15/08/2026
આજ રોજ તા. 15 ઓગસ્ટ 2026 નાં રોજ 80 માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે સરકારી આયુર્વેદ કોલેજ, જૂનાગઢ ખાતે વૈદ્યા બીના વંશ મેડમ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું. આ પ્રસંગે મેડમ દ્વારા આઝાદીનું તેમજ સ્વયં શિસ્તનું મહત્ત્વ સમજાવતું વક્તવ્ય આપ્યું હતું. એન.એસ.એસ. ટીમનાં માર્ગદર્શન હેઠળ પ્રથમ પ્રોફેશનલ વર્ષનાં વિદ્યાર્થીઓ દ્વારા આજનાં સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું. તદુપરાંત વિદ્યાર્થીઓ દ્વારા પિરામિડ, દેશભક્તિ ગીતો, વક્તવ્ય, અને વ્યસન મુક્તિ ડ્રામા જેવી વિવિધ સુંદર કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.