Sir P. P. Institute of Science

Sir P. P. Institute of Science Sir P. P. Institute of Science Official Page.

શ્રીરાજેન્દ્રસિંહ ચુડાસમા, IPS, ગુજરાત, હાલ સેનાપતિ SRP-9, વડોદરા (ઇન્ડસ્ટ્રીયલ કેમેસ્ટ્રી પૂર્વ સ્ટુડન્ટ્) આજે આઈ.સી. ડ...
16/01/2023

શ્રીરાજેન્દ્રસિંહ ચુડાસમા, IPS, ગુજરાત, હાલ સેનાપતિ SRP-9, વડોદરા (ઇન્ડસ્ટ્રીયલ કેમેસ્ટ્રી પૂર્વ સ્ટુડન્ટ્) આજે આઈ.સી. ડિપાર્ટમેન્ટની શુભેચ્છા મુલાકાતે આવેલ. આ પ્રસંગે સર પી.પી. ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડૉ. સુતરીયા સાહેબે તેમને આવકારેલ. તેમજ ભાવનગરના ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ અને જુના બંદર કેમિકલ એસોસિયેશનના પ્રમુખ શ્રીકિરીટભાઈ શિહોરા તથા શ્રીહિરેનભાઈ કાપડીયા હાજર રહી વિધાર્થીઓને માર્ગદર્શન અને પ્રોત્સાહિત કરેલ. વર્તમાન ઓદ્યોગિક ક્ષેત્રે ઇન્ડસ્ટ્રીયલ કેમેસ્ટ્રીની અગત્યતા વિશે માહિતી આપેલ.

બેઝીક સાયન્સ ફેસ્ટ - ૨૦૨૨   તા. ૦૬/૦૯/૨૦૨૨
07/09/2022

બેઝીક સાયન્સ ફેસ્ટ - ૨૦૨૨ તા. ૦૬/૦૯/૨૦૨૨

રન ફોર તિરંગા ૧૦-૦૮-૨૦૨૨
10/08/2022

રન ફોર તિરંગા ૧૦-૦૮-૨૦૨૨

National Votter’s Day 25th January 2022આજ રોજ કોલેજ ખાતે NSSના ઉપક્રમે National Votter’s Day નો કાર્યક્રમ રાખેલ, તેમાં વ...
25/01/2022

National Votter’s Day 25th January 2022

આજ રોજ કોલેજ ખાતે NSSના ઉપક્રમે National Votter’s Day નો કાર્યક્રમ રાખેલ, તેમાં વક્તા તરીકે આ કોલેજના સિનીયર અધ્યાપક ડો.હિતેશભાઈ શાહે NSSનાં સ્વયં સેવકોને મતદાન જાગ્રતા માટે મતદાર કાર્ડ કઢાવવા માટે અને અચૂક મતદાન યોગ્ય ઉમેદવારને કરે તે માટે વકતવ્ય આપેલ. અને સ્વયં સેવકોએ પોતાના પ્રશ્નો પૂછી કાર્યક્રમને સફળ બનાવેલ. આ કાર્યક્રમ સંસ્થાનાં ઇન્ચાર્જ આચાર્ય શ્રી ડો. સુતરીયા સાહેબ તથા પ્રોગ્રામ ઓફિસર શ્રી ડો. દિલીપભાઈ ઈઢાટીયા તથા પરેશભાઈ શુક્લ તથા સ્વયં સેવકો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવેલ છે.

18/01/2022
NSS “રાષ્ટ્રીય યુવા દિવસ” આજ રોજ તા. ૧૨/૦૧/૨૦૨૨ નાં રોજ સર પી.પી. ઇન્સ્ટી. ઓફ સાયન્સ ભાવનગરનાં N.S.S. Unitનાં ઉપક્રમે ‘ર...
12/01/2022

NSS “રાષ્ટ્રીય યુવા દિવસ”

આજ રોજ તા. ૧૨/૦૧/૨૦૨૨ નાં રોજ સર પી.પી. ઇન્સ્ટી. ઓફ સાયન્સ ભાવનગરનાં N.S.S. Unitનાં ઉપક્રમે ‘રાષ્ટ્રીય યુવા દિવસ” સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતી પ્રસંગે ,શ્રી વાસુદેવસિંહ સરવૈયા મુખ્ય વક્તાની હાજરીમાં અત્રેની કોલેજમાં વક્તવ્યનું આયોજન કરેલ હતું. તેઓશ્રીએ સ્વામી વિવેકાનંદજીનાં જીવન-ઉદ્દેશ અને સંદેશો વિદ્યાર્થીઓને આપેલ. સાથે સાથે આ સંસ્થાનાં અંગ્રેજ વિભાગનાં સીનીયર અધ્યાપક શ્રી હરીશ મહુવાકરે પણ સ્વામીજી વિષે મનનીય પ્રવચન આપેલ. આ કાર્યક્રમ સંસ્થાનાં ઇન્ચાર્જ આચાર્યશ્રી ડૉ. સુતરીયા સાહેબ તથા પ્રોગ્રામ ઓફિસરશ્રી દિલીપભાઈ ઈઢાંટીયા તથા પરાક્રમસિંહ ગોહિલ, આશીષસિંહ ઝાલા અને સ્વયંસેવકોએ ખુબ જ ઉત્સાહ અને સફળતાપૂર્વક આયોજન કર્યું હતું.

કોવિડ-૧૯ વેક્સિનેશન કેમ્પ ૧૦-૦૧-૨૦૨૨સર પી.પી.ઇન્સ્ટીટયુટ ઓફ સાયન્સ,ભાવનગર તથા એન.એસ.એસ.યુનિટના ઉપક્રમે કોવીડ-૧૯ની વેક્સી...
10/01/2022

કોવિડ-૧૯ વેક્સિનેશન કેમ્પ ૧૦-૦૧-૨૦૨૨
સર પી.પી.ઇન્સ્ટીટયુટ ઓફ સાયન્સ,ભાવનગર તથા એન.એસ.એસ.યુનિટના ઉપક્રમે કોવીડ-૧૯ની વેક્સીનેશન કાર્યક્રમમાં ૯૦ જેટલા વિદ્યાર્થીઓને રસી આપવા માટે ન્યુ કુંભારવાડા સેન્ટરના ડૉ.ધવલ વાજા તથા FHW મિતલબેન યાદવ, MPHW ભાવિનભાઈ, સંજયભાઈ, વિક્રમભાઈએ કામગીરી કરેલ.આ કાર્યક્રમમાં ઇન.આચાર્યશ્રી સુતરીયા સાહેબ તથા NSS પ્રોગ્રામ ઓફિસર ડૉ.દિલીપભાઈ ઈઢાંટીયા સર પી.પી.ઇન્સ્ટીટયુટ ઓફ સાયન્સ,ભાવનગર તથા એન.એસ.એસ.યુનિટના ઉપક્રમે કોવીડ-૧૯ની વેક્સીનેશન કાર્યક્રમમાં ૯૦ જેટલા વિદ્યાર્થીઓને રસી આપવા માટે ન્યુ કુંભારવાડા સેન્ટરના ડૉ.ધવલ વાજા તથા FHW મિતલબેન યાદવ, MPHW ભાવિનભાઈ, સંજયભાઈ, વિક્રમભાઈએ કામગીરી કરેલ.આ કાર્યક્રમમાં ઇન.આચાર્યશ્રી સુતરીયા સાહેબ તથા NSS પ્રોગ્રામ ઓફિસર ડૉ.દિલીપભાઈ ઈઢાંટીયા તથા સ્વયંસેવકોએ કામગીરી હાથ ધરી હતી. તથા સ્વયંસેવકોએ કામગીરી હાથ ધરી હતી.

તારીખ: ૦૯-૧૦-૨૦૨૧“વન્યજીવ સપ્તાહ ૨૦૨૧”“The greatness of a nation and its moral progress can be judged by the way its ani...
10/10/2021

તારીખ: ૦૯-૧૦-૨૦૨૧
“વન્યજીવ સપ્તાહ ૨૦૨૧”
“The greatness of a nation and its moral progress can be judged by the way its animals are treated.”
- Mahatma Gandhi
દર વર્ષે આપણા દેશમાં વન્યજીવ સૃષ્ટિના સંરક્ષણ અને સંવર્ધન અંગે લોકજાગૃતિ અને લોકભાગીદારીમાં વૃદ્ધિના હેતુસર ઓક્ટોબર મહિનાના પ્રથમ સપ્તાહને વન્યજીવ સપ્તાહ તરીકે ઉજવવામાં આવે છે. તારીખ ૮ ઓક્ટોબર ૨૦૨૧ ને શુક્રવારના રોજ સર પી. પી. ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સના પ્રાણીશાસ્ત્ર વિભાગ દ્વારા વન્યજીવ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીના ભાગરૂપે સંસ્થાના પ્રથમ વર્ષથી લઈ અંતિમ વર્ષ સુધીના ૧૨૫ જેટલા વિદ્યાર્થીઓએ હાજર રહી તેમની આસપાસના જૈવવૈવિધ્ય અંગે વિષય તજજ્ઞોના વ્યાખ્યાનનો લાભ મેળવ્યો હતો. આ કાર્યક્રમમાં સંસ્થાના ઈન્ચાર્જ આચાર્ય ડૉ. જી. એમ. સુતરીયા તથા ગણિત વિભાગના અધ્યક્ષ ડૉ. એમ. એમ. ઠુમ્મરે પ્રેરક ઉપસ્થિતિ આપી હતી. કાર્યક્રમની શરૂઆતમાં પ્રાણીશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડૉ. આશિષ શુક્લ એ ઉપસ્થિત સૌને આવકાર્યા હતા. વધુમાં તેમણે જૈવવિવિધતાના અમૂલ્ય વારસાની જાણકારી તથા તેની જાળવણી માટે વિદ્યાર્થીઓની ભૂમિકા વિષે પ્રેરણાદાયક વિચારો પ્રસ્તુત કર્યા હતા. આચાર્યશ્રીએ પણ વિધ્યાર્થીઓ સાથે પોતાના પ્રેરક વિચારો વહેંચ્યા હતા. ત્યારબાદ વિષય તજજ્ઞ તરીકે વિભાગના એસોસીએટ પ્રોફેસર ડૉ. પી. પી. ડોડીયાએ “આપણી આસપાસના પંખીઓ” વિષય પર વિદ્યાર્થીઓ સમક્ષ રસાળ શૈલીમાં પોતાનું વ્યાખ્યાન રજૂ કર્યું હતું. ત્યારબાદ પ્રાણીશાસ્ત્ર વિભાગના ભૂતપૂર્વ વિદ્યાર્થિની તથા હાલમાં વિભાગમાં જ અતિથિ વ્યાખ્યાતા તરીકે ફરજ બજાવતા શ્રીમતી દેવાંશીબેન ત્રિવેદીએ “કીટકોની રસપ્રદ દુનિયા” વિષય પર પોતાનું વ્યાખ્યાન આપી વિદ્યાર્થીઓને આસપાસની કીટક સૃષ્ટિ વિષે માહિતગાર કર્યા હતા. અંતમાં વિભાગના પ્રાદ્યાપક શ્રીમતી આર. એચ. નાગરેચા દ્વારા આભારવિધિ કરી કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓએ સમગ્ર કાર્યક્રમ દરમિયાન અત્યંત રસપૂર્વક પોતાની ભાગીદારી નોંધાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કુ. તન્વી ગોહેલ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા વિભાગના પ્રાદ્યાપક ડૉ. એમ. ડી. પેઢડીયા તથા અન્ય કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી.

National Wildlife Week Celebration
07/10/2021

National Wildlife Week Celebration

Press Note 25/09/2021
25/09/2021

Press Note 25/09/2021

Press note 08/09/2021
08/09/2021

Press note 08/09/2021

Press 02/09/2021
02/09/2021

Press 02/09/2021

Address

Sir P. P. Institute Of Science
Bhavnagar

Alerts

Be the first to know and let us send you an email when Sir P. P. Institute of Science posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category