Government Arts & Science College Dediapada

Government Arts & Science College Dediapada Established in 2007, Government Arts College Dediapada is affiliated to VNSGU, Surat.

સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ, દેડિયાપાડા ખાતે 'ગુરુ પૂર્ણિમા' ની ભવ્ય ઉજવણીદેડિયાપાડા, ૨૯ જુલાઈ ૨૦૨૬:આજે સરકારી વિનયન ...
29/07/2026

સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ, દેડિયાપાડા ખાતે 'ગુરુ પૂર્ણિમા' ની ભવ્ય ઉજવણી
દેડિયાપાડા, ૨૯ જુલાઈ ૨૦૨૬:
આજે સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ, દેડિયાપાડા ખાતે 'ગુરુ પૂર્ણિમા' ના પવિત્ર પર્વની ભક્તિસભર માહોલમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કુ. પ્રીતિકા વસાવા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને ગુરુ વંદના સાથે થઈ હતી.
આ પ્રસંગે કોલેજના ગ્રંથપાલ શ્રી સંજય પરમાર તેમજ આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. રિતેશ પરમારે ગુરુ પૂર્ણિમાનું મહત્ત્વ સમજાવતા પ્રેરણાદાયી વક્તવ્ય આપ્યા હતા. ત્યારબાદ કોલેજના પ્રિન્સિપાલ ડૉ. અનિલાબેન પટેલે વિદ્યાર્થીઓને પોતાના આશીર્વચન પાઠવ્યા હતા અને આજનો વિચાર રજૂ કર્યો હતો.
કાર્યક્રમના અંતે ડૉ. રમેશ વસાવા દ્વારા આભાર વિધિ સંપન્ન કરવામાં આવી હતી. અંતમાં સૌએ સાથે મળીને રાષ્ટ્રગીતનું ગાન કર્યું હતું અને તે સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ જાહેર કરવામાં આવી હતી.

*અહેવાલ: કેશગુમ્ફન સ્પર્ધા*  *સ્થળ: સરકારી વિનિયન અને વિજ્ઞાન કોલેજ, દેડિયાપાડા, જિ. નર્મદા*  તારીખ:27/7/2026*સમય: સવારે...
27/07/2026

*અહેવાલ: કેશગુમ્ફન સ્પર્ધા*
*સ્થળ: સરકારી વિનિયન અને વિજ્ઞાન કોલેજ, દેડિયાપાડા, જિ. નર્મદા*
તારીખ:27/7/2026
*સમય: સવારે 12:00 થી બપોરે 1:00*

સરકારી વિનિયન અને વિજ્ઞાન કોલેજ દેડિયાપાડા ખાતે કોલેજના આચાર્ય શ્રી ડો. અનિલાબેન કે. પટેલના માર્ગદર્શન હેઠળ સપ્તધારાની રંગ કલા કૌશલ્ય ધારા અંતર્ગત તા.27/07/2026ના રોજ કેશગુમ્ફન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
સ્પર્ધાનો ઉદ્દેશ આધુનિકતાની સાથે આપણી ભારતીય સંસ્કૃતિ અને પરંપરાગત સૌંદર્યને જાળવી રાખવા, વિદ્યાર્થીનીઓમાં રહેલી કલાત્મક સૂઝ અને સર્જનાત્મકતાને બહાર લાવવા તેમજ તેમનામાં આત્મવિશ્વાસ વધારવાના હેતુથી આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું .સ્પર્ધામાં વિજ્ઞાન અને વિનયન વિભાગના વિદ્યાર્થીનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. દરેક સ્પર્ધકને પોતાની કેશગુમ્ફન પૂર્ણ કરવા માટે 40 મિનિટનો સમય આપવામાં આવ્યો હતો. સ્પર્ધાનું નિષ્પક્ષ મૂલ્યાંકન કરવા માટે કોલેજના ત્રણ પ્રાધ્યાપિકાઓને નિર્ણાયક તરીકે નિમંત્રિત કરવામાં આવ્યા હતા:
1. પ્રા. બરખાબેન વસાવા
2. પ્રા. પ્રિતિકાબેન વસાવા
3. પ્રા. હીનાબેન વસાવા

*પરિણામ અને ઈનામ વિતરણ*
મૂલ્યાંકન બાદ વિજેતાઓની જાહેરાત કરવામાં આવી:
- *પ્રથમ ક્રમ*: આહિરે રાજેશ્વરી શંકરભાઈ
- *દ્વિતીય ક્રમ*: વસાવા આશાદિત્યા મૂળજીભાઈ
- *તૃતીય ક્રમ*: આહિરે મહિમા સંતોષભાઈ

કાર્યક્રમના અંતે કોલેજના માનનીય આચાર્યશ્રી ડો.અનિલાબેન કે. પટેલ તથા
નિર્ણાયક અધ્યાપિકાઓએ પણ તમામ સહભાગીઓની મહેનતને બિરદાવી અને ભવિષ્યમાં પણ આગળ વધતા રહેવા પ્રોત્સાહિત કર્યા.

*સમાપન*
સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રાધ્યાપિકા હીનાબેન વસાવા દ્વારા કરવામાં આવ્યું. સાંસ્કૃતિક સમિતિના તમામ સભ્યો અને સ્વયંસેવકોના સહયોગથી આ સ્પર્ધા ખૂબ જ સફળતાપૂર્વક પૂર્ણ થઇ.

અહેવાલ તારીખ  ૨૫/૦૭/૨૦૨૬ ના રોજ સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ, દેડિયાપાડા ખાતે કોલેજ ના આચાર્યશ્રી ડો. અનિલાબેન કે. પટે...
26/07/2026

અહેવાલ
તારીખ ૨૫/૦૭/૨૦૨૬ ના રોજ સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ, દેડિયાપાડા ખાતે કોલેજ ના આચાર્યશ્રી ડો. અનિલાબેન કે. પટેલના માર્ગદર્શન હેઠળ સપ્તધારાની રંગ - કલા કૌશલ્ય ધારા અંતર્ગત મહેંદી સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં રહેલી સર્જનાત્મકતા અને રંગકળા કૌશલ્યને પ્રોત્સાહન આપવાનો, ભારતીય પરંપરાગત કળા પ્રત્યે જાગૃતિ લાવવાનો તથા વિદ્યાર્થીઓ ને પોતાની સુષુપ્ત શક્તિઓ રજૂ કરવા માટે મંચ પૂરું પાડવાનો હતો.
આ સ્પર્ધામાં કોલેજના જુદા જુદા વિભાગોમાંથી વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્પર્ધકોએ પોતાની અદભુત કલા અને કૌશલ્યનો પરિચય આપતા હાથ પર મનોહર મહેંદીની ભાત કંડારી હતી. આ સ્પર્ધાનું આયોજન અને સંચાલન વનસ્પતિશાસ્ત્ર ના અધ્યાપિકા સેજલબેન વસાવા દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓની કલાકૃતિ, ચોકસાઈ અને સર્જનાત્મકતાના આધારે મૂલ્યાંકન કરીને શ્રેષ્ઠ વિજેતાઓની પસંદગી કરી હતી. જેમાં નીચે મુજબ વિદ્યાર્થીઓએ ક્રમ મેળવ્યો હતો.
૧. વસાવા આશાદિત્યાબેન મુળજીભાઈ
૨. આહિરે રાજેશ્વરી શંકરભાઈ
૩. આહિરે જાનવી સંતોષભાઈ

વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા અને ભારતીય કળા...

અહેવાલ તારીખ  ૨૫/૦૭/૨૦૨૬ ના રોજ સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ, દેડિયાપાડા ખાતે કોલેજ ના આચાર્યશ્રી ડો. અનિલાબેન કે. પટે...
25/07/2026

અહેવાલ
તારીખ ૨૫/૦૭/૨૦૨૬ ના રોજ સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ, દેડિયાપાડા ખાતે કોલેજ ના આચાર્યશ્રી ડો. અનિલાબેન કે. પટેલના માર્ગદર્શન હેઠળ સપ્તધારાની રંગ - કલા કૌશલ્ય ધારા અંતર્ગત મહેંદી સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં રહેલી સર્જનાત્મકતા અને રંગકળા કૌશલ્યને પ્રોત્સાહન આપવાનો, ભારતીય પરંપરાગત કળા પ્રત્યે જાગૃતિ લાવવાનો તથા વિદ્યાર્થીઓ ને પોતાની સુષુપ્ત શક્તિઓ રજૂ કરવા માટે મંચ પૂરું પાડવાનો હતો.
આ સ્પર્ધામાં કોલેજના જુદા જુદા વિભાગોમાંથી વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્પર્ધકોએ પોતાની અદભુત કલા અને કૌશલ્યનો પરિચય આપતા હાથ પર મનોહર મહેંદીની ભાત કંડારી હતી. આ સ્પર્ધાનું આયોજન અને સંચાલન વનસ્પતિશાસ્ત્ર ના અધ્યાપિકા સેજલબેન વસાવા દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓની કલાકૃતિ, ચોકસાઈ અને સર્જનાત્મકતાના આધારે મૂલ્યાંકન કરીને શ્રેષ્ઠ વિજેતાઓની પસંદગી કરી હતી. જેમાં નીચે મુજબ વિદ્યાર્થીઓએ ક્રમ મેળવ્યો હતો.
૧. વસાવા આશાદિત્યાબેન મુળજીભાઈ
૨. આહિરે રાજેશ્વરી શંકરભાઈ
૩. આહિરે જાનવી સંતોષભાઈ

આજ રોજ તારીખ ૧૧/૦૭/૨૦૨૬ના રોજ પ્રિન્સિપાલ ડૉ. અનિલાબેન કે. પટેલની અધ્યક્ષતામાં સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ, દેડિયાપાડ...
14/07/2026

આજ રોજ તારીખ ૧૧/૦૭/૨૦૨૬ના રોજ પ્રિન્સિપાલ ડૉ. અનિલાબેન કે. પટેલની અધ્યક્ષતામાં સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ, દેડિયાપાડાના અર્થશાસ્ત્ર વિભાગ દ્વારા વિશ્વ વસ્તી દિવસ ની ઉજવણી માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત મહેમાનશ્રીઓનું પુષ્પગુચ્છ દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મુખ્ય વક્તા ડૉ.ચનાભાઈ ટાલીયા દ્વારા વિશ્વ વસ્તીના વર્તમાન પ્રવાહો, ભારતની લોકસાંખ્યિક સ્થિતિ, વસ્તી વૃદ્ધિના મુખ્ય કારણો, તેના સામાજિક, આર્થિક અને પર્યાવરણીય પડકારો તેમજ શિક્ષણ, આરોગ્ય, મહિલા સશક્તિકરણ, પરિવાર કલ્યાણ, રોજગારી, ગરીબી, કુદરતી સંસાધનો પર વધતા દબાણ અને ટકાઉ વિકાસ જેવા વિવિધ પાસાઓ પર વિગતવાર પ્રકાશ પાડ્યો હતો. ઉપરાંત, વધતી વસ્તીને માનવ સંસાધનમાં રૂપાંતરિત કરવા માટે ગુણવત્તાયુક્ત શિક્ષણ, કૌશલ્ય વિકાસ, આરોગ્ય સેવાઓનો વિસ્તાર અને જવાબદાર નાગરિકતા કેટલી આવશ્યક છે તે અંગે પણ તેમણે ભારપૂર્વક માર્ગદર્શન આપ્યું હતું. વ્યાખ્યાન દરમિયાન વિદ્યાર્થીઓને વસ્તી વૃદ્ધિના વૈશ્વિક અને રાષ્ટ્રીય પરિપ્રેક્ષ્ય, લોકસાંખ્યિક પરિવર્તન (Demographic Transition) તથા ભારત માટે ઉપલબ્ધ જનસાંખ્યિક લાભાંશ (Demographic Dividend) અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. વ્યાખ્યાન બાદ પ્રશ્નોત્તરી સત્ર યોજાયું, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમનું સંચાલન પ્રા. સૌરભભાઈ વસાવા દ્વારા કરવામાં આવ્યું હતું. અંતમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ તથા અધ્યાપકોઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ, દેડિયાપાડા અને મંથન નર્મદા કોમ્યુનિટી સાયન્સ સેન્ટર, રાજપીપળા ના સંયુક્ત ઉપક્રમે તા. 10/...
14/07/2026

સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ, દેડિયાપાડા અને મંથન નર્મદા કોમ્યુનિટી સાયન્સ સેન્ટર, રાજપીપળા ના સંયુક્ત ઉપક્રમે તા. 10/07/2026 ના રોજ કોલેજ ખાતે *"IPR - Intellectual Property Rights"* વિષય પર એક દિવસીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમનું સંચાલન કોલેજના ગ્રંથપાલ *શ્રી સંજય પરમાર* સાહેબે કર્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

કાર્યશાળામાં મુખ્ય વક્તા તરીકે *ડૉ. દેવેન્દ્ર સોલંકી*, IPR Expert અને Assistant Professor, બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી, રાજપીપળા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે IPR ના વિવિધ પાસાઓ જેવા કે પેટન્ટ, કોપીરાઈટ, ટ્રેડમાર્ક અને ભૌગોલિક સંકેત વિશે વિગતવાર માહિતી આપી હતી. વિદ્યાર્થીઓમાં નવીનતા અને સંશોધન પ્રત્યે રસ કેળવાય તે માટે તેમણે વ્યવહારુ ઉદાહરણો દ્વારા માર્ગદર્શન આપ્યું હતું.

આ ઉપરાંત *શ્રી મિહિરસિંહ રાણા*, District Coordinator, મંથન નર્મદા કોમ્યુનિટી સાયન્સ સેન્ટર, રાજપીપળા, *કુ. ભૂમિકા વસાવા*, District IP Officer, IP & Innovation Lab, મંથન CSC નર્મદા અને *કુ. કલ્પના રાજવાડી*, Science Communicator, મંથન સાયન્સ સેન્ટર, રાજપીપળા એ પણ પોતાના વક્તવ્યમાં IPR ના મહત્વ અને તેના રક્ષણ વિશે માહિતી આપી હતી.

કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થીઓ અને કોલેજ સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પ્રશ્નોત્તરી દ્વારા પોતાની શંકાઓનું સમાધાન કર્યું હતું.

કાર્યક્રમના અંતે *ડૉ. રમેશ વસાવા* સાહેબે ઉપસ્થિત તમામ મહાનુભાવો, વિદ્યાર્થીઓ અને સ્ટાફનો આભાર માની આભારવિધિ કરી હતી. ત્યારબાદ રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું અને સૌએ સાથે ભોજન લીધું.

સમગ્ર કાર્યક્રમ ડૉ. અનિલાબેન પટેલના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક સંપન્ન થયો.

*સ્થળ*: સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ, દેડિયાપાડા
*તારીખ*: 10/07/2026

રાષ્ટ્રીય સેવા યોજના (NSS) અંતર્ગત આંતરરાષ્ટ્રીય યોગ દિવસ – 21 June 2026 અહેવાલ  તા. 21/06/2026 ના રોજ સવારે 7:00 થી 8:0...
21/06/2026

રાષ્ટ્રીય સેવા યોજના (NSS) અંતર્ગત આંતરરાષ્ટ્રીય યોગ દિવસ – 21 June 2026 અહેવાલ
તા. 21/06/2026 ના રોજ સવારે 7:00 થી 8:00 વાગ્યા દરમિયાન Government Arts and Science College, Dediapada ખાતે રાષ્ટ્રીય સેવા યોજના (NSS) ના ઉપક્રમે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં યોગ પ્રત્યે જાગૃતિ લાવવાનો, સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રેરણા આપવાનો તથા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યનું મહત્વ સમજાવવાનો હતો.
કાર્યક્રમ દરમિયાન યોગ પ્રશિક્ષક શ્રીમતી ભૂમિકાબેન પરમાર તથા શ્રીમતી ઉર્વશીબેન વસાવા દ્વારા વિવિધ યોગાસનો, પ્રાણાયામ અને ધ્યાનની ક્રિયાઓનું માર્ગદર્શન આપવામાં આવ્યું. વિદ્યાર્થીઓ અને સ્ટાફ સભ્યોએ ઉત્સાહપૂર્વક યોગાભ્યાસમાં ભાગ લીધો અને યોગના આરોગ્યલક્ષી લાભો અંગે માહિતી મેળવી.
યોગ સત્ર દરમિયાન ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય યોગ દિવસના મુખ્ય કાર્યક્રમનું જીવંત (Live) પ્રસારણ પણ દર્શાવવામાં આવ્યું. ઉપસ્થિતોએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સંબોધન તેમજ દેશવ્યાપી યોગ કાર્યક્રમોની ઝલક નિહાળી હતી.
આ કાર્યક્રમનું આયોજન NSS Programme Officer શ્રી સંદિપકુમાર ગાઈનના સંકલન હેઠળ તથા કોલેજના આચાર્ય ડૉ. અનિલાબેન કે. પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફ સભ્યોએ નિયમિત યોગાભ્યાસ દ્વારા સ્વસ્થ અને સંતુલિત જીવન જીવવાનો સંકલ્પ કર્યો. સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો.

ગવર્નમેન્ટ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, દેડિયાપાડા ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી તા. 05 જૂન 2026ના રોજ ડૉ. અનિલાબેન પટેલ...
05/06/2026

ગવર્નમેન્ટ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, દેડિયાપાડા ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી તા. 05 જૂન 2026ના રોજ ડૉ. અનિલાબેન પટેલના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવી. પર્યાવરણ જાળવણી અને ટકાઉ વિકાસના મહત્વ અંગે જાગૃતિ ફેલાવવાના હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના મુખ્ય ભાગ રૂપે કોલેજ પરિસરમાં વૃક્ષારોપણ અભિયાન હાથ ધરવામાં આવ્યું. ડૉ. અનિલાબેન પટેલે પ્રથમ રોપો વાવીને અભિયાનનો શુભારંભ કર્યો. ત્યારબાદ પ્રાધ્યાપકો, કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને કોલેજની સીમા દિવાલ પાસેના ખુલ્લા વિસ્તારમાં વિવિધ પ્રકારના રોપા વાવ્યા. વૃક્ષારોપણ બાદ રોપાઓને ડોલ દ્વારા પાણી આપીને તેમની યોગ્ય સંભાળ લેવામાં આવી. સમગ્ર પ્રવૃત્તિ દરમિયાન સહભાગીઓમાં પર્યાવરણ પ્રત્યેની જવાબદારી અને લીલોતરી વધારવાની ભાવના જોવા મળી.સહુએ નવા વાવેલા રોપાઓની નિયમિત જાળવણી કરવાનો સંકલ્પ લીધો. આ ઉજવણીએ કોલેજ પરિવારમાં પર્યાવરણ પ્રત્યે સકારાત્મક દ્રષ્ટિકોણ કેળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.

04/06/2026

The Department of Mathematics at Government Arts and Science College, Dediapada celebrated Pi Day and International Math...
20/04/2026

The Department of Mathematics at Government Arts and Science College, Dediapada celebrated Pi Day and International Mathematics Day on 14 March 2026 under the able guidance of respected principal, Dr. Anilaben K. Patel with great enthusiasm and active participation from students and faculty members. The objective of the celebration was to promote interest in mathematics and highlight its importance in everyday life as well as in different fields of science.The program began with a welcome address by the Head of the Department of Mathematics Mr. Jigneshkumar Shingod, who explained the significance of Pi (π) and its value 3.14. The importance of mathematics in various disciplines such as physics, biology, engineering, and technology was also discussed.Various fun and educational activities were organized for the students. A Pi recitation activity was conducted where students tried to remember and recite as many digits of Pi as possible. In addition, students participated in several games related to mathematics, physics, biology and memory skills. These games were designed to make learning enjoyable and to encourage students to think scientifically and logically. The activities helped students improve their problem-solving abilities, concentration, and teamwork while learning scientific concepts in an interactive way.The program concluded with the appreciation to the winners and participants. The faculty members congratulated the students for their active involvement and encouraged them to continue exploring the fascinating world of mathematics and science. The event was enriched with enchoring conducted by Ms. Khushi Vasava and vote of thanks was delivered by Ms. Disha Gandhi.

Address

Pansar Road
Dediapada
393040

Opening Hours

Monday 8am - 2pm
Tuesday 8am - 2pm
Wednesday 8am - 2pm
Thursday 8am - 2pm
Friday 8am - 2pm
Saturday 8am - 2pm

Telephone

+912649299450

Alerts

Be the first to know and let us send you an email when Government Arts & Science College Dediapada posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share