Junagadh Agricultural University

Junagadh Agricultural University The aim of JAU is to improve the economic condition of rural community through integration of teaching, research and extension education.

તા. ૨૪/૦૮/૨૦૨૬, સોમવારના રોજ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢના માનનીય કુલપતિશ્રી ડો. વી. પી. ચોવટીયા સાહેબ તથા વિસ્તરણ શ...
24/08/2026

તા. ૨૪/૦૮/૨૦૨૬, સોમવારના રોજ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢના માનનીય કુલપતિશ્રી ડો. વી. પી. ચોવટીયા સાહેબ તથા વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રી ડો. એન. બી. જાદવ સાહેબ દ્વારા કઠોળ સંશોધન કેન્દ્ર, જૂ.કૃ.યુ., જૂનાગઢના ફાર્મની મુલાકાત લેવામાં આવેલ. મુલાકાત દરમિયાન કઠોળ સંશોધન કેન્દ્રના સંશોધન વૈજ્ઞાનિકશ્રી ડો. આર. એમ. જાવિયા તેમજ અન્ય વૈજ્ઞાનિકો સાથે મગ, અડદ અને તુવેરના વિવિધ અખતરાઓ, બ્રીડીંગ મટીરીયલ્સ, જર્મપ્લાઝમ તેમજ પ્રાકૃતિક ખેતી, નિંદામણ નિયંત્રણના અખતરાઓમાં ચાલતી કામગીરીનું નિરીક્ષણ અને સમીક્ષા કરવામાં આવેલ. વધુમાં, કેન્દ્ર ખાતે વિકસાવવામાં આવેલ તુવેરમાં આવતા વ્યંધત્વના રોગની નર્સરીની મુલાકાત લઇ તેમાંથી સારા રોગ પ્રતિકારક જીનોટાઈપની પસંદગી કરી તેમાંથી રોગ પ્રતિકારક જાતો તેમજ તુવેરમાં વહેલી પાકતી જાતો વિકસાવવા માટેનું માર્ગદર્શન આપવામાં આવેલ.

CMO Gujarat Jitu Vaghani Agriculture & Co-operation Department, Government of Gujarat

આજ તા. ૨૧/૦૮/૨૦૨૬ ના રોજ માનનીય કુલપતિ શ્રી ડો. વી. પી. ચોવટિયા સાહેબ, માનનીય રજીસ્ટ્રાર શ્રી ડો. વાય. એચ. ઘેલાણી સાહેબ,...
21/08/2026

આજ તા. ૨૧/૦૮/૨૦૨૬ ના રોજ માનનીય કુલપતિ શ્રી ડો. વી. પી. ચોવટિયા સાહેબ, માનનીય રજીસ્ટ્રાર શ્રી ડો. વાય. એચ. ઘેલાણી સાહેબ, વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડો. એન. બી. જાદવ સાહેબ કૃષિ સંશોધન કેન્દ્ર, તળાજા ની મુલાકાત લીધેલ. માનનીય ચોવટિયા સાહેબે ફાર્મ ખાતે વાવેતર કરેલ દરેક પાક તથા પ્લોટનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનો કરેલ. આગામી શિયાળુ વાવેતર માટેનું યોગ્ય માર્ગદર્શન આપેલ. ફાર્મ ખાતેના દરેક કર્મચારીને ખંતથી કામ કરવા આહ્વાન કરેલ. માનનીય ઘેલાણી સાહેબે કચેરી ખાતે નિભાવવામાં આવતા દરેક રેકર્ડની ચકાસણી કરી જરૂરી સૂચનો કરેલ. માનનીય જાદવ સાહેબે કૃષિ ક્ષેત્રે ખેડૂતોને માર્ગદર્શન મળે એવું આયોજન કરવા જણાવેલ. એકંદરે અત્રેના ફાર્મ ઇન્ચાર્જ આર. પી. કામળીયા તથા સર્વે કર્મચારીશ્રીની કામગીરીને બીરદાવેલ.

CMO Gujarat Jitu Vaghani Agriculture & Co-operation Department, Government of Gujarat

Research & Innovation Milestone at JAUScientists associated with the ICAR-AICRP on PEASEM, Department of Renewable Energ...
21/08/2026

Research & Innovation Milestone at JAU
Scientists associated with the ICAR-AICRP on PEASEM, Department of Renewable Energy Engineering, College of Agricultural Engineering and Technology, Junagadh Agricultural University (JAU), have achieved another significant milestone in the field of research and innovation.
The Patent Office, Government of India, has granted Design Registration for the “Modular Plastic Block”, an innovative research design developed under the ICAR-AICRP on PEASEM. The innovation utilizes HDPE plastic waste and represents a promising step toward sustainable and innovative solutions in agricultural engineering.
This achievement reflects Junagadh Agricultural University’s continued commitment to research excellence, innovation, sustainability, and technological advancement.
On this proud occasion, Dr. V.P. Chovatiya, Vice-Chancellor; Dr.V.D. Tarpara, Director of Research and Dr. K.C. Patel, Principal & Dean, College of Agricultural Engineering and Technology, appreciated and congratulated the research team for this remarkable achievement.
This accomplishment is expected to further strengthen Junagadh Agricultural University’s contribution to research, innovation, sustainable technology, and renewable energy engineering, while opening new avenues for the effective utilization of plastic waste and the development of environmentally sustainable solutions.

CMO Gujarat Jitu Vaghani Agriculture & Co-operation Department, Government of Gujarat Indian Council of Agricultural Research

તાલીમ અને મુલાકાત યોજના અંતર્ગત વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરી, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ દ્વારા માનનીય કુલપતિશ...
20/08/2026

તાલીમ અને મુલાકાત યોજના અંતર્ગત વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરી, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ દ્વારા માનનીય કુલપતિશ્રી ડૉ. વી. પી. ચોવટિયા સાહેબના માર્ગદર્શન હેઠળ તા. ૨૦-૨૧/૦૮/૨૦૨૬ દરમિયાન “દ્વિમાસિક તાલીમ કાર્યશાળા”નું આયોજન કરવામાં આવેલ. આ તાલીમ કાર્યશાળા વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડૉ. એન. બી. જાદવ સાહેબના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલ.
આ કાર્યશાળામાં સંયુક્ત ખેતી નિયામક (વિસ્તરણ), રાજકોટ શ્રી જી. એસ. દવે સાહેબ, નાયબ ખેતી નિયામક (તાલીમ) શ્રી ડી. જી. રાઠોડ સાહેબ, સહ વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી, ડૉ. એચ. સી. છોડવડીયા સાહેબ, શ્રી જીગર ભટ્ટ સાહેબ, જીલ્લા ખેતીવાડી અધિકારી તથા વિભાગોના અધિકારીશ્રીઓ અને વૈજ્ઞાનિકશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તાલીમ કાર્યશાળામાં કુલ ૫0 અધિકારીઓએ ભાગ લીધો હતો. ખરીફ ઋતુ દરમિયાન ખેડૂતોને પડતી વિવિધ ખેતીલક્ષી સમસ્યાઓના વૈજ્ઞાનિક ઉકેલ માટે પાક ઉત્પાદન, પાક સંરક્ષણ, જમીન અને પોષણ વ્યવસ્થાપન તેમજ હવામાનની પરિસ્થિતિને અનુરૂપ ખેતી પદ્ધતિઓ અંગે નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

CMO Gujarat Jitu Vaghani Agriculture & Co-operation Department, Government of Gujarat

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢના માનનીય કુલપતિશ્રી ડૉ. વી. પી. ચોવટીયા સાહેબના માર્ગદર્શન હેઠળ આઈ.સી.એ.આર-ડી.ડબલ્યુ.આર....
19/08/2026

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢના માનનીય કુલપતિશ્રી ડૉ. વી. પી. ચોવટીયા સાહેબના માર્ગદર્શન હેઠળ આઈ.સી.એ.આર-ડી.ડબલ્યુ.આર., જબલપુર દ્વારા પ્રેરિત “૨૧માં પાર્થેનિયમ (ગાજરઘાસ) જાગૃતિ સપ્તાહ, ઓગસ્ટ ૧૬-૨૨, ૨૦૨૬” અભિયાનનું આયોજન તારીખ ૧૯ ઓગસ્ટ-૨૦૨૬ના રોજ કૃષિ વિજ્ઞાન વિભાગ, કૃષિ મહાવિદ્યાલય, જૂ.કૃ.યુ., જૂનાગઢ હસ્તકની નીંદણ નિયંત્રણ યોજના દ્વારા કરવામાં આવેલ હતુ.
પાર્થેનિયમ (ગાજરઘાસ) નીંદણથી થતા વિવિધ નુકશાનો, મનુષ્ય અને પ્રાણીઓમાં થતા રોગો, કૃષિમાં નુકસાન, ઉત્પાદકતા, જૈવવિવિધતા અને જમીનનું સૌંદર્યલક્ષી મૂલ્યમાં ઘટાડો વગેરેમાં વિશે ચર્ચા કરવામાં આવી. આવા હઠીલા નીંદણો સામે સામુહિક-સહભાગી પગલા લેવામાં આવે અને ખેડુતવર્ગ, પશુપાલક, ગ્રામજનો, શહેરના રહેઠાણીય વિસ્તાર વગેરેમાં જોખમ અને નુકશાન ઘટાડવા અને નિયંત્રણ કરવા માટે જાગ્રુતિ અભિયાન કરી ખેતી, જનજીવન, પશુજીવન, સમાજ કલ્યાણ હિત માટે ના પ્રયાસો માટે સદર અભિયાનનું આયોજન કરવામાં આવેલ હતું.
આથી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢની વિવિધ કોલેજ, વિભાગ, સંશોધન કેન્દ્રો, કૃષિ વિજ્ઞાન કેન્દ્રો, હોસ્ટેલ, મેદાન અને વિવિધ ફાર્મ વગેરે વિસ્તારમાં હાથ નિંદામણ દ્વારા નીંદણને જડમુળ માંથી દુર કરી આસપાસના દરેક વિસ્તારને પાર્થેનિયમ (ગાજરઘાસ) રહિત બનાવવા જાગૃતિ અભિયાન ચલાવવા અનુરોધ કરવામાં આવે છે.

CMO Gujarat Jitu Vaghani Agriculture & Co-operation Department, Government of Gujarat

તા. 18/08/2026 ના રોજ અમરેલી જિલ્લા ના ખેડૂતોએ કપાસ સંશોધન કેન્દ્ર, જૂ.કૃ.યુ., જુનાગઢ ના સંશોધન ફાર્મની  મુલાકાત લઈ કપાસ...
19/08/2026

તા. 18/08/2026 ના રોજ અમરેલી જિલ્લા ના ખેડૂતોએ કપાસ સંશોધન કેન્દ્ર, જૂ.કૃ.યુ., જુનાગઢ ના સંશોધન ફાર્મની મુલાકાત લઈ કપાસમાં ખાતર વ્યવસ્થાપન, પિયત સમયપત્રક, યોગ્ય HDPS (ઘનિષ્ઠ વાવેતર) અને કપાસની વૃદ્ધિ નિયંત્રક (PGR) દવાઓના કાર્યક્ષમ ઉપયોગ અંગેની અદ્યતન એગ્રોનોમિકલ તકનીકોની પ્રત્યક્ષ માહિતી મેળવી. આ અંગે ડો. એ. એમ. પોલરા એ કપાસના પાકમાં જમીનની ફળદ્રુપતા સુધારવા, નિંદામણ નિયંત્રણ અને ગુણવત્તાસભર ઉત્પાદન મેળવવા માટેની વૈજ્ઞાનિક ભલામણો વિશે સ્થળ પર જ વિગતવાર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું.

CMO Gujarat Jitu Vaghani Agriculture & Co-operation Department, Government of Gujarat

Congratulations, Wheat Team! 🌾🏆Heartiest congratulations to the entire team of Wheat Research Station, Junagadh Agricult...
19/08/2026

Congratulations, Wheat Team! 🌾🏆

Heartiest congratulations to the entire team of Wheat Research Station, Junagadh Agricultural University (JAU), Junagadh on receiving the prestigious Best AICRP Centre Award–2026 during the 65th AICRP on Wheat Workshop, organized by ICAR-Indian Institute of Wheat & Barley Research, Karnal at RARI, SKNAU, Jaipur, Rajasthan in the presence of Dr. M. L. Jat, DG ICAR and Secretary DARE, Dr. D. K. Yadava, DDG(Crop science) and Dr. P. M. Chauhan, VC, SKNAU, Jobner(Rajashthan).

This remarkable achievement is the result of the continuous support, encouragement, and visionary guidance of our Hon’ble Vice-Chancellor, Dr. V. P. Chovatia sir and the constant leadership, guidance and tireless efforts of our Director of Research, Dr. A. G. Pansuriya sir. This achievement is also because of the support of all the JAU authorities.

This award is a proud recognition of the dedication, teamwork, perseverance and hard work of our present and past Wheat Research Station team, whose collective contributions have strengthened wheat research and development in the central zone of India and Gujarat in specially Saurashtra region.

A proud moment for JAU and the entire Wheat Research Station family!
Congratulations to everyone who contributed to this outstanding achievement.
Together, we strive for excellence in wheat research and farmer prosperity.


CMO Gujarat Jitu Vaghani Agriculture & Co-operation Department, Government of Gujarat Indian Council of Agricultural Research Sri Karan Narendra Agriculture University, Jobner

તા. ૧૮.૦૮.૨૦૨૬ ના રોજ માન. કુલપતિશ્રી ડૉ વી પી ચોવટિયા સાહેબ, વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડો એન બી જાદવ સાહેબ તથા પ્રિન્સિ...
18/08/2026

તા. ૧૮.૦૮.૨૦૨૬ ના રોજ માન. કુલપતિશ્રી ડૉ વી પી ચોવટિયા સાહેબ, વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડો એન બી જાદવ સાહેબ તથા પ્રિન્સિપાલ અને ડીનશ્રી કૃષિ ઈજનેરી કોલેજ ડો કે સી પટેલ સાહેબ દ્વારા મુખ્ય તેલીબિયાં સંશોધન કેન્દ્ર, જૂ.કૃ.યુ., જુનાગઢ ના સંશોધન ફાર્મની મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન સંશોધન વૈજ્ઞાનિકશ્રી (મગફળી) દ્વારા તેમની ટીમ સાથે સંશોધન કેન્દ્ર ખાતે ચાલી રહેલ મગફળી, એરંડા, સોયાબીન અને તલ બ્રીડીંગ કામગીરી, વિવિધ રાજ્ય અને AICRP અખતરાઓ, બ્રીડીંગ જનરેશન મટીરીયલ્સ, ઝર્મપ્લાઝમ,ન્યૂક્લિયસ અને બ્રિડર બીજ ઉત્પાદન કાર્યક્રમ સ્પીડ બ્રિડીંગ કોમ્પ્લેક્ષ માં ચાલતી રેપિડ મલ્ટીપ્લિકેશન જનરેશન તેમજ એન્ટોમોલોજી અને પેથોલોજી ચાલતી કામગીરી ફયુઝિરિયમ અને રૂટ રોટ સિક પ્લોટો વગેરેની સમીક્ષા કરી હતી અને વરસાદ ની ઘટને ધ્યાનમાં રાખી મેક્સિમમ બ્રિડીંગ મટીરીયલ નું જતન થાય અને રાષ્ટ્રીય તેમજ રાજ્યના અખતરાઓ ની કાળજી રાખી શકાય તે બાબતે જરૂરી માર્ગદર્શક સૂચનો પુરા પડ્યા હતા અને વધુ ને વધુ સારી કામગીરી કરી દેશ લેવલે ખંતીલી યુવા ટીમ તેલીબીયા પાકોમાં બદલતા હવામાન સામે રેસિલિયન્ટ વેરાયટ/હાઇબ્રિડો તેમજ આવતા વર્ષ માટે મગફળી પાકનું મહત્તમ બ્રિડર બીજ ઉત્પાદન કરી દેશ ના ખૂણા ખૂણા સુધી તેને પહોંચાડી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની નામના કરી બતાવે તેવા આશય સાથે સમગ્ર તેલીબિયાની યુવા ઉત્સાહિક અને જુસ્સાદાર યુવા ટીમને NMEO યોજનામાં રાષ્ટ્રવ્યાપી સહભાગી બની એક ઉત્કર્ષ યોગદાન આપવા આહવાન કરેલ હતું

CMO Gujarat Jitu Vaghani Agriculture & Co-operation Department, Government of Gujarat

જુનાગઢ કૃષિ યુનિવર્સીટી ના રાજકોટ જિલ્લા ના  કૃષિ વિજ્ઞાન કેન્દ્ર- પિપળીયા (રાજકોટ-2) ખાતે આત્મા પ્રોજેક્ટ રાજકોટ અને કૃ...
17/08/2026

જુનાગઢ કૃષિ યુનિવર્સીટી ના રાજકોટ જિલ્લા ના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર- પિપળીયા (રાજકોટ-2) ખાતે આત્મા પ્રોજેક્ટ રાજકોટ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર પિપળીયા ના સંયુક્ત ઉપક્રમે કૃષિ કાર્યશાળા પરિસંવાદ ડો. એન.બી. જાદવ વિસ્તરણ શિક્ષણ નિયામક્શ્રી જુ.કૃ.યુ. જુનાગઢ ના અધ્યક્ષ સ્થાને તા. ૧૪/૦૮/૨૦૨૬ના રોજ આયોજન કરવામાં આવેલ. સદરહુ કાર્યક્રમ માં અતિથી વિશેષ ડો પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા રાજકોટ શ્રી એચ.ડી. વાદી, વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી કચેરીના ડો. ટી.ડી. કપુરીયા, સિનિયર સાયન્ટીસ્ટ અને હેડ કે.વી.કે. પિપળીયા ડો. એ. જે. ભટ્ટ. જુનાગઢ કૃષિ યુનિવર્સીટી, જુકૃયુ, જૂનાગઢના તજજ્ઞ ડો. એસ. કે. છોડવાડીયા તેમજ ડો. કે. વી. હિરપરા તથા કે.વી.કે. ના વિષય નિષ્ણાંત ડો. વી.એસ. પ્રજાપતી, કે. ડી. ચૌધરી દ્વારા પ્રાકૃતિક કૃષિ વિષય પર માર્ગદર્શન આપવામાં આવેલ. આ કાર્યક્રમમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ ના આયામો અપનાવી અને પ્રાકૃતિક કૃષિ ની શરૂઆત કરવા અનુરોધ કરેલ. આ કાર્યક્રમ માં ઉપલેટા,જામ કંડોરણા, ધોરાજી, જેતપુર તાલુકાના અંદાજે ૨૫૦ જેટલા ખેડુતો હાજર રહી પ્રાકૃતિક કૃષિ અંગે માર્ગદર્શન મેળવેલ. તદુપરાંત ડો. એન.બી. જાદવ વિસ્તરણ શિક્ષણ નિયામક્શ્રી જુ.કૃ.યુ. જુનાગઢ દ્વારા અત્રેની કચેરી હેઠળના ફાર્મની મુલાકાત લઇ જરૂરી માર્ગદર્શન પૂરું પાડી કામગીરીને બિરદાવેલ.

વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરી, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ ખાતે ચાલતી સેન્ટર ઓફ કોમ્યુનિકેશન નેટવર્ક યોજના અંતર્...
17/08/2026

વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરી, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ ખાતે ચાલતી સેન્ટર ઓફ કોમ્યુનિકેશન નેટવર્ક યોજના અંતર્ગત માનનીય કુલપતિશ્રી ડો. વી.પી. ચોવટીયા સાહેબશ્રીના માર્ગદર્શન હેઠળ અમરેલી જિલ્લાના મોટા આકડિયા ગામના પ્રગતિશીલ ખેડૂતો માટે ચોમાસું પાકોની આધુનિક ખેતી પદ્ધતિ વિષય ઉપર તા. ૧૭/૦૮/૨૦૨૬ થી ૧૯/૦૮/૨૦૨૬ દરમ્યાન ત્રણ દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ. જેનો ઉદ્ધઘાટન કાર્યક્રમ વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડો. એન.બી. જાદવ સાહેબના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો. જેમાં ડો. એન.ડી. ઢોલરીયા, સંશોધન વૈજ્ઞાનિકશ્રી, મુખ્ય તેલીબિયાં સંશોધન કેન્દ્ર, જૂ.કૃ.યુ., જૂનાગઢ, ડો. એચ.સી. છોડવડીયા, સહ વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી, પ્રો. વી.કે. ડોબરીયા, મદદનીશ પ્રાધ્યાપક અને તાલીમ સંચાલકશ્રી ડો. ટી.ડી. કપુરીયા, મદદનીશ પ્રાધ્યાપક તથા ૩૫ જેટલા પ્રગતિશીલ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

CMO Gujarat Jitu Vaghani Agriculture & Co-operation Department, Government of Gujarat

Address

University Bhavan, Motibaugh, Vanthali Road
Junagadh
362001

Opening Hours

Monday 8:30am - 6pm
Tuesday 8:30am - 6pm
Wednesday 8:30am - 6pm
Thursday 8:30am - 6pm
Friday 8:30am - 6pm
Saturday 8:30am - 6pm

Alerts

Be the first to know and let us send you an email when Junagadh Agricultural University posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Junagadh Agricultural University:

Shortcuts

Share