06/01/2026
કચ્છ જિલ્લો માત્ર બદલી નો જિલ્લો બની ગયો છે નોકરી મેળવો થોડો ટાઈમ નોકરી કરો અને પછી કચ્છ જિલ્લામાંથી બદલી કરાવીને પોતાનો વતન જિલ્લામાં ચાલયા જાય છે શિક્ષણ આરોગ્ય તેમજ મહેસુલ તેમજ અન્ય વિભાગોમાં પણ આવી રીતે જ ચાલે છે તેમાં તો ખરેખર શિક્ષણ અને આરોગ્ય માં કેવી રીતે ચાલે શિક્ષણ છે એ આવનારું ભવિષ્ય છે જ્યારે આરોગ્ય છે એ પોતાના સ્વાસ્થ્ય માટે જરૂરી છે તો આના માટે કચ્છના લોકો કચ્છના રાજકીય લોકો તેમજ શિક્ષણ માટે જીવનારા લોકોએ જાગવું પડશે અને કચ્છમાં આવા જ પ્રશ્નો છે એનો યોગ્ય ઉકેલ એ છે કે કચ્છની અંદર સ્થાનિક લોકોની ભરતી કરવામાં આવે તો જ આવનારા દિવસોમાં કચ્છના બાળકોનું ભવિષ્ય ઉજવળ બનશે તો તેના માટે સરપંચથી લઈ ધારાસભ્ય સાંસદ શ્રી તાલુકા પંચાયત સદસ્ય જિલ્લા પંચાયત સદસ્યા તેમજ સંસ્થાઓએ કચ્છના ભવિષ્ય માટે જાગવું પડશે
27/08/2025
ધોરણ 1 થી 12 માં કચ્છની અંદર સ્થાનિક શિક્ષકોની ભરતી થાય તે બાબતે અલગ અલગ તારીખોમાં વર્તમાન પત્રોની અંદર છાપવામાં આવેલા લખાણો અમારા ગ્રુપ દ્વારા વારંવાર અમે સરકારશ્રીને કચ્છના ચૂંટાયેલા પ્રતિનિધિઓને અમે વિનંતી કરીએ છીએ કે કચ્છના બાળકોના ભવિષ્ય માટે ધોરણ 1 થી 12 ની અંદર સ્થાનિક ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવે તમામ જૂની ટેટ ટાટ પરીક્ષા ની વેલીડ ગણવી તેમજ ગ્રાન્ટેડ શાળાઓમાં જેવી રીતે ભરતી ના નિયમો છે એ નિયમો પર ભરતી કરવી જો માત્ર કચ્છ માટે નિયમ બનાવવા સરકારશ્રીને મૂંઝવણમાં હોય તો સરહદીજિલ્લાઓ આદિવાસી વિસ્તારના જિલ્લાઓ તેમજ ગુજરાતના બીજા અંતરિયાળ વિસ્તારના તાલુકા કે જિલ્લાની અંદર જ્યાં આવી પરિસ્થિતિ હોય તે બધા જિલ્લાઓ ની અંદર સ્થાનિક શિક્ષકોની ભરતી કરવામાં આવે તો દાયકાઓ જુના જે પ્રશ્નો છે તે હલ થઈ શકે અને જે તે વિસ્તારના બાળકોને સારું શિક્ષણ મળી શકે આવા વિસ્તારમાંથી પણ ડોક્ટર એન્જિનિયર આઇપીએસ અધિકારી તેમજ સારા હોદ્દા ઉપર પહોંચી શકે એવા વિદ્યાર્થીઓ પણ નીકળે અને આવા વિસ્તારનો બાળકોનું ભવિષ્ય ઉજવળ બને તો આ માટે અમે સરકારને તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓને વિનંતી સહ અરજ કરીએ છીએ
27/08/2025
वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ।
निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा॥
श्री गणेश चतुर्थी की हार्दिक शुभकामनाएँ।
भगवान श्री गणेश के आशीर्वाद से सभी के जीवन में सुख, शांति और समृद्धि का संचार हो, यही मंगल कामना है।
गणपति बप्पा मोरया 🙏🏼
27/07/2025
કેટલાય સમયથી સતત રજૂઆત કરતા કચ્છ TAT ગ્રુપ ના *પ્રમુખ શ્રી તખતસિંહ સોઢા, માર્ગદર્શક શ્રી વનરાજસિંહ જાડેજા, મંત્રી શ્રી કિશોરભાઈ હેડાઉ* અને સંપૂર્ણ TAT ગ્રુપના મિત્રો નો આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટને સમર્થન માટે હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર સહ કાલે મોટી સંખ્યામાં જોડાઓ તેવી વિનંતી.
વિદ્યાર્થીઓએ શાળામાં પૂછયું કે *અમારા શિક્ષકો ક્યારે આવશે?*
શિક્ષક બનવાનું સપનું જોતા યુવાનો એ પૂછ્યું *અમે શિક્ષક ક્યારે બનશું?*
હવે આપણે સૌ એ ૧૦:૦૦ કલાકે કલેક્ટર કચેરી, ભુજ પૂછવાનું છે કે *અમારા બાળકો ક્યારે ભણશે?*
*ગજેન્દ્રસિંહ ભીમાજી જાડેજા*
પ્રમુખ, આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ
પ્રમુખ, કચ્છ રાજપૂત ક્ષત્રિય યુવા સભા
23/07/2025
ખૂબ આનંદની લાગણી સાથે આજે જન્મદિવસની શુભકામનાઓ પાઠવી રહ્યા છીએ એવા અતુલ્ય વ્યક્તિત્વના ધારક, શ્રદ્ધેય તખતસિંહજી સોઢાને...
આપના જીવનના દરેક પાસામાં સમાજ માટેના નિઃસ્વાર્થ યોગદાનની અભૂતપૂર્વ અસર રહી છે.
અખિલ ભારતીય ગ્રાહક પંચાયતના અધ્યક્ષ તરીકે આપનો દૃઢ વિચાર અને જનહિત માટેનો સંઘર્ષ પ્રસંશનીય રહ્યો છે.
TAT ગ્રુપના અધ્યક્ષ તરીકે અને કચ્છના શિક્ષણ ક્ષેત્રે આપ છેલ્લા પાંચ વર્ષથી સતત જે રીતે સ્થાનિક ભારતી માટે જંગ જેવી લડત લડી, તેનું પરિણામ આજના શૈક્ષણિક પરિદૃશ્યમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે.(કચ્છ માટે ૪૧૦૦ સ્પેશિયલ શિક્ષક ભરતી)
શ્રી સારસ્વતમ સંચાલિત શ્રી પુંજા આણંદજી હાઈસ્કૂલ, નિરોણા ખાતે
અપાર સમર્પણ સાથે આપે પ્રવાસી શિક્ષક, માનદ શિક્ષક, સાથી સહાયક અને માનદ કારકુન તરીકે 10 વર્ષથી શ્રદ્ધાપૂર્વક જે સેવા આપી છે, તે માટે શાળાનું સમગ્ર પરિવાર હૃદયપૂર્વક કૃતજ્ઞ છે.
તમારો મૃદુ સ્વભાવ, સેવાભાવ અને ક્રિયાશીલ વૃત્તિ કચ્છના અનેક વિદ્યાર્થીઓ માટે પ્રેરણાનું સ્ત્રોત બન્યું છે.
પ્રભુ અપના જીવનમાં ઉત્સાહ, ઉર્જા અને આરોગ્ય આપતાં રહે —
એવી હ્રદયપૂર્વક શુભેચ્છાઓ... જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ!
---
19/07/2025
રતનાલ ગામે ગામ લોકો દ્વારા શિક્ષકો નહોતા સ્કૂલની તેમજ ગ્રામ પંચાયત ઘેરાવ
https://youtu.be/M_Kp2JhpB6Y?si=TyuI_Grzfb7Qtrom
ગજુભા જાડેજા દ્વારા શ્રી શિક્ષક ભરતી બાબતે ચર્ચા વિચારણાhttps://youtu.be/CK-fHZ_n-K0?si=mdrJ3o7PHhETfSEZ
જીએસટીવી ગુજરાત ઉપર કચ્છની સ્થાનિક શિક્ષકોની ભરતી બાબતે રજૂઆત https://youtu.be/hoBCxqGgMQE?si=vjhFJNhjw_ldi_Xm
અંજારના રતનાલમાં શિક્ષકોની ઘટ મુદ્દે ગ્રામ પંચાયતમાં હોબાળો
17/07/2025
કચ્છમાં શિક્ષક ઘટ બાબતે તેમજ કચ્છમાં સ્થાનિક શિક્ષકોની ભરતી થાય તે બાબતે આજે જીએસટીવી ગુજરાત ન્યુઝ ઉપર લાઈવ ડિબેટ કરી હતી તેમજ કચ્છમાં સ્થાનિક શિક્ષકોની ભરતી થાય એ બાબતે ચર્ચાઓ થઈ હતી
Gstv Special । શિક્ષકો વિના કચ્છ સૂનું, જુઓ GSTV ની વિશેષ ચર્ચા
Gstv Special । શિક્ષકો વિના કચ્છ સૂનું, જુઓ GSTV ની વિશેષ ચર્ચા---------------------------------------Subscribe our channel for More Video & Updates: https:/...
06/07/2025
એક યક્ષ પ્રશ્ન- કચ્છમાં શિક્ષકોની ઘટ વચ્ચે કેમ રહેશે શિક્ષણનો વટ...?
કચ્છ જેવા સરહદી, વિશાળ અને ભૌગોલીક રીતે ભિન્ન જિલ્લામાં શિક્ષણ વ્યવસ્થાની દયનિય સ્થિતિ દિવસે દિવસે ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે. શાળાઓ શરૂ થયે હવે એક મહિનો થવા આવ્યો છે, છતાં આજે પણ જિલ્લામાં કેટલાય બાળકો એવી શાળાઓમાં અભ્યાસ કરી રહ્યા છે, જ્યાં તો એક પણ શિક્ષક નથી કે પછી માત્ર એક જ શિક્ષક શાળાની સમગ્ર જવાબદારી વહન કરી રહ્યો છે.
સરકારી આંકડા મુજબ જિલ્લામાં 11 શાળાઓમાં આજની તારીખે એક પણ શિક્ષક હાજર નથી, જ્યારે 51 જેટલી શાળાઓ એવી છે જ્યાં માત્ર એકમાત્ર શિક્ષક છે. આવી શાળાઓમાં શિક્ષણ કેવી રીતે પૂરતું અને ગુણવત્તાવાળું મળી શકે તે વિચારણીય છે. આવા સંજોગોમાં “શિક્ષણ સર્વ માટે” ની વાત માત્ર કાગળ પર જ સીમિત રહી જાય છે.
રાજ્ય સરકારે ખાસ કિસ્સા તરીકે કચ્છ જિલ્લાની માટે 4100 જેટલી શિક્ષકની જગ્યા માટે ભરતી પ્રક્રિયા આરંભ કરી છે, પરંતુ આજે સુધી નિમણૂકની કોઈ ચોક્કસ સમયમર્યાદા જાહેર કરવામાં આવી નથી. પરિણામે પેદા થઈ રહેલો ઉહાપોહ વિદ્યાર્થીઓના અભ્યાસ પર પણ સીધી અસર પાડી રહ્યો છે. હાલમાં કચ્છ જિલ્લામાં સરકારી ઉચ્ચતર માધ્યમિક સંવર્ગમાં નવી શિક્ષણ સહાયક ભરતીમાં ૨૯૩ માંથી ૨૪૨ ઉમેદવારો જ હાજર રહ્યા, જે કચ્છની કાયમી શિક્ષક ધટની સમસ્યાનો સીધો નિર્દેશ કરે છે. હજુ ક્રમશ: ભરતી પ્રક્રિયા પ્રાથમિક સુધીની બાકી છે. એમા પણ આ જ રીતે શિક્ષકોની ખાલી જગ્યાઓ રહેવાની પૂરી શક્યતાઓ છે.
કચ્છના યુવાઓને પણ આ ઘટનાક્રમમાં નિરાશા ભોગવવી પડી રહી છે. વર્ષોથી શિક્ષિત થઈ રહેલા અને ટેટ-ટાટ જેવી પરીક્ષાઓ પાસ કરનાર સ્થાનિક ઉમેદવારો હજુ પણ નિમણૂકની રાહ જોઈ રહ્યા છે. ઘણીવાર એવું બને છે કે જ્યાં એક તરફ નિમણૂક માટે ઉમેદવાર તૈયાર છે ત્યાં બીજી તરફ તાલુકાની શાળાઓમાં શિક્ષકના અભાવે વર્ગો ખાલી રહી જાય છે.
ઉકેલ શું?
કચ્છને નવા શૈક્ષણિક માળખાની તાતી જરૂર છે એ માટે નીચેના પગલાં તાત્કાલિક લેવાં જરૂરી છે:
કચ્છના સ્થાનિક ઉમેદવારોને ધો.૧ થી ૧૨માં ખાસ કિસ્સામાં નિમણૂકમાં જૂની ટેટ-ટાટ પાસ ઉમેદવારોને અગ્રતા આપવામાં આવે, તો આ શિક્ષક કાયમી ધટની સમસ્યાનો કાયમી ઉકેલ આવી શકે.
શિક્ષક નિમણૂકની ચોક્કસ અને જલદી તારીખ જાહેર કરવામાં આવે.
જિલ્લાની શાળાઓ માટે રાષ્ટ્રીય શૈક્ષણિક નીતિ મુજબ ‘શિક્ષક–વિદ્યાર્થી’ ગુણોત્તર સુનિશ્ચિત કરવામાં આવે.
તાલુકાવાર શાળાઓમાં ઉપલબ્ધ સંસાધનો અને સ્ટાફની હાલતની ગણતરી કરી ટૂંક સમયમાં જ પ્રશ્નોની સમીક્ષા થાય.
જિલ્લાના સાંસદ, ધારાસભ્યો તથા અન્ય ચૂંટાયેલા પ્રતિનિધિઓએ રાજ્ય સરકાર સમક્ષ સરહદી કચ્છની ખાસ સ્થિતિને ધ્યાનમાં રાખી સ્થાનિક ઉમેદવાર ભરતી સંબંધિત પરિપત્ર લાવવા માટે દબાણ ઊભું કરવું જોઈએ.
અંતે એક યક્ષ પ્રશ્ન: “શિક્ષકો વિના કેમ ભણશે કચ્છ?”
જ્યાં શિક્ષક નથી ત્યાં શિક્ષણ શૂન્ય બની જાય છે. ત્યારે રાજ્ય સરકાર અને શૈક્ષણિક વિભાગે આ સ્થિતિને તાત્કાલિક ધ્યાને લઈને કચ્છના બાળકોના ભવિષ્યને સંવારી રાખવા માટે પ્રાથમિક તબક્કે પગલાં લેવા ખૂબ જ જરૂરી છે.
01/07/2025
કચ્છ ના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ને ખાસ વિનંતી સાહેબ આપણા કચ્છ માટે ખાસ ભરતી આવી છે એમાં આપણાને અગ્રતા મળવી જોઈએ, અમે રજૂઆતો કરી કરી હવે થાક્યા છીએ...
ધોરણ 1થી 12 માં સ્થાનિક શિક્ષકની ભરતી કરો
આ ભરતી માં કચ્છ ના ઉમેદવારો ને ૫૦℅ અગ્રતા આપવો .
અગાઉ અન્ય જિલ્લા માં પણ ખાસ ભરતીઓ થયેલી છે અને તેઓને અગ્રતા મળી છે.
વિષય: નિમણૂક ત્યાં નિવૃત્તિ ભરતીમાં અગાઉની લેવાયેલ તમામ ટેટ ટાટ કવોલિફાઇડ કચ્છના સ્થાનિક ઉમેદવારોને અગ્રતા આપવા અંગે .
ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી દ્વારા કચ્છની વર્ષો જૂની શિક્ષક ઘટની સમસ્યાના કાયમી ઉકેલ માટે કરછના શિક્ષણ પ્રત્યે દાખવેલ સંવેદના બદલ સમગ્ર કરછ અને કરછનું શિક્ષણ જગત આપનું ઋણી રહેશે.
▶️કચ્છની શિક્ષક ઘટની સમસ્યાના કાયમી ઉકેલ માટે પ્રાથમિકની જેમ માઘ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં પણ આવોજ ઉદઘોષ કરવામાં આવે.
▶️ નિમણુક ત્યાં નિવૃતિની તર્જ ઉપર આવનાર ભરતીમાં અગાઉ ઉર્તીણ તમામ ટેટ અને ટાટ એટલેકે ધોરણ 1થી 12 સુધીની તમામ ટેટ ટાટ પરિક્ષા પાસ કરેલ સ્થાનિક ઉમેદવારોને ભરતીમાં એક તક આપવામા આવે. કરછમાં દ્વિસ્તરિય ટાટ પાસ કરેલ ઉમેદવારોની સંખ્યા સિમિત હોતાં કરછના ઉમેદવારોની અગાઉની તમામ ટાટ પાસની સર્ટિને વિશેષ કિસ્સામાં વેલીડ ગણીને નિમણૂક ત્યાં નિવૃત્તિમાં કરછી સ્થાનિક ઉમેદવારોને અગ્રતા આપવામાં આવે જેથી વિશેષ ભરતીનો ઉદેશ્ય સાર્થક થઈ શકે.
▶️ આવનાર સ્થાનિક ભરતીમાં 2012 અને 2014 તેમજ 2018/19ની ટાટ પરીક્ષા પાસ કરેલ અસંખ્ય કરછી ઉમેદવારો કરછની સ્થાનિક ભરતીનું સ્વપ્ન સેવતા, ચાતક ડોળે રાહ જોતાં જોતાં ભરતીની વય મર્યાદાની સમય સીમા પાર કરી ચૂક્યા છે માટે વય મર્યાદા તેમજ 2023ની દ્વિ સ્તરીય પરીક્ષાના બાધ્ય વગર તમામ જૂની ટાટ પાસ કરછી ઉમેદવારોને એક તક આપવામાં આવે જેથી શિક્ષક ઘટની સમસ્યા કાયમી ધોરણે નિવારી શકાય.
▶️ ભૌગોલિક દ્રષ્ટિએ દેશનો સૌથી મોટા દુર્ગમ સીમાવર્તી જિલ્લાની વિવિધતાને જોતા કરછની પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સુધીનો અભ્યાસ કરછમાં કરેલ હોય અથવા કરછી બોલી સમજી અને બોલી શકતા હોય તેવા કરછી ઉમેદવારોને અગ્રતા આપવામાં આવે.
▶️ શિક્ષણની ગુણવત્તા જળવાઈ રહે તે માટે કરછમાં ધોરણ 1થી 12માં પ્રવાસી શિક્ષક તરીકેની કામગીરી કરેલ અનુભવી કરછી શિક્ષકોને અગ્રતા આપવામાં આવે.
▶️"દેશકી સીમાએ માતાકે વસ્ત્રો કે સમાન હોતી હૈ ઉનકી રક્ષા કરના હર પુત્રકા પ્રથમ કર્તવ્ય હૈ" સૂત્રને ચરિતાર્થ કરવા સ્થાનિક ભરતીના માધ્યમ દ્વારા દુર્ગમ, સરહદી શૈક્ષણિક પલાયન અટકાવી રાષ્ટ્ર દેવો ભવઃની ભાવના સાર્થક કરવા સર્વે કરછીઓ વતી કરછ ટાટ ગ્રુપ આપને સ્થાનિક ભરતી માટે આગ્રહ ભરી વિનંતિ કરે છે.