળકોએ ખૂબ જ હોંશભેર ભાગ લીધો હતો.

ત્યાર બાદ આજે ધોરણ ૧ થી ૫ ના બાળકો માટે “રમતગમતના મહત્વ” વિષય પર ચિત્રસ્પર્ધા યોજવામા આવી હતી, જેમાં બાળકોએ રંગબેરંગી ચિત્રો દ્વારા રમતનું મહત્વ પોતાના સુંદર ચિત્રો દ્વારા વ્યક્ત કર્યું હતું. તેમજ ધોરણ ૬ થી ૮ ના વિદ્યાર્થીઓ માટે નિબંધ સ્પર્ધા યોજવામા આવી હતી, જેમાં તેમણે રમતગમતના શારીરિક અને માનસિક ફાયદા વિશે સુંદર નિબંધો પોતાની મૌલિક ભાષામાં લખ્યા હતા.

મેજર ધ્યાનચંદે જે રીતે રમત ગમતમાં પોતાનું સર્વશ્રેષ્ઠ યોગદાન આપીને દેશને જે સિદ્ધિ અપાવી છે તે બાબતને ધ્યાનમાં રાખીને અમારી શાળામાં અમારા બાળકો પણ રમતગમત ક્ષેત્રે આગળ વધે અને પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરે તે બાબતને ધ્યાનમાં રાખીને આની ઉજવણી ખૂબ જ સુંદર રીતે કરી હતી. આ સમગ્ર ઉજવણી દરમિયાન સમગ્ર શાળા પરિસરમાં આનંદ, ઉત્સાહ અને રમતગમત પ્રત્યેની ઉમદા લાગણી છવાઈ ગઈ હતી.

વિપુલ એસ. પરમાર

સ્વાતંત્ર્ય દિનની ઉજવણી અહેવાલ 15/08/2025શુક્રવાર આજે અમારી શાળામાં 79 માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી ખૂબ જ હર્ષોલ્લાસ સાથ...
15/08/2025

સ્વાતંત્ર્ય દિનની ઉજવણી અહેવાલ
15/08/2025
શુક્રવાર

આજે અમારી શાળામાં 79 માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી ખૂબ જ હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી હતી. સર્વપ્રથમ શ્રી રમણસાહેબ દ્વારા કાર્યક્રમની શરૂઆત સુંદર પ્રસ્તાવના દ્વારા કરવામા આવી હતી.

ત્યારબાદ સર્વ વિદ્યાર્થીઓ અને શિક્ષકવૃંદે મળીને ઊંચા સ્વરે "વંદે માતરમ" ગીત ગાઈ દેશ પ્રત્યેની પોતાનાં પ્રેમની ભાવનાને વ્યક્ત કરી હતી.

આ પછી ધ્વજવંદનનો મુખ્ય કાર્યક્રમ કરવામાં આવ્યો. જેમાં આજના મુખ્ય મહેમાન તરીકે પધારેલા એવા આર.સી.મિશન શાળા ખંભાતના ભૂતપૂર્વ શિક્ષક અને આચાર્ય તરીકેની પોતાની પવિત્ર ફરજ બજાવી ચૂકેલા અને અત્યારે હાલમાં નિવૃત્તિ જીવન ગાળનાર એવા માનનીય, પૂજનીય શ્રી રતિલાલ ડોડીયા સાહેબના સ્વહસ્તે આપણા દેશના તિરંગાને ફરકાવવામાં આવ્યો હતો.

ધ્વજારોહણ બાદ સૌએ મળીને ઝંડા ગીત ગાઈ દેશભક્તિની લાગણીને વધુ મજબૂત બનાવી હતી.

ત્યારબાદ મુખ્ય મહેમાનશ્રીનો પરિચય શ્રી સમીરસાહેબ દ્વારા સુંદર રીતે આપવામાં આવ્યો હતો.

સાથે સાથે શાળાપરિવાર તરફથી મુખ્ય મહેમાનશ્રીને શાલ ઓઢાડી, પુષ્પગુચ્છ આપી તથા ભેટ અર્પણ કરીને ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ કાર્યક્રમને વધુ રંગીન બનાવવા માટે પ્રાથમિક અને હાઈસ્કૂલ વિભાગ તરફથી બે બાળકોએ સુંદર દેશભક્તિ ગીત રજૂ કરી સૌનું મન મોહી લીધું હતું.

ત્યાર પછી મુખ્ય મહેમાન શ્રી રતિલાલ સાહેબ દ્વારા બાળકોને દેશના વિકાસમાં શિક્ષણનું કેટલું મહત્વ રહેલું છે અને બાળકો શિસ્ત અને અભ્યાસના માધ્યમ દ્વારા દેશના વિકાસમાં પોતાનું યોગદાન કેવી રીતે આપી શકે? તે બાબતને તેમણે પોતાના અનુભવોના આધારે બાળકોની સમક્ષ પોતાના પ્રેરણાદાયી શબ્દો દ્વારા અભિવ્યક્ત કર્યું હતું.

તેમજ શાળાના વિકાસ માટે અને ધોરણ 6 થી 8 ના બાળકો માટે ગણિત વિષયમાં સૌથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓને ₹20,000 નું દાન આપીને શાળા તરફનું પોતાનું ઋણ અદા કર્યું હતું.

કાર્યક્રમના અંતમાં સૌએ મળીને "જન ગણ મન" ગીત ગાયું અને અંતે વિદ્યાર્થીઓને ચોકલેટ વિતરણ કરીને કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો.
વિપુલ એસ પરમાર 🙏

" હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત તિરંગા રેલી ""આઝાદી કા અમૃત મહોત્સવ" અંતર્ગત અને “હર ઘર તિરંગા” અભિયાનને પ્રોત્સાહન આપવ...
13/08/2025

" હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત તિરંગા રેલી "

"આઝાદી કા અમૃત મહોત્સવ" અંતર્ગત અને “હર ઘર તિરંગા” અભિયાનને પ્રોત્સાહન આપવા માટે અમારી શાળામાં આજે ભવ્ય તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો શાળાના પ્રાંગણમાં એકત્ર થયા હતા. સૌએ હાથમાં રાષ્ટ્રીય ધ્વજ ધારણ કર્યો અને દેશભક્તિના નારા લગાવતા રેલીનો પ્રારંભ કર્યો.

રેલી શાળા પરથી શરૂ થઈને શાળાની આજુબાજુના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી. માર્ગમાં વિદ્યાર્થીઓએ “હર ઘર તિરંગા – ગર્વથી ફરકાવીએ”, “વંદે માતરમ”, “ભારત માતા કી જય” જેવા ઉર્જાસભર નારા લગાવ્યા. સાથે જ સ્વચ્છતા, એકતા અને દેશપ્રેમના સંદેશવાળા બેનરો પણ ધારણ કર્યા હતા.

સ્થાનિક નાગરિકોએ અને આજુબાજુની સોસાયટીના રહીશોએ પણ તિરંગા રેલીનું સ્વાગત કર્યું હતું અને આ કાર્યક્રમમાં જોડાઈ દેશપ્રેમનો ઉત્સાહ પણ વ્યક્ત કર્યો હતો. અંતે શાળાના મેદાનમાં રાષ્ટ્રીય ગીત સાથે આ કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.

આ રેલી દ્વારા વિદ્યાર્થીઓ અને નાગરિકોમાં રાષ્ટ્રીય એકતા, દેશપ્રેમ અને “હર ઘર તિરંગા” અભિયાન અંગે જાગૃતિ ફેલાઈ હતી.
વિપુલ એસ. પરમાર

રક્ષાબંધનના તહેવારની ઉજવણીતા:- ૦૮/૦૮/૨૦૨૫શુક્રવાર ભાઈ-બહેનના પ્રેમ, સ્નેહ અને અખૂટ બંધનનું પાવન પર્વ એટલે રક્ષાબંધનનો તહ...
08/08/2025

રક્ષાબંધનના તહેવારની ઉજવણી
તા:- ૦૮/૦૮/૨૦૨૫
શુક્રવાર

ભાઈ-બહેનના પ્રેમ, સ્નેહ અને અખૂટ બંધનનું પાવન પર્વ એટલે રક્ષાબંધનનો તહેવાર. આજે અમારી શાળામાં આ તહેવારની હર્ષોલ્લાસપૂર્વક સાથે ઉજવણી કરવામાં આવી હતી. સવારે શાળા પ્રાંગણમાં સૌ વિદ્યાર્થીઓ અને શિક્ષકમંડળ ભેગા થયા ત્યારે માહોલ આનંદ અને ઉત્સાહથી છલકાતો હતો.

કાર્યક્રમની શરૂઆત સૌપ્રથમ પ્રાર્થના સાથે થઈ, જ્યાં સૌએ ભાઈચારા અને એકતાના ભાવ સાથે પ્રભુ સમક્ષ માથું નમાવ્યું. પ્રાર્થના પછી શ્રી રમણસાહેબ દ્વારા સુંદર અને સંક્ષિપ્ત પ્રસ્તાવના વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરીને તહેવારની ઉજવણીનું મહત્વ રજૂ કર્યું હતું.

ત્યારપછી ધોરણ 8 ની વિદ્યાર્થીની પ્રતિક્ષાએ રક્ષાબંધન વિશે હૃદયસ્પર્શી માહિતી આપી હતી. જેમાં ભાઈ-બહેનના પવિત્ર સંબંધ વિશે, રાખડી બાંધવાની પરંપરા અને આ તહેવારની ઐતિહાસિક તેમજ સાંસ્કૃતિક મહત્વ વિશે સૌને માહિતગાર કરવામાં આવ્યા હતા.

ત્યારબાદ શ્રીમતી હાસ્યાબેને આ તહેવારનું આધ્યાત્મિક અને સામાજિક મહત્વ સમજાવતાં જણાવ્યું કે રાખડી માત્ર એક દોરો નથી, પરંતુ ભાઈ-બહેનના હૃદયમાં રહેલા સ્નેહ, વિશ્વાસ અને રક્ષણના વચનનું પ્રતિક છે.

આગળ મુખ્ય ઉજવણીમાં નાની છોકરીઓએ પ્રેમભેર મોટા છોકરાંઓને અને મોટી છોકરીઓએ નાના છોકરાઓને રાખડી બાંધી હતી. સૌના ચહેરા પર ખુશીના કિરણો ઝળહળતા હતાં. રાખડી બાંધ્યા પછી મીઠાઈ વહેંચીને સૌએ આ પવિત્ર દિવસની મીઠી યાદોને હૃદયમાં સમાવી લીધી.

આ રીતે રક્ષાબંધનનો તહેવાર અમારી શાળામાં સૌહાર્દ, પ્રેમ અને સંસ્કારના સોનેરી રંગોમાં રંગાઈને સફળતાપૂર્વક પૂર્ણ થયો.🙏🙏
વિપુલ એસ પરમાર

"જનસેવા એ જ પ્રભુસેવા". આ ઉક્તિ દરેક ધર્મના મૌલિક સિદ્ધાંતોમાં મુખ્યરૂપે કંડારાયેલી છે. "લોકોની સેવા કરો અને એમાં જ ઈશ્વ...
31/07/2025

"જનસેવા એ જ પ્રભુસેવા".

આ ઉક્તિ દરેક ધર્મના મૌલિક સિદ્ધાંતોમાં મુખ્યરૂપે કંડારાયેલી છે. "લોકોની સેવા કરો અને એમાં જ ઈશ્વરના દર્શન કરો". આવી જ પ્રેરણાને હૃદયમાં પ્રગટાવી 16 મી સદીની આસપાસ ખ્રિસ્તી ધર્મમાં એક પ્રખ્યાત અને મહાન સંત થઈ ગયા. અને એ સંત હતા સંત ઈગ્નાસ. 31મી જુલાઈ, સંત ઈગ્નાશનો તહેવાર સમગ્ર વિશ્વમાં અને ભારતમાં ઉત્સાહપૂર્વક અને પવિત્રતાથી ઉજવવામાં આવે છે. સંત ઈગ્નાસ પોતે એક સૈનિક હતા, યુદ્ધ દરમિયાન તેઓ ઘવાયા, ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા અને તાત્કાલિક હોસ્પિટલમાં તેઓને દાખલ કરવા પડ્યા. લાંબો સમય આરામ કરવાનો હતો, હવે સમય કેવી રીતે પસાર કરવો ? તેથી પોતાનો સમય વ્યતીત થાય તે માટે તેઓએ પુસ્તકો વાંચવાનું વિચાર્યું. તેમને હોસ્પિટલમાં જે બે પુસ્તકો મળ્યા એમાંથી એક પુસ્તક હતું 'ઈસુનું જીવન ચરિત્ર'. આ પુસ્તક જ્યારે તેમણે વાંચ્યું ત્યારે તેમના જીવનમાં જબરદસ્ત બદલાવ અને પરિવર્તન આવી જાય છે. અને આ જ તેમના જીવનનો ટર્નિંગ પોઈન્ટ બની જાય છે. જે વ્યક્તિના હાથમાં હંમેશા શસ્ત્રો રહેતા હતા, હંમેશા તેમને જીતની તીવ્ર ઝંખના રહેતી હતી, અત્યારે તે વ્યક્તિ શાસ્ત્રોનું શરણું લઈ લે છે. અને લોકોની સેવા કરવા માટે નીકળી પડે છે. તેમનું એક વાક્ય હંમેશા લોકો યાદ રાખે છે અને તે આ પ્રમાણે છે કે " માણસ આખું જગત જીતે પરંતુ પોતાનો આત્મા કોઈ બેસે એમાં એને લાભ શો"... હોસ્પિટલમાંથી સાજા થયા બાદ તેઓ હવે નીકળી પડે છે પોતાનું જીવન ઈશ્વર સેવામાં સમર્પિત કરી દેવા અને ઈશ્વરમય બની જવા. ઈશ્વરના અધિક મહિમાના અર્થે પોતાનો ઘર સંસાર છોડીને તેઓ ઈશ્વરના માર્ગે નીકળી પડે છે, ઈશ્વરનો સંદેશો લોકો સુધી પહોંચાડવા માટે.. તેમણે પોતાના કાર્યની સુવાસ ઘણી બધી જગ્યાએ ફેલાવી, લોકોની સેવા ઘણી બધી જગ્યાએ કરી, અને તે દ્વારા જ લોકોને ઈશ્વરને પામવાનો સાચો માર્ગ બતાવ્યો, આ બધા મહામૂલા કાર્યોથી તેઓ સમય જતા એક સંત તરીકેની ખ્યાતિ પામ્યા. સંત બન્યા પછી પણ તેમનું કાર્ય ઓછું થયું નથી. પરંતુ આગળ જતા તેમણે ઈસુસંઘ નામની સંસ્થાની સ્થાપના કરી. આ એ જ ઈસુસંઘ કે જે અત્યારે હાલના સમયમાં સમગ્ર ભારતમાં અને સમગ્ર વિશ્વમાં પોતાની અવિરત સેવાઓ શિક્ષણ, આરોગ્ય, સેવા એવા ઘણા બધા ક્ષેત્રોમાં ખૂબ જ ઉત્તમ રીતે નિ:સ્વાર્થ ભાવે સેવા બજાવી રહી છે. ઈસુસંઘના જે પણ મૂલ્યો અને સિદ્ધાંતો છે તેને પ્રસ્થાપિત કરવા ઘણા બધા કાર્યરત પુરોહિતો તેને પોતાની અમૂલ્ય સેવાઓ દ્વારા અવિરતપણે આજદિન સુધી બજાવી રહ્યા છે. આવા જ મહાન સંતની યાદમાં આજે અમારી શાળામાં તેમના તહેવારની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી.. શરૂઆતમાં સુંદર પ્રાર્થના દ્વારા કાર્યક્રમની શરૂઆત થઈ. ત્યારબાદ ઈસુસંઘમાં કાર્યરત એવા સર્વ પુરોહિતોને આવકારવામાં આવ્યા, તેમનું ઉષ્માભેર સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું. ત્યારબાદ સંત ઈગ્નાશની છબીને સંસ્થાના મેનેજરશ્રી પૂજ્ય ફાધર હેમંત દ્વારા પુષ્પ માળા પહેરાવીને તેમની પ્રત્યે પોતાનો સ્તુતિભાવ પ્રગટ કર્યો. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે નગરા હીલિંગ સેન્ટરમાં અધ્યાત્મિક સેવાઓ બજાવનાર એવા પૂજ્ય ફાધર સંજય અમારી શાળામાં પધાર્યા હતા.. તેઓએ પણ પોતાના પાવન મુખે બાળકોને સંત ઇગ્નાશના જીવનના માધ્યમ દ્વારા પોતાના જીવનમાં પ્રગતિ કરવી હોય કઈ બાબતોને ધ્યાનમાં રાખવી ? જીવનમાં આગળ વધવું હોય તો કેવા કેવા પ્રયત્નો કરવા જોઈએ ? પોતાનો ધ્યેય કેવી રીતે પ્રાપ્ત કરવો ? તે અંગે ફાધરે સુંદર માહિતી વિવિધ ઉદાહરણો દ્વારા અમારા બાળકોને આપી હતી. સાથે સાથે શ્રી પ્રિતેશસાહેબે પણ પોતાના વ્યક્તવ્ય દ્વારા બાળકોને સંત ઈગ્નાશના જીવનની ઝાંખી કરાવી હતી. ત્યારબાદ પૂજ્ય સિસ્ટર ઈન્દિરા અને તેમની ટીમે સંત ઈગ્નાશનું સુંદર ગીત રજૂ કરીને તેમની પ્રત્યે આદરભાવ રજૂ કર્યો હતો. સાથે-સાથે શાળામાં સંત ઈગ્નાશના જીવનચરિત્ર બાબતે ચિત્રસ્પર્ધાનું આયોજન રાખવામાં આવ્યું હતું, અને તેમાં જે પણ વિદ્યાર્થીઓએ પહેલો, બીજો અને ત્રીજો નંબર પ્રાપ્ત કર્યો હતો તેઓને પૂજ્ય ફાધર પાક્યમ દ્વારા નાનકડી સુંદર ભેટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી વિપુલસાહેબ દ્વારા સુંદર રીતે કરવામાં આવ્યું હતું. છેલ્લે શાળાના આચાર્યશ્રી પૂજ્ય ફાધર પાક્યમે આ તહેવાર નિમિત્તે સર્વ બાળકોને આશિષ વચનો પાઠવીને સૌ બાળકો અભ્યાસમાં આગળ વધે તે બાબતે પણ આશીર્વાદ આપ્યા હતા. અંતમાં પૂજ્ય ફાધર પાક્યમ દ્વારા સર્વ બાળકોને લાડુ આપીને મોં મીઠું કરાવવામાં આવ્યું હતું.. છેલ્લે મારે એટલું જ કહેવું છે કે જો નિસ્વાર્થ ભાવે લોકોની સેવા કરીશું તો એ ઈશ્વરને પામવા માટેની એક અદભૂત અને અમૂલ્ય ચાવી છે.
આભાર.... સંત ઈગ્નાશની જય હો
વિપુલ એસ પરમાર.
🙏🙏🙏🙏

જીસકો કુછ કરને કી તમન્ના હો, વો તો ગગન કો ભી છુ સકતા હૈ.    બેગલેસ ડે નો ત્રીજો શનિવાર. બાળકોના સર્વાંગી વિકાસ માટે શૈક્...
19/07/2025

જીસકો કુછ કરને કી તમન્ના હો,
વો તો ગગન કો ભી છુ સકતા હૈ.

બેગલેસ ડે નો ત્રીજો શનિવાર. બાળકોના સર્વાંગી વિકાસ માટે શૈક્ષણિક અભ્યાસ જરૂરી છે તેની સાથે સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ તથા અન્ય વિવિધ પ્રવૃત્તિઓ પણ ખૂબ જરૂરી છે. આ પ્રવૃત્તિઓમાં ભાગ લઈને તે પોતાના વ્યક્તિત્વનો ખૂબ જ સારો વિકાસ કરી શકે છે. આ બાબતોને ધ્યાનમાં રાખીને આજે અમારી આર.સી.મિશન શાળામાં જુનિયર કે.જી. થી લઈને ધોરણ 8 સુધીના બાળકો માટે ત્રીજા બેગલેસ ડે ની ઉજવણી કરવામાં આવી હતી. શરૂઆતના સમયમાં કસરત આપણા તંદુરસ્તીભર્યા જીવન માટે ખૂબ જરૂરી છે તેને ધ્યાનમાં રાખીને બાળકોને કસરત કરાવવામાં આવી હતી. શરૂઆતના સમયમાં બાલવાટિકાથી ધોરણ ૨ સુધીના બાળકોને આનંદદાયી શનિવાર અંતર્ગત વિવિધ રમતો રમાડવામાં આવી હતી. જેમાં બાળકોનું ધ્યાન કેન્દ્રિત થાય તે માટે કેપ્ટન કેપ્ટન એક્શન બદલની રમત, આંધળી ખિસકોલી અને રમે તેની રમત રમાડવામાં આવી હતી. જેમાં તમામ બાળકોએ હોંશભેર ભાગ લીધો હતો. ત્યારબાદ ધોરણ 6 થી 8 ની છોકરીઓ માટે કેશગૂંથન પ્રવૃત્તિ અને છોકરાઓ માટે વેસ્ટમાંથી બેસ્ટની પ્રવૃત્તિ રાખવામાં આવી હતી. છોકરીઓએ ખૂબ જ સરસ આ પ્રવૃત્તિમાં ભાગ લઈને સુંદર વાળની હેર સ્ટાઈલ બનાવી હતી તેને જોઈને સૌ ખુશ થઈ ગયા હતા. આ બાજુ છોકરાઓએ પણ નકામી જે વસ્તુ છે એનો ઉપયોગ કરીને અલગ જ તેમના અંદાજમાં કલાત્મક વસ્તુ બનાવીને પોતાની આગવી કળા શિક્ષકો સમક્ષ રજૂ કરી હતી. આ બંને પ્રવૃત્તિઓમાં બાળકોએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ત્યારબાદ મહેંદી મુકવાની પ્રવૃત્તિ રાખવામાં આવી હતી. તેમાં પણ ધોરણ 6 થી 8 ની છોકરીઓએ હાથ ઉપર ખૂબ જ સુંદર મહેંદી મૂકીને ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું. આ રીતે આજના દિવસની ઉજવણી અમારી શાળામાં કરવામાં આવી હતી. બાળકો સૌ ખુશ હતા અને તેઓએ પોતાની આંતરિક શક્તિઓને લોકોની સમક્ષ રજૂ કરી હતી. અંતમાં સિસ્ટરે સર્વ બાળકોને અભિનંદન પાઠવ્યા હતા, સાથે-સાથે આ આનંદદાયી શનિવારે ને સફળ બનાવવા માટે અને સાથ સહકાર બદલ સર્વ શિક્ષકોનો પણ આભાર પણ વ્યક્ત કર્યો હતો.

વિપુલ એસ પરમાર 🙏

બેગલેસ ડેનો અહેવાલઃ આર.સી.મિશન પ્રાથમિક શાળા, ખંભાત.તારીખ: ૧૨ જુલાઈ, ૨૦૨૫ શનિવાર આર.સી.મિશન પ્રાથમિક શાળામાં ૧૨ જુલાઈ, ૨...
12/07/2025

બેગલેસ ડેનો અહેવાલઃ
આર.સી.મિશન પ્રાથમિક શાળા, ખંભાત.

તારીખ: ૧૨ જુલાઈ, ૨૦૨૫
શનિવાર
આર.સી.મિશન પ્રાથમિક શાળામાં ૧૨ જુલાઈ, ૨૦૨૫ ના રોજ, શાળાના પ્રાંગણમાં એક બીજા બેગલેસ ડે શનિવારની રંગીન અને ઉત્સાહપૂર્ણ ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારથી જ બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હતો. આ દિવસનો મુખ્ય હેતુ માત્ર શૈક્ષણિક પ્રવૃત્તિઓ જ નહીં, પરંતુ બાળકોની આંતરિક પ્રતિભાને ઉજાગર કરવા, તેમની સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવા, તથા બાળકોમાં સહકાર અને ટીમ વર્કની ભાવના કેળવાય તથા તેમનો આ દિવસ એક યાદગાર અને આનંદદાયક રહે તેવો અનુભવ પૂરો પાડવાનો હતો. આ સમગ્ર કાર્યક્રમ શાળાના આચાર્યશ્રીના માર્ગદર્શન હેઠળ, શિક્ષકો અને બાળકોના અથાગ પ્રયત્નોથી સફળતાપૂર્વક સંપન્ન થયો. શરૂઆતના સમયમાં કસરત અને યોગ આપણા જીવન માટે ખૂબ જરૂરી છે તેને ધ્યાનમાં રાખીને સૌપ્રથમ બાળકોને કસરત કરાવવામાં આવી. અને આ પ્રવૃત્તિમાં દરેક બાળકોએ સક્રિયપણે ભાગ લીધો હતો. ત્યારબાદ બાળકોની રુચિ અને ક્ષમતાને અનુરૂપ વૈવિધ્યસભર અને રસપ્રદ પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી. ત્યાર પછી બાળ વાર્તાઓ, નાટકો, વેશભૂષા અને એક પાત્રીય અભિનયનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તેમાં શાળાના મંચ ઉપર જુનિયર કે.જી. થી લઈને ધોરણ આઠ સુધીના બાળકોને પોતાની વાર્તાઓ કહેવાની અને નાના નાટકો રજૂ કરવાની તક મળી. કેટલાક બાળકોએ પ્રેરણાદાયી બાળવાર્તાઓ રજૂ કરી, જ્યારે અન્ય બાળકોએ ટૂંકા નાટકો ભજવ્યા. આ પ્રવૃત્તિએ બાળકોના ભાષા કૌશલ્ય, જાહેરમાં બોલવાની ક્ષમતા અને આત્મવિશ્વાસમાં નોંધપાત્ર વધારો કર્યો. પ્રેક્ષક તરીકે બેઠેલા અન્ય બાળકોએ પણ તેમને તાળીઓના ગડગડાટથી પ્રોત્સાહિત કર્યા. ત્યાર બાદ એકપાત્રીય અભિનયની પ્રવૃત્તિએ તથા લોકગીતની પ્રવૃત્તિએ બાળકોની અભિનય કળાને બહાર લાવવાની તક આપી. કેટલાક બાળકોએ વિવિધ ઐતિહાસિક પાત્રોનો અભિનય કર્યો. તેમણે પોતાના અવાજ અને હાવભાવ દ્વારા પાત્રોને જીવંત કર્યા, જેણે ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા. આનાથી તેમની યાદશક્તિ, અભિવ્યક્તિ અને બોલવાની કલા વિકસી. આ આનંદદાયી શનિવારના સફળ આયોજન અને સંચાલનમાં શાળાના આચાર્યશ્રી અને શિક્ષકગણનો સિંહફાળો રહ્યો હતો. દરેક શિક્ષકોએ બાળકોને દરેક પ્રવૃત્તિમાં ભાગ લેવા પ્રોત્સાહિત કર્યા, તેમને જરૂરી સામગ્રી પૂરી પાડી હતી. અંતે કાર્યક્રમને સફળ બનાવવામાં જે પણ શિક્ષકોએ પૂરેપૂરી મદદ કરી તે બદલ પૂજ્ય સિસ્ટર ઈન્દિરાએ સર્વનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. આ રીતે આજનો અમારો દિવસ ઉત્સવપૂર્ણ બની રહ્યો. 🙏🙏

વિપુલ એસ.પરમાર

આજરોજ અમારી આર.સી.મિશન શાળામાં વાલી મીટીંગ નું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
11/07/2025

આજરોજ અમારી આર.સી.મિશન શાળામાં વાલી મીટીંગ નું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

गुरु वही नहीं जो शब्दों से सिखाए,गुरु वह है, जो जीवन को छू जाए।जिसका होना ही रोशनी बन जाए,और मौन भी मार्ग दिखा जाए।   આજ...
10/07/2025

गुरु वही नहीं जो शब्दों से सिखाए,
गुरु वह है, जो जीवन को छू जाए।
जिसका होना ही रोशनी बन जाए,
और मौन भी मार्ग दिखा जाए।

આજરોજ અમારી શાળામાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી. વ્યક્તિના જીવનમાં ગુરુનું ઘણું જ મહત્વ હોય છે. ગુરુ પોતાના તમામ શિષ્યોને જ્ઞાન અને સંસ્કાર આપે છે. ગુરુની ગેરહાજરીમાં વ્યક્તિનું જીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે. ગુરુઓનું સન્માન કરવું એ આપણા સૌની ફરજ છે. તેને ધ્યાનમાં રાખીને આજરોજ અમારી શાળામાં ફરજ બજાવતા તમામ શિક્ષકોનું શાળાના બાળકો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું..🙏🙏

Address

Khambhat

Telephone

+918238022590

Website

Alerts

Be the first to know and let us send you an email when R.C.Mission School, Khambhat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to R.C.Mission School, Khambhat:

Shortcuts

Share

Category