05/03/2023
*આદરણીય સારસ્વત જ્ઞાતિજનોને એક નિવેદન...*
(આ મેસેજ અમારે બીજી વખત પ્રસિદ્ધ કરવાની આવ્યશક્તા ઉભી થઇ છે કારણકે આ સંસ્થાને સારસ્વત બાળકોમા શિક્ષણનો વ્યાપ વધે તે માટે હજુ ઘણું કામ બાકી છે, અને વધુ કાર્યો કરવા માટે નાણાની જરુરિયાત રહેશે. તો સર્વે જ્ઞાતિજનો ને વિનંતી કે આ સંસ્થા દ્વારા ફેલાવેલી ઝોલી છલકાવી દેશે... મેસેજ થોડો લાંબો છે પરંતુ આપણી ભાવી પેઢીને શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવાનો છે તો બની શકે તો ફક્ત એક વાર જરુર વાંચશો એવી નમ્ર અપીલ છે.)
તા. ૦૪-૦૩-૨૦૨૩
*શ્રી સારસ્વત એજ્યુકેશનલ સોસાયટી-માંડવી* દ્વારા સમગ્ર કચ્છના કોઇપણ ગામમાં રહી અભ્યાસ કરતા કચ્છી સારસ્વત જ્ઞાતિના ધોરણ ૧૦ અને તેથી ઉપરના કોઇપણ ધોરણ કે કોઇપણ ફેકલ્ટીના કોલેજના વિદ્યાર્થીઓને છેલા ૭ વર્ષોથી મેરીટના ધોરણે શિષ્યવૃત્તિ સ્વરૂપે રોકડ સહાયથી પુરસ્કૃત કરવામાં આવે છે. આ વર્ષે એટલે કે આઠમાં વર્ષે પણ વર્ષ ૨૦૨૨-૨૩ દરમ્યાન આ પ્રક્રિયા ચાલુ કરવામાં આવી રહી છે. આ અંગે વિસ્તૃત માહિતી માટે નીચે જણાવેલા હોદ્દેદારોનો સંપર્ક કરવો.
દર વર્ષે લાભાર્થી વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થતો રહે છે. સંસ્થા પાસે જે ફંડ ફિક્ષ ડીપોસિટ સ્વરૂપે બેંકમાં જમા છે તેના વ્યાજ માંથી ઉપરોક્ત શિષ્યવૃત્તિની રકમ ફાળવવામાં આવે છે, જે માર્યાદિત છે એટલે પ્રત્યેક વિદ્યાર્થીને શિષ્યવૃત્તિની રકમમાં દરેક વર્ષે ઘટાડો થતો જાય છે. જોકે ગત ૨-૩ વર્ષોથી સારસ્વત સમાજના દિલેર દાતાશ્રીઓ પાસે ટહેલ નાખતાં, અનેક દાતાશ્રીઓ તરફથી શિષ્યવૃત્તિની રકમ અનેક વિદ્યાર્થીઓ માટે સ્પોન્સર થઇ છે. જેની પ્રસિદ્ધિ સમયાંતરે દરેક માધ્યમો દ્વારા થઇ છે.
તેજ રીતે ચાલુ વર્ષ અને આગામી વર્ષો માટે પણ સ્પોન્સરશીપ લેવા માટે દાનની અપીલ કરવામાં આવે છે કે, *કચ્છ જીલ્લામાં શિક્ષણ ક્ષેત્રે કાર્ય કરતી સારસ્વત જ્ઞાતિની આ એકમાત્ર સંસ્થાને યથાશક્તિ દાન આપી આ ભગીરથ કાર્યમાં હજુપણ વધુ સુંદર કાર્ય થઇ શકે તેમાટે સહયોગી બને.* સંસ્થાનું સ્થાપિત ફંડ વધે તે માટે અમોએ ગત વર્ષો માં *“કાયમી શિષ્યવૃત્તિ ફંડ”* ની રચના કરી છે જે અંતર્ગત કોઈ દાતા એક વિદ્યાર્થીને શિષ્યવૃત્તિ સ્વરૂપે અપાતી રકમના કાયમી ધોરણે સ્પોન્સર થવા રૂ ૨૫૦૦૦/- નું દાન અર્પણ કરે તો એમના કે એમના કોઈ સદ્દગત વડીલના નામથી કાયમી ધોરણે દરવર્ષે એક વિદ્યાર્થીને શિષ્યવૃત્તિ વિતરિત થાય. એની યોગ્ય મીડિયા દ્વારા જાહેરાત તો દરવર્ષે થાય જ છે, તદુપરાંત સંસ્થાના મકાનમાં યોગ્ય જગ્યાએ ૨૫ હજાર કે તેથી ઉપર ના દાતાશ્રીઓ ની નામાવલી એક જનરલ તખ્તી સ્વરૂપે રાખવામાં આવશે ઉપરાંત ઓડીટ રીપોર્ટમાં એ નામનો કાયમી ઉલ્લેખ રહે છે. આ ઉપરાંત કોઇ શ્રેષ્ઠી સદ્દગ્રહસ્થને ૧ વર્ષ માટેની શિષ્યવૃત્તિ સ્પોન્સર કરવી હોય તો ચાહે એટલા વિદ્યાર્થીની શિષ્યવૃત્તિ રુપિયા ૩૦૦૦/- પ્રતિ વિદ્યાર્થી દીઠ રુપિયા ૩૦૦૦/- ના ગુણાંકમાં દાન આપી પોતાનો સહયોગ આપી શકે છે. આ યોજના અંતર્ગત અમોએ સંસ્થાની રૂ. ચાર લાખ જેટલી ફિક્ષ ડીપોજીટ રકમમાં વધારો કર્યો છે, તેમ છતાં હજુપણ મૂળ અંકિત ફંડ વધે તે ખુબજ જરૂરી છે. હાલે સંસ્થા પાસે રુપિયા ૧૫,૦૦,૦૦૦/- ની ફિક્ષ ડીપોઝીટ છે તે વધારીને રુપિયા ૨૫,૦૦,૦૦૦/- ની ફીક્ષ ડીપોઝીટ કરવાનો અમારો લક્ષ્ય છે કે જેથી વિદ્યાર્થીઓને અપાતી શિષ્યવૃત્તિ નો વ્યાપ વધારી શકાય. *તેથી આપ પણ આપનું કે આપના કોઈ સદ્દગત વડીલનું નામ કાયમી ધોરણે અજર-અમર આ શિક્ષણ ક્ષેત્રે રાખવા/રખાવવા ઈચ્છા ધરાવતા હો અથવા યથાશક્તિ એક કે અનેક વિદ્યાર્થીની શિષ્યવૃત્તિ ૧ વર્ષ માટે સ્પોન્સર કરવા માંગતા હો તો આ લેખના અંતભાગમાં લખેલા હોદ્દેદારોનો સંપર્ક અવશ્ય કરશો.*
કાયમી શિષ્યવૃત્તિ ફંડ શરુ કર્યું ત્યારથી અત્યાર સુધી મળેલું અનુદાન અમે ટુંક સમયમાં દાતાશ્રીઓ ના નામ જોગ પ્રસિદ્ધ કરીશું.
*આ સંસ્થાની વાર્ષિક સામાન્ય સભા અને વખતો-વખતની કારોબારી સમિતિની સભાઓ નિયમિત યોજાય છે જેમાં વાર્ષિક ઓડીટેડ નાણાકીય હિસાબોની રજૂઆત અને ગતિવિધિના અહેવાલોની રજૂઆત નિયમિતપણે થાય છે અને બહાલી મેળવાય છે.*
ગત વર્ષો દરમ્યાન શિષ્યવૃત્તિનું વિતરણ આર્થિક સ્થિતિના ધોરણે કરવામાં આવ્યું નથી પરંતુ જેટલા અરજીપત્રકો આવ્યા તે સર્વે વિદ્યાર્થીઓને મેરીટના ધોરણે કરવામાં આવ્યું છે. જેથી મેરીટના ધોરણે રૂપિયા ૨૦૦૦ થી ૩૦૦૦ સુધીની રકમ શિષ્યવૃત્તિ સ્વરૂપે આપવામાં આવી છે, જે ખુબજ ઓછી રકમ કહેવાય કારણકે, આપણે સૌ જાણીએ છીએ કે, વર્તમાન સમયમાં અભ્યાસ ખર્ચ ખુબજ વધ્યું છે. માટે શિષ્યવૃત્તિની આ રકમમાં વધારો થાય તેવું અમે ઇચ્છીએ છીએ અને તે માટે આ સંસ્થાના સર્વે હોદ્દેદારો અને કારોબારી સભ્યો સતત વિચારશીલ અને પ્રયત્નશીલ છે.
*સારસ્વત જ્ઞાતિજનોને નમ્ર નિવેદન છે કે, આપ સૌ પણ વિચારો અને આ સંસ્થાને આર્થિક રીતે મજબુત કરવા આપનો યથાશક્તિ યોગદાન આપો તો જ આપણે આપણા બાળકને આજના સ્પર્ધાત્મક યુગમાં સમય સાથે કદમ મિલાવવા શક્તિમાન બનાવી શકીશું...........*
લી. અમે છીએ આપના વિશ્વાસુ,
ગીરીશ લાલજી જોશી-પ્રમુખશ્રી (ફોન:-૯૦૯૯૦૩૨૦૪૦)
અમિત કિશોરચંદ્ર માયરા-મહામંત્રીશ્રી (ફોન:-૯૮૨૫૩૮૫૭૬૮)
શ્રી સારસ્વત એજ્યુકેશનલ સોસાયટી-માંડવી.