21/09/2025
જ્યારે #જ્ઞાન_શક્તિ બને છે: #શિક્ષણ દ્વારા #જીવન_પરિવર્તન
દરેક #દીકરી #ગૌરવ, #જ્ઞાન અને #આત્મવિશ્વાસ સાથે વિકસવાની અધિકારી છે.
આ જ દ્રષ્ટિ સાથે અમે દીકરીઓના જીવનના એક અગત્યના વિષય – #માસિક_સ્રાવ – વિષે ખુલ્લેઆમ અને #વૈજ્ઞાનિક સમજણ પહોંચાડવા માટે #પ્રશિક્ષણનું આયોજન કર્યું.
#ગ્રામીણ વિસ્તારોમાં આજે પણ #માસિક_ધર્મને #શરમ, #અંધશ્રદ્ધા અને ગેરમાન્યતાઓથી ઘેરાયેલો વિષય માનવામાં આવે છે. પરંતુ જો દીકરીઓને યોગ્ય માર્ગદર્શન અને સાચી માહિતી મળી રહે તો તેઓ #આત્મવિશ્વાસ સાથે જીવનમાં આગળ વધી શકે.
ટ્રેસના ફાઉન્ડેશનના સહયોગથી #ઉત્કર્ષ_ટ્યુશન_કલાસીસ રાઘુપુરા સેન્ટર ખાતે #૬૫ દીકરીઓને #સેનેટરી_પેડનું વિતરણ કરવામાં આવ્યું તથા સચોટ અને આદરણીય #શિક્ષણ આપવામાં આવ્યું.
આ માત્ર #શિક્ષણ નથી, પરંતુ #સશક્તિકરણ છે –
એક એવો પ્રકાશ જે પેઢીઓ સુધી દીકરીઓના જીવનમાં #સમાનતા, #સ્વાભિમાન અને #ઉજ્જવળ_ભવિષ્યનું માર્ગદર્શન આપશે.
લી. #ગીતાબેન_જગદીશભાઈ_વાઘેલા
(કાઉન્સિલર ચકલાસી નગરપાલિકા)