11/07/2025
શ્રી લેઉઆ પટેલ કેળવણી મંડળ - ધોરાજી સંચાલિત શાળા શ્રી એમ કે એમ વસોયા પટેલ વિદ્યામંદિર માં તારીખ 10 7 2025 ને ગુરુવારના રોજ ગુરુપૂર્ણિમાની ખૂબ જ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ભારતીય સંસ્કૃતિમાં ગુરુ-શિષ્ય પરંપરા મુજબ વિદ્યાર્થીઓ દ્વારા કાર્યક્રમમાં પધારેલ પ્રમુખ શ્રી કિશોરભાઈ પટેલ, મેનેજિંગ ટ્રસ્ટી શ્રી જીમ્મીભાઈ પટેલ, ટ્રસ્ટી શ્રી અશોકભાઈ બાલધા, કેમ્પસ ડાયરેક્ટર શ્રી વિરાણી સાહેબ, આચાર્ય શ્રી રાખોલીયા સાહેબ તેમજ સમગ્ર ગુરુજીના નું વિદ્યાર્થીઓએ ગુરુ પૂજન કરીએ આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. સમગ્ર કાર્યક્રમમાં જુદા જુદા બાળકો દ્વારા ગુરુપૂર્ણિમાના મહિમા વિશેના સુંદર વક્તવ્ય, નાટક તેમજ વિવિધ કૃતિઓ ખુબ જ સુંદર રીતે રજૂ કરવામાં આવેલ હતી.
આ પ્રસંગે ટ્રસ્ટી શ્રી અશોકભાઈ બાલધા દ્વારા બાળકોને ગુરુના મહત્વ વિશેની ખુબ જ સુંદર સમજૂતી આપી હતી તેમજ બધાને આ પાવન અવસરે નિયમ પાલન ની પ્રતિજ્ઞા લેવા માટે અપીલ કરવામાં આવેલી હતી. આચાર્ય શ્રી તેમજ અન્ય ગુરૂજનો દ્વારા વિદ્યાર્થીઓને આશીર્વચન પાઠવ્યા હતા.