25/07/2026
"વૃક્ષો માત્ર પર્યાવરણનું જ નહીં, પરંતુ સમગ્ર માનવજાતના જીવનનું રક્ષણ કરે છે." - ડૉ. કનૈયાલાલ પટેલ
મહિલા આર્ટસ કોલેજ, વિદ્યાનગરી, હિંમતનગર ખાતે તારીખ: ૨૫-૦૭-૨૦૨૬ ના રોજ એન.એસ.એસ. વિભાગના ઉપક્રમે કોલેજના પ્રિન્સિપાલ ડૉ. કનૈયાલાલ એલ પટેલના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળું ગુજરાતના સંકલ્પને સાકાર કરવા વૃક્ષ સંવર્ધન અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડૉ. આર જે જોશી, ડૉ. ડી. કે. ભોયા, ડૉ. પી. એચ. પટેલ તથા એન.એસ.એસ. સ્વયંસેવિકા બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન કોલેજ પરિસરમાં વિવિધ પ્રકારના છાયાદાર વૃક્ષો, લીમડાઓ અને ઔષધીય વૃક્ષોના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું, સાથે જ વાવવામાં આવેલા વૃક્ષોના નિયમિત જતન અને સંવર્ધન કરવાનો સૌએ સંકલ્પ પણ વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે કોલેજના પ્રિન્સિપાલ ડૉ. કનૈયાલાલ પટેલે જણાવ્યું હતું કે, "વૃક્ષો માત્ર પર્યાવરણનું જ નહીં, પરંતુ સમગ્ર માનવજાતના જીવનનું રક્ષણ કરે છે. દરેક વ્યક્તિએ ઓછામાં ઓછું એક વૃક્ષ વાવી તેનું સંવર્ધન કરવાની જવાબદારી સ્વીકારવી જોઈએ."
કાર્યક્રમના અંતે વિદ્યાર્થી નીઓને પર્યાવરણ જાગૃતિ, જળ સંરક્ષણ અને હરિયાળા પર્યાવરણના મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો અને સૌએ પર્યાવરણના સંરક્ષણ માટે સતત કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આવા કાર્યક્રમોને કેળવણી મંડળના પ્રમુખ ડૉ. ડી એલ પટેલ અને ટ્રસ્ટી મહેન્દ્રભાઈ પટેલે આયોજકોને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.