21/02/2026
Event: Off-campus one-day training (In collaboration with ATMA-Surat)
Title: Natural farming one-day training to 125 willing farmers for 20 Clusters of Surat district
Thematic Area: Natural Farming and hands-on
Participants: 125 willing farmers from each cluster
(No. of training: 10, and No. of Participants: 2113)
Date: 29/09/2025 to 09/01/2026
Topics:
Natural farming and its importance
Importance of Natural Farming on human health and soil health
Pest and disease control in Natural farming
Market system of natural farming products
Government schemes related to Natural Farming
Activities done:
1. Method demonstration of Ghanjivamrut, Jivamrut, Nimastra, Dashparni ark, Agniastra, Bijamrut
2. Field visit to a natural farming plot at the farmer's field
Scientists involved:
Dr. R. D. Vekariya, Assistant Research Scientist & Head, WRS, Wheat Research Station, NAU, Bardoli
Dr. A. V. Malviya, Assistant Research Scientist (Vegetable Science), Wheat Research Station, NAU, Bardoli
ઘઉં સંશોધન કેન્દ્ર, બારડોલી દ્વારા NMNF અંતર્ગત સુરત જિલ્લાના ૨૦ ક્લસ્ટરમાં આત્મા પ્રોજેક્ટ, સુરતના સંયુક્ત ઉપક્રમે તા. ૨૯/૦૯/૨૦૨૫ થી તા. ૦૯/૦૧/૨૦૨૬ દરમ્યાન કુલ ૧૦ એક દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવેલ હતું (તાલીમ આયોજનની તારીખ અને સ્થળનો ફોટો સામેલ છે). સદર પ્રાકૃતિક કૃષિની તાલીમમાં દરેક ક્લસ્ટરના ૧૨૫ સ્વયં પ્રેરિત ખેડૂત ભાઈઓ અને બહેનો મળીને કુલ ૨૧૧૩ તાલીમાર્થીઓ હાજર રહેલા હતા.
સદર એક દિવસીય પ્રાકૃતિક કૃષિની તાલીમ નવસારી કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામક સાહેબશ્રીના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવેલ હતી.
ઘઉં સંશોધન કેન્દ્ર, બારડોલીના મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક ડો. રાજેશ ડી. વેકરીયાએ તાલીમાર્થીઓને પ્રાકૃતિક ખેતીના પાયાના સિદ્ધાંતો, બાયો-ઈનપુટ બનાવવાની અને ક્યાં પાકમાં કેટલા પ્રમાણમાં બાયો-ઈનપુટનો ઉપયોગ કરવા વિષેની ટેકનિકલ માહિતી પૂરી પાડી હતી. તેમજ જુદા જુદા પાકમાં આવતી જીવાતો, રોગો, તેની ઓળખ, નુકસાનનો પ્રકાર અને પ્રાકૃતિક ખેતીમાં જીવાતો અને રોગના નિયંત્રણ વિશે તાલીમાર્થીઓને ઊંડાણપૂર્વક માહિતી પૂરી પાડેલ હતી.
પ્રો. અમિત વી. માલવિયા, શાકભાજી વૈજ્ઞાનિકશ્રી, ઘઉં સંશોધન કેન્દ્ર, બારડોલી પ્રાકૃતિક કૃષિ હેઠળ શાકભાજી પાકોની ખેતી મોડેલ, સંકલિત ખેતી વ્યવસ્થાપન, બાગાયત પાકોના મોડેલ અને મૂલ્યવર્ધન, બજાર વ્યવસ્થા વિષે તાલીમાર્થીઓને ઊંડાણપૂર્વક માર્ગદર્શન પૂરું પાડેલ હતું.
તાલીમાર્થીઓને પ્રેક્ટીકલ નિદર્શન દ્વારા પણ માર્ગદર્શન આપવામાં આવેલ હતું. તાલીમાર્થીઓને બીજામૃત, જીવામૃત, ઘનજીવામૃત, નિમાસ્ત્ર, અગ્નિઅસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, દસપર્ણી અર્ક, સુઠાસ્ત્ર, વગેરે બનાવી પ્રેક્ટીકલ માર્ગદર્શન આપવામાં આવેલ હતું.