Awesomekhabar

Awesomekhabar

Share

We are share ayurvedic tips for health.
#healthtips #beautytips #healthtip #beautyremedies

2025 - Complete Companion for GPAT | Other Entrance Examination in Pharmacy | Includes GPAT 2024 Question Paper | NIPER JEE Special Module and 5 Mock Question Papers | 9th Edition | - Pearson 04/04/2025

https://amzn.in/d/0yUMQqi

*Available with 35% discount for 2 days grab this opportunity and buy wonderful GPAT book for GPAT 2025*

2025 - Complete Companion for GPAT | Other Entrance Examination in Pharmacy | Includes GPAT 2024 Question Paper | NIPER JEE Special Module and 5 Mock Question Papers | 9th Edition | - Pearson Also Useful for NIPER JEE, MET (Manipal Entrance Test), PGCET (PG Common Entrance Test) for All States, Government Pharmacist, Drug Inspector and Lectureship Exam |”

Photos from Awesomekhabar's post 23/03/2025

29th March 2025: "Master HPLC Techniques:
Live Demonstration by Shimadzu Expert – Unlock the Secrets of Precision!"
Time: 10.30 am to 1.30pm

30th March 2025: “Mastering Method Validation: Ensuring Accuracy and Precision in Pharmaceutical Analysis”
Time: 10.30 am to 12.30pm

Registration Fees: 100/-

Last Date of Registration: 28th March 2025.

Registration Link: https://forms.gle/8cjCAAvGnuvKGdQB6

Venue: Online Google meet

Certificate given after successfully completion of Workshop

14/09/2024

I'm excited to be reviewing another insightful article for "Asian Journal of Advanced Research and Reports!". Always a pleasure to contribute to advancing research and sharing knowledge with the scientific community.

HANSRAJ ENTERPRISE 22/01/2024

नमस्कार दोस्तो,
आप लोगो के स्पोर्ट से मोटीवेशन होकर हमने ब्यूटी प्रोडक्ट शुरू किया है.
हमे meesho या flipkart पर जाकर स्पोर्ट कर सकते है.
Thank you. 🙏🙏🙏

HANSRAJ ENTERPRISE HANSRAJ ENTERPRISE

12/10/2023

તત્વ ચિંતક સોલોને સડેલા સફરજનના ચાર ટુકડા કર્યા

- ગાંધીજીનો ભય સાચો પડયો : તેમણે જે સાત અનિષ્ટોની ચેતવણી આપી હતી તેમાં જ આપણે સ્કોલર બની ગયા અને સમાજની આ દુર્દશા થઇ

- હોરાઈઝન-ભવેન કચ્છી

- સંતાનો હવે વાલીઓને દોષ આપવા માંડયા છે કે 'તમે અમારો આવો ઉછેર કેમ કર્યો ? નવી પેઢી ઉદાહરણીય પાકટતા બતાવી રહી છે.

કે ન્સરની બીમારીને લીધે મરણપથારીએ પડેલા પિતાનો સમૃદ્ધ વારસો સ્વીકારવાની એક જુવાન દીકરાએ ઘસીને ના પાડી દીધી. એણે કહ્યું, 'તમે મને ઘણી બધી વસ્તુઓ અને આરામદેહ જીવન આપ્યું છે તે વાત સાચી; પણ મારે ખરેખર જરૂર હતી એ ચીજ તો મને મળી જ નહીં. હું તો હતો તમારા પ્રેમનો ભૂખ્યો. પણ તમે તમારી દુનિયામાં પૈસા, નામ અને સન્માન કમાવવા પાછળ એટલા ગળાડૂબ હતા કે અમારે જે જોઈતું હતું તે તમે આપી શક્યા જ નહીં. અમારે જરૂર હતી ખુદ તમારી જ.'

વીસ વરસની એક મૂંઝાયેલી કન્યા કહે છે: જેની સાથે વિશ્વાસથી વાત કરી શકું એવા કોઈ વડીલ મને મળ્યા નથી. ઘરમાં એક ફૂટના અંતરે જ ફરતા રહેતા વડીલો પાસે મારી વાત માંડુ ત્યાં જ તેમના જમાનાની જૂની રેકોર્ડ શરૂ કરી દે છે. હવે હું મારી વ્યથા, તનાવ કે મુશ્કેલી બહાર શોધવા પ્રયત્ન કરું છું. કોઈના ખભા પર માથું ઢાળી દિલ ખોલી શકું તેની તલાશ હંમેશ રહે છે. મારા તંગ જીવનમાં હું કેવળ સ્માર્ટફોન, ટેલિવિઝન અને સામયિકો મારફત સંતોષ મેળવું છે. મારા ઉકેલ તેમાંથી શોધવા પ્રયત્ન કરું છું. મારા કુટુંબીજનો પાસેથી મને પ્રેમ કે સહાનુભૂતિ નથી સાંપડતા. સહુ પોતપોતાના કામમાં મશગૂલ હોય છે. મારા મનમાં જાતજાતના સવાલો ઉઠે છે પણ મારા સવાલના જવાબ આપવા પડે એ બીકે મારા પપ્પા મારી સાથે લાંબો વખત ગાળતા નથી. મને સમજવાનો પ્રયત્ન કરે, મને સાચી સલાહ આપે એવી કોઈ વ્યક્તિની મારે જરૂર છે.'

નશીલા પદાર્થના સેવનને માર્ગે વળી ગયેલ એક કિશોર કહેતો હતો કે, 'નશાની ગોળી લેવા હું લલચાયો તે પહેલાં મારે ખરેખર તો જરૂર હતી એ ગોળીઓમાંથી મળે નહીં એવી. બજારમાં ખરીદી શકાય નહીં એવી ચીજની -- પ્રેમ, સંવાદ અને આત્મસન્માનની.'

એક સ્વકેન્દ્રી અને સ્નેહ વગરની સૃષ્ટિમાં આપણે જીવી રહ્યા છીએ, તેને પરિણામે આજની યુવા પેઢી, પરિવારના સભ્યો અને અનેક કુટુંબો ગુંગળાઈ રહ્યા છે. યુવા પેઢીના પોષણ અને વિકાસ માટે સારા ખોરાક, સુંદર બ્રાન્ડેડ કપડાં, પ્રવાસ, ગેજેટ્સ, રેસ્ટોરાં અને તમામ સમયે આરામ કે મોંઘાદાટ શિક્ષણ કરતા પણ અનેક ગણું મહત્વ છે પ્રેમ, સંસ્કાર અને કેળવણીના ઘડતરનું, શ્રમનો મહિમા સમજાવતા સંવાદ અને સત્સંગનું તેમજ સુખની સાચી વ્યાખ્યાની સંતાનોને સમજ આપવાનું.

લેખક ચંદ્રકાંત કાજીએ ઉપરોક્ત વિચારો રજૂ કરીને સમાજના પતનના કેટલાક કારણ પર પ્રકાશ ફેંક્યો છે.

આજે સમાજમાં એવી નિરાશા પ્રગટે છે કે નવી પેઢીને તો તેની રીતે જ જીવવા દેવી. તેઓ અમારું કંઈ સાંભળતા જ નથી. વડીલો નકારાત્મક રીતે જ વિચારીને તેમની જવાબદારીમાંથી છટકતા એવું કહેતા હોય છે કે 'અમે તો કહેવાનું જ મૂકી દીધું છે. સંતાનો સાવ હાથમાંથી ગયા છે.' પણ વડીલોએ ક્યારેય વિચાર કર્યો છે ખરો કે જે પરિસ્થિતિ નિર્માણ પામી છે તેમાં તમારો દોષ કેટલો છે. હાલ જે દુર્દશા આપણે જોઈ રહ્યા છીએ તે 'ચેઈન રીએકશન' છે. આપણા માતા પિતાએ આપણો જે સંસ્કારો સાથે ઉછેર કર્યો તેવા આપણે બનીએ અને આપણે તે કારણે જે આદતો અને મનનની સ્થિતિ ધરાવતા હોઈએ તે સાથે જ આપણે સંતાનના માતાપિતા બનીએ. ઉદાહરણ તરીકે મારી યુવાનીમાં મેં જ માતાપિતાનો પ્રેમ ન મેળવ્યો હોય, તેમની મારા માટેની ઉપેક્ષા, ઘમંડનો જ મને અનુભવ હોય તો હું પણ તનાવગ્રસ્ત, કુટેવો અને ગ્રંથિથી પીડાતો જ હોવાનો. ઉદારતા, ઉમદાપણું તેમજ સંવેદનશીલતા મારામાં પણ વિકસી ન જ હોય. હવે હું માતા કે પિતા બનું તો મારા સંતાનોનો ઉછેર કેવો હોય તે વિચારો. વર્ષો પછી આ જ પેકેજ સાથે મારું સંતાન મોટું થશે અને તે પણ મારા જેવું જ બનશે. આજે જે યુવા પેઢી માટે આપણે ચિંતા કરીએ છીએ તે જ તો ભાવિ માતા પિતા છે.

આમ છતાં જો આપણે આપણા ઉછેર કે જરૂરિયાતની જે કમી અનુભવી હતી તેનો પડછાયો બાળક પર ન પડવા દઈએ અને આપણે શું સારું, શું ખરાબ તેનો ભેદ પામી જઈને વાલી તરીકે જે યોગ્યતા જરૂરી છે તે પ્રાપ્ત કરીને નવી પેઢીનો ઉછેર કરીશું અને કેળવણી આપીશું તો હજુ નવી પેઢી માટે આશા છે. માની લો કે સમાજ સડેલો છે તો પણ નવી દુનિયા બહેતર બની જ શકે.

સોલોન ગ્રીસ દેશના વિખ્યાત ચિંતક હતા. એક સડેલું સફરજન લઈને સોલોન મેદની વચ્ચે ઊભા રહ્યા. ઉપસ્થિત લોકોને તેમણે કહ્યું કે 'બોલો, આ બગડેલા સફરજનને સુધારવું હોય તો શું કરવું પડે?' બધા મૌન રહ્યા. એક પૌઢ વ્યકિતએ જોરથી બૂમ પાડીને કહ્યું કે 'આ સફરજનને તો ફેંકી જ દેવું પડે.' બધા સોલોનના પ્રતિભાવની રાહ જોતા રહ્યા. સોલોને કશું જ કહ્યા વગર કાળા પડી ગયેલા સફરજનના ચાર ટુકડા કર્યા. અંદર રહેલ બીજ બતાવીને પૂછયું 'આ બીજ કેવા છે? તે તો સારા છે. તેને વાવવાથી સારું સફરજન ન મેળવી શકાય? સડેલા સફરજનના પણ બીજ તો સારા જ હોય છે.' સહુને નવું એક બ્રહ્મજ્ઞાન સાંપડયું. નવી પેઢી એ બીજ છે. તેનું સરખું જતન કરાય, તેનું યોગ્ય રીતે વાવેતર થાય, પ્રમાણસરનું સિંચન મળી રહે અને સાથે નિંદામણ થતું રહે તો એક આખા સભ્ય સમાજની ફસલ ઉગાડવી સંભવ છે.

ડો. દિનુભાઈ નાયકના પુસ્તક 'કેળવણીનો કલરવ'માં લખાયું છે કે ગાંધીજી કેવા દીર્ઘદ્રષ્ટા હશે. તેમણે ભાવિ ભારત કે વિશ્વને પામી જઈને કહેલું કે સાત પ્રકારના અનિષ્ટોથી બચશો તો દેશ ખરા અર્થમાં સુખી અને ચારિત્ર્યની સંપત્તિ ધરાવતો હશે.

(૧) ઉદ્યમ વિનાની સંપત્તિ (૨) વિવેકબુદ્ધિ વિનાનો આનંદ (૩) ઉમદા હેતુ વિનાનું જ્ઞાન (૪) નીતિમત્તા વિનાનો વ્યાપાર (૫) માનવતા વિનાનું વિજ્ઞાન (૬) ત્યાગ વિનાની ભક્તિ અને (૭) કલ્યાણકારી સિધ્ધાંતો વિનાનું રાજકારણ.

આપણને સમજાઈ જાય કે આ સાતમાંથી સાત કે તેમાંના કેટલાક અવગુણો સાથે આપણો ઉછેર અને આર્થિક વિકાસ થયો છે. ઘેર બે નંબરનો ભ્રષ્ટ પૈસો કે મહેનત વગરનો પૈસો એટલે નંબર એક અનિષ્ટ - ઉદ્યમ વિનાની સંપત્તિ , વિવેકબુદ્ધિ વિનાનો આનંદ એટલે ઉડાઉપણું, વ્યસન, જુગાર અને અનૈતિક સબંધો. માનવતા વિનાનું વિજ્ઞાન એટલે માનવ જગતને વિનાશ તરફ વેરતા નશીલા દ્રવ્યો, વાયરસ અને કેમિકલ વોર તેમજ બેકારી સર્જાતી ટેકનોલોજી અને વિનાશક શસ્ત્રોની શોધ. બુદ્ધિ છે પણ તેનો ઉપયોગ પરિવાર અને સમાજને બેઠા કરવા કરતા ચાલાકી, છળ કપટ, કૌભાંડો અને ભેજાબાજ ગુનેગારીમાં વધતો જાય છે. વેપાર, ઉદ્યોગ, કારોબાર અને વ્યવસાયનો સ્કોપ વધ્યો છે પણ તેમાંથી તંદુરસ્ત સમાજ નિર્માણ પામે તેવી ભાવના રાખવાની જગ્યાએ ગ્રાહકોનું શોષણ, ભેળસેળ અને છેતરપીંડી વધતી જાય છે. જે પણ મંદિરો, ધર્મ અને સંપ્રદાયો છે તેઓ જ ભોગવિલાસ, ઐયાશી અને ભપકામાં ગળાડૂબ છે. ભક્તિ હવે ત્યાગ વગરની બની ચુકી છે અને સમાજના પતનનું આ પણ એક કારણ છે. તેવી જ રીતે રાજકારણમાં પ્રવેશવાનો મૂળ હેતુ જ લુંટનો છે. ચુંટણી માટેની ટિકિટ મેળવવા કરોડોની આપ લે થાય છે. ઉમેદવારોની કરોડોની સંપત્તિ છે અને ગુનાઈત ઈતિહાસ છે. ગાંધીજીએ જે સાત અનિષ્ટોથી આપણને ચેતવ્યા હતા તેમાં આપણે ૧૦૦માંથી ૧૦૦ માર્ક મેળવી સ્કોલર બની ગયા છીએ. આવા વાતાવરણમાં નવી પેઢીને કેવી પ્રેરણા મળે.

આવા પરિવાર અને સમાજની વિપરીત અસર સંતાનો એટલે કે નવી પેઢી પર પડયા વગર ન રહે. જેવી રીતે '‘Cherity begins at home' ' કહેવત છે તેના કરતા પણ મહત્વનું ઘર એ જ સૌથી પહેલી અને મોટી પાઠશાલા છે. તમે સારા પરિવારજન બનો એટલે સમાજ કે દેશ ઉત્તમ જ બને કેમ કે તે પછી કોઈપણ ક્ષેત્રમાં આપણે જઈએ આખરે તો ઉછેર અને કેળવણીથી જ તેમાં દીપી ઉઠતા હોઈએ છીએ. આજે ઘણા જાગૃત સંતાનો મોટા થઈને તેમના માતા પિતાને ફરિયાદ કરે છે કે 'તમે અમને કેમ કોઈ સ્પોર્ટ્સમાં દિલચશ્પી લેતા અને રમતા ન કર્યા. તમે અમને કેમ સતત કમ્ફર્ટ ઝોનમાં જ રાખ્યા. હવે અમને તે પ્રગતિ માટે બાધારુપ નીવડે છે. તમે અમને કેમ આ ન શીખવાડયું અને આવું કેમ શીખવાડયું.'

આજે એવા સંતાનો પણ છે જેઓ બદલાયેલી દુનિયામાં ટકી રહેવા, પ્રગતિ કરવા અને જીવનને દિવ્ય સુખાકારીમાં બદલવા જેમ યુનિવર્સિટીમાં શીખવાડેલું ભૂલી જઈએ તે પછી જ ખરા જ્ઞાનની શરૂઆત થાય છે તેમ 'Unlearning''નો રસ્તો અપનાવે છે. જે પ્રગતિજનક અને સાચી સુખાકારીથી દુર રાખે છે તેવું જે પણ શીખ્યા હતા તે ભૂલી જવાની દુનિયા હવે જોઈ શકાય છે. જેઓ સંઘર્ષ સાથે સફળ થયા છે તેમના ચરિત્ર વાંચે છે. તેવી ફિલ્મો જુએ છે. તેમની આજુબાજુ હકારાત્મક વાતાવરણ રાખે તેવું મિત્રવર્તુળ રાખે છે. ડ્રગ લેનારાઓની સંગત રાખવા કરતા તેવા સર્કલથી દુર રહેવાનો વિવેક કેળવે છે.

સોક્રેટીસ દેખાવમાં કદરૂપા હતા. દાઢી વધેલી હોય અને અધ્યયન તેમજ ચિંતન માટે ઉજાગરા કરતા હતા તેથી આંખો પણ લાલ રહેતી હતી. સભ્ય સમાજની દ્રષ્ટીએ સોક્રેટીસ લઘરવઘર હતા. એક વખત એક દુરના રાજ્યનો સમુદ્ર શાસ્ત્રી (ચહેરો જોઇને ભવિષ્ય ભાખે) સોક્રેટીસના ગામમાં આવ્યો. તેને ખબર નહોતી કે સોક્રેટીસ કોણ છે. સોક્રેટીસ ઝાડ નીચે તેમના શિષ્યો જોડે બેઠા હતા. એક શિષ્યએ સોક્રેટીસ સામે આંગળી ચીંધીને સમુદ્રશાસ્ત્રીને કહ્યું કે 'આ માણસ કેવો છે તે કહી બતાવ.' પેલા ભવિષ્યવેતાએ કહ્યું કે 'જુઓ હું જેવું લાગે તેવું સાચું અને તે પણ સામેં જ કહેતો હોઉં છું.' બધાએ કહ્યું 'વાંધો નહીં.' પેલો ભવિષ્યવેતા તો સોક્રેટીસનો ચહેરો, આંખો અને બેડોળ દેહ જોઇને પ્રભુત્વ સાથે કહેવા માંડયો કે 'આ વ્યક્તિ ખુબ પ્રમાદી છે. આ વ્યક્તિ ખુબ ક્રોધી છે. આ વ્યક્તિ નશામાં ગળાડૂબ રહેતી હશે અને તેમાં વાસના પણ ભારોભાર ભરાયેલી છે...' હજુ સમુદ્ર શાસ્ત્રી આગળ ઘણું બોલવાના મુડમાં હતો ત્યાં જ સોક્રેટીસના શિષ્યો રોષે ભરાયા અને ભવિષ્યવેતાને ફટકારવા જતા હતા ત્યાં જ સોક્રેટીસ બોલ્યા કે 'થોભો, તે જે પણ કહે છે તે એકદમ સાચુ છે.' શિષ્યો સમસમી ગયા 'ગુરુજી આ શું તમે કેમ આવું બોલો છો.' સોક્રેટીસે વાતાવરણને એકદમ હળવું બનાવતા કહ્યું કે 'તે કહે છે તેમ હું ક્રોધી છું, મારામાં વાસનાઓ વસેલી છે અને હું પ્રમાદીપણું પણ ધરાવું છું.' વાતાવરણમાં સોપો પડી ગયો. ત્યાં જ સોક્રેટીસ બોલ્યા કે 'હા, આ ભવિષ્યવેતા એક વાત કહેવાનું ભૂલી ગયા કે આ બધા દુર્ગુણો મારામાં સમાયેલા છે છતાં આ વૃત્તિઓને ક્યારે બહાર લાવવી કે પછી બહાર લાવવા જ ન દેવી તેનો વિવેક હું ધરાવું છું. બસ આ એક જ વાત ઉમેર્યા સિવાયની ભવિષ્યવેતાની બધી વાત સાચી છે.' ભવિષ્યવેતાએ ભારે શરમીંદગી અનુભવી અને સોક્રેટીસની માફી માંગી. કહેવાનું તાત્પર્ય એટલું જ કે 'પ્રત્યેક વ્યક્તિએ તેની વિવેકબુદ્ધિનો ઉપયોગ કરવાનો છે. તે તેના સ્વ જોડે વાત કરશે તો તેનાથી શ્રેષ્ઠ કોઈ મિત્ર નથી તેમ તેને લાગશે.ચાલો શું કરવું અને શું ન કરવું તે વિવેક અને જ્ઞાન આપણે કેળવીએ

27/08/2023
Photos from Awesomekhabar's post 06/06/2023

❤️ सेहत से संबंधित जानकारी प्राप्त करने के लिए हमें फोलो करें ❤️

🔥 हमारी पोस्ट को शेयर करें 🔥
🔥 हमारी पोस्ट को शेयर करें 🔥

✔️Follow us
🎉 Follow us
ℹ️ Follow us

➡🔥Subscribe Our YouTube channel 🎞⬅
Link
"Ancient medical science"

05/06/2023

❤️ सेहत से संबंधित जानकारी प्राप्त करने के लिए हमें फोलो करें ❤️

🔥 हमारी पोस्ट को शेयर करें 🔥
🔥 हमारी पोस्ट को शेयर करें 🔥

✔️Follow us
🎉 Follow us
ℹ️ Follow us

➡🔥Subscribe Our YouTube channel 🎞⬅
Link
"Ancient medical science"

Want your school to be the top-listed School/college in Delhi?

Click here to claim your Sponsored Listing.

Location

Address


Delhi