12/01/2023
શ્રી એસ .એચ. વરીઆ હાઈસ્કૂલ ઘોઘંબા તારીખ :- 11/01/2023
આજ રોજ શ્રી એસ .એચ. વરીઆ હાઈસ્કૂલ ઘોઘંબા ખાતે નવીન પુસ્તકાલય ઉદઘાટન સમારોહ નિમિતે પુસ્તક પ્રદર્શન યોજાયું. આ પ્રદર્શન શિક્ષકો તથા પુસ્તકાલય સમિતિ તથા એન.એસ.એસ. દ્વારા યોજવામાં આવ્યું. જુદા જુદા પ્રકાશનનાં પુસ્તકો ,ઉપનિષદો ,સાહિત્યો ,વિજ્ઞાન –ગણિત નાં રોમાંચક પુસ્તકો આ સ્ટોલ ઉપર પ્રદર્શિત કરવામાં આવ્યાં હતા . ત્યાં તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને પુસ્તક પ્રદર્શન ને નિહાળ્યું હતું. લગભગ તમામ વિષયો પરનાં પુસ્તકો હતાં. પ્રદર્શનમાં કેટલાક દુર્લભ પુસ્તકો હતાં જે આપણને કોઈ પણ બૂક સ્ટોલ પર સરળતાથી મળી શકતાં નથી. આ પ્રદર્શન તમામ વિધાર્થીઓને આવનારાં ભવિષ્યમાં પુસ્તકો થકી સારાં પુસ્તકો વાંચવાની અને તેના મૂલ્યો જીવનમાં ઉતારવાની ઉત્તમ તક પૂરી પાડશે.