Jay Classes Jamnagar

Jay Classes Jamnagar Competitive exams
11th & 12th Science & Commerce
Engineering classes

સ્પર્ધાત્મક પરીક્ષા માટેની તૈયારી તદ્દન ફ્રીજય ક્લાસીસદુકાન નંબર ૪૬,મયુર કોમ્પ્લેક્સ,બજરંગ બેકરી ની સામે,ખોડિયાર કોલોની,...
08/05/2022

સ્પર્ધાત્મક પરીક્ષા માટેની તૈયારી તદ્દન ફ્રી

જય ક્લાસીસ
દુકાન નંબર ૪૬,
મયુર કોમ્પ્લેક્સ,
બજરંગ બેકરી ની સામે,
ખોડિયાર કોલોની,
જામનગર

https://wa.me/message/JD4XEUSAUAPMM1

            One stop solution  Always happy to help you
30/12/2021


One stop solution

Always happy to help you

04/11/2021
01/11/2021

ખુશખબર... ખુશખબર...

સરકારી નોકરી મેળવવાની અમૂલ્ય તક

જામનગરના વિદ્યાર્થીઓ માટે ખુશ ખબર....
તલાટી, કોન્સ્ટેબલ, પી.એસ.આઇ, ગ્રામસેવક તથા ગ્રાઉન્ડ સાથેની તૈયારી માટેની સ્પેશિયલ બેચ દિવાળી પછી શરૂ થવા જઈ રહી છે તો આ માટે તુરંત રજીસ્ટ્રેશન કરો.

🗓️ ક્લાસ તા. 15/11/2021 થી શરૂ...
કુલ કોર્સ ફ્રી રૂ. 7000/-
કોર્સ સાથે તમામ મટીરીયલ 📚 ફ્રી આપવામાં આવશે.

📝 રજીસ્ટ્રેશન માટે આજે જ સંપર્ક કરો.
9898998776

https://wa.me/message/JD4XEUSAUAPMM1

📍 એડ્રેસ :
જય ક્લાસીસ
શોપ નંબર 46, મયુર કોમ્પ્લેક્સ,
(ગજાનંદ ફર્નિચર/ ડ્રીમ ડેકોર ફર્નિચર વાળુ કોમ્પ્લેક્સ)
બજરંગ બેકરી ની સામે,
ખોડીયાર કોલોની મેઇન રોડ, જામનગર.

📲 આ મેસેજ સરકારી નોકરીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા નમ્ર વિનંતી

તમામ મિત્રો ને સરદાર જયંતીની હાર્દિક શુભેચ્છા. કેટલાકના મત પ્રમાણે કહેવાય છે કે સરદાર પટેલ થોડું વધારે જીવ્યા હોત તો સાચ...
30/10/2021

તમામ મિત્રો ને સરદાર જયંતીની હાર્દિક શુભેચ્છા. કેટલાકના મત પ્રમાણે કહેવાય છે કે સરદાર પટેલ થોડું વધારે જીવ્યા હોત તો સાચા સ્વરાજ્યનું આપણને પુનિત દર્શન થયું હોત.આજે તેની ખોટ પુરા દેશમાં વર્તાય આવે છે. જય સરદાર...

👫 રક્ષાબંધનની શરૂઆત કંઈ રીતે અને ક્યારે થઇ.. 👫 👫 રક્ષાબંધન શ્રાવણમાસની પૂનમના દિવસે દર વર્ષે ઉજવવામાં આવે છે. સામાન્ય રી...
22/08/2021

👫 રક્ષાબંધનની શરૂઆત કંઈ રીતે અને ક્યારે થઇ.. 👫

👫 રક્ષાબંધન શ્રાવણમાસની પૂનમના દિવસે દર વર્ષે ઉજવવામાં આવે છે. સામાન્ય રીતે રક્ષાબંધનના દિવસે બહેન ભાઈને રાખડી બાંધે છે. તેમજ બ્રામ્હણો પણ બધાને એક દોરો બાંધે છે. તેમજ અલગ અલગ જગ્યાએ પોતાના રીવાજો પ્રમાણે અલગ અલગ રીતોથી ઉજવાય છે.

આ તહેવારના શરૂઆતની તો લગભગ લોકો તેનાથી અજાણ હશે કે રક્ષાબંધનની શરૂઆત સૌપ્રથમ પૃથ્વી લોક પર થઇ ન હતી. પરંતુ કોઈ અન્ય લોકમાં મનાવવામાં આવી હતી. રક્ષાબંધનના સંદર્ભમાં દરેક યુગ અને દરેક કાળમાં અલગ અલગ ધારણાઓ બંધાઈ.

પહેલી કથાની જે ભગવાન વિષ્ણુ સાથે સંબંધિત છે. રાજા બલીએ જ્યારે ૧૧૦ યજ્ઞ કરી લીધા ત્યાર બાદ દેવતાઓનો ડર વધી ગયો. દેવતા ડરવા લાગ્યા કે યજ્ઞની શક્તિથી ક્યાંક સ્વર્ગલોકમાં પણ અધિકારના પ્રાપ્ત કરી લે.

બધા દેવો સ્વર્ગ લોકની રક્ષાના હેતુથી ભગવાન વિષ્ણુ પાસે ગયા તેમની આ સમસ્યા લઈને અને પૂરી વાત કહી જણાવી અને તેનો ઉપાય જણાવવા કહ્યું. ત્યારે ભગવાન વિષ્ણુએ વામન અવતાર લઇ બ્રાહ્મણનો વેશ ધારણ કરી રાજા બલી પાસે ભિક્ષા માગવા ગયા. તેના ગુરુની સહેમતી ન હોવા છતાં પણ રાજા બલીએ ત્રણ પગલા ભૂમિનું દાન વામન અવતારમાં આવેલ વિષ્ણુ ભગવાનને કરી દીધું. તે દરમિયાન બ્રાહ્મણ વેશ ધારણ કરેલ ભગવાન વિષ્ણુએ ત્રણ પગલામાંથી એક પગલામાં સ્વર્ગ લોક અને બીજા પગલામાં પૃથ્વી લોક પ્રાપ્ત કરી લીધું. હવે વારો હતો ત્રીજા પગલાનો રાજા બળી ખૂબ જ પરેશાન થઇ ગયો કે હવે શું કરવું વામન અવતાર વિષ્ણુ ભગવાન હજુ ત્રીજું ડગલું માંડે ત્યાજ તેમના પગ નીચે રાજા બલીએ પોતાનું માથું ધર્યું અને કહ્યું કે તમારું ત્રીજું પગલું અહીં મૂકી દો.

આ રીતે ભગવાન વિષ્ણુએ રાજા પાસેથી સ્વર્ગ લોક અને પૃથ્વી લોક પર રહેવાનો અધિકાર છીનવી લીધો અને રાજા બલીએ પાતાળ લોકમાં રહેવું પડ્યું. કહેવાય છે કે બલી જ્યારે પાતાલ લોકમાં જતો રહ્યો ત્યાર બાદ તેને ભગવાનની રાત દિવસ ભક્તિ પૂજા યાચના કરીને ભગવાન પાસેથી હરહંમેશ સાથે રેહવાનું વરદાન પ્રાપ્ત કર્યું હતું. અને ભગવાન વિષ્ણુએ તેના આ વરદાનના કારણે તેમના દ્વારપાળ બનવું પડ્યું. આ બાબતને લઈને માતા લક્ષ્મી પરેશાન થઇ ગયા. અને પરેશાન લક્ષ્મીજીને નારદજીએ એક ઉપાય બતાવ્યો અને નારદજીના બતાવેલા ઉપાય મૂજબ તે પાતાળ લોકમાં રાજા બલી પાસે ગયા અને તેમને રાખડી બાંધી અને ભેટ સ્વરૂપે ભગવાન વિષ્ણુને પોતાની સાથે લઇ જવાની માંગની કરી. અને આ દિવસ હતો શ્રાવણ માસની પૂનમ અને કહેવાય છે કે તે દિવસથી રક્ષાબંધન મનાવવાની શરૂઆત થઇ. આજે પણ આ કથાના આધારે રક્ષાબંધન મનાવાય છે.

ભવિષ્ય પૂરાણ અનુસાર એક વાર બાર વર્ષો સુધી દેવો અને અસૂરો વચ્ચે યુદ્ધ ચાલ્યું. જે સંગ્રામમાં દેવતાઓની હાર થઇ રહી હતી અને દેવતા ડરીને બૃહસ્પતિ એટલે કે બ્રહ્મા પાસે ગયા. ત્યાં ઇન્દ્રના પત્ની દેવી સૂચી પણ ઉપસ્થિત હતા. દેવ ઇન્દ્રની વ્યથા જાણીને ઈન્દ્રાણીએ તેમને કહ્યું કે સ્વામી હું વિધિ વિધાન પૂરાવા રક્ષાસૂત્ર તૈયાર કરીશ તેને તમે સ્વાસ્થ્ય વાચન પૂર્વક બ્રાહ્મણ પસેથી બંધાવી લેજો. ત્યાર બાદ તમે અવશ્ય વિજય પ્રાપ્તિ કરશો.
કેહવાય છે કે તે રક્ષાસૂત્રના કારણે ઇન્દ્ર સહીત દેવો વિજયી થયા હતા. ત્યારથી આ રક્ષાબંધનનો પર્વ બ્રાહ્મણના માધ્યમથી મનાવવામાં આવ્યો. તે દિવસથી શ્રાવણ પૂર્ણિમા એટલે કે રક્ષાબંધનના દિવસે બ્રાહ્મણ પાસેથી દોરો બંધાવવાની પ્રથા ચાલી આવે છે. આ દોરો જીવનમાં ખુશી અને ધન સંપતિની પ્રાપ્તિ કરાવે છે તેવું માનવામાં આવે છે.

આ માન્યતા મહાભારત સાથે જોડાયેલી છે.મહાભારતમાં શિશુપાલનો વધ શ્રીકૃષ્ણ ભગવાને પોતાના સૂદર્શન ચક્રથી કર્યું હતું. શિશુપાલનું માથું કાપી તે ચક્ર પાછું શ્રી કૃષ્ણ ભગવાન પાસે આવ્યું ત્યારે તે સમયે કૃષ્ણની આંગળી કપાઈ ગઈ હતી અને તેને આંગળીમાંથી લોહી નીકળવા લાગ્યું અને આ દ્રશ્ય પાંડવોની પત્ની દ્રોપદી જોઈ ન શકી અને તેમણે તરત જ પોતાની સાડીનો છેડો કાપી તેની આંગળી પર પાટો બાંધ્યો અને લોહી વહેતું અટકાવ્યું. અને આ જોઈ તેમણે દ્રૌપદીને વરદાન આપ્યું હતું કે તે આખી ઝીંદગી તેની રક્ષા કરશે. અને તે દિવસ એટલે શ્રાવણ માસની પૂનમ.અને કૃષ્ણે આ ઉપકારનો બદલો દ્રોપદીના ચીર હરણ ના દિવસે વાળ્યો હતો. કહે છે કે ભાઈ બહેનની પરસ્પર એક બીજાની રક્ષાને ધ્યાનમાં રાખતા રક્ષાબંધનનો તહેવાર ત્યારથી ચાલુ થયો.

મિત્રો આ રીતે રક્ષાબંધનને લઈને ઘણી કથાઓ આપણા ઇતિહાસમાં પ્રચલિત છે. રક્ષાબંધનમાં બાંધવામાં આવતી રાખડીમાં સારી તાકાત હોય છે માટે તેને પૂરા ભાવથી બાંધવી જોઈએ. અને તે તમને દરેક મુશ્કેલીઓથી દૂર રાખશે.

રાખડી બાંધતા સમયે નીચે આપેલા
મંત્રનું ઉચ્ચારણ કરવું.

ॐ येन बद्धो बली राजा दानवेन्द्रो महाबलः।
तेन त्वामपि बध्नामि रक्षे मा चल मा चल।।

અર્થાત જે રક્ષાસૂત્ર થી મહાન શક્તિશાળી દાનવેન્દ્ર
રાજા બલિને બાંધવામાં આવ્યો હતો. તે જ સૂત્રથી
હું તને બાંધુ છું, હે રક્ષે(રાખી) તું અડગ રહેજે.
(તું મારા સંકલ્પ થી ક્યારેય વિચલિત ન થાઓ)

રક્ષાબંધનની હાર્દિક શુભકામનાઓ

આ છે રક્ષા બંધનનો રક્ષામંત્ર

રક્ષા બંધનના દિવસે સૌ પહેલા પૂજાની થાળીમાં રાખડી સજાવીને તમારા ઈષ્ટદેવ, ભગવાન ગણેશ, શિવ અને વિષ્ણુજીને રાખડી અર્પણ કરો અને આ ખાસ મંત્રનુ ઉચ્ચારણ કરો.

રક્ષા કરોતુ શુભહેતુરેશ્વરી, શુભ્યાનિ, ભદ્રાણિ ભી હન્તુ ચાપદ:

હવે રાખડીથી સજેલી એ થાળી લઈને ભાઈ સામે મુકો અને તિલક લગાવીને આ મંત્રનો ઉચ્ચારણ કરતા તેના હાથમાં રાખડી બાંધો.

ભારતમાં ૨૦૨૧ વર્ષમાં ૨૨ ઓગસ્ટ ના રોજ રક્ષાબંધન ઉજવવામાં આવશે.

ફ્રેન્ડશિપ ડે આજે, જાણો આ દિવસ ક્યારથી મનાવવામાં આવે છે?ભારતમાં દર વર્ષે ઓગષ્ટના પહેલા રવિવારે ફ્રેન્ડશિપ ડે મનાવવામાં આ...
01/08/2021

ફ્રેન્ડશિપ ડે આજે, જાણો આ દિવસ ક્યારથી મનાવવામાં આવે છે?
ભારતમાં દર વર્ષે ઓગષ્ટના પહેલા રવિવારે ફ્રેન્ડશિપ ડે મનાવવામાં આવે છે.
કહેવાય છે કે ફ્રેન્ડશિપ ડે પ્રથમ વખત 1958માં પરાગ્વેમાં 'આંતરરાષ્ટ્રીય મિત્રતા દિવસ'ના રૂપમાં મનાવવાની રજૂઆત કરવામાં આવી હતી.
જો કે, ત્યારબાદ આ ગ્રીટિંગ કાર્ડ લેવા અને દેવા માત્ર જ રહી ગયું. ભારતમાં ફ્રેન્ડશિપ ડે પર ઘણા લાંબા સમયથી ફ્રેન્ડશિપ બેન્ડનું પ્રચલન છે. ફ્રેન્ડશિપ ડે ના દિવસે લોકો એકબીજાને ફ્રેન્ડશિપ બેન્ડ પહેરાવે છે.
જોવા મળ્યું છે કે ફ્રેન્ડશિપ ડે અલગ-અલગ દેશમાં અલગ-અલગ તારીખે મનાવવામાં આવે છે. વર્ષ 1958માં, પરાગ્વેમાં ડૉ. રેમન આર્ટેમિયો બ્રાચો દ્વારા સ્થાપિત એક આંતરરાષ્ટ્રીય નાગરિક સંગઠન 'વર્લ્ડ ફ્રેન્ડશિપ ક્રૂસેડ' દ્વારા 30 જુલાઇ માટે રજૂ કરવામાં આવ્યો હતો.
માનવામાં આવે છે કે સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાએ વર્ષ 2011માં આ તારીખને સત્તાવાર જાહેર કરી હતી.
ફ્રેન્ડશિપ ડે વિશે સૌથી પહેલા વર્ષ 1930માં હોલમાર્ક કાર્ડના સંસ્થાપલ એક જોઇસ હૉલે વિચાર આપ્યો હતો.
દર વર્ષે લોકો પોતાના મિત્રો સાથે એ જ એમના જૂના અડ્ડાએ જૂની યાદોને તાજી કરવા માટે એકઠાં થતા હોય છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારીના કારણે ફ્રેન્ડશિપ ડે સેલિબ્રેટ કરવા માટે લોકો ઘરે રહીને જ સોશિયલ મીડિયા પર એકબીજાને આજના દિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.
ફ્રેન્ડશિપ ડે નો ઉદ્દેશ્ય પોતાના મિત્ર પ્રત્યે સ્નેહ અને આભાર વ્યક્ત કરવાનો છે જે મુશ્કેલ ઘડીમાં તમારો હંમેશા સાથ આપતા હોય છે.

Address

Khodiyar Colony Main Road, Mayur Complex, Shop No. 46, Opp. Jay Bajrang Bakery
Jamnagar
361006

Opening Hours

Monday 9am - 1pm
4pm - 8pm
Tuesday 9am - 1pm
4pm - 8pm
Wednesday 9am - 1pm
4pm - 8pm
Thursday 9am - 1pm
4pm - 8pm
Friday 9am - 1pm
4pm - 8pm
Saturday 11am - 1pm
Sunday 11am - 1pm

Telephone

+919898998776

Website

Alerts

Be the first to know and let us send you an email when Jay Classes Jamnagar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Jay Classes Jamnagar:

Shortcuts

Share

Category