Kalasangh Bhavnagar

Kalasangh Bhavnagar This is Art Group of Bhavnagar (Gujarat) , we do art activities at district , state and national level. we arrange many art activity for students.

*'ભાવેણા ના ક્લાનિષ્ઠ ચિત્રકાર શ્રી ભરતભાઈ પંડ્યા ને વર્ષ 2020-21 માટે ગૌરવ પુરસ્કાર'*  ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી દ્વ...
29/09/2025

*'ભાવેણા ના ક્લાનિષ્ઠ ચિત્રકાર શ્રી ભરતભાઈ પંડ્યા ને વર્ષ 2020-21 માટે ગૌરવ પુરસ્કાર'*

ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી દ્વારા દર વર્ષે રાજ્યમાં ચિત્રકલા, શિલ્પકલા તથા છબી કલાક્ષેત્રે ગણનાપાત્ર અમુલ્ય યોગદાન આપવા બદલ ગુજરાતના નામાંકિત કલાકારો ને “ગૌરવ પુરસ્કાર” એનાયત કરી ને રાજ્ય સરકાર સન્માનિત કરતી હોય છે જેમાં ગુજરાત રાજ્યના સાંસ્કૃતિક પ્રવૃત્તિના મંત્રી શ્રીના અધ્યક્ષ સ્થાનેથી ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમીની ગૌરવ પુરસ્કાર પસંદગી સમિતિ દ્વારા વર્ષ 2020-21, 2021-22, અને 2022-23 માટેના ચિત્રકલા, શિલ્પ કલા, તથા છબી કલા, ક્ષેત્ર ના મળી ને કુલ 26 કલાકારોને ગૌરવ પુરસ્કાર માટે સન્માનિત કરવા માં આવ્યા જેમાં વર્ષ 2020-21 માં ચિત્રકલા માટે ભાવનગરના વરિષ્ઠ ચિત્રકાર શ્રી ભરતભાઈ પંડ્યા ની પસંદગી કરવામાં આવી હતી
જેનો સન્માન સમારંભ ગત તારીખ 24/09/2025 ના ગાંધીનગર ખાતે આવેલ ટાઉનહોલમાં ગુજરાત રાજ્યના સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રીશ્રી મુળુભાઈ બેરાના વરદ હસ્તે અર્પણ કરાયો આ સમારંભમાં ગાંધીનગરના મેયર શ્રી તથા અગ્ર સચિવ શ્રી અશ્વનિકુમાર ઉપસ્થિત રહ્યા ચિત્રકાર વૃંદાવન સોલંકી અને રતિલાલ કાસોદરીયા ખાસ હાજરી આપેલ.
ભાવનગર એક કલા નગરી તરીકે જાણીતી છે અને એમાં પણ ગુજરાત રાજ્યનો કલાક્ષેત્ર નો પ્રતિષ્ઠિત પુરસ્કાર ગૌરવ પુરસ્કાર ભાવનગરના કોઈ કલાકારને મળે તો સોનામાં સુગંધ ભળી હોય તેવું લાગે ચિત્રકાર શ્રી ભરતભાઈ પંડ્યાએ ભાવનગરમાં ચિત્રકલા ક્ષેત્રમાં આગવું સ્થાન ધરાવે છે તેમનો સ્વભાવ હમેશાથી મૃદુ અને લાગણીશીલ રહ્યો છે ચિત્રકાર ભરતભાઈ પંડ્યા એક પ્રયોગશીલ અને આધુનિક ચિત્રકાર છે તેમને વિવિધ માધ્યમો દ્વારા અનેક કલા સર્જનો કર્યા છે ભરતભાઈના ભાવનગર, અમદાવાદ, મુંબઈ, ગ્વાલિયર, ઉજ્જૈન, દિલ્હી, જેવા શહેરો માં તથા જર્મની અને તાઈવાન જેવા દેશોમાં 17 થી વધુ One Man Show યોજાયા છે
ભરતભાઈના કલા ગુરુ સ્વ.શ્રી ખોડીદાસભાઈ પરમાર, શ્રી ભાસ્કરભાઈ ભટ્ટ અને શ્રી વિરેન્દ્ર પંડ્યાના આશીર્વાદથી એમને ચિત્રકલા ક્ષેત્રે રાજ્ય તથા રાષ્ટ્રીય લેવલે અનેક એવોર્ડ પ્રાપ્ત થયા છે.
ગુજરાત સરકાર તથા ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી પસંદગી સમિતિના સભ્યોનો ભરતભાઈ પંડયાના ચિત્રકલા ક્ષેત્રે તેઓના આજીવન યોગદાન તથા સિદ્ધિઓ બદલ તેઓશ્રીને "*ગુજરાત ગૌરવ પુરસ્કાર"* માટે તેમની પસંદગી થતાં તેઓ ખુબ આભારી છે

29/09/2025
કલાસંઘ ભાવનગર આયોજિત ગણપતિ ચિત્ર પ્રદર્શન તારીખ ૩૦ ઓગસ્ટના શનિવારના રોજ સવારે ૧૦:૩૦ કલાકે શ્રી ખોડીદાસ પરમાર આર્ટ ગેલેરી...
04/09/2025

કલાસંઘ ભાવનગર આયોજિત ગણપતિ ચિત્ર પ્રદર્શન તારીખ ૩૦ ઓગસ્ટના શનિવારના રોજ સવારે ૧૦:૩૦ કલાકે શ્રી ખોડીદાસ પરમાર આર્ટ ગેલેરી, સરદારનગર ખાતે ખાદ્ય ખોરાક ના પ્રમોટર અને કલાના પ્રોત્સાહક એવા શ્રી હિમાચલભાઈ મેહતા,તથા ભાવનગરના કલાકાર અને દિલ્હી લલિત કલા અકાદમીના બોર્ડ મેમ્બર શ્રીમતી નિરુપમા બેન ટાંક, તથા ભાવનગરના વરિષ્ઠ કલાકાર શ્રી અશોકભાઈ કાલાણી, તથા ભાવનગરના વોટર કલર કલાકાર શ્રી પંકજભાઈ ચાવડા, તથા ભાવનગરના જાણીતા ફોટોગ્રાફર શ્રી ડૉ અજય જાડેજા દ્વારા ઉદ્ઘાટન થશે આ પ્રદર્શનમાં અલગ અલગ ત્રણ ગ્રુપ ના 80 થી વધુ કલાકાર ના 90 થી વધુ ચિત્રો પ્રદર્શિત થશે આ પ્રદર્શન તારીખ ૩૦/૩૧ ઓગસ્ટ ના શનિવાર તથા રવિવારના સવારે ૧૦ થી ૧ અને સાંજે ૪ થી ૮ દરમ્યાન પ્રદર્શિત રહેશે

ભાવનગર એક કલાનગરી છે એ વાતને ખરેખર સાર્થક કરતા કલાસંઘ-ભાવનગર દ્વારા “કલા ગુરુઓ ને સમર્પિત ગુરુ સ્મૃતિ ચિત્ર પ્રદર્શન અને...
31/03/2025

ભાવનગર એક કલાનગરી છે એ વાતને ખરેખર સાર્થક કરતા કલાસંઘ-ભાવનગર દ્વારા “કલા ગુરુઓ ને સમર્પિત ગુરુ સ્મૃતિ ચિત્ર પ્રદર્શન અને સ્પર્ધા” નું અનોખું ભવયાતી ભવ્ય સુંદર આયોજન ગત તારીખ 15 અને 16 ના રોજ ભાવનગરની શ્રી ખોડીદાસભાઇ પરમાર આર્ટ ગેલેરી ખાતે કરવામાં આવ્યું હતું
આ સમારોહમાં જેમને કલામાં અનેરુ યોગદાન આપ્યું છે તેવા ચિત્રકાર શ્રી બીપીનભાઈ અજવાળીયા ને કલા રત્નથી સન્માનિત કરવામાં આવેલા આ ચિત્ર સ્પર્ધા અને પ્રદર્શનમાં 300 થી વધુ કલાકારો એ ભાગ લીધો હતો આ સ્પર્ધામાં કુલ 60000 થી વધુના રોકડ પુરસ્કારો તથા સન્માન પત્ર આપવામાં આવ્યા હતા આ પુરસ્કારો ભાવનગરના માનનીય કલા ગુરુના નામથી તેમના પરિવારજનો દ્વારા તેમજ અલગ અલગ કલાકારો અને કલા સંસ્થાઓ દ્વારા આપવામાં આવેલા

15/03/2025
🎨 Kalasangh Bhavnagar organise *GURU SMRUTI painting exhibition.* Exhibition Starts from tomorrow for two days.🎨 Date: *...
15/03/2025

🎨 Kalasangh Bhavnagar organise *GURU SMRUTI painting exhibition.*

Exhibition Starts from tomorrow for two days.
🎨 Date: *15 and 16 March 2025.*
🎨 Time: *10AM to 1PM and 4PM to 8PM.*
🎨 Place: *Shree khodidas Parmar art gallery, Sardarnagar.*

🎨 We heartily invite all art lovers to see our exhibition.

🖌️🎨🙏🏻 *ગુરુ સ્મૃતિ ચિત્ર પ્રદર્શન અને ચિત્ર સ્પર્ધા* 🙏🏻 🎨🖌️*ભાવનગર કલાસંઘ* દ્વારા આગામી સમયમાં *ફક્ત ભાવનગરના જ કલાપ્રિય...
16/01/2025

🖌️🎨🙏🏻 *ગુરુ સ્મૃતિ ચિત્ર પ્રદર્શન અને ચિત્ર સ્પર્ધા* 🙏🏻 🎨🖌️

*ભાવનગર કલાસંઘ* દ્વારા આગામી સમયમાં *ફક્ત ભાવનગરના જ કલાપ્રિય કલાકારો અને લોકો* માટે *“ગુરુ સ્મૃતી ચિત્ર પ્રદર્શન અને ચિત્ર સ્પર્ધા-2025”* નું એક અનોખું આયોજન થવા જઈ રહ્યું છે.

✨️ આ સ્પર્ધા માં *અલગ અલગ વિષયો સાથે બે ગ્રુપ* રહેશે.
✨️ જેમાં લગભગ *60,000 થી વધુ રોકડ ઇનામો* રહેશે 🎖️
✨️આ ચિત્ર પ્રદર્શન અને ચિત્ર સ્પર્ધા માં કોઈ પણ પ્રકાર ની *ફી રહેશે નહિ*

📑 સાથે આપેલ *PDF* વધુ માહિતી મળી રહેશે
અથવા
📱 *9428811356, 8200415503, 8460604943* નંબર પર સંપર્ક કરવો.

Rangoli Competition 2024 organised by Kalasangh Bhavnagar
30/10/2024

Rangoli Competition 2024 organised by Kalasangh Bhavnagar

*ભાવનગર કલાસંઘ દ્વારા દિવાળીનું રંગોળી હરીફાઈના આયોજનથી સ્વાગત*ભાવનગર માં દિવાળી ને આવકારવા ભાવનગર કલાસંઘ દ્વારા રુપાણી ...
30/10/2024

*ભાવનગર કલાસંઘ દ્વારા દિવાળીનું રંગોળી હરીફાઈના આયોજનથી સ્વાગત*

ભાવનગર માં દિવાળી ને આવકારવા ભાવનગર કલાસંઘ દ્વારા રુપાણી સર્કલ ખાતે ધનતેરસના સવારે 7 થી 10 દરમિયાન એક સુંદર રંગોળી હરીફાઈ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ હરીફાઈ માં 8 થી 60 વર્ષ સુધી ના 80 થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો
અલગ-અલગ વયજુથના ગ્રુપમાં ત્રણ ત્રણ કલાકારોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તથા ભાગ લેનાર દરેકને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા આ આયોજન ને સફળ બનાવવા ભાવનગર કલા સંઘના મેમ્બર રઘુવીરસિંહ ગોહિલ, રાજુભાઈ ચૌહાણ, દિશાંતભાઈ મકવાણા, કૌશલ શિયાળ સહિત ભાવનગર કલા સંઘ ના પ્રમુખ અજયભાઈ ચૌહાણના નેતૃત્વમાં આ કાર્યક્રમ ને સફળ બનાવવાની જહેમત ઉઠાવી હતી.
ભાગ લેનાર સ્પર્ધક પાસેથી કોઈપણ પ્રકારની ફી લેવામાં આવી નહોતી

Address

17, Pruthvi Plazza, Ghogha Circle
Bhavnagar
364001

Alerts

Be the first to know and let us send you an email when Kalasangh Bhavnagar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Kalasangh Bhavnagar:

Shortcuts

Share