28/02/2020
"વિદ્યામંજરી જ્ઞાનપીઠ, સંસ્કૃતિ સ્કૂલ સિહોર ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિનની ઉજવણીનાં ભાગ રૂપે વિજ્ઞાન મેળો – ૨૦૨૦ ઉજવાયો”
સિહોર શહેરની નામાંકિત શૈક્ષણિક સંસ્થા વિદ્યામંજરી જ્ઞાનપીઠ, સંસ્કૃતિ સ્કૂલ, સિહોર ખાતે તા-૨૮/૦૨/૨૦૨૦ને શુક્રવારના રોજ સવારે ૦૮:૦૦ થી ૦૫:૦૦ કલાક દરમિયાન કેન્દ્ર સરકારનાં નિતિ આયોગનાં સૌજન્યથી બાળકોમાં સર્જનાત્મકતા અને સંશોધન કૌશલ્યનાં સિંચન અને વિકાસ માટે “અટલ ટિંકરીંગ લેબ” આ અટલ ટિંકરીંગ લેબમાં બાળવૈજ્ઞાનીકોએ બનાવેલ પ્રયોગોનું ભવ્ય પ્રદર્શન “વિજ્ઞાન મેળા” ના સ્વરૂપે રાષ્ટ્રીય વિજ્ઞાન દિનની ઉજવણીનાં ભાગ સ્વરૂપે રજૂ કર્યો. તો આ અવસરે સિહોર શહેરની જાહેર જનતાને તેમજ સિહોર તાલુકાની જુદી જુદી શાળાઓના વિદ્યાર્થીઓને ઉપસ્થિત રહેવા અને બાળવૈજ્ઞાનીકોની સર્જનાત્મક અભિવ્યક્તિને પ્રોત્સાહીત કરવા હાર્દિક નિમંત્રણ પાઠવેલ છે. આ વિજ્ઞાન મેળાનું ઉદઘાટન દિપ્તીબેન ત્રિવેદી (પ્રમુખશ્રી સિહોર નગરપાલીકા)નાં વરદ હસ્તે કરવામાં આવ્યુ. આ વિજ્ઞાન મેળામાં જુદા જુદા સાત (૭) વિભાગોમાં સિત્તેર(૭૦) થી પણ વધારે પ્રયોગો રજુ થશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અટલ ટિંકરીંગ લેબનાં બાળવૈજ્ઞાનીકો અને ATL કન્વીનર ભારે જહેમત ઉઠાવી હતી..