29/09/2025
*'ભાવેણા ના ક્લાનિષ્ઠ ચિત્રકાર શ્રી ભરતભાઈ પંડ્યા ને વર્ષ 2020-21 માટે ગૌરવ પુરસ્કાર'*
ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી દ્વારા દર વર્ષે રાજ્યમાં ચિત્રકલા, શિલ્પકલા તથા છબી કલાક્ષેત્રે ગણનાપાત્ર અમુલ્ય યોગદાન આપવા બદલ ગુજરાતના નામાંકિત કલાકારો ને “ગૌરવ પુરસ્કાર” એનાયત કરી ને રાજ્ય સરકાર સન્માનિત કરતી હોય છે જેમાં ગુજરાત રાજ્યના સાંસ્કૃતિક પ્રવૃત્તિના મંત્રી શ્રીના અધ્યક્ષ સ્થાનેથી ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમીની ગૌરવ પુરસ્કાર પસંદગી સમિતિ દ્વારા વર્ષ 2020-21, 2021-22, અને 2022-23 માટેના ચિત્રકલા, શિલ્પ કલા, તથા છબી કલા, ક્ષેત્ર ના મળી ને કુલ 26 કલાકારોને ગૌરવ પુરસ્કાર માટે સન્માનિત કરવા માં આવ્યા જેમાં વર્ષ 2020-21 માં ચિત્રકલા માટે ભાવનગરના વરિષ્ઠ ચિત્રકાર શ્રી ભરતભાઈ પંડ્યા ની પસંદગી કરવામાં આવી હતી
જેનો સન્માન સમારંભ ગત તારીખ 24/09/2025 ના ગાંધીનગર ખાતે આવેલ ટાઉનહોલમાં ગુજરાત રાજ્યના સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રીશ્રી મુળુભાઈ બેરાના વરદ હસ્તે અર્પણ કરાયો આ સમારંભમાં ગાંધીનગરના મેયર શ્રી તથા અગ્ર સચિવ શ્રી અશ્વનિકુમાર ઉપસ્થિત રહ્યા ચિત્રકાર વૃંદાવન સોલંકી અને રતિલાલ કાસોદરીયા ખાસ હાજરી આપેલ.
ભાવનગર એક કલા નગરી તરીકે જાણીતી છે અને એમાં પણ ગુજરાત રાજ્યનો કલાક્ષેત્ર નો પ્રતિષ્ઠિત પુરસ્કાર ગૌરવ પુરસ્કાર ભાવનગરના કોઈ કલાકારને મળે તો સોનામાં સુગંધ ભળી હોય તેવું લાગે ચિત્રકાર શ્રી ભરતભાઈ પંડ્યાએ ભાવનગરમાં ચિત્રકલા ક્ષેત્રમાં આગવું સ્થાન ધરાવે છે તેમનો સ્વભાવ હમેશાથી મૃદુ અને લાગણીશીલ રહ્યો છે ચિત્રકાર ભરતભાઈ પંડ્યા એક પ્રયોગશીલ અને આધુનિક ચિત્રકાર છે તેમને વિવિધ માધ્યમો દ્વારા અનેક કલા સર્જનો કર્યા છે ભરતભાઈના ભાવનગર, અમદાવાદ, મુંબઈ, ગ્વાલિયર, ઉજ્જૈન, દિલ્હી, જેવા શહેરો માં તથા જર્મની અને તાઈવાન જેવા દેશોમાં 17 થી વધુ One Man Show યોજાયા છે
ભરતભાઈના કલા ગુરુ સ્વ.શ્રી ખોડીદાસભાઈ પરમાર, શ્રી ભાસ્કરભાઈ ભટ્ટ અને શ્રી વિરેન્દ્ર પંડ્યાના આશીર્વાદથી એમને ચિત્રકલા ક્ષેત્રે રાજ્ય તથા રાષ્ટ્રીય લેવલે અનેક એવોર્ડ પ્રાપ્ત થયા છે.
ગુજરાત સરકાર તથા ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી પસંદગી સમિતિના સભ્યોનો ભરતભાઈ પંડયાના ચિત્રકલા ક્ષેત્રે તેઓના આજીવન યોગદાન તથા સિદ્ધિઓ બદલ તેઓશ્રીને "*ગુજરાત ગૌરવ પુરસ્કાર"* માટે તેમની પસંદગી થતાં તેઓ ખુબ આભારી છે