25/08/2026
વિદ્યા દદાતિ વિનયમ્ 📚✨
સરકારી બી. એડ. કૉલેજ, નસવાડી ખાતે ‘સંસ્કૃતકક્ષ’ ઉદ્ઘાટન તેમજ શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ ના નવપ્રવિષ્ટ તાલીમાર્થીઓ માટે ‘દીક્ષારંભ’ કાર્યક્રમ ઉત્સાહભેર સંપન્ન થયો.
આ કાર્યક્રમમાં શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના માનનીય કુલપતિ (VC) શ્રી હરિભાઈ કટારિયા સાહેબે ગરિમામય હાજરી આપી વિદ્યાર્થીઓને આશીર્વાદ અને પ્રેરક ઉદ્બોધન પૂરું પાડ્યું. તમામ તાલીમાર્થીઓને નવી શૈક્ષણિક સફર માટે હાર્દિક શુભકામનાઓ! 💐
HigherEducation EducationLeadership GujaratEducation